Showing posts with label Gujarat News. Show all posts
Showing posts with label Gujarat News. Show all posts

Friday, May 4, 2012

Ahmedabad City - રૂ. ૬૪ કરોડના ખર્ચે તૈયાર વાડજ અને પરિમલ બિ્રજ નું લોકાર્પણ

દધિચી ઋષિ દૂધેશ્વર વાડજ રીવરબિ્રજ અને ભગીની નિવેદીતા પરિમલ રેલવે અન્ડર બિ્રજનું નામામિધાન.

મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ અમદાવાદને કુલ રૂ.૬૪ કરોડના ખર્ચે નવર્નિિમત બે બિ્રજનું લોકાર્પણ કરતાં દૂધેશ્વર વાડજના સાબરમતી નદી ઊપરના રીવરબિ્રજનું દધિચી ઋષિબિ્રજ અને પરિમલ રેલેવે અન્ડરબિ્રજનું ભગીની નિવેદીતા બિ્રજ નામાભિધાન જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવાનું આહ્વાન આપ્યું હતું.

રૂ. ૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઊપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબિ્રજનું શાહીબાગમાં લોકાર્પણ કરી નરેન્દ્ર મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાષ્ણ અડવાણીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડબિ્રજનું ઊદ્ઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઊપરના બિ્રજની ચિરંજીવ સ્માતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુકત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી.

આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઊપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને એક આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્તે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મિક ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબિ્રજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિરોધી પરિબળો અને કાગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પુરા વેગથી આગળ વધારશે એવો નિર્ર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું કે મોદીએ વિકાસની અનેક નવીન સિધ્ધિ મેળવી છે અને ગુજરાતને સુશાસન આપ્યું છે. પરંતુ સાબરમતી નદી વિકાસનો રિવફ્રંટ પ્રોજેકટ કરીને નવી શુદ્ધિકરણનો વિકાસનો ચમત્કાર કરી બતાવ્યો છે. અડવાણીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજય સરકારને.

Wednesday, March 21, 2012

Gujarat Telecommunication News 2012 - નકામાં મેસેજથી મોબાઇલ ધારકો પરેશાન

ડુનોટ કોલ માત્ર નામનો કાયદો જ બની ગયો છે જેનાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.દંડની રકમ વધારવી જોઇઅ

ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.

ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.

જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.

જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.

ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.

Thursday, March 8, 2012

ગુજરાત-બિકાનેર વચ્ચે રેલવે દ્વારા વેકેશન માટે વધુ છ ટ્રેનો

૧લી મેથી આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે, જે મહત્વના સ્ટેશન પર રોકાણ કરશે.

પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઇ અને બિકાનેર માટે વધુ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે.

રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોનો ધસારો ઘણો વધારે રહે છે. મોટાભાગે દૂરની મુસાફરી માટે મુસાફરો રેલવે ટ્રેનનો ઊપયોગ કરે છે. જેના માટે થઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ છ ટ્રેનો ૧લી મે, ૪થી મે અને
૮મી મેના રોજ દોડશે. આ ટ્રેન બાન્દ્રાથી બિકાનેર જવા માટે ૧૧.૪૫ વાગે ઊપડશે. જે બીજા દિવસે રાતે ૧૦ ઃ૧૫ કલાકે બિકાનેર પહાચશે.

તેવી જ રીતે આ ટ્રેન ૨,૫ અને ૯મી મેના રોજ બિકાનેરથી ૧૦:૪૫ વાગે ઊપડશે જે બીજા દિવસે રાત્રે ૧૦.૫૫ વાગે બાન્દ્રા પહાચશે.

આ ટ્રેન બંને બાજુએ તમામ મહત્વના સ્ટેશનોને આવરી લેશે. જેમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર,નાગોર
સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Sunday, March 4, 2012

Gujarat Common Entrance Test 2011 - પરીક્ષા આપનારી વિર્દ્યાથનીઓની સંખ્યા વધી

દેશભરની ખ્યાતનામ બી-સ્કૂલમાં કેટની એકઝામ પાસ કરીને પીજીપીમાં પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યામાં વધારો.

દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.

કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.

અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.

જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.

આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.

