Monday, May 14, 2012

આંબેડકર જન્મજયંતી

આંબેડકર જન્મજયંતીના પ્રસંગે તા.૧૪મીએ નગરયાત્રા યોજાશે

આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે ઃ સાંજે ચાર વાગ્યે યાત્રા શરૂ થશે.

ડાૅ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૦મી જન્મયજંયતી નિમિત્તે સરસપુર ખાતેથી ૨૯મી સામુહિક નગરયાત્રા ૧૪મી એપ્રિલના રોજ યોજાશે. સામુહિક નગરયાત્રાના પ્રમુખ મંગલ સૂરજકરે જણાવ્યું હતું કે આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સરસપુરથી નીકળનારી આ યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે.

સુરજકરે વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રામાં ડાૅ. બાબા સાહેબ આંબેડક્રના તૈલચિત્રો ધરાવતી શણગારેલી ચાર બગીઓ, સાત ગજરાજો, ટેબ્લો, અસ્થિકુંભ ચૈતભૂમિ તેમજ બેન્ડવાઝાની ટીમો અને શણગારેલી ટ્રકો
જોડાશે. આ યાત્રા રખિયાલ થઇ સારંગપુર ખાતે ડાૅ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ ખાતે સભામાં ફેરવાશે. આ સભાના પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ  અર્જુન મોઢવાડિયા રહેશે. ચૌધરી શંકરસહ વાઘેલા, નરહરિ અમીન સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહેશે. દરમિયાન યાત્રામાં પ્રથમવાર ભીમરાવ ચાલીસાનું વિમોચન  કરવામાં આવશે. ઊપરાંત મહામાનવની જન્યજયંતિ નિમિત્તે ૨૦ કિલોની કેક કાપવામાં આવશે.
તા.૧૮થી ૨૫મીએ સરકારી કાર્યક્રમોમાં એસટી બસો બુક થતાં મુસાફરો નોમરો

એસટી બસ ઊપલબ્ધ નહિ હોવાથી ચતા હાલમાં દસ-બાર ધોરણની પરીક્ષા પૂર્ણ થઇ છે. તો વળી
પ્રાથમિક - માધ્યમિકની પરીક્ષા પણ પૂર્ણ થવાના આરે છે. એક તરફ વેકેશન અને લગ્ન ગાળો પણ શરૂ  થશે.

આવા સમયે જ એસટીની આવકમાં પણ નાધપાત્ર વધારો થશે. ત્યારે જ સરકારી કાર્યક્રમો પણ શરૂઆત એસટીના સત્તાધીશોની ચતામાં વધારો થવા લાગ્યો છે. આવા સમયે મુસાફરો માટે રૂટીન સંચાલન પણ ખોરવાઇ જાય છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા એસટીના સત્તાધીશો શું કરશે તેની ચતા તેઓને સતાવા લાગી છે.

આ દિવસો દરમ્યાન સરકારી કાર્યક્રમમાં રાજયની ૬૦૦ એસટી બસો રોકવામાં આવી છે. જેના કારણે ૧૦ હજાર રૂટો રદ થશ.

રાજયભરમાં ચાલુ માસ દરમિયાન અસંખ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર અનેક સ્થળોએ સરકારી યોજનાઓની સફળતા અનુસંધાનોના કાર્યક્રમો મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓની ઊપસ્થિતિમાં
યોજાનારા છે. ત્યારે આ કાર્યક્રમો માટે એસટીની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવી છે જેના કારણે ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન રાજયના મુસાફરોને એસટીમાં મુસાફરી કરવાનું ટાળવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવું બની શકે. આગામી ૧૮મી એપ્રિલે મોરબી ખાતે સરકારી કાર્યક્રમો યોજાશે. જેમાં રાજયના વિવિધ ડિવિઝનોની કુલ મળીને ૬૦૦ એસટી બસો રોકી લેવામાં આવશે. જેના કારણે એસટી નિગમના કુલ ૩૦૦૦ જેટલા રૂટોના છૂટકે રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે. તો બીજી બાજુ ૨૧મી એપ્રિલે લબડી ખાતે મુખ્યમંત્રીની હાજરી ભવ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ૬૦૦ જેટલી બસો રોકાી જશે. જેથી તેમાં  પણ ૩૦૦૦ જેટલા રૂટો કેન્સલ થશે. જયારે ૨૫મી તારીખે રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન છે. જેમાં સાત જિલ્લામાંથી અંદાજે એકાદ હજાર જેટલી એસટી બસો રોકાઇ જશે. ત્રણ કાર્યક્રમો દરમ્યાન
૨૨૦૦ જેટલી એસટી બસો રોકાઇ જશે જેના કારણે એસટીના લગભગ ૧૦ હજાર જેટલા રૂટો રદ કરવા પડશે. જેના કારણે ૧૮ થી ૨૧ અને ૨૫ દરમિયાન લાખો મુસાફરોને બસ સ્ટેશનોમાં રઝળવાનો વારો આવશે.

મ્યુનિ. દ્વારા સવા કરોડના ખર્ચે ૭ શૈક્ષણિક મોબાઈલવાન બનાવાશે

આધુનિક મોબાઈલ વાનમાં ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા બનાવાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સ્લમ વિસ્તારમાં સામાજિક સેવાઓ પૈકી શૈક્ષણિક સેવા શરૂ કરવા માટે ઝૂંપડપટ્ટીના જે બાળકો શાળાએ જતા જ નથી તેમને ભણાવવા માટે મ્યુનિ. દ્વારા મોબાઈલ શિક્ષણવાન તૈયાર કરાવવાના ઠરાવને મંજૂરી મળતા કુલ સાત વાન તમામ સુવિધા સભર રૂ. ૧.૨૫ કરોડમાં તૈયાર કરવાનો ઓર્ડર દત્ત મોટર બોડી બિલ્ડર્સને આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર સર્વે કરાયા બાદ ઝૂંપડપટ્ટીના સાત વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ સાત વિસ્તારોની ઝૂંપડપટ્ટીના બાળકો કે જે ક્યારેય શાળાએ જતા નથી તેમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા અંગે શિક્ષણ પૂરં પાડવાના હેતુથી રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સાત શૈક્ષણિક વાન તૈયાર કરવામાં આવશે.

આ વાનમાં એલસીડી કોમ્પ્યૂટર, ડીવીડી, જનરેટર સેટ, શિક્ષક માટે ટેબલ ખુરશી અને ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા ધરાવતી વાન તૈયાર કરવામાં આવશે. એક વાન રૂ. ૧૭.૯૦ લાખમાં તૈયાર થશે તેવું
જણાવવામાં આવ્યું હતું.

