Showing posts with label Amdavad Samachar. Show all posts
Showing posts with label Amdavad Samachar. Show all posts

Saturday, October 22, 2011

Ahmedabad Municipal Transport Corporation - હવે ઈ-ટિકિટ ઈશ્યૂ કરશે

૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.

પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.

જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.

કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.

આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.

જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.

અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.

Wednesday, October 5, 2011

Amdavad Airport - ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઊપડશે

પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.

આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.

Friday, April 29, 2011

Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે

મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.

અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.

આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.

સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.

આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.

ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.

Wednesday, April 27, 2011

Gujarat Summer News 2011 - ઠંડક આપતો આઇસ્ક્રીમ પણ માઘો

આઇસ્ક્રીમનું ઊત્પાદન કરતી કંપનીઓએ ગત વર્ષ કરતાં દરેક ફલેવરમાં ૧૦થી૨૦ ટકાનો ભાવ વધારો કર્યો.

‘આઈસ્ક્રીમ કોન’ના ભાવમાં પણ વધારો.

આઈસ્ક્રીમની સાથે સાથે નાના બાળકોનો ફેવરીટ એવો આઈસ્ક્રીમ કોન પણ માઘો બન્યો છે. ગત વર્ષ સુધી ૮થી૧૦ રૂપિયામાં વેચાતો ઓરેન્જ આઈસ્ક્રીમ કોનના ભાવમાં આવર્ષે વધારો થતા ૧૨ થી ૧૫ રૂપિયા થયો છે. અને તે પણ આઈસ્ક્રીમમના એક ‘ગુલ્લા’ સાથેનો જો આખી ડિશ આઈસ્ક્રિમ કોનમાં ભરાવી હોય તો તેનો ડબલ ભાવ આવવો પડે છે.

આમાં પણ ફલેવર પ્રમાણે ભાવ વધઘટ થાય છે. હવે બાળક જીદ કરે તો પણ માતા-પિતા એ આઈસ્ક્રીમ કોન અપાવતા વિચાર કરવો પડે તેવો સમય આવી ગયો છે.

વેનીલા ફલેવરમાં પણ ભાવ વધ્યો હતો. અન્ય ફલેવરના કપમાં અને ફેમિલી પેકમાં ભાવ ડબલ, એક ફેમિલી પેક સાથે અપાતી એક ફેમિલી પેકની સ્કિમ પણ બંધ.

ઊનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળળવા ઠંડાપીણાની માંગમાં વધારો થયો છે. તો આ વર્ષે આઈસ્ક્રીમ
પણ માઘો બન્યો છે. ઊનાળો શરૂ થતા જ આઈસ્ક્રીમની માંગમાં ઊછાળો આવ્યો છે. તો વળી કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતી સ્કિમમાં પણ કાપ મુકવામાં આવ્યો છે.

આઈસ્ક્રીમ નાના બાળકોથી લઇને મોટી વયના લોકો માટે પણ ફેવરીટ હોય છે. તેમાંય વળી ઊનાળામાં ઠંડક
મેળવવા લોકો આઈસ્ક્રીમનો ઊપયોગ વધુ કરે છે. રાત્રે લટાર મારવા નીકળે અને આઈસ્ક્રીમ ખાઇ લે તો વળી કોઇ મહેમાન આવે તો પણ તે લોકો માટે આઈસ્ક્રીમ મંગાચવાય છે.

ઊનાળાના ત્રણ-ચાર મહિના દરમ્યાન આઈસ્ક્રીમમનો ઊપયોગ વધુ થાય છે. તેને કારણે આ વર્ષે તમામ બ્રાન્ડેડ કંપનીઓએ ફલેવર મુજબ આઈસ્ક્રીમના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો કર્યો છે.

આઈસ્ક્રીમની બ્રાન્ડેડ કંપનીઓ નીતનવી વેરાયટી બજારમાં મૂકે છે. ઊનચાળા દરમ્યાન અનેક ફલેવરના આઈસ્ક્રીમ લોકો મોજથી ખાય છે.

જેના કારણે વીક્રેતાઓ મનગમતો ભાવ લે છે. આઇસ્ક્રિમના કપ જે ૧૫ રૂપિયામાં મળતા હતા તે ફેવરિટ પ્રમાણે ૨૫, ૨૨ અને ૨૫ રૂપિ થઇ ગયા છે.

