Saturday, April 9, 2011

Gujarat Industrial News - વેપાર- ઊદ્યોગ સંમેલન ૧૭મી એપ્રિલે યોજાશે

ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦
વાગે યોજાશ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વરા આયોજિત ગુજરાત વેપાર ઊદ્યોગ મહાસંમેલન હવે રવિવાર તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦ વાગે યોજાશે.

આ મહાસંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઊપસ્થિત
રહેશે. અને રાજયના વેપાર-ઊદ્યોગના પ્રતિનિધિઓને સંબોધન કરશે.

આ સંમેલનનો મુખ્ય આશય ગુજરાત સરકાર દ્વારા સફળતાપૂર્વક આયોજિત પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતના વિવિધ વિસ્તારો માટે થયેલા સમજૂતિના કરારો હેઠળ વેપાર ઊદ્યોગ ક્ષેત્રે જે નવા મૂડીરોકાણની તક ઊભી થનાર છે.

તથા આગામી વર્ષોમાં જે તે વિસ્તારના વેપાર ઊદ્યોગ વર્ગ માટે સંભવિત ડાઊનસ્ટ્રીમ પ્રોજેકટો, એન્સીલરી ઊદ્યોગોના વિકાસ, વેન્ડર ડેવલપમેન્ટ, કુશળ માનવ કામદારોની જરૂરિયાત વિગેરે ક્ષેત્રે કેવા પ્રકારની નવી તકો ઊભી થશે.

Ahmedabad Municipal Corporation - કૂતરાની ‘ખસ્સી’ બાબતે નિષ્ફળ




દર મહિનેસરેરાશનાધાતા૨૫૦૦ કેસ - હડકવાવિરોધી રસીપાછળ કરોડોનુંઆંધણ.

વર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવે છે.

શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. તેમાં પણ રખડતા કૂતરાનો વસ્તી વધારો
નાથવામાં સદંતર નિષ્ફળ નિવડેલું નઘરોળ મ્યુનિ. તંત્ર તરફથી કૂતરાની વસતી ગણતરી કરવાનું આયોજન
કરવામાં આવ્યું હતું પરંતુ મ્યુનિ.ના એ કામ સામે પણ અનેક શંકાઓ ઊદ્ભવી હતી.

કૂતરાના ખસીકરણની બાબતે મ્યુનિ. તંત્ર સાવ બેદરકાર રહેતા રખડતા કૂતરાના વસતી વધારાથી નાગરિકો ત્રાહિમામ્ પોકારવા સાથે તેનો ભોગ બનવા લાગતા મ્યુનિ. તંત્ર પર નાગરિકો ફિટકાર વરસાવવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. રખડતા કૂતરાઓની વસતી કાબૂમાં લેવા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૦૬માં ખસીકરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તંત્ર દ્વારા એનિમલ હેલ્પ ફાઊન્ડેશન નામની સંસ્થાને ખસીકરણનું કામ સાપવામાં આવ્યું હતું તે સમયે આ સંસ્થાએ ૪૪ હજાર કૂતરાની ખસી કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ સંસ્થાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા પછી કોઇ અગમ્ય કારણોવસાત આ સંસ્થાને ફરી ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો ન હતો.

ત્યાર બાદ તંત્ર દ્વારા ખસીકરણ અંગેના ટેન્ડર બહાર પાડ્યા હતાં પરંતુ કોઇ સંસ્થા આવી ન હતી. અને જે સંસ્થા છેલ્લે છેલ્લે આવી તેને ખસીકરણનો અનુભવ ન હતો.

આ પ્રક્રિયા લંબાતા ખસીકરણનું કામ ખોરંભે પડ્યું હતું. રખડતા કૂતરા પકડવા મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ પાસે ટાંચા સાધનો છે અને સ્ટાફનો અભાવ પ્રવર્તે છે. તેમાં કૂતરાને સાણસાથી પકડવાની ક્રિયા સામે વિરોધ ઊઠતા રખડતા કૂતરા પકડવા માટે જાળીનો ઊપયોગ કરવા સૂચન કરાતા તે માટે જાળી વસાવી અને ખાસ સ્ટાફને જાળી દ્વારા કૂતરા પકડવાની ટ્રેનગ આપવામાં આવી આટઆટલો ખર્ચો કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જેવી બની રહી છે. જેના કારણે વિશ્વકક્ષાએ બદનામી થતાં તાત્કાલિક એનિમલ હસબન્ડરી નામની સંસ્થા સાથે કરાર કર્યા છે જે મ્યુનિ.ના સ્ટાફને વૈજ્ઞાનિક ઢબે કૂતરા પકડવાની તાલીમ આપશે.

અને રસીકરણ કાર્યક્રમમાં પણ મદદ કરશે. હ્યુમન સોસાયટીના રિપોર્ટ અનુસાર શહેરમાં બે લાખથી વધુ કૂતરા છે. અસામાન્ય વધારાને લીધે કૂતરા કરડવાના બનાવે પણ ચતાજનક હદે વ ધી છે.