વધુમાં જણાવતા ચેરમેને કહ્યું કે ઝૂંપડપટ્ટીનો સર્વે કરાયા અનુસાર એક મોબાઈલ વાન નોબલનગર રેલ્વે ફાટક પાસે, ભૂતિયા બંગલો, શિવમંદિર સામેની વસાહતના બાળકોને ભણાવશે. બીજી વાન રામાપીરનો ટેકરો, ચંદ્રભાગાના ખાડામાં વાડજ ખાતે, ત્રીજીવાન વટવા કેનાલ પાસે, સૈયદવાડી, બોમ્બે હોટલ પાછળ, ચોથી વાન, વટવા બિ્રજ પાસે, ગોરનો કૂવો, નારોલ જૂની હાઈકોર્ટ પાસે, શાહવાડી પાછળનો સ્લમ વિસ્તાર અને શિંગરવા હાઉસિંગ વસાહત ખાતે, પાંચમીવાન લીલાનગર ઓઢવ ખાતે, છઠ્ઠીવાન રંગોળીનગર ઇસનપુર ખાતે જયારે સાતમીવાન ગણેશનગર પીપળજ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવશે. શૈક્ષણિક મોબાઈલવાનમાં વાનદીઠ બે શિક્ષકો ફાળવવામાં આવશે એટલે કે સાત વાન માટે કુલ ૧૪ શિક્ષકોની ફાળવણી મ્યુનિ. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. શૈક્ષણિક મોબાઈલવાન ડબલ શિફટમાં કામ કરશે તેવું જણાવતા કહ્યું કે પ્રથમ શિફટ સવારે ૭ થી ૧૨.૩૦ જયારે બીજી શિફટ ૧૨.૪૫ થી ૫ વાગ્યા સુધીની રહેશે. તમામ શૈક્ષણિકવાન જ્ઞાન સાથે ગમ્મત પીરસી જે બાળકો ક્યારેય શાળાએ જતા જ નથી તેમની રુચિ કેળવાય અને ઝૂંપડપટ્ટીમાં અકાળે મૂરઝાતા બાળકોને જ્ઞાનસભર કેળવાશે. તમામ મોબાઈલવાન અત્યાંધૂનિક સાધનો સભર બનાવવામાં આવી છે.

મોબાઈલ રોમિંગ ચાર્જ નાબૂદ કરાશે

ટેલિકોમ નીતિ ૨૦૧૧ના મુસદ્દામાં મોબાઈલ ફોન કંપનીઓ માટે વન નેશન લાઈસન્સની સિસ્ટમનો અમલ
કરવાની અને રોમિંગ ચાર્જને નાબૂદ કરવાની દરખાસ્ત છે.

જો કે નીતિના મુસદ્દામાં આ દરખાસ્તનો ક્યારે અમલ કરાશે તે વિશે સ્પષ્ટતા નથી. નવી નીતિ દાયકા જૂની હાલની ટેલિકોમ નીતિનું સ્થાન લેશે. ભારતની અંદર પ્રવાસ કરતી વખતે ફોન યુઝર્સ દ્વારા ચુકવવામાં આવતા
રોમિંગ ચાર્જ નાબૂદ કરવામાં આવે તેવી ધારણા છે.

તેનાથી વારંવાર બીજા રાજયોમાં મુસાફરી કરતા ગ્રાહકોના માસિક મોબાઈલ બિલમાં ઘટાડો થશે, પરંતુ ટેલિકોમ કંપનીઓની આવકને ફટકો પડશે. અમેરિકા સહિતના
મોટાભાગના દેશોમાં ડોમેસ્ટિક રોમિંગની સિસ્ટમ નથી. ભારતને ૨૩ ટેલિકોમ સર્કલમાં વિભાજિત્ કરવામાં આવેલું છે અને ગ્રાહક તેના સર્કલની બહાર ફોનનો ઉપયોગ કરે ત્યારે રોમિંગ ચાર્જ ચૂકવવો પડે છે.

હાલની એમએનપી સુવિધા ટેલિકોમ સર્કલ પૂરતી મર્યાદિત છે. નવીનીતિમાં મોબાઈલ નંબર માટે હોમબેઝ
બદલવાની મોબાઈલ યુઝર્સને છૂટ મળશે અને તેનો આગામી વર્ષથી અમલ થશે. આ દરખાસ્તો અને ખાસ કરીને રોમિંગ ચાર્જ સંબંધિત દરખાસ્તોનો ટેલિકોમ કંપનીઓ વિરોધ કરે તેવી ધારણા છે કારણ કે રોમિંગ ચાર્જને કારણે મોબાઈલ કંપનીઓને આશરે રૂ. ૧૩,૦૦૦ થી ૧૪,૦૦૦ કરોડની આવક કુલ આવકમાંથી ૧૦ ટકા આવક થાય છે. હાલના નિયમ મુજબ મોબાઈલ ફોન કંપની રોમિંગ દરમિયાન લોકલ કોલ મિનિટ દીઠ રૂ. ૧.૪૦નો ચાર્જ અને એસ.ટી.ડીના કોલ કિસ્સામાં તમામ આઉટગોઈંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૨.૪૦ અને ઇનકમિંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૧.૭૫નો ચાર્જ વસૂલ કરી શકે છે.

બીજ મસાલા પાકના ઊત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન

ભારતમાં વવાતા અને ઊત્પાદન થતા મસાલા પાકોમાં ગુજરાતનો હિસ્સો ૨૦ ટકાથી ય વિશેષ છે.

મસાલા પાકો પૈકી જીરં, વરિયાળી, ધાણા, મેથી, અજમો, સુવા જેવી બીજા મસાલાના ઊત્પાદનમાં અને નિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. જો કે ગુજરાતમાં ઊત્પાદન થતા મસાલામાં સૌરાષ્ટ્રનો હિસ્સો ૫૦ ટકાથીય વધુ થાય છે.

દેશમાં ઊત્પન્ન થતા જીરં, વરિયાળી, સુવા અને અજમાના કુલ ઊત્પાદનના અનુક્રમે ૬૧, ૯૦, ૭૦ અને ૬૫ ટકા ઊત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત જીરં અને વરિયાળીની ઊત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં સૌથી અગ્રેસર છે એટલું જ નહિ ગુજરાતમાં પાકતા મસાલાની ગુણવત્તા પણ ખૂબજ ઊંચી રહી છે. આથી તેની નિકાસમાં ગુજરાતનો હિસ્સો નાધપાત્ર રહ્યો છે. આમ તો ભારતને મસાલા પાકોનું ઘર ગણવામાં આવે છે. પણ મસાલા ઊત્પાદનમાં ગુજરાત મોખરાના સ્થાને રહ્યું છે.

માણસામાં પક્ષીઓ માટે મફત ‘પરબ’નું વિતરણ

શહેરના વિકાસમાં વાક્ષોના થઇ રહેલા આડેધડ છેદનથી પક્ષીઓના આશ્રય સ્થાનો નષ્ટ થઇ રહ્યા છે. સાથે સાથે પર્યાવરણને થઇ રહેલા પારાવાર નુકસાનથી પક્ષીઓનું અસ્તિત્વ પણ જોખમાઇ રહ્યું છે. ત્યારે માણસા ગામના માનવીની માનવતા મહકી ઉઠતા બળબળતા ઊનાળામાં અબોલ પક્ષીઓને પીવાના પાણી સગવડ રૂપે કુંડાનું(પરબનું) મફત વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

ઓબામા મિશેલની આવકમાં બે તાતિયાંશનો ભારે ઘટાડો

વર્ષ ૨૦૦૯માં ૫૫ લાખ ડોલરની આવક હતી જે ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઇ છતાં ઓબામા કરોડપતિ.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્નિ મિશેલ ઓબામાની આવકમાં એક વર્ષમાં બે તાૃતિયાશનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૯માં તેમની આવક ૫૫ લાખ ડોલર હતી. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઈ ગઈ છે. વ્હાઈટ હાઊસના પ્રેસ સચિવ જે. વર્ષ ૨૦૧૦માં ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાના અંતિમ દિવસે ઓબામા અને મિશેલે પોતાના રિટર્ન એક સાથે ભર્યા હતા. રિટર્ન મુજબ તેમની આવક ૭૨૮૦૯૬ ડોલર છે. તેમણે કહ્યું હતું કે પરિવારની આવક મોટા ભાગે તેમના પુસ્તકના વેચાણથી આવી છે.

