Tuesday, October 25, 2011

Indian Railway News 2011 - ટ્રેનમાં ભોજન માઘું થશે

તંત્ર દ્વારા સાધારણ થાળીની જગ્યાએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરાશે.

વેજ-નોનવેજ થાળીના ભાવ સરખા મંગાવાયા.

થાળીની સાથે પીઝા-બર્ગર પણ મળશે રેલવેમાં હવે માત્ર રોટલી, દાળ, ભાત, શાક જ નહિ પરંતુ બાળકો અને હવે તો મોટેરાઓના પ્રિય પીઝા બર્ગર પણ મળશે.

સામાન્ય રીતે સેન્ડવિચ, કટલેસ તો ટ્રેનમાં વેચવા આવે જ છે.

પરંતુ જનતાથાળીની સાથે મુસાફર પીઝા અને બર્ગર પણ ઓર્ડરથી મંગાવી શકશે.

પેકગમાં ગરમ ગરમ પીઝા અને બર્ગરની મઝા માણવા માટે મુસાફરો હવે માત્ર ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણકે કદાચ બજારભાવ કરતાં રેલવેના પીઝા બર્ગર માઘા હોઇ શકે છે.

રેલવેમાં આવતા મુસાફરો માટે તંત્ર દ્વારા જનતા થાળી શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે આ જનતા થાળીના
ભાવમાં પણ વધારો ઝકી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રેનમાં મળતી જનતા થાળી જે ૨૭ રૂપિયામાં મળતી હતી તે હવે ૬૫ રૂપિયાની થઇ ગઇ છે.

મધ્યમ વર્ગના લોકો માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી પરંતુ હવે તેના ભાવ વધી ગયા છે. તો સાથે જ તેને નવાસ્વરૂપે રજૂ કરાશે. થાળીમાં જમવાની આઇટમની સંખ્યામાં વધારો કરી દેવામાં આવશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા અગલઅલગ થાળીની જુદી-જુદી કમત રહેતી હતી. શાકાહારી થાળી લેવી હોય તો રૂપિયા ૨૭ ચૂકવવા પડતા હતા. જેમાં રોટલી, દાળ-ભાત,શાક, દહ, અથાણું જેવી આઇટમ હતી જે મુસાફરોએ ઇંડા કરી ખાવા ઇચ્છા હતા તેમને માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી. પરંતુ હવે સાધારણ થાળીની જગ્યાએ રેલવેએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરી છે.

વેજ અને નોનવેજની કમત એક સરખી કરી દીધી છે. કોઇ પણ થાળી માટે રૂપિયા ૬૫ ચૂકવવા પડશે.થાળીની કમત વદારી દીધી છે. આઇટમ પણ વધારી દીધિ છે. પરંતુ કોન્ટિટી કેટલી હશે અને તેનાથી મુસાફરને સંતોષ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે મુસાફરોને ભોજનમાં વેરાયટી નહ પરંતુ સાફ અને સસ્તુ ભોજન જોઇતું હોય છે. ૨૭ રૂપિયાની થાળી મુસાફરો સહેલાઇથી ખરીદી લેતા હતા પરંતુ હવે ૬૫ રૂપિયાની થાળી ખરીદવા મુસાફરે વિચાર કરવો પડશે.

Monday, October 24, 2011

Gujarati News 2011 - શાળાઓમાં બાળકોને શારીરિક અને માનસિક સજાપર પ્રતિબંધ

જે શિક્ષક દ્વારા સજા અપાશે તે શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણયનો જૂન-૨૦૧૧થી અમલ થશે.

શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે. પરંતુ કેન્દ્ર
સરકારનાં રાઇટ ટૂ ફ્રી અન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ મુજબ બાળકોને અપાતી માનસિક કે શારીરિક સજા પર પ્રતિબંધ મૂકાઇ ગયો છે.

જેનો અમલ જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી થશે એટલું જ નહિ આવો ત્રાસ ગુજારનાર શિક્ષકો વિરુદ્ધ
કડક પગલાં ભરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાઇટ ટૂ એજયુકેશન હેઠળ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારો અપાયા છે.

જેનો અમલ કરવા અંગે રાજય સરકાર વિચારણા કરી રહી હતી. જેમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત શિક્ષણ મળવું જોઇએ તેમજ બાળકો પર કયારેય શારીરિક કે માનસિક સજા ન કરવી જોઇએ.

