ગેસની ટાંકી ખરાબ હોય કે પછી થોડોક ગેસ લિકેજ થતો હોય તો ટાંકીમાં ધડાકો થવાની સંભાવના વધી જાય છ.
થોડાક દિવસો અગાઉ એક મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સીએનજી કીટ ધરાવતી એક કારમાં ભેદી
રીતે ધડાકો થયાના પગલે શહેરના વાલીઓમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે.
બાળકોને સ્કૂલે લઈ જતી વાન કે રિક્ષા સીએનજી કિટ ધરાવતી હોઈ આ વાહનોમાં પણ કદીક આવી દુર્ઘટના
સર્જાઈ શકે તેવી ભીતિ અંગેની વાલીઓની ચિંતા સાવ અસ્થાને પણ નથી.
સ્કૂલમાં જતું બાળક કેટલા અંશે સુરક્ષિત છે જે સ્કૂલવાનમાં બેસીને બાળક સ્કૂલમાં જાય છે તે વાનમાં ફીટ કરેલું ગેસ કીટ મોતનો સામાન બની શકે છે.
અમદાવાદમાં ત્રણ હજાર કરતાં વધારેસ્કૂલ વાનમાં રોજિંદા બાળકો મુસાફરી કરતાં હોય છે. મોટાભાગની સ્કૂલવાનમાં બાળકોને ગેસ કીટ ઉપસ બેસાડવામાં આવે છે.
બાળકોની આ મોતની મુસાફરીની કાળજી મા-બાપ લેતા નથી.અને સ્કૂલ મેનેજમેન્ટ પણ તે તરફ ધ્યાન આપતી નથી ત્યારે તાજેતરમાં જ ગાંધીનગરમાં એક ગાડીમાં ગેસ કીટના કારણે બ્લાસ્ટ થયો અને આખી ગાડી સળગીને રાખ થઈ ગઈ ત્યારે આવી ગેસ કીટો ધરાવતી સ્કૂલવાનમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે રોજ સવારે શાળાએ જતા પહેલા વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલવાન સુધી મૂકવા જાય છે અને જાતે એ સ્કૂલવાનોનો નજારો જુએ છે તેમ છતાં તેઓ એ રીતે નિશ્ચિત થઈને ફરે છે.
જાણે તેમને તેમના બાળકોની કંઈ પડી જ ન હોય. રસ્તા પર દોડતી સ્કૂલવાનો જોઈએ તો બાળકોને આ સ્કૂલવાનોમાં ઘેટાં-બકરાંની જેમ ભરેલા હોય છે. તેમાંય બાળકોના દફતરો તો એ રીતે બહાર લટકતા હોય છે જાણે બાળકોના ‘ભાર વિનાના ભણતર’નો અહેસાસ ન કરાવતા હોય. જો દફતર કદાચ પડી જાય તો લાગે કે બાળકના માથેથી ભાર ગયો.
મહત્ત્વની બાબત એ છે કે હમણાંથી જ શાળાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પેટ્રોલના ભાવ વધવાથી આ વર્ષે પેટ્રોલથી ચાલતી સ્કૂલવાનોમાં પણ ભાવોમાં ધરખમ વધારો થયો છે ત્યારે સીએનજી કીટ ધરાવતા વાહનો વાલીઓને પેટ્રોલથી ચાલતા વાહનોની સરખામણીએ સસ્તા પડે છે.
Get in Touch with Latest Gujarat News, Samachar, Updates related to Politics, Industrial, and Educational from various Main Gujarat States Cities like Ahmedabad, Surat, Baroda, Rajkot, Jamnagar though this blog.
Friday, August 19, 2011
Thursday, August 18, 2011
ઇજનેરીઅનેફાર્મસીમાંવિદ્યાર્થીઓ પર ૫૦ ટકા સુધી ફી વધારો ઝીંકાશે
ફી રેગ્યુલેટરી કમિટિ દ્વારા કોલેજના સંચાલકોની રૂબરૂ રજૂઆત સાંભળવાનો દોર શરૂ.
ગુજરાતની મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોએ ફી ના વર્તમાન માળખામાં સામાન્યથી માંડી ૫૦ ટકા સુધીનો તોતીંગ વધારો માગતા શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફી રેગ્યુલેટરી કમિટિએ આવી તમામ કોલેજના સંચાલકોને રૂબરૂ
રજૂઆત માટે બોલાવ્યા છે.
દરરોજ તબક્કાવાર અલગઅલગ વિસ્તારની કોલેજના સંચાલકોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે અને ચાલુ માસના અંત સુધીમાં રજૂઆતની પ્રક્રિયા પૂરી થયા બાદ જુલાઈના પહેલા સપ્તાહમાં આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી
શક્યતા છે.