ઓબામાએ ફેડરલ ટેકસરૂપે કુલ ૪૫૩૭૭૦ ડોલરની ચુકવણી કરી છે. ઊપલબ્ધ જાણકારી મુજબ ઓબામા પરિવારની કુલ આવક નો ૧૪.૨ ટકા હિસ્સો એટલે કે ૨૪૫૦૭૫ ડોલરની રકમ જુદી જુદી ૩૬ ર્ધાિમક સંસ્તાઓને આપી દીધી છે.

ઓબામા મિશેલની આવકમાં બે તાતિયાંશનો ભારે ઘટાડો

વર્ષ ૨૦૦૯માં ૫૫ લાખ ડોલરની આવક હતી જે ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઇ છતાં ઓબામા કરોડપતિ.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્નિ મિશેલ ઓબામાની આવકમાં એક વર્ષમાં બે તાૃતિયાશનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૯માં તેમની આવક ૫૫ લાખ ડોલર હતી. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઈ ગઈ છે. વ્હાઈટ હાઊસના પ્રેસ સચિવ જે. વર્ષ ૨૦૧૦માં ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાના અંતિમ દિવસે ઓબામા અને મિશેલે પોતાના રિટર્ન એક સાથે ભર્યા હતા. રિટર્ન મુજબ તેમની આવક ૭૨૮૦૯૬ ડોલર છે. તેમણે કહ્યું હતું કે પરિવારની આવક મોટા ભાગે તેમના પુસ્તકના વેચાણથી આવી છે.

ઓબામાએ ફેડરલ ટેકસરૂપે કુલ ૪૫૩૭૭૦ ડોલરની ચુકવણી કરી છે. ઊપલબ્ધ જાણકારી મુજબ ઓબામા પરિવારની કુલ આવક નો ૧૪.૨ ટકા હિસ્સો એટલે કે ૨૪૫૦૭૫ ડોલરની રકમ જુદી જુદી ૩૬ ર્ધાિમક સંસ્તાઓને આપી દીધી છે.

Sunday, May 13, 2012

કાગીનેતાઓએ સ્વ.કેશવલાલ પટેલનેશ્રદ્ધાંજલિઅર્પણકરી

સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો.

અખિલ ભારતીય કાગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહેમદ પટેલે ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન સ્વ. શેઠ કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો. તેઓ હંમેશાં સામાજીક પ્રવિત્તિ ક્ષેત્રે નાતિ-જાતિના ભેદભાવ વિના કામગીરી કરતાં હતાં.

તેમના અવસાનથી પાટીદાર સમાજે જ નહ પરંતુ સમગ્ર ગુજરાતે એક સામાજિક લોકસેવક ગુમાવ્યો છે.

ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે ગઇ કાલે ઊંઝા જઇને સ્વ. કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલના માૃતદેહ ઊપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું
હતું કે સ્વ. કેશવલાલ પટેલે સમાજમાંથી કુરીવાજ દૂર કરવાનું, શિક્ષણને મહત્વ આપવાનું કામ કરીને સામાજિક
ઊત્થાનના કામમાં મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કોમ- કોમ વચ્ચેની એકતા માટે પણ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. તેમના જવાથી ગુજરાતે એક નિષ્ઠાવાન સમાજિક આગેવાન ગુમાવ્યા છે.

Saturday, May 12, 2012

બીએડ ના વિદ્યાર્થીઓએ તમામ વિષયનીપરીક્ષાનહઆપવીપડે

ગુજરાત યુનિ.એ અગાઊના નિર્ણયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપી.

ગુજરાત યુનિર્વિસટી સાથેસંકળાયેલી બી.એડ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી સપ્તાહથી શરૂ થઇ છે. અગાઊ બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયોની પરીક્ષા ફરજિયાત આપવાની રહેતી હતી. આ નિયમના આધારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયની પરીક્ષા આપવા
માટેના ફોર્મ પણ ભરી દીધા હતા. આશ્ચર્યની વાત એ કે ફોર્મ ભર્યા બાદ અચાનક વિદ્યાર્થીને જે વિષયમાં ૪૫ કરતાં વધુ ગુણ હોય તે પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં વિદ્યાર્થીઓને
અપાયેલી હોલ ટિકિટમાં પણ આ પ્રકારે જ સૂચના આપવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. યુનિ.સાથે સંકળાયેલી ૯૦ ઊપરાંત કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ નાપાસ
થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા ફરજીયાત આપવાની હોય છે. ગતવર્ષની પરીક્ષામાં બે કે ત્રણ વિષય અથવા તો વધુમાં નાપાસ થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા.

જોકે, અચાનક યુનિર્વિસટી દ્વારા બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓને જે તે વિષયમાં ૪૫ થી વધુ ગુણ હોય તેમને તે વિષયની પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય કરી દીધોહતો. યુનિર્વિસટીએ કરેલાં નિર્ણયની જાણ વિદ્યાર્થીઓને હજુ સુધી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ એ તમામ વિષયોની પરીક્ષા પવાની છે. તે પ્રમાણે જ તૈયારી કરી રહ્યા છે. હોલ ટિકિટ વિદ્યાર્થીઓના હાથમાં આવતાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. જે વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ કરવાનો છે. અને તમામ વિષયની પરીક્ષા આપવા ઇચ્છતાં હોય તેઓએ રજિયાત હવે ૪૫થી ઓછા ગુણ હોય તેટલા જ વિષયોની પરીક્ષા આપવી પડે.

Friday, May 11, 2012

ગાંધીનગરના મેયર તરીકેપ્રથમ અઢી વર્ષપુરુષ અનેબીજીટર્મમાંમહિલા

ચૂંટણી લડી રહેલા કેટલાક ઊમેદવારોને મેયર તરીકેના હુલામણા નામથી સંબોધાય છ.

ગાંધીનગરને કોર્પોરેશન વિસ્તાર તરીકે દરજજો આપ્યા બાદ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી હોઇ ઊત્તેજના વધી છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયરની બેઠક અઢી વર્ષ માટે સામાન્ય અને બીજા અઢી વર્ષ
માટે મહિલા અનામત રહેશે આ અંગેની વિધિવત દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાઇ રહી છે. જો કે મેયરની ખુરશી અત્યારથી જ રાજકીય પક્ષોના દાવેદારોની મીટ મંડાઇ છે.

કોર્પોરેશનના મેયરની બેઠકના રોટેશન અંગેની દરખાસ્ત બાદ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજયની રાજધાની ગાંધીનગરની કોર્પોરેશનની મેયરની ખુરશી ચૂંટણી પહેલા જ ચર્ચામાં આવી છે. કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે કેટલાક નામો
ચર્ચામાં છે. જયારે કેટલાક ચૂંટણી લડી રહેલા ઊમેદવારોને અત્યારથી જ મેયર તરીકેના હુલામણા નામોથી સંબોધાઇ રહ્યા છે. પાટનગરની સ્થાપના બાદ ના ચાર દાયકા પછી કોર્પોરેશન મળતા આ મહત્વની જગ્યા માટે ચૂંટણી જીતવા ઊમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પાટનગરના પ્રથમ મેયરની બેઠક સામાન્ય
રહેશે. જયારે બીજીટર્મમાં મહિલા અનામત તરીકે મેયરનીપસંદગી કરાશે જોકે પ્રથમ મેયર તરીકે પુરુષ ઊમેદવારની પસંદગી કરાય તેવી ધારણા વ્યકત કરાઇ રહી છે. કોર્પોરેશનની અગિયાર મહિલા બેઠક પર ત્રીસથી પણ વધુ મહિલા ઊમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જોકે મેયરના નામની પસંદગી પાર્ટીના સુપ્રીમો નક્કી
કરશે. અત્રે ઊલ્લેખનિય છે કે, થોડા વર્ષો અગાઊ ગુજરાત વિધાન સભાએ પસાર કરેલા ઠરાવ મુજબરાજયની તમામ ૭ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકોઓમાં પુરુષ અને મહિલા મેયર માટે અઢી અઢી વર્ષ ળવવામાં આવ્યા છે.