Saturday, October 22, 2011

Ahmedabad Municipal Transport Corporation - હવે ઈ-ટિકિટ ઈશ્યૂ કરશે

૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.

પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.

જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.

કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.

આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.

જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.

અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.

Wednesday, October 5, 2011

Amdavad Airport - ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઊપડશે

પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.

આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.

Saturday, April 30, 2011

Gujarat Durga Ashtami Durga Puja 2011 - માઇ મંદિરોમાં યજ્ઞો પૂજા થશે



ઊત્તર ભારતમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નાની બાળાઓના પગ ધોઇ જમાડવાની પરંપરા....

આજે મોટી આઠમ હોવાથી અંબાજી, પાવાગઢ,ચોટીલા જેવા માઇ મંદિરોમાં પણ ભકતોની ભારે ભીડ, નવરાત્રિ કરતા ભકતો આજે માતાજીની ધૂનમાં મગ્ન બની જાપ કરશે.

વર્ષની આવતી મોટી નવરાત્રિ પૈકી હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. તેમાં આજે આઠમું નોરતુ છે એટલે કે
આજે આઠમ છે. શહેરના માઇ મંદિરોમાં આજે આદ્યશકિતના યજ્ઞ અને અખંડ ધૂન સાથે ભકિત થશે. આજની આઠમ એટલે કે દુર્ગાષ્ટમી માતા દુર્ગાને રિઝવવા ભકતોની આજે ભારે ભીડ જામશે. રાજયભરના મંદિરોમાં ભકતો દેવી દુર્ગાની પૂજા અર્ચના કરશે જેમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા જેવા માઇ મંદિરોમાં આજે પરોઢીયેથી જ યજ્ઞો અને અખંડ ધૂન શરૂ થઇ ગઇ છે.

તો બીજી બાજુ શહેરના ભદ્રકાળી મંદિરમાં પણ આજે યજ્ઞ રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે યજ્ઞ કરવાથી વિશેષ પુણ્ય મળે છે.

જેથી ભકતો આજે મંદિરમાં વિશેષ યજ્ઞ કરશે તો વળી આજે ગાયત્રી મંત્ર, દુર્ગાજાપ પણ વિશેષ મહત્ત્વ હોવાથી આજે ભકતો તેમાં પણ જોતરાઇ જશે. રાજયના તથા શહેરના અનેક માઇ મંદિરોમાં આજે માતાજીનો અન્નકુટ ભરાશે તો જે ભાવિકો નકોરડા ઊપવાસ રાખી નવરાત્રિ કરતા હશે તેઓ આજે ફરાર કરીને એક ટાણું કરશે તો વળી નવરાત્રિના નોમના દિવસે માતાજીનો ખંડ અને નિવેદ ભરાશે આ નવરાત્રિમાં માતાજીના નિવેદનો મહિમા વધુ છે.

ઘણા ભકતો આજે દુર્ગાષ્ટમીના દિવસે જ માતાજીનો ખંડ ભરશે અને ચણાનો પ્રસાદ કરી મહાઆરતી કરશે. આજની આઠમ મોટી હોવાથી ઘરેઘરે મતા આદ્યાશકિતના પાઠ, પૂજન અને અર્ચના થશે અને જાગરણ કરી માના નામનું ઊચ્ચારણ કરી ભકતો આખી રાત જાપ કરશે.

Narendra Modi News - બે પુલનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી મોદી કરશે



ઊદ્ઘાટન દરમિયાન અડવાણી હાજર રહેશે અને જાહેરસભા સંબોધશે.

શહેરમાં બની રહેલા બિ્રજ પૈકી ઘણા લાંબા સમયથી બની રહેલા વાડજ-દૂધેશ્વર બિ્રજ અને પરીમલ અન્ડર બિ્રજ આગામી ૧૩ એપ્રિલના રોજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે આ પ્રસંગે નાયબ વડા પ્રધાન લાલકાષ્ણ અડવાણી ખાસ હાજરી આપશે.

પરીમલ અન્ડરબિ્રજના લોકાર્પણ બાદ સુવિધા શોપગ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદી અને લાલકાૃષ્ણ અડવાણી જાહેરસભાને સંબોધશે.

કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ અંતર્ગત શહેરમાં બની રહેલા પુલો પૈકી દૂધેશ્વર-વાડજ અને સાબરમતી નદી પર બન્યો છે. ઘણા લાંબા સમય બાદ પૂર્ણ થતાં ૧૩મી એપ્રિલે બંને બિ્રજના લોકાર્પણ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ કરણ ભાજપના એક માત્ર વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયીનું નામ
આપવામાં આવશે. જયારે પરીમલ અંડરબિ્રજનું નામ મહાગુજરાતની ચળવળના પ્રણેતા રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઊલ્લેખનીય છે કે સાબરમતી નદી ઊપર હાલ આઠ બિ્રજ આવેલા છે તે તમામના નામ નેશનલ લીડરના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં લાલબહાદુર શાસ્ત્રી. બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, મહાત્માગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધીના નામ પરથી હાલના પુલોના નામ પાડવામાં આવ્યા છે. હવે ૧૩મી એપ્રિલે લોકાર્પણ પામતા બિ્રજો પૈકી વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ ભાજપના એકમાત્ર વડાપ્રધાન પદે બિરાજેલા અટલબિહારી
વાજપેયીનું નામ આપવામાં આવશે.

જયારે પરીમલ અંડરબિ્રજનું નામ ગુજરાત જયારે સ્વર્ણ જયંતી ઊજવવા જઇ રહ્યું છે. ત્યારે ૧૯૬૦ની ચળવળના પ્રણેતા પૂ. રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે.

Friday, April 29, 2011

Western Railway News 2011 - ૫.૩૬ કરોડ દંડ વસૂલનાર ત્રણ ટીસી નુંસન્માન

વિરમગામ અને મણિનગરના ત્રણ ટીસી દ્વારા ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ વસૂલાયો.

રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને તંત્ર દ્વારા સઘન ચેકગ કરીને પકડવામાં આવે છે. તેમાં અમદાવાદ ડિવિઝનના ત્રણ ટીસી દ્વારા રાજયમાં સૌથ વધુ ટિકિટ વગરના મુસાફરોનું ચેકગ કરી પકડવામાં આવ્યા હતા.

અમદાવાદ ડિવિઝનમાં ત્રણ ટીસી દ્વારા પાંચ કરોડ ૩૬ લાખ દંડ ઊઘરાવવામાં આવ્યો છે. જે માટે રેલવે મેનેજરે તેમનું સન્માન પણ કર્યું હતું.

વિના ટિકિટે મુસાફરી કરવી શોખની સાથે હવે જાણે આદત બનતી જાય છે. જેના કારણે રેલવે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજયભરમાં અમદાવાદ ડિવિઝન આગળ છે. અમદાવાદ ડિવિઝનના ત્રણ રેલવે ટીસી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ રેલવે ટીસીમાં વિરમગામના ટીસી જી.એલ. ગોહેલે રૂપિયા ૭ લાખ ૬૯ હજારનો દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો હતો. જયારે મણિનગર રેલવે સ્ટેશનના ટીસી સાદીસીલ્પે ૭ લાખ ૩૧ હજાર દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો છે. વર્ષ દરમ્યાન આટલો બધો દંડ વસૂલનાર રાજયમાંથી અમદાવાદ ડિવિઝનના આ ત્રણ ટીસી છે. જેમનું રેલવે મેનેજર અશોક ગરૂડે સન્માન કર્યું હતું.

Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે

મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.

અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.

આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.

સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.

આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.

ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.

Gujarat Universiry News 2011 - આગામી સત્ર થી ‘ચોઇસ બેઇઝક્રેડિટ’ સિસ્ટમ અમલમાં

પહેલા ૩૫ ગુણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે ૩૬ ગુણથી જ પાસ થઇ શકશે.

ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.

આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.

ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.

આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.

Thursday, April 28, 2011

Gujarat Higher Secondary Board 2011 - સેમેસ્ટર સિસ્ટમના અમલથી ધોરણ ૧૧ અને ૧૨ માં એટીકેટીની સુવિધા

એક-બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટી મળશે અગાઊના સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે .ટોપ ટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ થાય.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં આ વખતે પ્રથમવાર ધો. ૧૦ અને ધો. ૧૨ના રાજયસ્તરે અને જિલ્લા સ્તરે ટોપટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ કરાય.

