Showing posts with label Ahmedabad Samachar. Show all posts
Showing posts with label Ahmedabad Samachar. Show all posts

Friday, May 4, 2012

Ahmedabad City - રૂ. ૬૪ કરોડના ખર્ચે તૈયાર વાડજ અને પરિમલ બિ્રજ નું લોકાર્પણ

દધિચી ઋષિ દૂધેશ્વર વાડજ રીવરબિ્રજ અને ભગીની નિવેદીતા પરિમલ રેલવે અન્ડર બિ્રજનું નામામિધાન.

મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ અમદાવાદને કુલ રૂ.૬૪ કરોડના ખર્ચે નવર્નિિમત બે બિ્રજનું લોકાર્પણ કરતાં દૂધેશ્વર વાડજના સાબરમતી નદી ઊપરના રીવરબિ્રજનું દધિચી ઋષિબિ્રજ અને પરિમલ રેલેવે અન્ડરબિ્રજનું ભગીની નિવેદીતા બિ્રજ નામાભિધાન જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવાનું આહ્વાન આપ્યું હતું.

રૂ. ૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઊપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબિ્રજનું શાહીબાગમાં લોકાર્પણ કરી નરેન્દ્ર મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાષ્ણ અડવાણીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડબિ્રજનું ઊદ્ઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઊપરના બિ્રજની ચિરંજીવ સ્માતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુકત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી.

આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઊપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને એક આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્તે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મિક ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબિ્રજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિરોધી પરિબળો અને કાગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પુરા વેગથી આગળ વધારશે એવો નિર્ર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું કે મોદીએ વિકાસની અનેક નવીન સિધ્ધિ મેળવી છે અને ગુજરાતને સુશાસન આપ્યું છે. પરંતુ સાબરમતી નદી વિકાસનો રિવફ્રંટ પ્રોજેકટ કરીને નવી શુદ્ધિકરણનો વિકાસનો ચમત્કાર કરી બતાવ્યો છે. અડવાણીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજય સરકારને.

Saturday, April 30, 2011

Gujarat Durga Ashtami Durga Puja 2011 - માઇ મંદિરોમાં યજ્ઞો પૂજા થશે



ઊત્તર ભારતમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નાની બાળાઓના પગ ધોઇ જમાડવાની પરંપરા....

આજે મોટી આઠમ હોવાથી અંબાજી, પાવાગઢ,ચોટીલા જેવા માઇ મંદિરોમાં પણ ભકતોની ભારે ભીડ, નવરાત્રિ કરતા ભકતો આજે માતાજીની ધૂનમાં મગ્ન બની જાપ કરશે.

વર્ષની આવતી મોટી નવરાત્રિ પૈકી હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. તેમાં આજે આઠમું નોરતુ છે એટલે કે
આજે આઠમ છે. શહેરના માઇ મંદિરોમાં આજે આદ્યશકિતના યજ્ઞ અને અખંડ ધૂન સાથે ભકિત થશે. આજની આઠમ એટલે કે દુર્ગાષ્ટમી માતા દુર્ગાને રિઝવવા ભકતોની આજે ભારે ભીડ જામશે. રાજયભરના મંદિરોમાં ભકતો દેવી દુર્ગાની પૂજા અર્ચના કરશે જેમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા જેવા માઇ મંદિરોમાં આજે પરોઢીયેથી જ યજ્ઞો અને અખંડ ધૂન શરૂ થઇ ગઇ છે.

તો બીજી બાજુ શહેરના ભદ્રકાળી મંદિરમાં પણ આજે યજ્ઞ રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે યજ્ઞ કરવાથી વિશેષ પુણ્ય મળે છે.

જેથી ભકતો આજે મંદિરમાં વિશેષ યજ્ઞ કરશે તો વળી આજે ગાયત્રી મંત્ર, દુર્ગાજાપ પણ વિશેષ મહત્ત્વ હોવાથી આજે ભકતો તેમાં પણ જોતરાઇ જશે. રાજયના તથા શહેરના અનેક માઇ મંદિરોમાં આજે માતાજીનો અન્નકુટ ભરાશે તો જે ભાવિકો નકોરડા ઊપવાસ રાખી નવરાત્રિ કરતા હશે તેઓ આજે ફરાર કરીને એક ટાણું કરશે તો વળી નવરાત્રિના નોમના દિવસે માતાજીનો ખંડ અને નિવેદ ભરાશે આ નવરાત્રિમાં માતાજીના નિવેદનો મહિમા વધુ છે.

ઘણા ભકતો આજે દુર્ગાષ્ટમીના દિવસે જ માતાજીનો ખંડ ભરશે અને ચણાનો પ્રસાદ કરી મહાઆરતી કરશે. આજની આઠમ મોટી હોવાથી ઘરેઘરે મતા આદ્યાશકિતના પાઠ, પૂજન અને અર્ચના થશે અને જાગરણ કરી માના નામનું ઊચ્ચારણ કરી ભકતો આખી રાત જાપ કરશે.

GSRTC News 2011 - એસટી ની વોલ્વો બસનીઆવક વધીને એક લાખ ઊપરની થઇ



૨૫ નવી બસો શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશ.

એસટી નિગમ દ્વારા મુસાફરોને લકઝરી બસની સુવિધા આપવા માટે થઇને વોલ્વો બસની શરૂઆત ૧૩મી માર્ચથી કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ર્સિવસ નિષ્ફળ જશે તેવુ લાગતું હતું પરંતુ વોલ્વો બસને સારો પ્રતિસાદ મળ્યો છે અને રોજની લાખ રૂપિયાની આવક કરે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વોલ્બો બસ ૧૩મી માર્ચથી શરૂ થઇ ત્યારે પ્રથમ દિવસે માત્ર સાત જ મુસાફરો હતાં પરંતુ ધીમેધીમ આ બસનો સારો પ્રતિસાદ
મળ્યો છે.

શરૂઆતના દિવસોમાં જે બસ ૩૫ હજાર જેટલી રોજની આવક કરતી હતી તે જ વોલ્વો બસ હવે ૧ લાખથી વધુ રોજની આવક કરે છે. આ સંદર્ભે એસટી નિગમના સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વોલ્વો બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજની આવકમાં વધારો થયો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એસટી નિગમે ખાનગી લકઝરી સાથે હરિફાઇ કરવા અને મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા માટે થઇને અમદાવાદ
એરપોર્ટ પરથી વડોદરા, ભૂજ, જામનગર, રાજકોટ, સુરત જેવા શહેરો માટે વોલ્વો બસ શરૂ કરવામાં આવી અત્યારે સાત શહેરોને સાંકળતી વોલ્વો બસ સેવાનો લાભ ૪૦ ટકા મુસાફરો લઇ રહ્યા છે.