મ્યુનિ.પાતળીપ્લાસ્ટિકનીબેગોના ઊત્પાદન-વેચાણપરપ્રતિબંધમૂકશે

૧૫૦ જેટલી હોટલરેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી.

અમદા વાદ મ્યુનિ. કોર્પોએ ૪૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ અને ઝભલાના ઊત્પાદન અને વેચાણ પર રતિબંધ કવા કાર્યવાહી શરૂ કરી છે. જે સંદર્ભે કોર્પોરેશને દરોડાની કાર્યવાહી શરૂ કરવા એકશન પ્લાન બનાવશે. કંપોઝિટ પ્લાસ્ટિક અને રિ-સાઇકલગ દ્વારા બનતી ૪૦ માઇકોન કરતાં પાતળી બેગો ઊપર પણ પ્રતિબંધ મૂકાશે. ગુટકાના પાઊચ વેચનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિ. હેલ્થ
કમિટિના ચેરમેન ડો. સુરેશ પટેલે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ અંગેનું જાહેરનામું ગયા ફેબ્રુઆરીમાં બહાર પડી ગયું છે. પણ મ્યુનિ. કોર્પો. દ્વારા પ્લાસ્ટિકની બેગોના વપરાશમાં ચુસ્ત નિયમોનું પાલન કરાશે. જેમાં જીપીસીસીની પણ મદદ લઇને ૪૦ માઇક્રોનથી પાતળી બેગોનું ઊત્પાદન કરતી ફેકટરીઓને સીલ મારવામાં
આવશે. શહેરના છ ઝોનમાં યાદી બનાવવામાં આવી છે. હેલ્થ ખાતા દ્વારા બી.યુ. પરમિશન ન હોય તેવી જગ્યાએ વર્ષોથી ચાલતી હોટલો-રેસ્ટોરન્ટ અંગે કાનૂની માર્ગદર્શન લઇ ટૂંક સમયમાં નિતિ જાહેર કરવામાં
આવશે. બી.યુ. પરમિશન હોય તેવી મિલ્કતોમાં ચાલતી હોટલ રેસ્ટોરન્ટ દ્વારા હેલ્થ લાઇસન્સ ન લીધા હોય તેવી ૧૫૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Thursday, May 10, 2012

શું આપનું બાળક ઇન્ટરનેટ પર સમય વેડફે છે?

આજના ઝડપી યુગમાં કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના અશક્ય બનતી જાય છે. આંગળીના ટેરવે ક્લિક કરતાં આંખ સામે સમગ્ર માહિતી સ્પષ્ટ જાણી શકવાની સુવિધાનો વ્યાપ વધતો ચાલ્યો છે. બાળકોથી માંડીને દરેક વર્ગના લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ આશીર્વાદરુપ બન્યો છે. પરંતુ ઇન્ટરનેટના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે. આજે ઇન્ટરનેટની માયાજાળમાં આખું વિશ્વ ગૂંચવાયેલું છે. આપણા જીવનને સરળ ને ચોક્સાઇભર્યું બનાવવા માટે ઇન્ટરનેટ ઉપયોગી બન્યું છે. બાળકોને શિક્ષણ માટે સ્કૂલ ને કોલેજોમાં પણ કોમ્પ્યુટરના વિષયને ફરજિયાત વિષય તરીકે માન્ય રખાયું છે ત્યારે બાળકો આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરે તે વાજબી ગણાય પરંતુ આજની જનરેશન પર તેનો સજજડ પ્રભાવ જોઇ શકાય છે. ૮ થી ૧૦ વર્ષના બાળકો ઇન્ટરનેટ પર ગેમ રમતા થઇ ગયા છે. તો કેટલાક બાળકો તો મેઇલ્સ કે ચેટીંગ પણ કરતાં હોય છે!જેના કારણે તેઓ ભણવામાં ઓછું ધ્યાન આપતા હોય છે અને જયારે સમય મળે ત્યારે કોમ્પ્યુટર સામે આંખો ચીપકાવીને બેસી રહેતા હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર દેશમાં ઇન્ટરનેટ પર સર્ફીંગ કરનારા ૧૦૦ ટકા બાળકોમાંથી ૭૭ ટકા બાળકોનો અનુભવ નકારાત્મક જોવા મળ્યો હતો.એટલે કે ૭૭ ટકા બાળકો ઇન્ટરનેટ પર પોતાનો અમૂલ્ય સમય ખોટી માહિતી મેળવવા કે સમય પસાર કરવામાં કાઢે છે! આવનારા વર્ષોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધશે એમાં કોઇ જ બેમત નથી પરંતુ મુશ્કેલી એ વાતની છે કે ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ્સ એવી હોય છે કે જે બાળકોને ભ્રમિત કરી શકે છે ને તેના કારણે બાળકો ખોટા માર્ગે પણ જઇ શકે છે ને આવી વેબસાઇટ પર નિયંત્રણ રાખી શકાતું હોતું નથી. નાના બાળકોમાં સૌથી લોકપ્રિય વેબસાઇટ્સ તરીકે પેન્ગ્વીન, સ્ટારડોલ વગેરે છે. આ તમામ સાઇટ્સ કોર્મિશયલ છે જેનો ઉપયોગ બાળકો જોશથી કરે છેપરંતુ તેના પૈસા ચૂકવવા પડતા હોય છે.ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે બાળકોને આ વેબસાઇટ પર મનોરંજનનો ખજાનો મળી રહેતો હોય તો તેઓ તેના બંધાણી બની જતા હોય છે.

Wednesday, May 9, 2012

ઊનાળામાં કોટનની સાથેસાથે ખાદીના કપડાની ડિમાન્ડવધી

ફેશન ગણાતી ખાદી ઊનાળામાં સ્ટેટસની સાથે જરૂરિયાત બની.

ઢાલગરવાડમાં ખાદીમાં કુર્તા ૨૦૦થી લઇને ૫૦૦ થી વધુના મળે છે જયારે ડ્રેસ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધીમાં
તો ઝભ્ભા, શર્ટની કમત પણ વધીને ૨૦૦ થી ૧૦૦૦ થઇ યુવાનોમાં કોટન ખાદીનો વધુ ક્રેઝ.

ઊનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સાથે જ ઊનાળામાં ગરમીથી બચવા માટેના પણ લોકો નુસખા અપનાવતા થઇ ગયા છે. ગરમીથી બચવા કોટન કપડાનો ઊપયોગ વધુ થાય છે. પરંતુ આજકાલ વાનોથી લઇને ઢળતી ઉંમર સુધીના લોકોમાં પણ ખાદીનો વપરાશ વધ્યો છે.