આનું પ્રમુખ કારણ બોર્ડ દ્વારા નિમવામાં આવેલી શિક્ષણ સુધારણા સમિતિની ભલામણો અમલમાં મુકતા તેણે વિદ્યાર્થીઓમાં તાણ ઘટાડવા ટોપટેન જાહેર કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલ આગામી શૈક્ષણિક સત્રથી રાજયભરની ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને થોડા ફાયદા પણ થશે જેમાં ખાસ વિદ્યાર્થીઓને ધો. ૧૧ અને ધો. ૧૨ના ચાર સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરમાં એકથી બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા મળશે.

જેમાં વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતા એટીકેટી સાથે ઊત્તિર્ણ જાહેર કરવામાં આવશે તેમણે અગાઊના
સેમેસ્ટરમાં ભણતરની સાથે જૂના સેમેસ્ટરમાં આવેલી એટીકેટી સોલ્વ કરવાની રહેશે. હાલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવે છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના માથેથી ભણતરનો ભાર ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે વર્ષ અગાઊ શિક્ષણ સુધારણા સમિતિની રચના કરી હતી. બાદમાં સમિતિએ ફેકલ્ટી ભલામણોમાં પ્રમુખ ભલામણ સેમેસ્ટર પદ્ધતિથી શિક્ષણ આપવાની હતી. જેમાં બોર્ડ દ્વારા ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં આગામી શૈક્ષણિક સત્રથી સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.

જેના લીધે વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા પણ મળશે ઊપરાંત ધો. ૧૧ અને ધો. ૧૨નું ચાર સેમેસ્ટરમાં વહેંચાતા બને ધોરણોનું મહત્ત્વ વધશે.

Indian Institute of Management Ahmedabad - ઊત્તમ બિઝનેસ આઇડિયા માટે અવોર્ડ આપશે

અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આફ બિઝનેસ મેનેજમેન્ટ (આઇઆઇએમ-એ) માંથી ભણીને બહાર પડેલાં વિદ્યાર્થીઓ પૈકીના જે વિદ્યાર્થીઓ પોતાના ઊત્તમ પ્રકારના બિઝનેસ આઇડિયાથી સારા બિઝનેસ પ્લાનર સાબિત થયા છે તો હવે તેઓ માટે આઇઆઇએમ-એમાં પરત ફરીને પોતાની ઊત્તમ પ્રકારની કામગીરી બદલ અૅવોર્ડ સ્વીકારવા માટે આવવું પડશે કેમ કે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ સારા બિઝનેસ આઇડિયા દ્વારા બિઝનેસને સફળ બનાવ્યો છે.

તેમના માટે અૅવોર્ડની ઘોષણા કરી છે. આઇઆઇએમના પીયુપીયુ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જઇને બેસ્ટ બિઝનેસ કરનારા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે કેશ રૂપિયામાં અવોર્ડ આપવામાં આવશે. ઈન્સ્ટિટ્યૂટના સાત વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા તેમની પહેલા તેમની ઈન્સ્ટિટ્યૂટમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને તેમણે સમાજ માટે કરેલી સેવા માટે તેમને અૅવોર્ડ આપીને બિરદાવવામાં આવશે.

આ વર્ષે આઇઆઇએમમાં જે વિદ્યાર્થીઓને ઊંચામાં ઊંચી રકમનો કેશ અવોર્ડ આપવાનો છે જેમાં આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની કામગીરી દ્વારા સમાજની જે સેવા કરી તેના માટે ૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. આ પહેલો અૅવોર્ડ હશે જે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના ઊત્કાૃષ્ટ પ્રકારના આઇડિયા માટે ઊપરાંત તેમના ગ્રોથ અને નવા પ્રકારના આયામો શરૂ કરવા માટે આપવામાં આવશે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ પોતાને અૅવોર્ડ માટે દાવેદાર ગણી રહ્યાં હોય તેમની એન્ટ્રીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બે વિદ્યાર્થીઓની ટીમ કે અભિનવ ગર્ગ અને જયોતિશ સ્વરૂપને અૅવોર્ડ માટે એન્ટ્રી કરી છે. પીએચપીએકસના ચેરમેન ગાંધી અૅવોર્ડ આપશે.

