Wednesday, January 11, 2012

Indian Lawyers Association Elections 2011 - નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ પદે અજીતસહ એ.ગોહિલ તથા ઊપપ્રમુખ તરીકે પ્રિતીબેન જોશીની વરણી.

પૂર્વ જસ્ટિસ કાષ્ણ અયરની રાહબરી હેઠળ અસ્તિત્વમાં આવેલા ઈન્ડિયન એસોસીએશન ઓફ લોયર્સની ત્રિર્વાિષક ચૂંટણી માટેની જનરલ મિટગ ર૩મી એપ્રિલના રોજ બળવંતરાય હોલ કાંકરિયા ખાતે મળી હતી.

જેમાં લાઈફ મેમ્બરોની સર્વસંમતિથી સાદી અને સરળ બિનખર્ચાળ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એક વ્યકિત સેવા - શપથ સાથે પોતાનું પ્રપોઝલ મૂકે એક વ્યકિત ટેકો આપે અને જનરલ સભા જાહેર બહાલી આપે તે રીતે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં નીચે મુજબના હોદેદ્દારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અજીતસહ એ.ગોહિલ, ઊપપ્રમુખ પ્રિતીબેન જોશી, હર્ષદભાઈ જાની, પરેશ મહેતા, દિગ્વિજયસહ ઝાલા, જીજ્ઞેશ જે. પટેલ, પી.એમ.સોલંકી, અને મહામંત્રી પદે વિનોદ બ્રહ્મભટ્ટ અને રમેશ પરમાર, ઊપરાંત, ખજાનચી પદે અનિલ મહેતાની વરણી કરવામાં આવી હતી.

જયારે કારોબારી સભ્યોમાં મદીનાબેન શેખ, દિનેશ ગોહિલ, રસિલા પારેખ, જયેશ ગાંધી, અને છોટુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

Tuesday, January 10, 2012

Ahmedabad City News - હવે ૬.૫ કરોડનો ફલેટ

ગુજજુઓના બદલે એનઆરઆઇ આ ફલેટ વધુ ખરીદશ.

ફલેટમાં કઇ અદ્યતન સુવિધા છે...

એડવાન્સ ટેકનોલોજિનો ઊપયોગ,કલબ હાઊસ અને સ્વિમગ પુલ, સેન્ટ્રલાઇઝડ ગિઝર પાઇપલાઇન,કોહલેટનું કિચન, તમામ સાધનો સાથેની હેલ્થ કલબ સેન્ટ્રલાઇઝડ પાણી - પ્રેશર-સિસ્ટમ ડંકીન એર કન્ડિશનર દરેક ફલેટ માટે ૬ કાર પાર્કંિગની જગ્યા, ઓટોમેટિક લાઇટગ વિડિયો, સિકયોરિટી સિસ્ટમ

મેગાસિટી અમદાવાદ હવે સ્વપ્ન નગરી મુંબઇ અને દિલવાલેની દિલ્હી જેવી બની ગઇ છે. કારણ કે હવે અમદાવાદમાં પણ કરોડોનો ફલેટ મળે છે. શહેરમાં સુપર લકઝૂરિયસ મકાનોની બોલબાલા વધતી જાય છે. પરંતુ નવાઇ લગાવે તેવી વાતતો એ છે કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદીઓ સુપર લકઝૂરિયસ એપાર્ટમેન્ટ ખરીદતા નથી.

કારણ કે ગુજજુઓની માન્યતા એવી છે કે આટલા બધા રૂપિયા ખર્ચવા જ હોય તો પછી બંગલો જ લેવો જોઇએ. આ સંદર્ભે ડેવલપર ફર્મના સંચાલકે જણાવ્યું હતું કે અમારી સ્કિમમાં મોટા બાગે ખરીદનાર વર્ગ ગુજરાત બહારના અને એનઆરઆઇ છે.

અમદાવાદમાં અદ્યતન સુવિધા સાથેના ફલેટની સ્કિમ લોન્ચ કરાઇ છે. જેમાં એક સ્કવેરફિટ વિસ્તારનો ભાવ ૫ હજારથી ૭ હજારની વચ્ચે છે. આ સુપર લકઝરી એપાર્ટમેન્ટમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ ફલેટની કમત રૂપિયા ૨.૫ શરૂ થાય છે. અને તમે જો આ ફલેટને ફુલ્લિ ર્ફિનશ કરાવો છો તો તેની કમત ૬ કરોડને આંબી જશે. કંપનીએ સુપર હાઇ એન્ડ એપાર્ટમેન્ટ સ્કિમ લોન્ચ કરી છે. તે અંતર્ગત આ ફલેટની કમત રૂપિયા ૪.૫ કરોડથી રૂપિયા ૬.૫ કરોડ છે.