એકસપ્રેસ બસની રોજની સરેરાશ આવક રૂપિયા ૬ હજાર છે. તેની સામે વોલ્વો બસની રોજની આવક રૂપિયા ૧૬ હજાર થઇ છે. લકઝરી બસ જેવી સુવિધા મળવાથી વોલ્વો બસનો ઊપયોગ મુસાફરો વધુ કરે છે. હાલમાં સાત
રૂટ પર વોલ્વો બસ દોડી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી તમામ જિલ્લા મથકો વચ્ચે વોલ્વો બસ શરૂ કરવાનું આયોજન આગામી દિવસોમાં ૨૫ બસો નવી શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશે.

Narendra Modi News - બે પુલનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી મોદી કરશે



ઊદ્ઘાટન દરમિયાન અડવાણી હાજર રહેશે અને જાહેરસભા સંબોધશે.

શહેરમાં બની રહેલા બિ્રજ પૈકી ઘણા લાંબા સમયથી બની રહેલા વાડજ-દૂધેશ્વર બિ્રજ અને પરીમલ અન્ડર બિ્રજ આગામી ૧૩ એપ્રિલના રોજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે આ પ્રસંગે નાયબ વડા પ્રધાન લાલકાષ્ણ અડવાણી ખાસ હાજરી આપશે.

પરીમલ અન્ડરબિ્રજના લોકાર્પણ બાદ સુવિધા શોપગ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદી અને લાલકાૃષ્ણ અડવાણી જાહેરસભાને સંબોધશે.

કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ અંતર્ગત શહેરમાં બની રહેલા પુલો પૈકી દૂધેશ્વર-વાડજ અને સાબરમતી નદી પર બન્યો છે. ઘણા લાંબા સમય બાદ પૂર્ણ થતાં ૧૩મી એપ્રિલે બંને બિ્રજના લોકાર્પણ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ કરણ ભાજપના એક માત્ર વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયીનું નામ
આપવામાં આવશે. જયારે પરીમલ અંડરબિ્રજનું નામ મહાગુજરાતની ચળવળના પ્રણેતા રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઊલ્લેખનીય છે કે સાબરમતી નદી ઊપર હાલ આઠ બિ્રજ આવેલા છે તે તમામના નામ નેશનલ લીડરના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં લાલબહાદુર શાસ્ત્રી. બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, મહાત્માગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધીના નામ પરથી હાલના પુલોના નામ પાડવામાં આવ્યા છે. હવે ૧૩મી એપ્રિલે લોકાર્પણ પામતા બિ્રજો પૈકી વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ ભાજપના એકમાત્ર વડાપ્રધાન પદે બિરાજેલા અટલબિહારી
વાજપેયીનું નામ આપવામાં આવશે.

જયારે પરીમલ અંડરબિ્રજનું નામ ગુજરાત જયારે સ્વર્ણ જયંતી ઊજવવા જઇ રહ્યું છે. ત્યારે ૧૯૬૦ની ચળવળના પ્રણેતા પૂ. રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે.

Friday, April 29, 2011

Gujarat Universiry News 2011 - આગામી સત્ર થી ‘ચોઇસ બેઇઝક્રેડિટ’ સિસ્ટમ અમલમાં

પહેલા ૩૫ ગુણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે ૩૬ ગુણથી જ પાસ થઇ શકશે.

ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.

આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.

ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.

આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.

Thursday, April 28, 2011

Indian Institute of Management Ahmedabad - ઊત્તમ બિઝનેસ આઇડિયા માટે અવોર્ડ આપશે

અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આફ બિઝનેસ મેનેજમેન્ટ (આઇઆઇએમ-એ) માંથી ભણીને બહાર પડેલાં વિદ્યાર્થીઓ પૈકીના જે વિદ્યાર્થીઓ પોતાના ઊત્તમ પ્રકારના બિઝનેસ આઇડિયાથી સારા બિઝનેસ પ્લાનર સાબિત થયા છે તો હવે તેઓ માટે આઇઆઇએમ-એમાં પરત ફરીને પોતાની ઊત્તમ પ્રકારની કામગીરી બદલ અૅવોર્ડ સ્વીકારવા માટે આવવું પડશે કેમ કે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ સારા બિઝનેસ આઇડિયા દ્વારા બિઝનેસને સફળ બનાવ્યો છે.

તેમના માટે અૅવોર્ડની ઘોષણા કરી છે. આઇઆઇએમના પીયુપીયુ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જઇને બેસ્ટ બિઝનેસ કરનારા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે કેશ રૂપિયામાં અવોર્ડ આપવામાં આવશે. ઈન્સ્ટિટ્યૂટના સાત વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા તેમની પહેલા તેમની ઈન્સ્ટિટ્યૂટમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને તેમણે સમાજ માટે કરેલી સેવા માટે તેમને અૅવોર્ડ આપીને બિરદાવવામાં આવશે.

આ વર્ષે આઇઆઇએમમાં જે વિદ્યાર્થીઓને ઊંચામાં ઊંચી રકમનો કેશ અવોર્ડ આપવાનો છે જેમાં આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની કામગીરી દ્વારા સમાજની જે સેવા કરી તેના માટે ૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. આ પહેલો અૅવોર્ડ હશે જે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના ઊત્કાૃષ્ટ પ્રકારના આઇડિયા માટે ઊપરાંત તેમના ગ્રોથ અને નવા પ્રકારના આયામો શરૂ કરવા માટે આપવામાં આવશે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ પોતાને અૅવોર્ડ માટે દાવેદાર ગણી રહ્યાં હોય તેમની એન્ટ્રીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બે વિદ્યાર્થીઓની ટીમ કે અભિનવ ગર્ગ અને જયોતિશ સ્વરૂપને અૅવોર્ડ માટે એન્ટ્રી કરી છે. પીએચપીએકસના ચેરમેન ગાંધી અૅવોર્ડ આપશે.

સાત વિદ્યાર્થીઓનું પીએચ પીએકસનું ગ્રૂપ જેમના જુદા જુદા બિઝનેસ આઈડિયા પર વિચાર કર્યા બાદ ઊત્કાૃષ્ટ બિઝ આઇડિયા માટે વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી અૅવોર્ડ માટે પસંદગી ઊતારશે.

Amdavad City Updates - ૧૩૦૦ થી વધુ રિક્ષાચાલકોને રાજય સરકારની વીમા યોજના સ્કીમનો લાભ

રાજય સરકારે કુલ ૪૧ જેટલા વ્યવસાયોને આ વીમાયોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યં છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ડ્રાઇવરોને હવે શહેરના રસ્તાઓ પર વધતા અકસ્માતને કારણે ચતા વ્યાપી ગઇ છે. તેથી હવે રિક્ષાચાલકો પણ વીમો ઊતરાવવા તરફ જાગાત
થયા છે.