નિવૃત્ત ન્યાયાધીશના વડપ હેઠળની કમિટિએ એન્જિનિયરિંગ કોલેજોમાં બિલ્ડિંગ, લાઈબ્રેરી, પ્લે ગ્રાઉન્ડ, લાયકાતવાળા
ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફની સંખ્યા સહિતની પાયાની માળખાગત સુવિધાઓ ધ્યાને લઈ ત્રણ વર્ષ અગાઉ ફી ના ધોરણ
નક્કી કર્યા હતા. ત્રણ વર્ષ બાદ તે રિવ્યૂ કરવાનું નક્કી કરાયું હતું.
તે મુજબ સંચાલકોએ ચાલુ પગારપંચ, મોંઘવારી સહિતની બાબતોને આગળ ધરી ૫૦ ટકા સુધીનો ફી વધારો માગ્યો છે. આ પૈકી કેટલો મંજૂર રહે છે ? તે જોવાનું રહે છે. ફાર્મસી કોલેજના સંચાલકો પણ ફી વધારો માગવા માટે અધિકૃત હોવા છતાં હજુ સુધી કોઈ ફાર્મસી કોલેજની માંગણી ફી વધારા માટે આવી ન હોવાનું કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.
ફાર્મસી કોલેજ માટેનું એનઓસી ફાર્મસી કાઉન્સિલ આૅફ ઇન્ડિયા પાસેથી દર ત્રણ વર્ષે મેળવવાનું રહે છે. આ વર્ષે આવું પ્રમાણપત્ર હજુ સુધી ૩૦ કોલેજોએ રજૂ કર્યું નથી. ૨૦ કોલેજના સંચાલકો પીસીઆઈ તરફથી આવું પ્રમાણપત્ર મળે તેવી રાહ જોઈને બેઠા છે.
જયારે ૧૦ કોલેજના સંચાલકો આ મામલે સેન્ટ્રલ એડમિશન કમિટિને કોઈ જવાબ આપવાની પણ દરકાર કરતા નથી. સામી
બાજુ જે કોલેજ આવું પ્રમાણપત્ર રજૂ કરસે. તેમને જ પ્રવેશ સમિતિના દાયરામાં લેવાશે.
ગુજરાતની મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોએ ફી ના વર્તમાન માળખામાં સામાન્યથી માંડી ૫૦ ટકા સુધીનો તોતીંગ વધારો માગતા શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફી રેગ્યુલેટરી કમિટિએ આવી તમામ કોલેજના સંચાલકોને રૂબરૂ
રજૂઆત માટે બોલાવ્યા છે.
દરરોજ તબક્કાવાર અલગઅલગ વિસ્તારની કોલેજના સંચાલકોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે અને ચાલુ માસના અંત સુધીમાં રજૂઆતની પ્રક્રિયા પૂરી થયા બાદ જુલાઈના પહેલા સપ્તાહમાં આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી
શક્યતા છે.
નિવૃત્ત ન્યાયાધીશના વડપ હેઠળની કમિટિએ એન્જિનિયરિંગ કોલેજોમાં બિલ્ડિંગ, લાઈબ્રેરી, પ્લે ગ્રાઉન્ડ, લાયકાતવાળા
ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફની સંખ્યા સહિતની પાયાની માળખાગત સુવિધાઓ ધ્યાને લઈ ત્રણ વર્ષ અગાઉ ફી ના ધોરણ
નક્કી કર્યા હતા. ત્રણ વર્ષ બાદ તે રિવ્યૂ કરવાનું નક્કી કરાયું હતું.
તે મુજબ સંચાલકોએ ચાલુ પગારપંચ, મોંઘવારી સહિતની બાબતોને આગળ ધરી ૫૦ ટકા સુધીનો ફી વધારો માગ્યો છે. આ પૈકી કેટલો મંજૂર રહે છે ? તે જોવાનું રહે છે. ફાર્મસી કોલેજના સંચાલકો પણ ફી વધારો માગવા માટે અધિકૃત હોવા છતાં હજુ સુધી કોઈ ફાર્મસી કોલેજની માંગણી ફી વધારા માટે આવી ન હોવાનું કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.
ફાર્મસી કોલેજ માટેનું એનઓસી ફાર્મસી કાઉન્સિલ આૅફ ઇન્ડિયા પાસેથી દર ત્રણ વર્ષે મેળવવાનું રહે છે. આ વર્ષે આવું પ્રમાણપત્ર હજુ સુધી ૩૦ કોલેજોએ રજૂ કર્યું નથી. ૨૦ કોલેજના સંચાલકો પીસીઆઈ તરફથી આવું પ્રમાણપત્ર મળે તેવી રાહ જોઈને બેઠા છે.
જયારે ૧૦ કોલેજના સંચાલકો આ મામલે સેન્ટ્રલ એડમિશન કમિટિને કોઈ જવાબ આપવાની પણ દરકાર કરતા નથી. સામી
બાજુ જે કોલેજ આવું પ્રમાણપત્ર રજૂ કરસે. તેમને જ પ્રવેશ સમિતિના દાયરામાં લેવાશે.
Subscribe to:
Posts (Atom)