આ સ્કિમ અમદાવાદ નજીક શહેના બહાર અને થલતેજ નજીક આકાર લઇ રહી છે. સુપર હાઇ એન્ડ ડુપ્લેક્ષ
એપાર્ટમેન્ટની સ્કિમ પ્રહલાદનગર પાસે પાડી છે. આ એપાર્ટમેન્ટની કમત પણ રૂપિયા ૫ કરોડથી રૂપિયા ૬ કરોડની વચ્ચેની છે તેમ એક રિઅલ્ટી સૂત્રોએ નામના ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કેમ્પસમાં બે બિલ્ડગ ઉભા કરાશે. જેમાં એક દસ માળનું ડુપ્લેકસ ટાવર અને બીજુ ૮૭૫૦ સ્કવેર ફિટમાં પથરાયેલ ૫ બેડરૂમ હોલ કિચનનો એપાર્ટમેન્ટ તેમજ ૪ના એપાર્ટ મેન્ટ હશે. આ ફલેટની પ્રતિ સ્કેવર ફૂટ રૂપિયા ૫૭૦૦ થી રૂપિયા ૬૭૦૦ છે. અમદાવાદમાં આ સ્કિમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ નથી પણ ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. તેમ રિઅલટી નિષ્ણાતોનું માનવું છે.

Saturday, January 7, 2012

અમદાવાદ અરપોર્ટ મેઇન્ટેનન્સના લીધે તા.૧૫ મે થી ૧૫ જૂન સુધી બંધ રહેશે

એક મહિના દરમિયાન સવારના સાડા દસથી સાંજના પાંચ વાગ્યા સુધી કોઇપણ ફલાઇટ મૂવમેન્ટ કરશે નહ.

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અૅરપોર્ટ મેઇન્ટેનન્સ હેતુને લઇને ૧૫મી મે થી ૧૫મી જૂન સુધીના પિરિયડમાં બંધ રહેશે. તેવું અૅરપોર્ટ ઓથોરિટિએ જણાવ્યું હતું.

અમદાવાદ અરપોર્ટ ઓથોરિટિએ આ નિર્ણય ડીજીસીએ અને અરલાઇન ઓપરેટરો સાથે ચર્ચા કર્યા બાદ લીધો હતો. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અરપોર્ટ ૩૫૯૯ મીટર રન-વે નો ભાગ ધરાવે છે.

તેમાંથી એરસ્ટ્રીપના ફકત ૩૮૦ મીટરનો વિસ્તાર હેલિકોપ્ટરની જરૂરિયાત માટે બની રહેશે. જે બંધ રાખવામાં આવશે. દરેક ફલાઇટોનું ઓપરેટગ સવારે ૧૦-૩૦થી સાંજના પાંચ વાગ્યા સુધીના સમયમાં રિ-શિડ્યૂલ અથવા કેન્સલ થશે. માર્ચમાં બે મહિના અગાઊ મેઇન્ટેનન્સ શિડ્યૂલ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૩જી એપ્રિલથી મેઇન્ટેનન્સના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૭મી એપ્રિલ સુધી ચાલુ રખાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને બીજા તબક્કામાં જે ૧૫મી મે એ શરૂ થશે તે દરમિયાન એરસ્ટ્રીપ સંપૂર્ણરીતે
બંધ રાખવામાં આવશે અને સવારના સાડાદસથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઇપણ ફલાઇટનું મૂવમેન્ટ કરવા દેવામાં આવશે નહ.

હવે પાણીપણ માઘુ થયું - પાઊચના બે રૂપિયા

શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે.

શહેરના અનેક વિસ્તારોમાં પાણીના પાઊચના બે રૂપિયા થઇ જતા હવે પાણી પીવા માટે પણ વિચારવું પડે છે.

પાણીની મોટી કોથળીના ભાવ પણ વધ્યા પાણીના પાઊચમાં અગ્રેસર ગણાતી બેક ફ્રી કંપનીએ પાઊચનો ભાવ એક રૂપિયો જ રહેશે તેવું જણાવ્યું છે પરંતુ બજારમાં આ કંપનીના પાઊચ પણ બે રૂપિયામાં મળે છે કારણ કે પાઊચની ખરીદી કરતી પ્રજાને તો એ પણ ખબર નથી હોતી કે કયા પાઊચ કંપનીના છે અને કયા પાઊચ લોકલ છે જો કોઇ વેપારીને કહે કે ભાઇ બે રૂપિયા શાના ? તો વેપારી તરત જ કહી દે છે પોણા બેમાં તો અમને પડે છે. ૨૫ પૈસાતો કમાઇને બસ પછી શું ગ્રાહક બોલતો બંધ આમ કંપની ભલે જાહેરાત કરે જેને બે ના ચાર કરવા હોય તે કરી જ લે છે.