શહેરની ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના ૧૩૦૦ સભ્યો એકસાથે વીમો ઊતરાવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ રિક્ષાચાલકોએ પોતાનો વીમો ઊતરાવ્યો છે. વીમાના પ્રિમિયમની રકમ રૂ. ૨૦૦ છે.જેમાં રૂ. ૧૦૦ ઓટોરિક્ષા ચાલક ભરશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર ભરશે.

જેમાં કુદરતી મોત પર રૂ. ૩૦,૦૦૦ અને અકસ્માતમાં માત્યુ થાય તો રૂ. ૭૫૦૦૦નું વીમા કવચ મળશે. એલઆઇસીની જનશ્રી વીમાયોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે ખાસ વીમા યોજના છે. જેમાં ૪૧ વ્યવસાયમાં કામ કરતા લોકોને આ વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, માછીમાર, રિક્ષા ડ્રાઇવર જેવા ૪૧ વ્યવસાયિક લોકોને આ વીમાયોજનાનો લાભ મળશે.

જે અંતર્ગત ૧૩૦૦ રિક્ષાચાલકો આ વીમાયોજના હેઠળ પોતાનો વીમો ઊતરાવશે આ વીમામાં દરેક સભ્યદીઠ ર્વાિષક પ્રિમિયમ રૂ. ૨૦૦ છે જેમાં રૂા. ૧૦૦ રિક્ષાચાલકોએ પોતે ભરવાના રહેશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર તરફથી ભરવામાં આવશે.

હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સાથે-સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને અકસ્માતોથી માત્યુના બનાવ પણ વધ્યા છે. આથી રાજય સરકાર તરફથી રિક્ષાચાલકો અને બીજા
અન્ય ૪૧ જેટલા વ્યવસાય કરતા લોકોને વીમાયોજના અંતર્ગત આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં રિક્ષાચાલકોએ ખૂબજ મોટી સંખ્યામાં વીમો ઊતરાવવા માટે ભાગ લીધો છે.

Ahmedabad News 2011 - મહિલા કોચની હાલત દયનીય

વેકેશનમાં મહિલા કોચની હાલત દયનીય કોચ વધારવા અથવા મોટા કરવા માંગ

દરેક ટ્રેનમાં એક જ મહિલા કોચ આવે છે. અને તે પણ અડધો હોવાથી મહિલાઓએ લટકીને મુસાફરી કરવી પડે છે.

મેમુમાં ત્રણ મહિલા કોચ

રેલવેમાં એક માત્ર મેમુ ટ્રેનજ એવી છે જેમાં ત્રણ મહિલા કોચ આવે છે. પહેલા, છેલ્લાં અને વચ્ચે પણ આ મહિલા કોચ પણ અડધા જ આવે છે. જેથી ત્રણ મહિલા કોચ હોવા છતાં મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં ખાસ કરીને વેકેશનમાં તો આ ટ્રેનમાં વધુ ભીડ રહે છે.

ઊનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ વેકેશન પણ શરૂ થઇ ગયું છે. ત્યારે લોકો ટ્રેન દ્વારા મુસાફરી વધુ કરે છે. તો મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની ટ્રીપ વધારાઇ છે. તો અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છતાં મહિલા કોચની સ્થિતિ યથાવત રહેતા મહિલા ડબ્બામાં વધારો કરવામાં આવે અથવા મોટો કરવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વેકેશન શરૂઆત જ મહિલા ડબ્બામાં ભીડ વધી જાય છે. ઘણી ટ્રેનોમાં તો
મહિલાઓ દરવાજે લટકીને જાય છે. રેલવેની તમામ ટ્રેનોમાંથી એક માત્ર ગુજરાત કિવન ટ્રેન જ એવી છે જેમાં એક આખો ડબ્બો મહિલાઓને આપવામાં આવ્યો છે.

તે સિવાયની તમામ ટ્રેનોમાં મહિલા ડબ્બો અડધો જ હોય છે. જેમાં પણ પાસ હોલ્ડરોની દાદાગીરી હોય છે. માટે સામાન્ય મહિલા મુસાફરે તો બેસવું કયાં તે પ્રશ્ન થઇ જાય છે. તો વળી ઘણી ટ્રેનોમાં મહિલા મુસાફરોની સામે
પાસ હોલ્ડર મહિલા પણ એકલી પડી જાય છે.

રેલવે દ્વારા ઘણી ટ્રેનોમાં વધારાના કોચ મુકાયા છે. પરંતુ આ કોચમાંથી એક પણ વધારાનો કોચ મહિલા માટે
મુકવામાં આવ્યો નથી જેના કારણે ઊનાળા વેકેશન શરૂ થતા જ રોજ અપડાઊન કરતી અને મહિલા માટે પણ મુશ્કેલી વધી ગઇ છે.

Amdavad City Samachar - ગુજરાત કોલેજ થી એલિસબિ્રજ સુધી ઝેડ આકાર નો ફલાય ઓવર

ગુજરાત કોલેજ ચાર રસ્તાની પહેલા જ બાઈબલ હાઊસથી સેપ્ટ દ્વારા કરાયેલી ડીઝાઈન પ્રમાણેનો ફલાય ઓવર બનાવવાની કામગીરીી
શરુ કરાઈ છે.

ઓરીએન્ટ કલબ પાસેના રેલ્વે ક્રોસગની ઊપરથી પસાર થઈને એમ.જે. લાયબ્રેરી નજીકથી આશ્રમરોડને સમાંતર ટર્ન લેશે અને ત્યાંથી ટાઊન હોલની દિશામાં આગળ વધીને એલિસબિ્રજ પોલીસ સ્ટેશનથી ફરી એલિસબિ્રજની દિશામાં ટ્રન લેશે. આમ સમગ્ર ફલાય ઓવર ઝેડ આકારનો બનશે.

આ નવા ફલાય ઓવર ઊપરથી બીઆરટીએસ રુટ ઊપરાંત અન્ય વાહનો પણ પસાર થઈ શકશે. જો કે આ નવો ફલાય ઓવર બંને તરફ લગભગ સાતથી આઠ મીટરની પહોળાઈ ધરાવનારો બની રહેશે. જે સ્પ્લીટ રહેશે. જેમાં
અન્ય વાહનો માટેની બે લેન પણ અલગ જ રહેશે.

એલિસબિ્રજના પશ્ચિમ છેડે આ બિ્રજની બંને પાંખોને ઊતારવામાં આવશે જેથી પૂર્વ તરફ જનારા વાહનો સીધા જ ઊતરી જશે અને પૂર્વ તરફથી આવનારા વાહનો જમણી તરફની પાંખ ઊપર ચઢીન સીધા જ ગુજરાત કોલેજ તરફ આવી શકશે.

