Showing posts with label Gujarat State News. Show all posts
Showing posts with label Gujarat State News. Show all posts

Thursday, March 31, 2011

Gujarat State News 2011 - પાંચવર્ષથીઓછીવયના ૪૦ટકાબાળકો કુપોષણનો શિકાર

 તબીબી સારવાર, અઠવાડિયામાં બે દિવસ દૂધ, ફળ કુપોષિત બાળકોને આપવામાં આવે છ.

રાજયમાં પાંચ વર્ષથી ઓછી  ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતા ૪૦ ટકા બાળકો કુપોષણથી ગ્રસ્ત છે. રાજય સરકાર દ્વારા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા કેટલાક આવશ્યક પગલા ભરી પરિસ્થિતિમાં સુધાર લાવી કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવાનું સફળ આયોજન હાથ ધર્યું છે.

રાજયમાં કુપોષિત બાળકોની તંદુરસ્તી માટે રાજય સરકારના આયોજન અંગેનો પ્રશ્ન ગાહમાં ઊમરેઠના ધારાસભ્ય લાલસહ વડોદિયાએ પૂછતાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું કે, રાજયમાં પ વર્ષથી ઓછી ઊંમરના બાળકોની કુલ સંખ્યા કરતાં ૪૦ ટકા બાળકોમાં કુપોષિત હોવાનું સર્વે દરમ્યાન
જાણવા મળતા રાજય સરકાર દ્વારા આવા કુપોષિત બાળકોની પરિસ્થિતિ સુધારવા આયોજન બદ્ધ પગલાં ભર્યા છે.

વધુમાં જણાવતા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને કહ્યું હતું કે, રાજયભરની શાળાઓમાં બાળકોને બાળભોગ આપવામાં આવે છે. જયારે ટ્રાયબલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં બે દિવસ બાળક દીઠ ૧૦૦ મિ,લી. દૂધ આપવામાં આવે છે. તેની સાથે સાથે અન્નપ્રાશ દિવસની ઊજવણી કરવામાં આવે છે. ઋતુ અનુસાર, સ્થાનિક કક્ષાએ ઊપલબ્ધ થતા હોય તેવા ફળો અઠવાડિયામાં બે દિવસ બાળકોને આપવામાં આવે છે.

જયારે અતિકુપોષિત બાળકોને બાવન સિડીએનસી સેન્ટર દ્વારા તબીબી સારવાર અને જરૂરિયાત મુજબનું પોષણ પુરુ પાડવામાં આવે છે. જરૂરી દવા તથા ટોનિક પણ પૂરા પાડવામાં આવે છે. તેવી જ રીતે ફોર્ટીફાઈડ લોટમાંથી ગરમ ગરમ નાસ્તો બનાવીને આપવામાં આવે છે. આ તમામ કાર્ય પાછળ સતત મોનિટરગ પણ કરવામાં આવે છે. તેવુ મહિલા અને બાળ કલ્યાણ પ્રધાને જણાવ્યું હતું.

Gujarat State News - તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન

સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવી શકાશે.

રાજયના તમામ ક્ષેત્રનેકોમ્પ્યૂટર કનેકિટવિટીથીજોડવાના અભિગમ અંતર્ગતરાજયની તમામ ૨૫ જિલ્લા તિજોરી કચેરીઓનુંકોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યુંછે.

તાજેતરમાં ૧, ફેબ્રુઆરી ૨૦૧૧થી તાપી જિલ્લા તિજોરી કચેરી શરૂ કરવામાં આવી છે તેને પણ કોમ્પ્યૂટરાઇઝેશનથી સજજ કરવામાં આવી છે. જિલ્લા તિજોરી કચેરીના કોમ્પ્યૂટરાઇઝેશન અંગે ગાહમાં ડાંગ-વાંસદાના ધારાસભ્ય વિજય પટેલે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા નાણાપ્રધાન વજુભાઇ વાળાએ કહ્યું હતું કે,

ઈ-ધારા અંતર્ગત રાજયની તમામ જિલ્લા તિજોરી કચેરીઓનું કોમ્પ્યૂટરાઇઝેશન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવતા નાણાપ્રધાને કહ્યું કે કોમ્પ્યૂટરાઇઝેશનથી રાજયની નાણાકીય સ્થિતિની પ્રત્યેક સમયની જાણકારી,
નાણાકીય હિસાબોની અસરકારક નિભાવણી, રાજયના ભંડોળની અસરકારક વ્યવસ્થા તથા સુયોગ્ય નાણાકીય શિસ્ત, ઓનલાઇન ગ્રાન્ટ ફાળવણી તેમજ ખર્ચનું મોનિટરગ થઇ શકે છે.

આ ઊપરાંત સાઇબર ટ્રેઝરી દ્વારા રાજયના કરવેરા ઓનલાઇન જમા કરાવવાની વ્યવસ્થા કરી શકાશે તેવું નાણાપ્રધાને તેમના જવાબમાં જણાવ્યું હતું.