તો વળી પાણીની મોટી કોથળી જે પાંચ રૂપિયામાં મળતી હતી તે પણ હવે ૮ રૂપિયાની થઇ ગઇ તેમાં તો સાદા નળમાંથી પાણી ભરવામાં આવે છે છતાં ભાવ વધી ગયા.

ઊનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીમાં ઠંડક આપવાનું કામ કોઇ કરતું હોય તો તેપાણી છે પરંતુ હવે તો પાણી પણ માઘુ થઇ ગયું છે. પહેલા માત્ર રૂપિયામાં વેચાતા પાણીના પાઊચનો ભાવ હવે બે રૂપિયા થઇ ગયા છે. એટલું જ નહ પાણીની બોટલ પણ હવે ૧૨ રૂપિયાની જગ્યાએ ૧૫ અને ૧૫ રૂપિયાની જગ્યાએ ૧૮ થઇ ગઇ છે. એક લોકવાયકા પ્રમાણે કોઇ ઋષિમુનિ કથા કરી રહ્યા હતાં ત્યારે ભકતે પૂછ્યું કે સ્વામીજી
તમે કહો છો કે આ કલીયુગ નથી તો કલીયુગ આવ્યો તે ખબર કઇ રીતે પડશે ત્યારે ઋષિમુનિ બોલ્યા કે જે દિવસે પાણી પૈસાથી વેચાય તે દિવસે સમજી લેજો કે ઘોર કલીયુગ આવી ગયો હશે. સાવ સામાન્ય લાગતી આ
વાત આજે કેટલી સત્ય લાગે છે. એક બાજુ જયાં પાણીની પરબો બંધાય છે. ત્યાંજ બીજી બાજુ પાણીના પાઊચ જે માત્ર એક રૂપિયામાં વેચાતા હતા તેનો ભાવ વધીને બે રૂપિયા થઇ ગયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના પાઊચનો ભાવ વધી ગયો છે. એટલું જ નહ પરંતુ પાણીની બોટલ પણ ૧૨ની જગ્યાએ ૧૫ અને ૧૫
રૂપિયાની જગ્યાએ ૧૮ રૂપિયામાં વેચાય છે. શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે. પરંતુ હવે તેમાં પણ ભાવ વધારો થતા લોકો વિચારમાં પડી ગયા છે. જે કંપની પાણીની બોટલોનું વેચાણ કરી રહ્યા છે તે જ કંપનીમાંથી ઘણી કંપનીઓના પાણીના પાઊચ પણ મળે છે જેના ભાવમાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ લોકલ પાઊચ વેચતા વેપારીઓએ પણ પાણીના પાઊચના બે રૂપિયા કરી
નાંખ્યા છે. સાવ મફતમાં પાણી ભરીને વેચતા પાણીના લારીવાળાઓ એ પાણીના એક ગ્લાસના ભાવતો નથી વધાર્યા પરંતુ ગ્લાસના પાણીનું પ્રમાણ જરૂર ઓછું કરી નાંખ્યું છે. આમ ઊનાળાની શરૂઆત થતા પાણીના પાઊચના પણ ભાવ વધ્યા અને સાથે જ પાણીના વેચાણમાં પણ ગોટાળા થવા લાગ્યા છે. હાલતા-ચાલતા
ઊનાળાની ગરમીમાં ઠંકડ માટે પાણીના પાઊચ ખરીદતા લોકો હવે પાણી પીવા માટે બે ઘડીનો વિચાર કરશે કારણ કે હજુ પણ શહેરના લાલદરવાજા વિસ્તારમાં છાશની લારી પર ત્રણ રૂપિયાની મસાલા છાશ મળે છે જયારે બીજી બાજુ વિના મૂલ્યે મળતા પાણીનું મૂલ્ય પણ વધી ગયું છે. જોકે પાણીના પાઊચના ભાવ ભલે વધ્યા હોય પાણીના વેચાણમાં કોઇ જ ફેર નથી પડ્યો જે લોકો ૧ રૂપિયામાં પાણીના પાઊચ ખરીદતા હતા તે લોકો
‘ના હોય બે રૂપિયા....’ એમ કહીને પણ પાણીના પાઊચ તો ખરીદી જ લે છે આમ ભાવમાં વધારો થાય પરંતુ જરૂરિયાતના કારણે લોકો માઘુ પણ ખરીદે છે અને કદાચ તેથી જ માઘવારીના બહાને પાણીના પણ ભાવ
વધારી દેવામાં આવે છે.