Tuesday, April 26, 2011

Ahmedabad Riverfront Development - માત્રને માત્ર ૨૧ ટકાજમીન વ્યાપારિક હેતુ માટે વપરાશે

બાકીની જમીનનો બાગ બગીચા-રોડ રસ્તા ને જાહેર હેતુ માટે ઊપયોગ થશે ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ કરાશે વાસણામાં સાત હેકટર જમીનમાં ઘનિષ્ઠ વનીકરણ કરાશે પ્રોજેકટ પાછળ કુલ ૧૫૦૦ કરોડનો ખર્ચ.

બીઆરટીએસ બાદ હવે અમ્યુકો દ્વારા સમગ્ર ધ્યાન રિવર ફ્રન્ટ પ્રોજેકટ ઊપર કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આગામી મહિને રિવરફ્રન્ટ માટેના નવા જીડીસીઆર બહાર પડશે. જેમાં સ્પષ્ટપણે એ પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે કે પ્રોજેકટના કારણે જેટલી નવી જમીન ઊભી થશે તે પૈકી માત્ર ૨૧.૨૭ ટકા જમીનનો જ વ્યવસાયિક રીતે ઊપયોગ થશે.

શહેરી વિકાસ ખાતાના તેમજ અમ્યુકોના સૂત્રોએ આ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેકટ એ સૌપ્રથમ પ્રોજેકટ છૅ. દેશભરના મહાનગરો તેમજ નદી તટ ઊપર વસેલા શહેરના સંખ્યાબંધ ડેલિગેશનો આ પ્રોજેકટની મુલાકાતે આવી ચૂકયા છે અને હજુ પણ આવી રહ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ દ્વારા કુલ ૧૬૨.૮૦ હેકટર જેટલી નવી જમીનની ઊપલબ્ધી થશે. તે પૈકી ૧૩.૬૧ ટકા જમીન એટલે કે ૨૧.૧૫ હેકટર જેટલી જમીનનો વાણિજિયક ઊપયોગ થશે. તેમજ ૭.૬૬ ટકા જેટલી
એટલે કે ૧૨.૪૭ હેકટર જમીનનો રેસિડેન્સિયલ હેતુ માટે (વેચાણથી) ઊપયોગ થશે.

આમ, સમગ્ર પ્રોજેકટમાંથી કુલ્લે ૨૧.૨૭ ટકા જેટલી જમીન જ વેચાણ કરાશે. જયારે બાકીની ૭૯.૨૩ ટકા જમીનનો સંપૂર્ણ ઊપયોગ જાહેર હેતુ માટે કરવામાં આવશે. તે જોતા નવી ઊભી થનારી કુલ્લે ૧૬૨.૮૦ હેકટર
જેટલી જમીન પૈકી માત્ર ૩૪.૬૨ હેકટર જેટલી જમીનનું વેચાણ કરીને સમગ્ર યોજનાનો ખર્ચ વસુલ કરાશે.આગામી ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં આ પ્રોજેકટને આખરી ઓપ આપી દેવાની તૈયારીઓ સત્તાવાળાઓ દ્વારા
હાથ ધરવામાં આવી છે. શાહીબાગ ડફનાળાથી વાસણા બેરેજ સુધીના સાડા અગિયાર કિલોમીટરની લંબાઈના સમગ્ર પટ્ટામાં ૪૨ હેકટરના વિસ્તારમાં બાગબગીચા બનાવવામાં આવશે. તેવી જ રીતે લગભગ ૪૬ હેકટર જેટલી જમીન રોડ રસ્તા બનાવવામાં વપરાશે.

વાસણાથી સુભાષબિ્રજ તેમજ એરપોર્ટ સુધીનો નવો માર્ગ પણ રિવરફન્ટમાં વિકસાવવામાં આવશે. ઊપરાંત વાસણા વિસ્તારમાં લગભગ સાત હેકટરના સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવશે.

નદીના નીચેના ભાગમાં સંખ્યાબંધ વિસ્તારોમાં જૂના જમાનામાં હતા તેવા ઘાટ પણ બનાવવામાં આવ્યા છે તેથી લોકો સ્નાનાદિ કાર્ય માટે તેનો ઊપયોગ કરી શકશે.

Monday, April 25, 2011

Ahmedabad BRTS News 2011 - ફેઝ-૨ની કામગીરી ઝડપથી હાથ ધરાઇ

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને રાજય સરકાર દ્વારા હવે અમ્યુકોના દરેક પ્રોજેકટનું સીધું
મૂલ્યાંકન થશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશભરમાં સૌપ્રથમ શરૂ કરાયેલી બીઆરટીએસને મળેલી સફળતાને લક્ષમાં લઇને આરટીઓથી નરોડા પાટિયાના રૂટની સફળતા બાદ હવે ફેઝ-૨ની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે.

આમ, શહેરના બહારના વિસ્તારને આવરી લીધા બાદ હવે શહેરના આંતરિક માર્ગોને પણ આ સેવા ઊપ્લબ્ધ કરાવવા સત્તાવાળાઓ દ્વારા કમર કસવામાં આવી છે.

જો કે ગાંધીનગરના પરિણામો બાદ હવે અમ્યુકોના દરેક પ્રોજેકટ ઊપર રાજય સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે.

બીઆરટીએસના ફેઝ-૨ના પેકેજને રૂ. ૧૨૯.૨૧ કરોડના ટેન્ડર દ્વારા મંજૂર પણ આપી દેવામાં આવી છે. આ પેકેજમાં નહેરુનગર ચાર રસ્તાથી શરૂ કરીને પાંજરાપોળ ચાર રસ્તા અને ત્યાંથી પાસપોર્ટ આૅફિસથી ટર્ન
લઇને ગુલબાઇ ટેકરા બીએસએનએલની આફિસ પાસેથી લાલ બંગલા સીજી રોડને ક્રોસ કરીને સમગ્ર રૂટ આગળ વધશે.

જે સમર્થેશ્વર મહાદેવ-ચકલી ફુવારા થઇને એનસીસી ગ્રાઊન્ડ ગેટ પાસે થઇને બાઇબલ હાઊસ પહોચશે. જયાંથી હાલ નવા આકાર લઇ રહેલા ફલાય ઓવર બિ્રજ ઊપર થઇને આ રૂટને એલીસબિ્રજ ઊપર લઇ જવાશે.

એલિસબિ્રજ ઊપરથી પસાર થઇને આ રૂટ વિકટોરિયા ગાર્ડન, ખમાસા, આસ્ટોડિયા ગીતા મંદિર જશે. જયાંથી એક રૂટ ભૂલાભાઇ થઇને દાણીલીમડા લઇ જવાશે જે હાલના કાંકરિયા તેમજ નારોલના રૂટને ટચ કરશે. જયારે
ગીતામંદિર પહાચેલા રૂટને બીજી તરફ ન્યૂ કલોથ માર્કેટ તરફ ડાયવર્ટ કરાશે. જે રૂટ વાડજદૂધેશ્વર તરફથી આવીને દિલ્હી દરવાજા - પ્રેમ દરવાજા થઇને એલીવેટેડ બિ્રજ કાલુપુર સ્ટેશન થઇને ન્યૂ કલોથ માર્કેટ સુધી
આવનારા રૂટની સાથે જોડાઇ જશે.