જો કોઇપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર શારીરિક સજા આપવામાં આવશે તો તે શિક્ષક ઊપરાંત શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ તો જો કે બાળકો ભણતા નથી અને તોફાન કરી બીજા બાળકોને નુકસાન પહાચાડે છે તેમ કરીને ઘણીવાર કેટલાક શિક્ષકો દ્વારાબાળકોને માર મારવામાં આવતો જેથી બાળકો પર વિપરીત અસર થતી જાણવા મળી હતી ત્યારે કેટલાક શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થી ભણતો નથી અને તોફાન કરે છે કે પછી બીજા કોઇપણ કારણો જણાવીને શિક્ષકો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરી દેવામાં આવતો હતો ત્યારે ઘણીવાર એવું પણ થતું કે બાળકો ડરના કારણે શાળા છોડી દેતા અને શાળાએ જતા ડરતા હતા તો કયારેક બાળકોને કોઇ એવી જગ્યાએ વાગી જાય તો હંમેશા માટે તે બાળકને હેરાન થવું પડતું કે પછી બાળકને શિક્ષકોએ માર માર્યો હોય તે યાદ કરીને બીજા વિદ્યાર્થીઓ હેરાન પણ કરતા.

આમ આવી બધી અનેક ઘટનાઓ બહાર આવવાથી રાઇટ ટૂ એજયુકેશન હેઠળ રાજય સરકારે આગામી સત્રથી એવો નિર્ણય લીધો છે કે હવે જે પણ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક સજા કરવામાં આવશે તે શાળાના શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઊપરાંત તે શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Saturday, October 22, 2011

Ahmedabad Municipal Corporation 2011 - વાહનવેરાનાદરમાંવધારો કરવાનો નિર્ણય

સ્કુટર-દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકાનો વેરો વસુલાશે : ગત વર્ષે વેરાની આશરે ૧૯ કરોડની આવક

અ.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાહનવેરાના દરમાં વધારો કરવા નિર્ણય કરાયો છે.

આ બાબતે આજે મળેલી સ્ટેન્ડગકમિટીની બેઠકમાં વાહનો પર વર્તમાન દરના બદલે બેઝીક કમત ઊપર ટકાવારી મુજબ નવા વેરાની વસુલાત કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

આજીવન વાહન વેરામાં વધારાની દરખાસ્તને રાજય સરકાર સમક્ષ મંજુરી માટે મોકલાશે. જેમાં સ્કુટર-મોટર અને દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકા વેરો વસુલાશે.

જયારે ઓટોરિક્ષા, લોડગ રિક્ષા, મોટરકાર, ટ્રક- મોટી બસ વગેરેમાં ૧૧ ટકા લેખે વેરો વસુલાશે.

અગાઊ સ્કુટર-દ્વિચક્રી વાહનો પર ૧ હજાર રૂપિયા વેરો વસુલાતો હતો. જયારે જુના દર હેઠળ ઓટોરિક્ષામાં ૧૨૦૦, ટ્રક મીનીબસમાં ૮૦૦૦, મોટરકાર જીપમાં ૨૦૦૦ વેરો વસુલાતો હતો. દરમિયાન ૨૦૦૯-૧૦માં આજીવન વાહન વેરાની રૂ. ૧૯ કરોડ આવક પ્રાપ્ત થઈ હતી.

જયારે ૨૦૧૦-૧૧ માર્ચ માસ સુધી આશરે રૂા. ૨૫ કરોડની આવક મળી હતી. આમ હવે આગામી સમયમાં વાહન વેરાના દરમાં વધારો થતાં મ્યુનિ. કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.

Gujarat Education News India - આ વર્ષે ધો.૧૨ની ફેર પરીક્ષા

દર વર્ષ ફેર પરીક્ષા મોડી લેવાતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખાઓમાં એડમિશન લઇ શકતા નહોતા.

ધો.૧૨ બોર્ડની લેવાયેલી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી પાંચમાં મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યારે આ પરિણામમાં ફકત એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા માત્ર એક માસના ટૂંકા સમયગાળામાં જ લઇ લેવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

જેમાં એક જ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઇજનેરી કે ફાર્મસીમાં એડમિશન લઇ શકે.

ત્યારે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત આગામી ૧૨મી મેના રોજ કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનું આખું વર્ષ ન બગડે તે માટે માધ્યામિક-ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તથા સંયુકત પ્રવેશ સમિતિ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઊલ્લેખનીય છે કે ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૧૨મી મેના રોજ જાહેર થવાનું છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે કે અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થી કોઇ કારણોસર એકાદ વિષયમાં નાપાસ થઇ જતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે.

આમતો જોકે માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સનુંપરિણામ જૂનમાં જાહેર થાય છે. અને પૂરક પરીક્ષાનું ઓકટોમ્બરમાં લેવામાં આવતી હતી. ત્યારે આ પરિસ્થિતિમાં પાછળથી જે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થાય છે.

તેઓ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્સમાં જોડાઇ શકતા નથી અને વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ધો.૧૨ સાયન્સના પરિણામ જાહેર થવાના એક જ મહિનામાં ફેર પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.