સામાન્ય રીતે ખાદી એટલે નેતાઓથી પસંદ ગણાતી પરંતુ હવે બદલાતા સમય સાથે ખાદીની માંગ વધી રહી છે. તો સાથે-સાથે ખાદી વણતા વણકરો પણ અવનવી વેરાયટીઓ બજારમાં મૂકી રહ્યા છે. માત્ર શોખ માટે પહેરાતી ખાદી હવે યુવાનોમાં ગરમીથી બચવા માટેનું સાધન બની ગયું છે. તો સાથે સાથે ખાદીના કાપડનો વ
અને તૈયાર ખાદીના કપડાનો ભાવ ઊનાળો આવતા જ વધી જાય છે. ખાદી ગ્રામ ઊદ્યોગમાં તો બારેમાસ
ખાદીના ઝભ્ભા, શર્ટ વગેરે મળે છે.

પરંતુ હવે કાપડ બજારમાં ઊનાળો આવતા ખાદીની બોલબાલા વધી છે. શહેરનું હાર્દ ગણાતું લાલદરવાજા, ઢાલગરવાડ જેવા વિસ્તારમાં ખાદીના કાપડની બોલબાલા વધી છે. તો વળી તૈયાર કપડામાં પણ આ
વિસ્તારમાં અનેક વેરાયટીઓ ઊપલબ્ધ છે. પરંતુ ભાવમાં ચોક્કસ વધારો થયો છે. આ સંદર્ભે ખાદીના કૂર્તા-શર્ટ
અને ઝભ્ભાનું વેચાણ કરતા અનીશભાઇ જણાવે છે કે પહેલા ઊનાળામાં માત્ર કોટનના કપડા જ વધુ વેચાતા તા
પરંતુ છેલ્લાં ઘણા સમયથી ખાદીની ફેશનયુવાનોમાં વધી છે. જેના કારણે કોલેજ ગર્લ કૂર્તી, ડ્રેસ અને યુવાનો ઝભ્ભા શર્ટ વગેરે લઇ જાય છે. કોટનની કુર્તીઓ ૧૫૦ થી ૩૦૦માં મળે છે. જયારે ખાદીની ર્કાૃિતઓ ૨૦૦ રૂપિયાથી થરૂ થઇ ૪૦૦,૫૦૦ જેવી પસંદ તેવી મળે છે. કોલેજિયન યુવતીઓ આ ર્કાૃિતઓની ખરીદી વધુ કરે છે. જયારે નોકરિયાત યુવતીઓ અને મહિલાઓ પહેલા કોટન કાપડના કપડા ખરીદતી હતી જે હવે ખાદીના ડ્રેસ
ખરીદે છે. જેના ભાવ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધી ના હોય છે. તો વળી યુવાનો પણ ફેશનમાં પાછળ નથી તે
પણ ઝભ્ભા-શર્ટ માટે થઇને ૨૦૦થી ૧૦૦૦ ખર્ચી નાંખે છે કારણકે ઊનાળામાં ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ ગરમીથી બચવા માટેનું સાધન પણ ગણાય છે. પહેલા માત્ર ખાદી મળતી હતી પરંતુ હવે ખાદીના કાપડ ઊપર પણ અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. જેનો ભાવ પણ આસમાને હોય છે છતાં જેને કંઇક અલગ પહેરવાનો શોખ હોય છે અને ગરમીમાં વધુ ફરવાનું હોય તે લોકો વેરાયટી ખરીદી જ લે છે. ખાદી પર એમ્બ્રોડરી કરીને પણ વેચવામાં આવે છે.

ખાદીના કાપડનું પણ ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. સારૂ કાપડ ૧૦૦ થી ૧૧૦માં મળે છે અને જેમ જેમ પસંદગી ઊંચી તેમ - તેમ ભાવ વધતા જાય છે. પરંતુ માત્ર ઊનાળા પૂરતી જ ખાદી પહેરવાના શોખીન લોકો ઓછા ભાવની ખાદી સહેલાઇથી ખરીદી લે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે હવે ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ જરૂરિયાત અને સ્ટેટસ પણ બની ગઇ છે. ગ્રામણી વણકરોને ખાદી માટે ખાસ ટ્રેનગ અપાય છે.

પહેલા ખાદી માત્ર સફેદ કલરની જ બનતી પરંતુ હવે ગ્રામીણ કક્ષાએ વણકરોને ટ્રેનગ અપાય છે. અને ખાસ
યંગ જનરેશનને ધ્યાનમાં રાખી ડિઝાઇન બનાવાય છે. ગામડાના વણકરોને ખાદીમાં નવી ડિઝાઇન અને કલર્સ અંગે ટ્રેનગ આપીને બ્રાન્ડેડ ગારમેન્ટસનું ઊત્પાદન કરવામાં આવે છે. ઊનાળા માટે કમ્ફર્ટેબલ રહેતી ખાદીમાં હવે દરેક કલર અને વેરાયટી જોવા મળે છે.

Saturday, May 5, 2012

પશ્ચિમમાં રગરોડને જોડતા તમામ માર્ગો બિસ્માર છતાં તંત્ર બેપરવાહ

મ્યુનિ. તંત્રની બેદકારીના કારણે પ્રતિદિન હેરાન થતાં લાખ્ખો લોકો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓએ સત્તાનો દોર પુનઃ સંભાળ્યા બાદ ખાસ કરીને શહેરના પશ્ચિમના નાગરિકોની હેરાનગતિ વધવા પામી છે. તેમાં પણ ખાસ કરીને રગરોડને
સાંકળતા તમામ માર્ગો અત્યંત બિસ્માર બની ચૂકયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા પ્રતિદિન લાખ્ખો લોકો ભારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ખુદ પશ્ચિમ વિસ્તારના છે. તેમ છતાં આ સ્થિતિમાં કોઈ સુધારો નહિ થતો હોવાની ફરિયાદ વ્યાપક છે. ખાસ કરીને એસ.જી. હાઈવેથી બોપલ તરફ જવા
માટેનો ઈસ્કોનથી આમલી થઈને બોપલ જતો માર્ગ છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રકારના ખોદકામોના કારણે ઠેર ઠેરથી ડાયવર્ઝનથી ભરેલો છે.

જેના કારણે પ્રતિદિન આ માર્ગ ઊપર અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. તેવી જ રીતે રાજપથ કલબની બાજુમાંથી પસાર થતા માર્ગની પણ છેલ્લા બે વર્ષથી આવી જ હાલત રહેવા પામી છે. જેના કારણે આ માર્ગ ઊપરથી પણ વાહન ચાલકોને કફોડ હાલતનો ભોગ બનીને જ
પસાર થવું પડે છે. ઊપરાંત શનિરવિ દરમિયાન અહ કલબના સભ્યો દ્વારા રોડ ઊપર જ આડેધડ વાહનોનું પાર્કીંગ કરાતું હોવા છતાં મ્યુનિ. તંત્ર કે ટ્રાફીક પોલીસ દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા હોવાથી ભૂલેચૂકે પણ આ માર્ગ ઊપર નીકળનારાની હાલત કફોડી બની રહે છે.

Friday, May 4, 2012

Ahmedabad City - રૂ. ૬૪ કરોડના ખર્ચે તૈયાર વાડજ અને પરિમલ બિ્રજ નું લોકાર્પણ

દધિચી ઋષિ દૂધેશ્વર વાડજ રીવરબિ્રજ અને ભગીની નિવેદીતા પરિમલ રેલવે અન્ડર બિ્રજનું નામામિધાન.

મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ અમદાવાદને કુલ રૂ.૬૪ કરોડના ખર્ચે નવર્નિિમત બે બિ્રજનું લોકાર્પણ કરતાં દૂધેશ્વર વાડજના સાબરમતી નદી ઊપરના રીવરબિ્રજનું દધિચી ઋષિબિ્રજ અને પરિમલ રેલેવે અન્ડરબિ્રજનું ભગીની નિવેદીતા બિ્રજ નામાભિધાન જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવાનું આહ્વાન આપ્યું હતું.