સાત વિદ્યાર્થીઓનું પીએચ પીએકસનું ગ્રૂપ જેમના જુદા જુદા બિઝનેસ આઈડિયા પર વિચાર કર્યા બાદ ઊત્કાૃષ્ટ બિઝ આઇડિયા માટે વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી અૅવોર્ડ માટે પસંદગી ઊતારશે.

Ambaji Mandir Gujarat - દાન કરવા લાઇનો નહ લાગે




આ રીતે કરાશે એટીએમમાંથી દાન !

સ્ટેટ બેન્કમાં ખાતુ ખોલાવનાર દરેક ભકત એટીએમ દ્વારા દાન કરી શકશે તે માટે એટીએમના મેનૂમાં ટેમ્પલ ડોનેશનનો વિકલ્પ આવશે.

તેના પર કિલક કરવાથી જુદા જુદા મંદિરોના નામ આવશે. તેમાં અંબાજી મંદિરના વિકલ્પ પર કિલક કર્યા બાદ દાનની રકમ લખવાની રહેશે ત્યારબાદ ‘યસ’ના વિકલ્પ પર કિલક કરવાથી ખાતેદારના ખાતામાંથી એટલી રકમ ઓછી થઇ મંદિરના ખાતામાં જમા થઇ જશે.

આ ઊપરાંત માતાજીના આશીર્વાદ સાથેની પહાચ પણ મળશે. આ દાનની રકમ આવકવેરામાંથી મુકિતપાત્ર રહેશે.

અંબાજી મંદિરના નજીકના એટીએમમાંથી મંદિરમાં દાન કરી શકાશે : આ દાનની રકમ આવકવેરામાંથી કરમુકિત રહેશ.

આધુનિક યુગમાં દરેક વાત શકય છે સમય જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ દરેક વસ્તુમાં આધુનિકતા
આવે છે હવે તો ભગવાના મંદિરે દાન કરવા માટે પણ રાહ જોવી કે લાઇનમાં ઉભા રહેવું નહ પડે.

એટીએમ મશીનથીજ દાન કરી શકાશે. તિરૂપતિ બાલાજી, વૈષ્ણોદેવી જેવા ખ્યાતનામ યાત્રાધામો પર ભગવાનના દર્શન માટે ભકતોનો વારો નક્કી કરવા માટે જે રીતે ઈલેકટ્રોનિક ઊપકરણોની મદદ લેવાય છે તે જ રીતે અરવલ્લીની પર્વતમાળામાં બિરાજમાન આરાસુરી અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા ભાવિકો એટીએમ મશીનથી દાન કરી શકશે.

કોઇ ભાવિક ભકત અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા હોય પરંતુ તે પ્રત્યક્ષ રીતે માતાજી સુધી પહાચીના શકતો હોય તો નજીકનાજ એસબીઆઇના એટીએમ સેન્ટરથી પોતાની ઈચ્છા પૂરી કરી શકશે.

સામાન્ય રીતે દરેક ર્ધાિમક સ્થળોમાં એટલીબધી ભીડ રહેતી હોય છે કે ભકતો અમુકવાર તો માતાના દ્વારે પહાચીને પરત ફરે છતાં દાન કરી શકતા નથી તો વળી અંબાજી માતાના ધામમાં તો બારેમાસ ભકત મહેરામણ રહે છે.

દાન-ધર્મની લાંબી-લાંબી કતારો લાગે છે પરંતુ હવે દાન કરવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહ પડે કારણ કે હવે કોઇપણ ભકત માતાજીને દાન કરવા માટે નજીકના એસબીઆઇ એટીએમ મશીનથી દાન કરી શકશે.

જો કે આ માટે મંદિરના નજીકના જ વિસ્તારોમાં વધુ એટીએમ મશીન મૂકવાની પણ વિચારણા ચાલી રહી છે. ભકતો હવે એટીએમથી દાન કરશે અને માતાજી એટીએમ મશીન દ્વારાજ આશીર્વાદનું ફળ આપશે.