Thursday, April 14, 2011

Ahmedabad Lakes - ઊનાળો શરૂ થતા મોટાભાગના સૂકાઇગયા

 કાળી ગામનું નવું બંધાયેલું તળાવ, વસ્ત્રાપુર તળાવ સહિતના તળાવમાં પાણી છોડાશે.

શહરેમાં ઔડા વિસ્તારોમાં આવેલા તળાવોમાં ઊનાળો આવે તે પહેલાં જ તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.

પાણી ન હોવાના કારણે મોટાભાગના નાગરિકો તળાવના કાંઠે જઇને બેસીને કુદરતની મજા માણી શકતા નથી. તેથી એ તમામ તળાવોમાં પાણી છોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં એક અંદાજ મળીને ૧૪૦ થી વધુ તળાવો હતા. જેમાં સમયાંતરે ઔડા દ્વારા વિવિધ તળાવોનો વિકાસ કરી રમણીય બનાવવામાં આવ્યા પણ ઔડા દ્વારા હાલમાં તૈયાર કરવામાં આવેલા તળાવો અને વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા તળાવોમાં ઊનાળાની સાથે એક કોમન વાત છે કે ઊનાળો આવતાની સાથે તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.

શહેરમાં આવેલા કાંકરિયાના તળાવ સિવાય બીજા તળાવોમાં પાળી કેમ નથી રહેતું તે પ્રશ્ન નાગરિકોને મૂંઝવે છે. વસ્ત્રાપુર, ગોતા, કાળીગામ બોપલ આંબલી જેવા વિસ્તારોમાં થયેલા તળાવોમાં બારેમાસ પાણી રહે તેવી
વ્યવસ્થા કરવી જોઇએ. પણ પાણી રહેતું નથી.

સામાન્ય રીતે તળાવો કરીને તેમા પાણીનો સંગ્રહ કરવાથી તમામ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી શકાય પણ પાણીના સ્તર ઊંચા લાવવા માટે પાણી લાવવું જરૂરી છે. આમ શહેરના મોટાભાગના તળાવો
માત્ર ચોમાસામાં ભરાય છે.

બાકી ઊનાળો આવતાની સાથે તેમાંથી પાણી ગાયબ થઇ જાય છે. હાલમાં ઔડા દ્વારા ગત વર્ષે બીજા ૯ તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. અગામી વર્ષોમાં ૧૪ નવા તળાવોના કામકાજ કરશે. પણ તળાવોની રમણીયતા વધારવા માટે તેમાં પાણીથી ભરાયેલા રહે તે અનિવાર્ય છે.

Wednesday, April 13, 2011

Swarnim Gujarat Celebration 2011 - ઊજવણી ૧લી મે એ સરદાર સ્ટેડિયમમાં યોજાશે

‘ગુજરાત આગે કદમ’ સાંસ્કાતિક કાર્યક્રમમાં ૩૫૦૦ કલાકારો કલાના કામણ પાથરશે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ર્સ્વિણમ જયંતી વર્ષની ઊજવણી થઇ રહી છે તેના સમાપન નિમિત્તે, એપ્રિલ
ઊત્તરાર્ધમાં રાજયના ચાર ઝોનમાં અને આખરે અમદાવાદગાંધીનગરમાં ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જે કાર્યક્રમ માટે અમિતાભ બચ્ચન સહિત ટોચના અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાશે.

ગુજરાતની સ્થાપના તા.૧લી મે ૧૯૬૦ના રોજ થયેલી રાજય સરકારે ચાલુ વર્ષે ર્સ્વિણમ ગુજરાત તરીકે ઊજવેલ
છે. વર્ષ દરમિયાન યોજાયેલા ર્સ્વિણમ કાર્યક્રમો બાદ તેના ઊજવણીના સમાપન માટે ભવ્ય કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ગાંધીનગરમાં ૩૦ એપ્રિલ સાંજે ૫ વાગ્યે વિશ્વ ગુજરાતી સંમેલન મળશે.

જેમાં ૧૦૦ રાષ્ટ્રના ગરવા ગુજરાતીઓ ભાગ લેશે. જેઓ ગુજરાતની ગૌરવગાથા વર્ણવશે. આ કાર્યક્રમ ગાંધીનગરમાં નવર્નિિમત મહાત્મા મંદિર ખાતે રાખેલ છે. કાર્યક્રમમાં ગુજરાતનો ઈતિહાસ પ્રસ્તુત કરતું પ્રદર્શન યોજાશે તેમજ વર્તમાન સરકારની સિદ્ધિઓ વર્ણવાશે. જયારે તા. ૧લી મે ના રોજ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાં ‘ગુજરાત આગે કદમ’ શિર્ષકથી સાંસ્કાતિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમમાં ૩૫૦૦ જેટલા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

Tuesday, April 12, 2011

Gujarat University Exams 2011 - ત્રીજા તબક્કા ની પરીક્ષામાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર

યુનિ. દ્વારા શંકાસ્પદ અને સંવેદનશીલ કેન્દ્રો પર થતી ગેરરીતિ અટકાવવા આકસ્મિક ચેકગ કરવાની યોજના.

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. જેમાં ટી.વાય.બીએ., બી.કોમ, બી.એડ્ સહિતની વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊપસ્થિત રહેશે.

અમદાવાદ શહેર સહિત બહારના વિસ્તારો સહિત ૨૬૮ જેટલા કેન્દ્રો પરથી યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા યોજાશે ત્યારે અમદાવાદના ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જેમાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલથી ગુજરાત યુનિર્વિસટીની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે બીજા તબક્કાની પરીક્ષાઓમાં યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને બીજા તબક્કાની પરીક્ષામાં ચોરીના કેસ ન પકડવા માટે તાકીદ કરવામાં આવી હતી ત્યારે ત્રીજા તબક્કાની પરીક્ષામાં હવે યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને દબાણ કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે આવતીકાલથી શરૂ થનારી ત્રીજા તબક્કાની પરીક્ષામાં કુલ ૬૦૬૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં અમદાવાદમાંથી ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે કુલ ૨૬૮ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જેમાં અમદાવાદમાં ૧૦૬ કેન્દ્રો અને અન્ય વિસ્તારમાં ૧૬૨ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ પર નજર રાખવા ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઇ છે.