રૂ. ૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઊપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબિ્રજનું શાહીબાગમાં લોકાર્પણ કરી નરેન્દ્ર મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાષ્ણ અડવાણીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડબિ્રજનું ઊદ્ઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઊપરના બિ્રજની ચિરંજીવ સ્માતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુકત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી.

આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઊપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને એક આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્તે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મિક ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબિ્રજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિરોધી પરિબળો અને કાગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પુરા વેગથી આગળ વધારશે એવો નિર્ર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું કે મોદીએ વિકાસની અનેક નવીન સિધ્ધિ મેળવી છે અને ગુજરાતને સુશાસન આપ્યું છે. પરંતુ સાબરમતી નદી વિકાસનો રિવફ્રંટ પ્રોજેકટ કરીને નવી શુદ્ધિકરણનો વિકાસનો ચમત્કાર કરી બતાવ્યો છે. અડવાણીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજય સરકારને.

Thursday, May 3, 2012

ફિક્સપગાર કર્મીઓનું વેતન ૧૦૦૦થી ૪૦૦૦ વધી જશે


વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો સહિત નાના કર્મચારીઓની કદર.

રાજય સરકારમાં ફીક્સ માસિક પગારથી સેવારત એક લાખથી અધિક કર્મચારીઓનેફીક્સ વેતનમાં વધારો

આપવાનો સ્તુત્ય નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતની દશ વર્ષની કર્મયોગી બનીને જનસેવામાં જોડાયેલા આ એક લાખ જેટલા અદના કર્મચારીઓના ફીક્સ માસિક પગારની ચાર કેટેગરીઓમ ાં રૂપિયા ૮૦૦ થી લઇને રૂપિયા ૪૪૦૦ જેટલો માસિક ફીક્સ પગાર વધારો અપાશે એમ તેમણે જણાવ્યું હતું.

રાજય સરકારમાં ફીક્સ પગાર મેળવતા આવા એક લાખથી વધારે કર્મયોગીઓમાં  મુખ્યત્વે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સંકલ્પ બદ્ધ વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, વહીવટી સહાયકો, કારકુન,

વનપાલ સહાયકો, રેવન્યુ તલાટી જેવા મહિને રૂપિયા ૪૫૦૦નું ફીક્સ વેતન મેળવતા કર્મચારીઓ ફરજ બજાવે છે.

તેમના પગારમાં રૂપિયા ૮૦૦નો વધારો કરીને રૂપિયા ૫૩૦૦ ફીક્સ વેતન નક્કી કરવામાં આવ્યું છે. જયારે હાલમાં શિક્ષણ સહાયકો જેવા માધ્યમિક શિક્ષણના સેવાકર્મીઓ રૂપિયા ૫૦૦૦નું ફીક્સ વેતન મહિને મેળવે છે તેમને હવે રૂપિયા ૯૪૦૦નો ફીક્સ પગાર એટલે કે માસિક રૂપિયા ૪૪૦૦નો વધારો મળશે. હાલ માસિક રૂપિયા ૬૦૦૦નો ફીક્સ પગાર મેળવતા ઉચ્ચ શિક્ષક સહાયકો, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો જેવા કર્મયોગીઓને માસિક રૂપિયા ૪૦૦૦નો વધારો આપીને રૂપિયા ૧૦,૦૦૦નો નવો ફિક્સ પગાર મળવાપાત્ર

થશે. સેવકો, સાથી સહાયકો, વનરક્ષક સહાયકો જેવા રૂપિયા ૩૫૦૦નો માસિક ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓને દર મહિને રૂપિયા ૧૦૦૦નો વધારો મળશે જેથી તેમનો માસિક ફીક્સ પગાર વધીને

૪૫૦૦ થઇ જશે. જનસેવાને વરેલી સરકારના શાસનકાળના દશ વર્ષ પૂરા થઇ રહ્યા છે અને આજે ૧૧મા વર્ષમાં પ્રવેશી છે તે ગૌરવભર્યા અવસરે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ખૂબ મોટી ભેટ ફીક્સ પગાર મેળવતા એક લાખ જેટલા અદના કર્મચારીઓના હજારો પરિવારોના ઉમંગ ઉત્સાહને વધારશે એવી આશા અને સેવાનિષ્ઠાની કદરરૂપે જાહેર કરી છે.

Thursday, April 26, 2012

રેલવે દ્વારા ટૂંક સમયમાં વેબપોર્ટલ શરૂ કરવામાં આવશે



સીએજીની મંજૂરી મળતા પોર્ટલ શરૂ કરાશે જેનાથી ઇ ટિકિટ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ મુસાફરો લઇ શકશે

રેલવે મુસાફરો ટૂંક સમયમા ંજ રેલવેના નવા વેબપોર્ટલથી ઇ-ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ લઇ શકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે દ્વારા વેબપોર્ટલથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધા શરૂ કરાશે.

રેલવેએ નવું વેબ પોર્ટલ તૈયાર કરી લીધું છે. આ પોર્ટલ માટે હાલમાં સીએજીની મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી મળતા જ મુસાફરો માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ પરથી ટિકિટ સિવાય રેલવે અંગેની તમામ માહિતીઓ મુસાફરોને મળી શકશે.

શરૂઆતમાં વેબ પોર્ટલ પરથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટગની સુવિધા શરૂ કરાશે. ત્યાર બાદ રિટાયરગ રૂમ અને કલોક રૂમનું બુકગ રેલવેની સંબંધિત તમામ કાર્યો આ પોર્ટલ ઊપર ઊપલબ્ધ થઇ શકશે.

હાલ ટિકિટગ બુકગ માટે લાંબી-લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે તો વળી ઘણી વાર તો ટિકિટ બુક પણ થઇ શકતી નથી. વેબપોર્ટલથી ઇટિકિટગ અને મોબાઇલ ટિકિટગ મેળવવી સહેલી રહેશે. આ સુવિધા મુસાફરો માટે ઘણી લાભદાયી નીવડશે.

Thursday, April 19, 2012

શિક્ષણ વિભાગની કડક તાકીદ છતાં ખાનગી શાળાઓએ ફીમાંવધારો કર્યો

ગત વર્ષે ૨૦૧૦માં દસ સ્કૂલોના ફી વધારા સામે વાલીઓએ ઊગ્ર આંદોલન કર્યા હતા.

શહેરના ઘાટલોડિયા અને નવરંગપુરાની સ્કૂલોમાં થયેલા ફી વધારાના કારણે વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને ગયો અને વિરોધ પ્રદર્શનો થયા હતા. ગત વર્ષે ૧૦ સ્કૂલો એવી હતી કે જેના ફી વધારાના વિરોધમાં વાલીઓએ પ્રદર્શન કર્યા હતા.

પણ જયારે પ્રશ્ન એ ઉઠે છે કે ખાનગી શાળાઓ પોતાને મરજી આવે ત્યારે ફી વધારો કરે અને વાલીઓના ખિસ્સા ખંખેરી ?

ઊલ્લેખનીય છે કે ખાનગી શાળાઓના નામે રાજયમાં એજયુકેશન માફિયાઓનો ઊદય થયો છે સરકાર પાસે એવી કોઇ ચોક્કસ નીતિ નથી કે ખાનગી શાળાઓમાં ફી વધારો રોકવા કોઇ લશ્કરી વ્યવસ્થા પણ નથી. થોડાક સમય અગાઊ સરકારી જે શાળા દ્વારા ફી વધારે લેવાશે તેની સામે પગલાં લેવાની વાત થઇ હતી પરંતુ બાબુઓને માલ મળે છે.