Amdavad City Updates - ૧૩૦૦ થી વધુ રિક્ષાચાલકોને રાજય સરકારની વીમા યોજના સ્કીમનો લાભ

રાજય સરકારે કુલ ૪૧ જેટલા વ્યવસાયોને આ વીમાયોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યં છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ડ્રાઇવરોને હવે શહેરના રસ્તાઓ પર વધતા અકસ્માતને કારણે ચતા વ્યાપી ગઇ છે. તેથી હવે રિક્ષાચાલકો પણ વીમો ઊતરાવવા તરફ જાગાત
થયા છે.

શહેરની ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના ૧૩૦૦ સભ્યો એકસાથે વીમો ઊતરાવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ રિક્ષાચાલકોએ પોતાનો વીમો ઊતરાવ્યો છે. વીમાના પ્રિમિયમની રકમ રૂ. ૨૦૦ છે.જેમાં રૂ. ૧૦૦ ઓટોરિક્ષા ચાલક ભરશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર ભરશે.

જેમાં કુદરતી મોત પર રૂ. ૩૦,૦૦૦ અને અકસ્માતમાં માત્યુ થાય તો રૂ. ૭૫૦૦૦નું વીમા કવચ મળશે. એલઆઇસીની જનશ્રી વીમાયોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે ખાસ વીમા યોજના છે. જેમાં ૪૧ વ્યવસાયમાં કામ કરતા લોકોને આ વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, માછીમાર, રિક્ષા ડ્રાઇવર જેવા ૪૧ વ્યવસાયિક લોકોને આ વીમાયોજનાનો લાભ મળશે.

જે અંતર્ગત ૧૩૦૦ રિક્ષાચાલકો આ વીમાયોજના હેઠળ પોતાનો વીમો ઊતરાવશે આ વીમામાં દરેક સભ્યદીઠ ર્વાિષક પ્રિમિયમ રૂ. ૨૦૦ છે જેમાં રૂા. ૧૦૦ રિક્ષાચાલકોએ પોતે ભરવાના રહેશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર તરફથી ભરવામાં આવશે.

હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સાથે-સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને અકસ્માતોથી માત્યુના બનાવ પણ વધ્યા છે. આથી રાજય સરકાર તરફથી રિક્ષાચાલકો અને બીજા
અન્ય ૪૧ જેટલા વ્યવસાય કરતા લોકોને વીમાયોજના અંતર્ગત આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં રિક્ષાચાલકોએ ખૂબજ મોટી સંખ્યામાં વીમો ઊતરાવવા માટે ભાગ લીધો છે.

Gujarat Higher Secondary Education Board - ધો.૧૨ સાયન્સનાપરિણામ બાદ માર્કશીટ માટે પ્રતીક્ષા

આચાર્યો માટેની તાલીમ શાળા ૧૩મી તારીખથી ૧૫મી તારીખ સુધી ચાલશે.

રાજયભરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખો હવે નજીક આવતી જાય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં
કયાં એડમિશન લેવું અને કંઇ ફેકલ્ટીમાં ભણવું વગેરે જેવી તમામ બાબતોની ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે
વાલીઓ પણ પોતાના બાળકના પરિણામની રાહ જોઇ રહ્યા છે.

જેથી જેવું પરિણામ હાથમાં આવેકે પછી તરત જ વિદ્યાર્થીઓના એડમિશન માટે દોડાદોડ શરૂ થઇ જાય. પરંતુ
સૂત્રોના જણાવ્યા અનુસાર ધો.૧૨ સાયન્સનું પરિણામ તારીખ ૧૨મી મેના રોજ જાહેર થઇ જશે.

પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ સાયન્સના પરિણામની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જેમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે.

ત્યારે આ અંગે ગુજરાત હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડના એકઝામિનેશનન સેક્રેટરી એસ.એમ. રબારીએ જણાવ્યું હતું કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહનું
પરિણામ ૨૬મી મેના રોજ જાહેર કરાશે. પરંતુ ૧૨મીમેના રોજ પરિણામ જાહેર થઇ ગયા પછી પણ વિદ્યાર્થીઓને
માર્કશીટ માટે લાંબી રાહ જોવી પડશે.

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણામ ૧૨મીમેએ જાહેર થવાનું છે. ત્યારે શાળાઓના આચાર્યો માટેની તાલીમશાળા ૧૨મીમેથી શરૂ થઇ રહી છે. જે ૧૫મી મે સુધી યોજાશે. આને કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવા માટે રાહ જોવી પડશે.