જેમાં ટી.વાય.બી.એ. ટી.વાય.બી.કોમ, બી.એડ્ એમ.એડ, ફર્સ્ટ બી.એસ.સી, થર્ડ બી.એસ.સી, સેકન્ડ બી.બી.એ, થર્ડ બી.સી.એ સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ યોજાશે. ત્રીજા તબક્કાની પરીક્ષા બાદ અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે દર વર્ષે ઊત્તરવહી ચકાસણીમાં સિનિયર અધ્યાપકો નહ જતા હોવાના અહેવાલના પગલે વિદ્યાર્થીઓનાં પરિણામ મોડા જાહેર થવાની અટકળો શરૂ થઇ ગઇ છે પરંતુ આ વર્ષે યુનિર્વિસટીની તમામ પરીક્ષાઓના પરિણામો સમયસર જાહેર થશે તેવો યુનિ. સત્તાવાળાઓનો દાવો છે.

Camp Hanuman Mandir Ahmedabad - દર્શન તા.૧૮મી એપ્રિલથી ઓનલાઇન થઇ શકશે

૧૭મી એ નીકળનારી હનુમાનજીની શોભાયાત્રામાં ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રક, અખાડા વગેરે જોડાશે.

ચૈત્ર સુદ પૂનમે ૧૮ એપ્રિલે હનુમાન જયંતીથી કેમ્પ હનુમાનજી મંદિરનાં ઓનલાઇન દર્શન થઇ શકશે. ઊપરાંત સવારે ૧૦ વાગ્યે ૨૫૧ કિલો માવાની કેક ધરાવવામાં આવશે. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટીગણ અને
પૂજારી પરિવારે જણાવ્યું હતું કે, હનુમાનજીનાં ઓનલાઇન દર્શન માટે વેબસાઇટનું લોન્ચગ કરાશે.

હનુમાન જયંતીના એક દિવસ પૂર્વે હનુમાનજીના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે શોભાયાત્રા દ્વારા વાસણા સ્થિત વાયુદેવના મંદિર જશે.

૧૭મીએ સવારે નીકળનારી શોભાયાત્રામાં ભગવાનનો કાયમી રથ પણ રહેશે. આ વખતે આ યાત્રામાં આશરે પાંચ ઝાંખીઓ, ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રકો, ૨૦૦ સ્કૂટરો અને અખાડો સામેલ હશે.

આઠ વાગ્યે અમદાવાદના મેયર રથસ્થિત હનુમાનજીની આરતી ઊતારશે, આર્મીના વડા જી.ઓ.સી. મેજર
જનરલ ઇકબાલસગ સઘા રથને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. હનુમાનયાત્રા શાહીબાગ અન્ડરબિ્રજ, આર.ટી. ઓ. સર્કલ, ઈન્કમટેકસ ઓફિસ ગુજરાત વેપારી મહામંડળ, વી.એસ. હોસ્પિટલ, અંજલિ ચાર રસ્તા થઇને વાસણામાં આવેલા બેરેજ નજીકના વાયુદેવના મંદિરે આશરે બપોરના ૧૩-૩૦ વાગ્યે પહાચશે. ત્યાં
આરતી પૂજા બાદ છપ્પનભોગ ધરાવવામાં આવશે અને ભંડારા બાદ ૧૪-૩૦ પરત નીકળી, નહેરુનગર ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, સરદાર પટેલ ચાર રસ્તા થઇ ઊસ્માનપુરા ચાર રસ્તાથી આશ્રમરોડ દ્વારા સુભાષબિ્રજ, શાહીબાગ અન્ડરબિ્રજ થઇને નીજ મંદિરે પધારશે. આ યાત્રાનું૨૧ સ્થળોએ સ્વાગત થશે અને દરેક સ્થળે હનુમાનજીની આરતી ઊતારાશે તથા પ્રસાદ વિતરણ થશે.

પ્રસાદરૂપે ૨૦૦૦ કિલો બુંદી, ૧૫૦૦૦ કેળા, અગણિત ચોકલેટો વગેરેનું વિતરણ થશે.

Ahmedabad News - મુંબઇ અને અમદાવાદ પેસેન્જર ટ્રેન અનિયમિત હોવાથી મુસાફરો હેરાન

રાતની ટ્રેનોમાં જ સાઇડગની સમસ્યા હતી. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગળ સિગ્નલ મળે તો જ ટ્રેન ઊપાડી શકાય છે. અને સામાન્ય રીતે ફાસ્ટ ટ્રેનનો સમય હોય ત્યારે લોકલ ટ્રેનનું સાઇડગ થતું જ રહે છે. પહેલા તો રાતની ટ્રેનોમાં આ પ્રોબ્લેમ હતો પરંતુ હવે તો બપોરની ટ્રેનમાં પણ આ સમસ્યા ઉભી થતાં મુસાફરોને
સસ્તી સારી ટ્રેનની મુસાફરી માઘી પડી રહી છે.

આ ટ્રેન છેલ્લા એકમાસથી અડધો કલાક લેટ આવે છે વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચે વધુ મોડી પડે છે. આ લોકલ ટ્રેનમાં વેપારી, વિદ્યાર્થી અને નોકરિયાતો ઊપયોગ વધુ કરે છે.

મુંબઇ - અમદાવાદ લોકલ ટ્રેન છેલ્લાં એક માસથી તેના નિર્ધારીત સમય કરતાં ઘણીજ અનિયમિત દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો મુસાફરી કરે છે. આ ટ્રેન પોતાના નિર્ધારીત સમય કરતાં અડધાથી એક કલાક મોડી દોડે છે. જેના કારણે જે-તે મુસાફર નિર્ધારીત સમયે જગ્યા પર પહાચી શકતો નથી. તો વળી આ ટ્રેન લોકલ
હોવાથી ખાસ કરીને વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચેના સ્ટેશનો પર વારંવાર સાઇડગ કરવામાં આવે છે. આ ટ્રેન સમયસર દોડે તો તેને અન્ય કોઇ જ ટ્રેન નડે નહ પરંતુ ટ્રેનને નિયમિત દોડતી ના હોવાથી ગુજરાત એકસપ્રેકસ રોજ આ ટ્રેનનું સાઇડગ કરે છે.

અને મુસાફરોએ ભારે હેરાન થવું પડે છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણીવાર તો આ લોકલ ટ્રેનને ગુડ્સ ટ્રેન પણ સાઇડગ કરે છે. આવં તો વારંવાર થતું રહે છે. છતાં રેલતંત્ર કશું જ કરતું નથી. આ બાબતની જાણ મુસાફરોએ ઘણીવાર રેલવે વિભાગને કરી છે છતાં રેલવે તંત્રને આ બાબતે કોઇ રસજ ના હોય તેમ ટ્રેન અનિયમિત જ દોડ્યા કરે છે.

છેલ્લાં એક મહિનાથી તો હદ જ થઇ ગઇ છે. નિયમિત ટ્રેન લેટ દોડી રહી છે. જેના કારણે મુસાફરો હવે ટ્રેનની જગ્યાએ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જો આજ રીતે થતું રહેશે તો મુસાફરો ટ્રેનનો ઊપયોગ છોડી પ્રાઇવેટ વાહનો તરફ વળશે.