તેવી જ રીતે વેનીલા આઈસ્ક્રીમ જે ઓલ્ટાઇમ લોકોને ળેપરીટ હોય છે. તેનો ભાવ ૧૦ રૂપિયા હતો તે સીધો ૧૫ રૂપિયા થઇ ગયો છે. તો વળી સન્ડે, કિસમીસ,ટૂટીફ્રૂટી, ડ્રાઇફ્રુટ, કેસરપિસ્તા, બદામ, ગુલાબ જેવા કોમન
આઈસ્ક્રીમના ભાવમાં પણ ૧૦ થી ૧૨ રૂપિયાનો વધારો થયો છે.

જે આઈસ્ક્રીમનું એક ગુલ્લુ એટલે કે અડધી ડિશ ૧૦ રૂપિયાની મળતી હતી તે જ ગુલ્લાનો ભાવ ૧૫ રૂપિયા અને
આખી ડિશના ૩૦ રૂપિયા થઇ ગયો છે.

જયારે બીજી બાજુ ફેમિલિ પેકના ભાવમાં પણ ૧૦ થી ૨૦ ટકાનો વધારો ઝકાયો છે. સામાન્ય રીતે મહેમાન આવે કે વેકેશનમાં બાળકો ભેગા થાય તો આઈસ્ક્રીમનું ફેમીલિપેક લોકોની પ્રથમ પસંદ રહેતી હતી. સાદા આઈસ્ક્રીમના પેકના ૭૦ થી ૮૦ રૂપિયા ચાલતા હતા. તેનો ભાવ ૧૦૦ અને ૧૧૦ થઇ ગયો છે. તો વલી અલગ-અલગ ફલેવરના આઇસ્ક્રિમ પેકના ભાવમાં પણ વધારો ઝકાયો છે.

૧૫૦ થી ૨૦૦ સુધીના ફેમિલી પેક મળતા થયા છે તો એક પેક પર એક પેક ફ્રી મળતું હતું તે સ્કિમ વેપારીઓ બંધ
કરી દીધી છે. જેથી જે ગ્રાહકો ૧૦૦ થી ૧૧૦માં બે ફેમિલીપેક મળતા હતા તેમને હવે માત્ર એક જ ફેમિલીપેક મળે
છે. આમ હવે ઊનાળાની ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રિમના ભાવમાં પણ વધારો થતા હવે આઇસ્ક્રિમ ખાવો
માઘો પડશે.

Tuesday, March 22, 2011

Ahmedabad News – World Cup 2011 Quarter Final Match between India Australia

ભારત- શ્રીલંકા તથા બાંગ્લાદેશના સંયુકત યજમાનપદે રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ની કવાર્ટર ફાઇનલની બીજી મેચ તા. ૨૪મીના રોજ અમદાવાદસ્થિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી છે.

જે માટેની ટિકિટોનું વેચાણ રવિવારથી સ્ટેડિયમ પર શરૂ થયું હતું અને આજે ટિકિટોનું વેચાણ બંધ થશે.વધુમાં વધુ પ્રેક્ષકો મેચનો લાભ લઇ શકે તે માટે એક વ્યક્તિને માત્ર બે જ ટિકિટો આપવામાં આવી હતી .

જોકે આમ છતાં હજારો ક્રિકેટ રસીયાઓને અમદાવાદમાંરમાનારી ભારત-અસ્ટ્રોલીયાની મેચની ટીકીટો નહિ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસો.ના હોદ્દેદારોના જણાવ્યા મુજબ મેચની કુલ ૪૦ હજાર ટિકિટો પૈકી ૨૦ હજાર ટિકિટો આઇસીસીએ રઝિર્વ રાખી લીધી છે.


જ્યારે બાકીની ૨૦ હજાર ટિકિટો પૈકીની ૬૦૦૦ જેટલી ટિકિટોનું ઓન લાઇન વેચાણ થઇ ગયું હતું. માટે બાકીની ૧૬ હજાર જેટલીજ ટીકીટોનું સ્ટેડીયમ પરથી વેચાણ કરવાનું હોવાથી પ્રેક્ષકોની નારાજગી વહોરવી પડી રહી છે.