અને તેનું પરિણામ એક જ સપ્તાહમાં જાહેર કરી દેવાશે જેથી વિદ્યાર્થી તે જ વર્ષમાં ઊચ્ચ અભ્યાસ માટેની
પ્રવેશ પ્રક્રિયામાં સામેલ થઇ શકે. ત્યારે ગત વર્ષે સ્વનિર્ભર ઇજનેરી કોલેજમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જગ્યાઓ ખાલી રહી હતી.

ત્યાર ચાલુ વર્ષે બોટાદ, વઢવાણ સહિત છ શહેરોમાં નવી ઇજનેરી કોલેજો ખુલવાની છે.

Indian Railway News 2011 - ટૂંક સમયમાં વેબ પોર્ટલ શરૂ કરવામાં આવશે

સીએજીની મંજૂરી મળતા પોર્ટલ શરૂ કરાશે જેનાથી ઇ ટિકિટ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ મુસાફરો લઇ શકશે.

રેલવે મુસાફરો ટૂંક સમયમા ંજ રેલવેના નવા વેબપોર્ટલથી ઇ-ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ લઇ શકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે દ્વારા વેબપોર્ટલથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધા શરૂ કરાશે.

રેલવેએ નવું વેબ પોર્ટલ તૈયાર કરી લીધું છે. આ પોર્ટલ માટે હાલમાં સીએજીની મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી મળતા જ મુસાફરો માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ પરથી ટિકિટ સિવાય રેલવે અંગેની તમામ માહિતીઓ મુસાફરોને મળી શકશે.

શરૂઆતમાં વેબ પોર્ટલ પરથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટગની સુવિધા શરૂ કરાશે. ત્યાર બાદ રિટાયરગ રૂમ અને કલોક રૂમનું બુકગ રેલવેની સંબંધિત તમામ કાર્યો આ પોર્ટલ ઊપર ઊપલબ્ધ થઇ શકશે.

હાલ ટિકિટગ બુકગ માટે લાંબી-લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે તો વળી ઘણી વાર તો ટિકિટ બુક પણ થઇ શકતી નથી. વેબપોર્ટલથી ઇટિકિટગ અને મોબાઇલ ટિકિટગ મેળવવી સહેલી રહેશે.

આ સુવિધા મુસાફરો માટે ઘણી લાભદાયી નીવડશે.

Ahmedabad Municipal Transport Corporation - હવે ઈ-ટિકિટ ઈશ્યૂ કરશે

૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.

પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.

જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.

કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.

આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.

જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.

અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.

Friday, October 21, 2011

Gujarat Economics News - નવી ર્સિવસ ઊપર ૧લી મેથી ર્સિવસ ટેકસનો અમલ કરાશ

કોચગ અને ટ્રેનગ સંસ્થાને પણ કરવેરા લાગુ પડશે.

કેન્દ્રના નાણા મંત્રાલયના બજેટમાં કાયદામાં તમામ નવી ર્સિવસ ઊપર ર્સિવસ ટેકસનો ઊમેરો કરવામાં આવશે. આ અંગેના નોટિફિકેશન જાહેર થઇ ચૂકયા છે. કોચગ અને ટ્રેનગ સંસ્થાઓ પણ કરવેરાની જાળમાં આવી જશે.

સેન્ટ્રલ બોર્ડ આૅફ એકસાઇઝ અન્ડ કસ્ટમ્સ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ કાયદા દ્વારા માન્ય ન હોય તેવા શોર્ટ ટર્મ કોર્સ ચલાવતી હોય તેવા પ્રકારના કોચગ કલાસે ર્સિવસટેકસ ભરવો પડશે.

આવી સંસ્થાઓએ હવે ર્સિવસટેકસના કાયદાની કલમ સેકશન-૬૬ મુજબ ૧૯૯૪ અન્વયે કરવેરાને પાત્ર છે.

યુનિર્વિસટી અને બોર્ડ માન્ય કોર્સ કોલેજ કે સ્કૂલ ચલાવતી હોય તેમને મુકિત અપાઇ છે. લાઇફ ઈન્સ્યૂરન્સના યુલિપ પ્લાનમાં બ્રેકઅપ મુજબ પ્રિમિયમના રિસ્કમાં કવર કરેલા રૂપિયા મુજબ તેના પર ૧૦.૩૦ ટકા અને બ્રેકઅપ કંપની ન આપતી હોય તો ગ્રોસ પ્રિમિયમના ૧.૫ ટકા ર્સિવસટેકસ ભરવાને પાત્ર બનશે. તમામ વેકેશનલ કોર્સ પર ર્સિવસટેકસ લાગુ કરાશે.

એકસપોર્ટ ર્સિવસ અને કરવેરા સલાહકારો કે જેઓ ભારતમાંથી વિદેશમાં સલાહ આપતા હોય છે તેમાં ર્સિવસ ટેકસ છે એટલે આવી સેવાઓ પાછી ખચી લેવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Wednesday, October 5, 2011

Amdavad Airport - ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઊપડશે

પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.

આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.