Showing posts with label Surat Samachar. Show all posts
Showing posts with label Surat Samachar. Show all posts

Tuesday, April 12, 2011

Latest Surat News - લાજપોર મધ્યસ્થ જેલ નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે



૮૦ કરોડના ખર્ચે બનેલી જેલમાં કેદીઓ માટે ૨૫૦૦ બેરેકસની વ્યવસ્થા.

સુરતના લાજપોરમાં અદ્યતન સુવિધાઓ સાથે ૮૦ કરોડની ખર્ચે બની રહેલી જેલનું કામ પૂર્ણતાના આરે પહાચી ગયું છે.

આ જેલમાં ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરાયા છે. તેને લીધે રાજયની જેલોમાં કેદીઓનું ભારણ ઘટશે.

રાજયના ગાૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતની લાજપોર ખાતે નવી બંધાયેલ સેનટ્રલ જેલનું કામ પુરું થઇ ગયું છે અને તે કદાચ રાજયની પ્રથમ જેલ હશે જેમાં એકદમ આદ્યનિક ઇલેકટ્રોનિક સર્વેલન્સથી માંડીને સુરક્ષા જળવાઇ રહે તે માટેના સયંત્રો ગોઠવાયેલા છે.

ગાહ વિભાગમાં જેલોની સુધારણા અને આધુનિકીકરણની જવાબદારી સંભાળતા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સુરતની લાજપોર જેલમાં હવે ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરવામાં આવ્યા છે.

સુરત શહેરની મધ્યમાં આવેલી જૂની ડિસ્ટ્રીકટ જેલમાં ૬૦૦ થી ૭૦૦ કેદીઓ રખાતાં હતાં, પરંતુ શહેરની બહાર લાજપુર ખાતે નવી બંધાયેલ જેલ કે જે હવે સૂરત સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાશે તેમાં ૨૫૦૦ થી વધુ કેદીઓ મોકળાશથી રહી શકશે.

ગાૃહ વિભાગના સચિવ અને જેલોના ડીજીપી વગેરેએ તાજેતરમાં નવી બનેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલનીમુલાકાત લીધી હતી, તેઓના જણાવ્યા અનુસાર જેલની સુવિધાઓને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને લગભગ એક-બે માસમાં જૂની જેલના કેદીઓને નવી જેલમાં શિફટ કરાશે અને આમ થતાં રાજયની
જેલોમાં કેદીઓની ક્ષમતા ઊપરાંતના ભરાવાનો અંત આવશે અને કદાચ દેશભરમાં જેલો જયારે ઓવર ક્રાઊડેડ છે ત્યારે ગુજરાતમાં એ પ્રશ્નનો અંત આવશે.

Thursday, April 7, 2011

Surat News - વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે મેટ્રો સિટી બનવાનું સપનું રોળાય

વસ્તી ગણતરીમાં અમદાવાદમાં ૧૪ લાખ જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકો ઊમેરાયા.

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક કરોડનો વસ્તી વધારો થયો છે. વસ્તીના દરમાં અમદાવાદ જિલ્લાનો ક્રમ પ્રથમ છે. જયારે બીજાક્રમે સુરત છે. આ બંને મેટ્રોસિટીના વિસ્તાર હોવાથી સૌથી વધુ વસ્તી આ શહેરોમાં અમદાવાદમાં ૧૪ લાખ નવા લોકો ઊમેરાયા છે.

જયારે સુરતમાં ૧૮ લાખ નવા લોકોનો ઊમેરો થયો છે. તેમ છતાં સુરત શહેરની વસ્તી હજુ ૫૦ લાખના આંકે
પહાચી નથી. જેના કારણે સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.

સુરત શહેર દરેક રીતે મેટ્રોસિટીની વ્યાખ્યામાં ફિટ છે પણ માત્ર વસ્તી ૫૦ લાખ ન હોવાના કારણે સુરતને મેટ્રોસિટીનો દરજજો મળતો નથી.

અત્રે એક વાત હકીકત છે કે સુરતમાં હાલમાં જન સુખાકારીના જે સંશાધનો છે એ મુજબ વસ્તીમાં અધધધ વધારો ન થવાને કારણે શહેરની હાલની પ્રજાને માથાદીઠ વધુ સુવિધા આપી શકાશે. પણ એ ફકત પાલિકા દ્વારા મળતી સુવિધાઓ જ.

સુરતને જો મેટ્રોસિટીનો દરજજો મળ્યો હોય તો મેટ્રોટ્રેન સહિતની અનેક સુવિધાઓનું હક્કદાર આ શહેર બન્યું હોત જેના કારણે પાલિકાને મળતી ગ્રાન્ટથી લઇ કર્મચારીઓને પણ પગારવધારા સહિતના અન્ય
લાભો મળ્યા હોત. આ સાથે સંખ્યાબંધ હાઇ પ્રોફાઇલ અને સિગ્નેચર પ્રોજેકટ્સ કેન્દ્રની મોટી સહાયથી બની જાત.

આવા અનેક લાખો મળે તેવી પાલિકાની આશા ઊપર હાલ ઠંડુ પાણી રેડાઇ ગયું છે. વર્ષ-૨૦૦૧ મેટ્રોસિટીના
માપદંડમાં ૪૦ લાખની જ વસ્તી જરૂરી હતી હવે બદલાયેલા માપદંડ મુજબ આ આંકડો ૫૦ લાખનો કરી દેવાયો છે તેથી સુરતને મેટ્રો શહેર બનવા ૫૦ લાખની વસ્તી હોવી જોઇએ.

સુરતમાં હાલ ૧૮ લાખની સંખ્યા વસ્તી વધારામાં નાધાઇ છે. તેમ છતાં સુરતનું મેટ્રોસિટી બનવાનું સપનું રોળાયું છે.