Swarnim Gujarat 2011 - ર્સ્વિણમ ગુજરાત જ્ઞાનશકિત સમાપન સમારોહ




ર્સ્વિણમ ગુજરાત જ્ઞાનશકિત સમાપન સમારોહ વીર નર્મદ યુનિ.માં યોજાશ

સાચાગુરુ કોણ ? ગુગલ કે શિક્ષક વિષયો પર ચર્ચાઓ હાથ ધરાશે.

અમદાવાદ રાજયમાં ર્સ્વિણમ ગુજરાત ઊજવણીના સમાપન સમારોહ નિમિતે આયોજિત પાંચ શકિત પૈકી એક જ્ઞાનશકિતનો કાર્યક્રમ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ખાતે યોજાશે.

જે કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ઊપસ્થિત રહેશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાન શકિત, યુવા શકિત અને વિકાસ વિષય સંદર્ભે સેમિનાર યોજાશે. તા.૨૧મી રોજ યોજાનાર જ્ઞાન શકિત કાર્યક્રમમાં શું વૈધાનિક કેળવણી વિકાસ માટેનો એક રસ્તો છે ? સાચા ગુરુકોણ ગુગલ કે શિક્ષક અને જ્ઞાન શકિતની પરીક્ષામાં ગુજરાતના વિકાસનું મોડલ જેવા વિષયો પર ચર્ચાઓ થશે.

આ સમારોહ અંતર્ગત તા.૧૮મી એપ્રિલના રોજ યુનિર્વિસટી ખાતે પ્લેસમેન્ટના ઇન્ટરવ્યૂ માટેનો ટ્રેનગ કેમ્પ યોજાશે. તેમજ છેલ્લાં દસવર્ષમાં રાજયની યુનિર્વિસટીઓમાં વર્ષે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં પી.એચડી થયેલા વિદ્યાર્થીઓના નામાવલી સાથેના પુસ્તકનું વિમોચન કરાશે.

અત્રે ઊલ્લેખનિય છે કે, ગત ગુજરાત સ્થાપના દિન ૧ મેથી શરૂ થયેલા ર્સ્વિણમ ગુજરાત મહોત્સવની વર્ષભરની ઊજવણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે.

Monday, April 11, 2011

મ્યુનિસિપલ શાળાનો સ્ટાફ પરીક્ષાની કામગીરીથી દૂર

મ્યુનિ. શિક્ષકો સહિતનાં સાત કર્મચારીઓનાં સ્ટાફ સામે ખાતાકીય તપાસ કરાશે.

બાપુનગર મ્યુનિ. શાળામાં આચાર્ય સહિતનો સ્ટાફ ગેરશિસ્ત કરતાં ઝડપાઇ જતાં સ્કૂલ બોર્ડ દ્વારા શાળાનાં સ્ટાફને પરીક્ષાની કામગીરીથી દૂર કરવા નિર્ણય લેવાયો છે. મોબાઇલનો ઊપયોગ, પરીક્ષામાં ચોરી વગેરે બાબતો સ્કૂલ બોર્ડની સર્વેલન્સ ટીમને જણાઇ આવતાં ર્વાિષક પરીક્ષાનો હેતુ જાળવવા હયાત સ્ટાફને દૂર કરી શાળામાં નવો સ્ટાફ મૂકવા તંત્ર એ નિર્ણય કર્યો છે.મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે.

મ્યુનિ.શાળાઓમાં સરપ્રાઇઝ ચેકગ કરવામાં આવી રહ્યું છે. જેમાં બાપુનગરની ગુજરાતી મ્યુનિ. શાળામાં આચાર્ય અને શિક્ષકો સહિતનાં કર્મચારીઓનો સ્ટાફ ગેરશિસ્ત, બેદરકારી આચરતો હોવાનું જણાઇ આવતાં તમામ સ્ટાફને દૂર કરવા નિર્ણય કરાયો હતો.

બાપુનગરની ગુજરાતી મ્યુનિ. શાળામાં સ્કૂલ બોર્ડની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ર્વાિષક પરીક્ષા નો હેતુ જળવાતો ના હોવાનું જણાઇ આવતા આચાર્ય સહિત સાત કર્મચારીઓના સ્ટાફને પરીક્ષાલક્ષી કામગીરીથી દૂર કરવામાં આવ્યા છે.

Saturday, April 9, 2011

Ahmedabad Municipal Corporation - કૂતરાની ‘ખસ્સી’ બાબતે નિષ્ફળ




દર મહિનેસરેરાશનાધાતા૨૫૦૦ કેસ - હડકવાવિરોધી રસીપાછળ કરોડોનુંઆંધણ.

વર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવે છે.

શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. તેમાં પણ રખડતા કૂતરાનો વસ્તી વધારો
નાથવામાં સદંતર નિષ્ફળ નિવડેલું નઘરોળ મ્યુનિ. તંત્ર તરફથી કૂતરાની વસતી ગણતરી કરવાનું આયોજન
કરવામાં આવ્યું હતું પરંતુ મ્યુનિ.ના એ કામ સામે પણ અનેક શંકાઓ ઊદ્ભવી હતી.

કૂતરાના ખસીકરણની બાબતે મ્યુનિ. તંત્ર સાવ બેદરકાર રહેતા રખડતા કૂતરાના વસતી વધારાથી નાગરિકો ત્રાહિમામ્ પોકારવા સાથે તેનો ભોગ બનવા લાગતા મ્યુનિ. તંત્ર પર નાગરિકો ફિટકાર વરસાવવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. રખડતા કૂતરાઓની વસતી કાબૂમાં લેવા મ્યુનિ. કોર્પોરેશને વર્ષ ૨૦૦૬માં ખસીકરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તંત્ર દ્વારા એનિમલ હેલ્પ ફાઊન્ડેશન નામની સંસ્થાને ખસીકરણનું કામ સાપવામાં આવ્યું હતું તે સમયે આ સંસ્થાએ ૪૪ હજાર કૂતરાની ખસી કરી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ સંસ્થાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા પછી કોઇ અગમ્ય કારણોવસાત આ સંસ્થાને ફરી ખસીકરણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો ન હતો.

ત્યાર બાદ તંત્ર દ્વારા ખસીકરણ અંગેના ટેન્ડર બહાર પાડ્યા હતાં પરંતુ કોઇ સંસ્થા આવી ન હતી. અને જે સંસ્થા છેલ્લે છેલ્લે આવી તેને ખસીકરણનો અનુભવ ન હતો.