વાલીઓના ખિસ્સા ખંખેરાય છે. આ બધું થાય છે ગુણવત્તાસભર શિક્ષણ આપવાના નામે ? શહેરના ઘાટલોડિયા
વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલઅને નવરંગપુરાની એસ.એચ. ખારાવાલા સ્કૂલમાં એકાએક કરાયેલા ફી વધારાના કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો જેથી વાલીઓએ ધરણા, પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર કરીનેરોષ વ્યકત કર્યો પણ કોઇ ફરક પડશે ખરો ? ગત વર્ષે શહેરની દસ સ્કૂલોમાં ફી વધારો ઝકવામાં આવ્યો. જેમાં વિરોધ થયો પણ આખરે વાલીઓના વિરોધ વચ્ચે પણ ફી વધારો થયો. સરકારે એવી વ્યવસ્થા ઉભી
કરી છે કે જેમાં શિક્ષણ માફિયાઓ ઉભા થયા છે. એક ટ્રસ્ટ કે વ્યકિતના નેજા હેઠળ ૧૦ થી ૧૫ સ્કૂલો, કોલેજો હોય. તમારા બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મેળવવું હોય તો બંધારણીય અધિકાર છે પણ આ અધિકાર મેળવવો હોય તો માત્ર રૂપિયા હોવા તે લાયકાત બની ગઇ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવતું નથી કે મળતું નથી.સરકારે ખાનગી શાળાઓને બેફામ મંજૂરી આપે છે પણ તેમની કંટ્રોલ કરવાની તાકાત સરકારની મળી નથી. ચૂંટણીના ફંડગથી લઇને નેતાઓની ભાગીદારી સુધી હવે તમામને માત્ર શિક્ષણના નામે રૂપિયા કમાવવાનો કિમિયો મળી ગયો છે ત્યારે વાલીઓના ખાસ ઊગ્ર પ્રદર્શનો થશે પણ ફી વધારો ન થાય તે માટે સરકારે વ્યવસ્થા ઉભી કરવી પડશે.

Monday, April 16, 2012

Gujarat University 2012 - સંલગ્ન ૧૨૦ કોલેજો અધ્યાપકકે ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી ચાલે છે

લોકલ ઈન્કવાયરી કમિટિના અહેવાલ બાદ પણ કોલેજોમાં પ્રિન્સિપાલ મૂકવામાં આવતાં નથી.

ગુજરાત યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજો પૈકી ૫૦ ટકા જેટલી કોલેજો છેલ્લા ચાર વર્ષથી પ્રિન્સિપાલ વગર જ ચાલે છે. આશ્ચર્યની વાત તો એ છે કે નિયમ પ્રમાણે દર વર્ષે આ કોલેજોની તપાસ માટે એલઆઇસી મોકલવામાં આવે છે. તેના અહેવાલમાં પ્રિન્સિપાલ ન હોવાનો ઊલ્લેખ કરવામાં આવતો હોવાછતાં આજસુધી એકપણ કોલેજને નોટિસ સુદ્ધાં આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિર્વિસટી સાથે જોડાયેલી ૨૫૦ જેટલી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ કોલેજોમાં પૂરતો
સ્ટાફ છે કે નહિ તેની પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે. સ્વનિર્ભર કોલેજોની મંજૂરી સમયે જ પૂરતો સ્ટાફ રાખવો તેવી સ્પષ્ટતા અને તાકીદ કરવામાં આવતી હોય છે. જો કે આમ છતાં ૧૨૦ જેટલી કોલેજોમાં આજસુધી કાયમી પ્રિન્સિપાલની નિમણૂક જ કરવામાં આવી નથી. સામાન્ય રીતે યુનિર્વિસટી દ્વારા દર વર્ષે કોલેજોની ચકાસણી કરવામાં આવતી હોય છે.

કોલેજોમાં એલઆઇસી એટલે કે લોકલ ઈન્કવાયરી કમિટિઓ પણ મોકલવામાં આવે છે. આ કમિટિ દ્વારા પોતાનો અહેવાલ યુનિર્વિસટીને સુપરત કરવાનો રહે છે. જેમાં કેટલીક કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી. તેનો ઊલ્લેખ પણ થતો હોય છે. આમ છતાં આજસુધી એકપણ કોલેજોને કાયમી પ્રિન્સિપાલની નિમણૂક કરવા માટે યુનિર્વિસટી દ્વારા નોટિસ સુદ્ધાં આપવામાં આવી નથી. કુલ ૨૫૦ જેટલી કોલેજોમાંથી ૧૩૦ જેટલી કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલની નિમણૂક છે. જયારે બાકીની ૧૨૦ કોલેજો હજુપણ પ્રિન્સિપાલ વિના અથવા તો દરેક અધ્યાપકને
ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો હવાલો આપીને ચલાવવામાં આવે છે.

Friday, April 13, 2012

રેલવે સ્ટેશન પર મળતીચાની ચૂસ્કી માઘી થશે નાસ્તાના ભાવ પણ વધશે

હાલ સામાન્ય ભાવ વધારો કરાશ

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા ભોજનની ગુણવત્તા વિશે અનેક ફરિયાદો થતી હતી જેના પગલે રેલવે સત્તાવાળાઓએ આ વહીવટ પોતાના હસ્તક લેવો પડ્યો હતો. પરંતુ ખાદ્ય ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો નહતો પરંતુ હવે માઘવારીના કારણે થઇને ચા અને અન્ય ચીજવસ્તુના ભાવમાં વધારો કરવામાં આવશે. હાલના તબક્કે ચા, કોફી, સમોસા, ભજીયા, સેન્ડવિચ, બફવડા જેવી ચીજવસ્તુમાં સામાન્ય ભાવ વધારો કરવામાં આવશે.

રેલવે સ્ટેશન પર મળતી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો થવાની શકયતા છે. ટૂંક સમયમાં રેલવે સ્ટેશન પર મળતી ચાથી લઇને સમોસા, ભજીયા સુધી દરેક ખાણીપીણીના ભાવમાં વધારો થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પર ખાદ્ય પદાર્થો વેચવાની જવાબદારી પહેલા આઇઆરટીસી પાસે હતી પરંતુ હવે આ જવાબદારી રેલવે સત્તાવાળા પાસે છે. આરટીસી જયારે ખાદ્ય પદાર્થોની જવાબદારી સંભાળતા હતા ત્યારે ભોજનની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો મળતી હતી. જેથી આ સત્તા હવે રેલવે વિભાગે પોતાના હસ્તક કરી છે. પરંતુ હજુ સુધી ખાણી-પીણીની ચીજ વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે વધતી માઘવારીના કારણે રેલવે વિભાગ દ્વારા ખાણી પીણીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવશે.

ચાના એક કપના ૩ થી ૪ રૂપિયા અને સમોસા, ભજિયા સેન્ડવિચ, બટાકાવડા જેવી વસ્તુમાં બે થી ત્રણ રૂપિયાનો વધારો થવાની શકયતા છે. આમ હવે રેલવે સ્ટેશન પર મળતી ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારો થતા મુસાફરો માટે ચાની ચૂસકી અને નાસ્તાની મજા બગડશે.

Wednesday, April 11, 2012

Ahmedabad Kalupur Railway Station 2012 - લિફટ બંધ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં

લાંબા સમયથી લિફટ બંધ રહેતા અશકત મુસાફરોની સાથે માલ સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી પડે છે.

