Monday, May 14, 2012

આંબેડકર જન્મજયંતી

આંબેડકર જન્મજયંતીના પ્રસંગે તા.૧૪મીએ નગરયાત્રા યોજાશે

આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે ઃ સાંજે ચાર વાગ્યે યાત્રા શરૂ થશે.

ડાૅ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૦મી જન્મયજંયતી નિમિત્તે સરસપુર ખાતેથી ૨૯મી સામુહિક નગરયાત્રા ૧૪મી એપ્રિલના રોજ યોજાશે. સામુહિક નગરયાત્રાના પ્રમુખ મંગલ સૂરજકરે જણાવ્યું હતું કે આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સરસપુરથી નીકળનારી આ યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે.

સુરજકરે વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રામાં ડાૅ. બાબા સાહેબ આંબેડક્રના તૈલચિત્રો ધરાવતી શણગારેલી ચાર બગીઓ, સાત ગજરાજો, ટેબ્લો, અસ્થિકુંભ ચૈતભૂમિ તેમજ બેન્ડવાઝાની ટીમો અને શણગારેલી ટ્રકો
જોડાશે. આ યાત્રા રખિયાલ થઇ સારંગપુર ખાતે ડાૅ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ ખાતે સભામાં ફેરવાશે. આ સભાના પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ  અર્જુન મોઢવાડિયા રહેશે. ચૌધરી શંકરસહ વાઘેલા, નરહરિ અમીન સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહેશે. દરમિયાન યાત્રામાં પ્રથમવાર ભીમરાવ ચાલીસાનું વિમોચન  કરવામાં આવશે. ઊપરાંત મહામાનવની જન્યજયંતિ નિમિત્તે ૨૦ કિલોની કેક કાપવામાં આવશે.
તા.૧૮થી ૨૫મીએ સરકારી કાર્યક્રમોમાં એસટી બસો બુક થતાં મુસાફરો નોમરો

એસટી બસ ઊપલબ્ધ નહિ હોવાથી ચતા હાલમાં દસ-બાર ધોરણની પરીક્ષા પૂર્ણ થઇ છે. તો વળી
પ્રાથમિક - માધ્યમિકની પરીક્ષા પણ પૂર્ણ થવાના આરે છે. એક તરફ વેકેશન અને લગ્ન ગાળો પણ શરૂ  થશે.

આવા સમયે જ એસટીની આવકમાં પણ નાધપાત્ર વધારો થશે. ત્યારે જ સરકારી કાર્યક્રમો પણ શરૂઆત એસટીના સત્તાધીશોની ચતામાં વધારો થવા લાગ્યો છે. આવા સમયે મુસાફરો માટે રૂટીન સંચાલન પણ ખોરવાઇ જાય છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા એસટીના સત્તાધીશો શું કરશે તેની ચતા તેઓને સતાવા લાગી છે.

આ દિવસો દરમ્યાન સરકારી કાર્યક્રમમાં રાજયની ૬૦૦ એસટી બસો રોકવામાં આવી છે. જેના કારણે ૧૦ હજાર રૂટો રદ થશ.

રાજયભરમાં ચાલુ માસ દરમિયાન અસંખ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર અનેક સ્થળોએ સરકારી યોજનાઓની સફળતા અનુસંધાનોના કાર્યક્રમો મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓની ઊપસ્થિતિમાં
યોજાનારા છે. ત્યારે આ કાર્યક્રમો માટે એસટીની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવી છે જેના કારણે ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન રાજયના મુસાફરોને એસટીમાં મુસાફરી કરવાનું ટાળવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવું બની શકે. આગામી ૧૮મી એપ્રિલે મોરબી ખાતે સરકારી કાર્યક્રમો યોજાશે. જેમાં રાજયના વિવિધ ડિવિઝનોની કુલ મળીને ૬૦૦ એસટી બસો રોકી લેવામાં આવશે. જેના કારણે એસટી નિગમના કુલ ૩૦૦૦ જેટલા રૂટોના છૂટકે રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે. તો બીજી બાજુ ૨૧મી એપ્રિલે લબડી ખાતે મુખ્યમંત્રીની હાજરી ભવ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ૬૦૦ જેટલી બસો રોકાી જશે. જેથી તેમાં  પણ ૩૦૦૦ જેટલા રૂટો કેન્સલ થશે. જયારે ૨૫મી તારીખે રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન છે. જેમાં સાત જિલ્લામાંથી અંદાજે એકાદ હજાર જેટલી એસટી બસો રોકાઇ જશે. ત્રણ કાર્યક્રમો દરમ્યાન
૨૨૦૦ જેટલી એસટી બસો રોકાઇ જશે જેના કારણે એસટીના લગભગ ૧૦ હજાર જેટલા રૂટો રદ કરવા પડશે. જેના કારણે ૧૮ થી ૨૧ અને ૨૫ દરમિયાન લાખો મુસાફરોને બસ સ્ટેશનોમાં રઝળવાનો વારો આવશે.