આ પ્રક્રિયા લંબાતા ખસીકરણનું કામ ખોરંભે પડ્યું હતું. રખડતા કૂતરા પકડવા મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ પાસે ટાંચા સાધનો છે અને સ્ટાફનો અભાવ પ્રવર્તે છે. તેમાં કૂતરાને સાણસાથી પકડવાની ક્રિયા સામે વિરોધ ઊઠતા રખડતા કૂતરા પકડવા માટે જાળીનો ઊપયોગ કરવા સૂચન કરાતા તે માટે જાળી વસાવી અને ખાસ સ્ટાફને જાળી દ્વારા કૂતરા પકડવાની ટ્રેનગ આપવામાં આવી આટઆટલો ખર્ચો કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જેવી બની રહી છે. જેના કારણે વિશ્વકક્ષાએ બદનામી થતાં તાત્કાલિક એનિમલ હસબન્ડરી નામની સંસ્થા સાથે કરાર કર્યા છે જે મ્યુનિ.ના સ્ટાફને વૈજ્ઞાનિક ઢબે કૂતરા પકડવાની તાલીમ આપશે.

અને રસીકરણ કાર્યક્રમમાં પણ મદદ કરશે. હ્યુમન સોસાયટીના રિપોર્ટ અનુસાર શહેરમાં બે લાખથી વધુ કૂતરા છે. અસામાન્ય વધારાને લીધે કૂતરા કરડવાના બનાવે પણ ચતાજનક હદે વ ધી છે.

છેલ્લાં ચાર વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. જેના માટે મ્યુનિ.નું નભર તંત્ર જવાબદાર છે. કૂતરા કરડવાના અસામાન્ય વધારાની સાથે તંત્ર પર ર્આથક બોજો પણ વધતો જાય છે. હડકવા વિરોધી રસી માટે વરસે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

એક દર્દીને ઇન્ટ્રાડર્મલ (હડકવા વિરોધી) રસી આપવા પાછળ રૂા. ૧૫૦૦નો ખર્ચ થાય છે. મ્યુનિ. તંત્રની
બેદરકારી બાબતે કેન્દ્ર સરકારે પણ કડક વલણ અખત્યાર કર્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક જાણકારી અનુસાર દેશમાં દરવર્ષે કૂતરા કરડવાના અંદાજે ૧.૭૦ કરોડ કેસ નાધાયા છે.

કૂતરા કરડવાનાં કેસોમાં અમદાવાદ પ્રથમ નંબરે આવેછે. હડકવાના કારણે વરસે દહાડે સકડો વ્યકિત માૃત્યુ પાસે છે. જેની ગંભીરતા જોતા આયોજન પંચે ખાસ નિર્દેશ જાહેર કર્યો છે. જેમા હડકવાથી થતા માૃત્યુનો દર અટકાવવા કરડતા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરવો, હડકવા મુકત વિસ્તારો જાહેર કરવા વગેરેનો સમાવેશ છે. વર્લ્ડ વાઇડ વેટનરી સેન્ટરના વડાએ કરેલા ખાસ સૂચનોમાં જણાવ્યું હતું કે સતત ૨૪ કલાક બે ટીમ રસીકરણનું કામ કરેતો કૂતરાની વસતી કાબુમા આવી શકે આ માટે દર મહિને સાતથી આંઠ હજાર કૂતરાને વેકસીન આપવી જોઇએ.

વસતીના ૭૦ ટકા કૂતરાના ખસીકરણ છ માસમાં થવા જોઇએ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતી બદનામી રોકવા માટે મ્યુનિ. તંત્રએ કૂતરાની વસતી ગણતરીતો કરાવી પરંતુ તેમની વસતીને કાબૂમાં લેવા માટે રસીકરણ આયોજન કર્યું પરંતુ તે માત્ર કાગળ ઊપર જ રહેવા પામ્યું છે.

સ્ટેન્ડગ કમિટીના ચેરમેન અસિત વોરા હતા ત્યારે મોટીમોટી જાહેરાતો કરી, કૂતરાના વાડા તૈયાર કરવા જગ્યાઓ દર્શાવી પરંતુ તે બધું હવાતિયા મારવા જેવું સાબીત થયું છે.

મ્યુનિ.ના વહીવટી તંત્રના શાસકો એસી ચેમ્બરોમાં મસમોટા આયોજનો કરે છે. રૂપાળા નામો અપાય છે. પરંતુ
તેનો અમલ થતો નથી માત્ર કાગળ ઊપર જ રહે છે.

Ahmedabad Municipal Corporation - ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલની મે મહિનાથી શરૂઆત




આંબાવાડી
, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલમાં રિનોવેશન ચાલુ - ૧૫૦ સભ્યોનો સ્ટાફ જરૂરી - ઓઢવ અને ઘોડાસરમાં સ્પોર્ટ્સ સંકુલ શરૂ કરવા વિચારણા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્પોર્ટ્સ સંકુલ ગણાં વર્ષોથી કાર્યરત હતા નહિ જયાં હાલમાં
શહેરના ત્રણ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન અને જુદી-જુદી રમતોના નવનિર્માણનું કામ ચાલી રહ્યું
છે. આ સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી આ સ્પોર્ટ્સ સંકુલથી અમદાવાદીઓ ઊપયોગ કરવામાં વંચિત રહી ગયા હતા જેનો હવે અમદાવાદીઓ ઊપયોગી કરી શકશે. અત્યારે હાલમાં અમ્યુકો આંબાવાડી, રાણિપ અને રાયપુરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં રીનોવેશન ઊપરાંત સુવિધાઓમાં સ્વિમગપુલ,
જિમ્નેશિયમ, સ્કેટગ રક અને વોલીબોલ અને ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે.

આંબાવાડી, રાણિપ અને રાયપુર સ્થિત સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં ચાલુ થાય તેવી ધારણા છે. ઈન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ, કેરમ અને ચેસ જેવી રમતો પણ રહેશે.

ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે આંબાવાડી, રાણિપ અને રાયપુરના સ્પોર્ટ્સ સંકુલ મે મહિનામાં શરૂ થશે.

અમે આ સુવિધાઓનો એક સામાન્ય પણ ઊપયોગ કરી શકે તેવું ઈચ્છીએ છીએ. અત્યાર સુધી આ સ્પોર્ટ્સ સંકુલમાં ટ્રેઇનર્સ અને કોચના સ્ટાફનો અભાવ હોવાથી પરિણામ જોઇએ એવું મળતું નહોતું પરંતુ રીનોવેશન બાદ આ ત્રણ સંકુલમાં હાલમાં કુલ ૧૫૦ લોકોની જરૂરિયાત છે.

હવે સત્તાધીશો દ્વારા ટ્રેઇનર્સ, કોચ અને સપોર્ટીંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવશે.લાંગાએ વધુમાં ઊમેર્યું હતું કે અમે હાલમાં પ્રથમ રાઊન્ડમાં ૮૦ જેટલા વ્યકિતઓની નિમણૂક કરીશું ત્યારબાદ સિવિક ઓથોરિટી નવા બે સ્પોર્ટ્સ સંકુલ ઓઢવ અને ઘોડાસરમાં ખોલવા માટે પણ વિચારણા કરી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મલ્ટી-એકટીવિટી કોમ્પ્લેકસોના વિકાસ પાછળ રૂા. ૩૫ કરોડનો ખર્ચ
કરશે.