છેલ્લાં ચાર વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જેના માટે મ્યુનિ.નું નભર તંત્ર જવાબદાર છે. કૂતરા કરડવાના અસામાન્ય વધારાની સાથે તંત્ર પર ર્આથક બોજો પણ વધતો જાય છે. હડકવા વિરોધી રસી માટે વરસે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

એક દર્દીને ઇન્ટ્રાડર્મલ (હડકવા વિરોધી) રસી આપવા પાછળ રૂા. ૧૫૦૦નો ખર્ચ થાય છે. મ્યુનિ. તંત્રની
બેદરકારી બાબતે કેન્દ્ર સરકારે પણ કડક વલણ અખત્યાર કર્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક જાણકારી અનુસાર દેશમાં દરવર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે.

કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવેછે. હડકવાના કારણે વરસે દહાડે સકડો વ્યકિત માૃત્યુ પાસે છે. જેની ગંભીરતા જોતા આયોજન પંચે ખાસ નિર્દેશ જાહેર કર્યો છે. જેમા હડકવાથી થતા માૃત્યુનો દર અટકાવવા કરડતા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરવો, હડકવા મુકત વિસ્તારો જાહેર કરવા વગેરેનો સમાવેશ છે. વર્લ્ડ વાઇડ વેટનરી સેન્ટરના વડાએ કરેલા ખાસ સૂચનોમાં જણાવ્યું હતું કે સતત ૨૪ કલાક બે ટીમ રસીકરણનું કામ કરેતો કૂતરાની વસતી કાબુમા આવી શકે આ માટે દર મહિને સાતથી આંઠ હજાર કૂતરાને વેકસીન આપવી જોઇએ.

વસતીના ૭૦ ટકા કૂતરાના ખસીકરણ છ માસમાં થવા જોઇએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી બદનામી રોકવા માટે મ્યુનિ. તંત્રએ કૂતરાની વસતી ગણતરીતો કરાવી પરંતુ તેમની વસતીને કાબૂમાં લેવા માટે રસીકરણ આયોજન કર્યું પરંતુ તે માત્ર કાગળ ઊપર જ રહેવા પામ્યું છે.

સ્ટેન્ડગ કમિટીના ચેરમેન અસિત વોરા હતા ત્યારે મોટીમોટી જાહેરાતો કરી, કૂતરાના વાડા તૈયાર કરવા જગ્યાઓ દર્શાવી પરંતુ તે બધું હવાતિયા મારવા જેવું સાબીત થયું છે.

મ્યુનિ.ના વહીવટી તંત્રના શાસકો એસી ચેમ્બરોમાં મસમોટા આયોજનો કરે છે. રૂપાળા નામો અપાય છે. પરંતુ
તેનો અમલ થતો નથી માત્ર કાગળ ઊપર જ રહે છે.

વસ્તીગણતરીનીકામગીરીપૂર્ણ છતાં અમદાવાદ શહેરનાંઘણાલોકો બાકી

વટવા, લાંભા વિસ્તારના બેથી ત્રણ હજાર લોકો ગણતરીમાં નથી પ્રથમ ગણતરીમાં ભૂલ હતી બીજી ગણતરી કરવા કર્મચારીઓ આવ્યા જ નહ.

વસ્તી ગણતરીની કામગીરી ૨૮ ફેબ્રુઆરીએ પૂર્ણ થઇ અને ગણતરી પ્રમાણેના આંકડા પણ તાજેતરમાં રજૂ થયા છે.

અમદાવાદની વસ્તી ૫૫ લાખ ૭૦ હજારની દર્શાવાઇ છે. પરંતુ આ વસ્તી સાચી છે ? કારણ કે હજુ પણ એવા કેટલાય લોકો છે જે ગણતરી બહાર રહી ગયા છે.

જેમાં વટવા અને લાંભા વિસ્તારમાં બીજા રાઊન્ડમાં વસ્તી ગણતરીની કામગીરીમાં કેટલીય સોસાયટી બાકાત રહી ગઇ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વસતી ગણતરીની બે તબક્કામાં કામગીરી ૨૮ ફેબ્રુઆરીએ આરોપી લેવામાં આવી હતી. બીજી તરફ શહેરના વટવા અને લાંભા વિસ્તારમાં બીજા રાઊન્ડમાં વસતી ગણતરીની કામગીરીમાં કેટલીય સોસાયટી બાકાત રહી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે કલેકટર કચેરી ખાતે આ વિસ્તારના રહીશો દ્વારા અને નવજીવન મહિલા મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વટવા વિસ્તારમાં પ્રથમ રાઊન્ડમાં વષતી ગણતરીના ફોર્મ આપીને માહિતી લેવાઇ હતી પણ મોટાભાગની અધુરી હોવાથી અધિકારીઓ બીજા રાઊન્ડમાં વસતી ગણતરીની સાથે માહિતી લેવા આવવાના હતાં પણ
છેલ્લી તારીખ સુધી કર્મચારીઓ ગયા જ ન હતા.

વટવામાં ગોશિયા પાર્ક, મુશ્કાન પાર્ક, નુરનગર અને બાગે કૌદાર સહિતની ઘણી સોસાયટીમાં બેથી ત્રણ હજાર લોકોની વસતીને બાકાત રખાઇ છે.

લાંભામાં આબાદનગર, કેજી એન પાર્ક, અંબિકા ટ્યૂબના છાપરા સહિતના વિસ્તારની ગણતરીમાં આવરી લેવાયો નથી. આમ અમદાવાદની વસ્તીમાં હજુ પણ વધારો થાય તેમ છે.