Ahmedabad News 2011 - મહિલા કોચની હાલત દયનીય

વેકેશનમાં મહિલા કોચની હાલત દયનીય કોચ વધારવા અથવા મોટા કરવા માંગ

દરેક ટ્રેનમાં એક જ મહિલા કોચ આવે છે. અને તે પણ અડધો હોવાથી મહિલાઓએ લટકીને મુસાફરી કરવી પડે છે.

મેમુમાં ત્રણ મહિલા કોચ

રેલવેમાં એક માત્ર મેમુ ટ્રેનજ એવી છે જેમાં ત્રણ મહિલા કોચ આવે છે. પહેલા, છેલ્લાં અને વચ્ચે પણ આ મહિલા કોચ પણ અડધા જ આવે છે. જેથી ત્રણ મહિલા કોચ હોવા છતાં મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં ખાસ કરીને વેકેશનમાં તો આ ટ્રેનમાં વધુ ભીડ રહે છે.

ઊનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ વેકેશન પણ શરૂ થઇ ગયું છે. ત્યારે લોકો ટ્રેન દ્વારા મુસાફરી વધુ કરે છે. તો મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની ટ્રીપ વધારાઇ છે. તો અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છતાં મહિલા કોચની સ્થિતિ યથાવત રહેતા મહિલા ડબ્બામાં વધારો કરવામાં આવે અથવા મોટો કરવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વેકેશન શરૂઆત જ મહિલા ડબ્બામાં ભીડ વધી જાય છે. ઘણી ટ્રેનોમાં તો
મહિલાઓ દરવાજે લટકીને જાય છે. રેલવેની તમામ ટ્રેનોમાંથી એક માત્ર ગુજરાત કિવન ટ્રેન જ એવી છે જેમાં એક આખો ડબ્બો મહિલાઓને આપવામાં આવ્યો છે.

તે સિવાયની તમામ ટ્રેનોમાં મહિલા ડબ્બો અડધો જ હોય છે. જેમાં પણ પાસ હોલ્ડરોની દાદાગીરી હોય છે. માટે સામાન્ય મહિલા મુસાફરે તો બેસવું કયાં તે પ્રશ્ન થઇ જાય છે. તો વળી ઘણી ટ્રેનોમાં મહિલા મુસાફરોની સામે
પાસ હોલ્ડર મહિલા પણ એકલી પડી જાય છે.

રેલવે દ્વારા ઘણી ટ્રેનોમાં વધારાના કોચ મુકાયા છે. પરંતુ આ કોચમાંથી એક પણ વધારાનો કોચ મહિલા માટે
મુકવામાં આવ્યો નથી જેના કારણે ઊનાળા વેકેશન શરૂ થતા જ રોજ અપડાઊન કરતી અને મહિલા માટે પણ મુશ્કેલી વધી ગઇ છે.

Gandhinagar News 2011 - કલેકટર કચેરી નવા બિલ્ડગમાં કાર્યરત

ગાંધીનગર સેકટર-૧૧માં બહુમાળી મકાનમાં બેસતી કલેકટર કચેરી હસ્તકની તમામ શાખાઓ તથા તાબાની કચેરીઓને કલેકટર કચેરી માટે નવા બનેલા જિલ્લા સેવાસદનમાં આજથી કાર્યરત કરાશે.

તમામ કચેરી શાખાઓનું છેલ્લા ત્રણ દિવસથી સ્થળાંતર કરાઇ રહ્યું છે. જે આજથી કાર્યતર થઇ જશે. પ્રથમ તબક્કામાં નવા મકાનમાં ભાયતળિયું, ૧લો માળ, ૨ જો માળ, અને ૩ જા માળે જુદી જુદી કચેરીઓને ખસેડાશે. તા. ૨૨-૨૩ અને ૨૪ એમ ત્રણ દિવસ જાહેર રજાના સમયગાળા દરમિયાન કચેરી શાખાનું રૅકર્ડ નવા મકાનમાં શિફટ કરવામાં આવ્યું હતું.