મ્યુનિ. દ્વારા સવા કરોડના ખર્ચે ૭ શૈક્ષણિક મોબાઈલવાન બનાવાશે

આધુનિક મોબાઈલ વાનમાં ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા બનાવાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સ્લમ વિસ્તારમાં સામાજિક સેવાઓ પૈકી શૈક્ષણિક સેવા શરૂ કરવા માટે ઝૂંપડપટ્ટીના જે બાળકો શાળાએ જતા જ નથી તેમને ભણાવવા માટે મ્યુનિ. દ્વારા મોબાઈલ શિક્ષણવાન તૈયાર કરાવવાના ઠરાવને મંજૂરી મળતા કુલ સાત વાન તમામ સુવિધા સભર રૂ. ૧.૨૫ કરોડમાં તૈયાર કરવાનો ઓર્ડર દત્ત મોટર બોડી બિલ્ડર્સને આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર સર્વે કરાયા બાદ ઝૂંપડપટ્ટીના સાત વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ સાત વિસ્તારોની ઝૂંપડપટ્ટીના બાળકો કે જે ક્યારેય શાળાએ જતા નથી તેમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા અંગે શિક્ષણ પૂરં પાડવાના હેતુથી રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સાત શૈક્ષણિક વાન તૈયાર કરવામાં આવશે.

આ વાનમાં એલસીડી કોમ્પ્યૂટર, ડીવીડી, જનરેટર સેટ, શિક્ષક માટે ટેબલ ખુરશી અને ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા ધરાવતી વાન તૈયાર કરવામાં આવશે. એક વાન રૂ. ૧૭.૯૦ લાખમાં તૈયાર થશે તેવું
જણાવવામાં આવ્યું હતું.

વધુમાં જણાવતા ચેરમેને કહ્યું કે ઝૂંપડપટ્ટીનો સર્વે કરાયા અનુસાર એક મોબાઈલ વાન નોબલનગર રેલ્વે ફાટક પાસે, ભૂતિયા બંગલો, શિવમંદિર સામેની વસાહતના બાળકોને ભણાવશે. બીજી વાન રામાપીરનો ટેકરો, ચંદ્રભાગાના ખાડામાં વાડજ ખાતે, ત્રીજીવાન વટવા કેનાલ પાસે, સૈયદવાડી, બોમ્બે હોટલ પાછળ, ચોથી વાન, વટવા બિ્રજ પાસે, ગોરનો કૂવો, નારોલ જૂની હાઈકોર્ટ પાસે, શાહવાડી પાછળનો સ્લમ વિસ્તાર અને શિંગરવા હાઉસિંગ વસાહત ખાતે, પાંચમીવાન લીલાનગર ઓઢવ ખાતે, છઠ્ઠીવાન રંગોળીનગર ઇસનપુર ખાતે જયારે સાતમીવાન ગણેશનગર પીપળજ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવશે. શૈક્ષણિક મોબાઈલવાનમાં વાનદીઠ બે શિક્ષકો ફાળવવામાં આવશે એટલે કે સાત વાન માટે કુલ ૧૪ શિક્ષકોની ફાળવણી મ્યુનિ. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. શૈક્ષણિક મોબાઈલવાન ડબલ શિફટમાં કામ કરશે તેવું જણાવતા કહ્યું કે પ્રથમ શિફટ સવારે ૭ થી ૧૨.૩૦ જયારે બીજી શિફટ ૧૨.૪૫ થી ૫ વાગ્યા સુધીની રહેશે. તમામ શૈક્ષણિકવાન જ્ઞાન સાથે ગમ્મત પીરસી જે બાળકો ક્યારેય શાળાએ જતા જ નથી તેમની રુચિ કેળવાય અને ઝૂંપડપટ્ટીમાં અકાળે મૂરઝાતા બાળકોને જ્ઞાનસભર કેળવાશે. તમામ મોબાઈલવાન અત્યાંધૂનિક સાધનો સભર બનાવવામાં આવી છે.