ઊપરાંત બાકી રહેતી બીજા તબક્કામાં શિફટ કરવાની ૧૫ દિવસનો સમય આપવો જરૂરી છે. જે ઓછામાં ઓછા ૭ થી ૮ દિવસમાં પણ બોલાવી શકાય. જે જોતા ર્સ્વિણમ જયંતી વર્ષના સમાપન બાદ કોર્પોરેશનના મેયરની ચૂંટણી કરાય તેવી શકયતા છે.

Amdavad City Samachar - ગુજરાત કોલેજ થી એલિસબિ્રજ સુધી ઝેડ આકાર નો ફલાય ઓવર

ગુજરાત કોલેજ ચાર રસ્તાની પહેલા જ બાઈબલ હાઊસથી સેપ્ટ દ્વારા કરાયેલી ડીઝાઈન પ્રમાણેનો ફલાય ઓવર બનાવવાની કામગીરીી
શરુ કરાઈ છે.

ઓરીએન્ટ કલબ પાસેના રેલ્વે ક્રોસગની ઊપરથી પસાર થઈને એમ.જે. લાયબ્રેરી નજીકથી આશ્રમરોડને સમાંતર ટર્ન લેશે અને ત્યાંથી ટાઊન હોલની દિશામાં આગળ વધીને એલિસબિ્રજ પોલીસ સ્ટેશનથી ફરી એલિસબિ્રજની દિશામાં ટ્રન લેશે. આમ સમગ્ર ફલાય ઓવર ઝેડ આકારનો બનશે.

આ નવા ફલાય ઓવર ઊપરથી બીઆરટીએસ રુટ ઊપરાંત અન્ય વાહનો પણ પસાર થઈ શકશે. જો કે આ નવો ફલાય ઓવર બંને તરફ લગભગ સાતથી આઠ મીટરની પહોળાઈ ધરાવનારો બની રહેશે. જે સ્પ્લીટ રહેશે. જેમાં
અન્ય વાહનો માટેની બે લેન પણ અલગ જ રહેશે.

એલિસબિ્રજના પશ્ચિમ છેડે આ બિ્રજની બંને પાંખોને ઊતારવામાં આવશે જેથી પૂર્વ તરફ જનારા વાહનો સીધા જ ઊતરી જશે અને પૂર્વ તરફથી આવનારા વાહનો જમણી તરફની પાંખ ઊપર ચઢીન સીધા જ ગુજરાત કોલેજ તરફ આવી શકશે.

Gujarat Samachar 2011 - તમામ ઇવેન્ટ કંપનીઓ એક બેનર હેઠળ

‘ઇમ્મા ગુજરાત ચેપ્ટર’ અમદાવાદમાં લોન્ચ થયું.

ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઇઇએમએ)ભારતના ૭૦ ટકા ઈવેન્ટ અને પ્રમોશન બિઝનેસનું સફળરીતે પ્રતિનિધિત્વ કરે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશની તમામ ટોચની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હવે એક સાથે એકજ ઇમ્માના બેનર હેઠળ હાથ મિલાવી રહી છે જે અતિહાસિક છે.

પ્રથમ વખત જ ગુજરાતના ૧૪ સૌથી મોટા ઈવેન્ટ મેનેજરો ઇમ્મા ગુજરાત ચેપ્ટરની રચના કરવામાં સફળ
રહ્યા છે.

અમદાવાદમાં ૨૪મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે ઇમ્મા ગુજરાત ચેપ્ટરની ભવ્યરીતે શરૂઆત કરવામાં આવી હતી. રાજયના ૭૦૦થી વધુ અગ્રણી સોસલાઇટ લોકો આમા ઊપસ્થિત રહ્યા હતા જેમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ઈન્ડસ્ટ્રી પાર્ટનરો, મિડિયા, પ્રધાનો, અધિકારીઓ, આઇપીએસ અધિકારીઓ, વેન્યુ માલિકોનો સમાવેશ થાય છે.
અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલોપર્સની મેનેજમેન્ટ ટીમો અને જાણીતી ક્ષેત્રીય સેલિબિ્રટીઓ પણ આમા ઊપસ્થિત રહી હતી.

સ્ટેટ ચેપ્ટર ડેવલોપમેન્ટ માટેના ઇમ્માના એડિશનલ સેક્રેટરી હિમાંશુ શાહે ઇમ્મા ગુજરાતના એક બેનર હેઠળ
ગુજરાતના તમામ ઈવેન્ટ મેનેજરોને લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.