કાલુપુર રેલવે સ્ટેશન પર છેલ્લાં ઘણા સમયથી લિફટ બંધ થઇ ગઇ છે. જેના કારણે અશકત મુસાફરોને અને માલ-સામાનની હેરફેર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી લિફટ બંધ થવા છતાં તંત્ર દ્વારા રીપેર કરાવવામાં આવતી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલુપુર રેલેવસ્ટેશન પ્લેટ ફોર્મ નંબર એક પર જે મુસાફરો અશકત છે અને જે
સીડી ચડી જઇ શકતા નથી તેમના માટે લિફટની વ્યવસ્થા છે. પરંતુ આ લિફટ લાંબા સમયથી બંધ છે. જેના કારણે મુસાફરોનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને સાંજના સમયે લાંબા અંતરની ટ્રેનોમાં જવાનું હોય ત્યારે વધારે સામાન સાથે જવાનું ઉંમર લાયક મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે. તો વળી બીજી બાજુ રેલવેમાં અન્ય માલસામાનની હેરફેર માટે પણ આ લિફટનો ઊપયોગ કરાતો હોય છે. પરંતુ લિફટ બંધ થવાથી માલ-સામાનની હેરફેર કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે. પણ લાંબા સમયથી લિફટ બંધ થઇ ગઇ હોવાછતાં કોઇ જ પગલાં લેવાતા નથી.

લિફટબંધ થવાની માત્ર મુસાફરોને જ નહ પરંતુ રેલવે કર્મચારીઓને કુલીઓ અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. આ સંદર્ભે રેલવે વિભાગમાં રજૂઆત કરાઇ છે. પરંતુ હજુ સુધી કોઇ જ પગલાં લેવાતા નથી. સ્થાનિક કારીગરોએ તો લિફટ રીપેર કરવાના પણ પ્રયત્ન કર્યા પરંતુ લિફટ થોડી ચાલે અને બંધ થઇ જાય છે.આ લિફટ તત્કાલ રીપેર થાય તે જરૂરી છે.

Saturday, March 24, 2012

Ahmedabad News 2012 - અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું શહેર

અતિહાસિક ભૂપાષ્ઠ ધરાવતું અમદાવાદ શહેર આજે ૬૦૦ વર્ષે પણ યુવાન જેવો થનગનાટ અનુભવે છે. અમદાવાદે કાંઇ કેટલાય ચડાવ ઊતાર જોયા શહેરનો ૫.૭૨ ચોરસ કિ.મી.માંથી આજે ૪૬૬ ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થયો છે.

અમદાવાદની જાહોજલાલી દરમ્યાન શહેરના ઊદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓની વેપાર કુશળતા અને આગવી સુઝથી મિલો અસ્તિત્વમાં આવી. મિલ ઊદ્યોગે અમદાવાદને વિશ્વ સ્તરે ભારતના માન્ચેસ્ટરનું બિરૂદ અને ઓળખ અપાવ્યા છે.

અમદાવાદમાં મિલ ઊદ્યોગ મધ્યહને તપતો હતો ત્યારે કુલ ૧૦૮ મિલો હતી. મિલ ઊદ્યોગથી શહેરની જાહોજલાલી કાંઇ અલગ જ હતી. અસંખ્ય લોકોને રોજી રોટી આપતો મિલ ઊદ્યોગ આજે માતપાયઃ થઇ ગયો છે.

મિલ ઊદ્યોગ બંધ થતાં અનેક લોકો બેકાર બન્યા આજે ઘણા લોકો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે. મિલો બંધ થતાં શહેરમાં આજે એક સમયે ધમધમતી મિલોના અવશેષો ખંડરે હાલતમાં ઉભા છે.

મિલની ચીમનીઓ આજે ‘હેરિટેજ’ બની ગઇ છે. આજની તથા આવનારી પેઢીને મિલ ઊદ્યોગનો સૂવર્ણ કાળ માત્ર અમદાવાદના ઈતિહાસમાં વાંચવા મળશે.

Wednesday, March 21, 2012

Gujarat Telecommunication News 2012 - નકામાં મેસેજથી મોબાઇલ ધારકો પરેશાન

ડુનોટ કોલ માત્ર નામનો કાયદો જ બની ગયો છે જેનાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.દંડની રકમ વધારવી જોઇઅ

ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.

ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.

જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.

જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.

ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.

Monday, March 19, 2012

Gujarat Medical College 2012 - મેડિકલ અને પેરામેડિકલની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બંધ

મેડિકલમાં ૫૦ ટકા અને પેરા મેડિકલમાં ૩૫ ટકાએ ફોર્મ ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સનું પરિણામ આગામી માસે જાહેર થવાનું છે ત્યારે હાલ એન્જિનિયરગ ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન કમિટિ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ મેડિકલ અને પેરામેડિકલમાં પણ પ્રવેશ ઓનલાઇન પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે આખરે ઓનલાઇનના બદલે ગત વર્ષની જેમ કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે.

આ માટે ધો. ૧૨નું પરિણામ જાહેર થયાના બીજા દિવસ પછી ફોર્મનું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. ધો. ૧૨ સાયન્સના પરિણામનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂઝવણ વધી રહી છે. એડમિશન કમિટિઓ દ્વારા પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી, ઈજનેરી, ફાર્મસીમાં ઓનલાઇન એડમિશન દાખલ કરાયા બાદ ધીમે ધીમે મેડિકલ અને પેરામેડિકલમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરાયું હતું. મેડિકલ અને પેરામેડિકલ આ સિસ્ટમ લાગુ કરી શકાય તેમ ન હોવાથી ચાલુ વર્ષ ગત વર્ષની જેમ ફોર્મ વિતરણ કરી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

જેમાં પરિણામના દિવસે અથવા તો બીજા દિવસથી ખાનગી બેન્કોમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. ભરેલા ફોર્મ માત્ર બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ સમિતિમાં જ સ્વીકારવાનું નક્કી કરાયું છે. ચાલુ વર્ષ ગત વર્ષની જેમ મેડિકલમાં થિયરી અને પ્રેકિટકલમાં ૫૦ ગુણ ધરાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકશે. જયારે પેરા મેડિકલને લગતાં અભ્યાસક્રમો નર્સંિગમાં ૪૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ સિવાયના પેરામેડિકલના અભ્યાસક્રમમાં યુનિર્વિસટીના નિયમો લાગુ પડતાં હોવાના કારણે વિદ્યાર્થીઓ ૩૫ ટકાએ પ્રવેશ ફોર્મ ભરી શકશે.

Monday, March 12, 2012

Indian Gold 2012 - અખાત્રીજે ધૂમ ખરીદી થવાની વકી

અખાત્રીજના દિવસે રાજયોગ અને રોહિણી નક્ષત્ર તેમજ શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાશે.

ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે હવે લગ્નગાળાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને આ અઠવાડિયામાં
અખાત્રીજ હોવાના કારણે ઘણાબધા લગ્ન પણ છે ત્યારે ઝવેરીઓમાં આ લગ્નગાળાના કારણે સોનાની ધૂમ ખરીદી થાય તેવી આશા સેવાઇ રહી છે.

તેમાં પણ અખાત્રીજનો દિવસ પવિત્ર ગણાતો હોવાથી સોનાના ભાવ ઊંચા હોવા છતાં લોકો ધૂમ ખરીદી કરશે. સોનાની ખરીદીના પવિત્ર દિવસ પૂર્વે ઝવેરીઓ દ્વારા અનેકવિધ સ્કિમો પણ લાગુ પાડવાની તૈયારી કરવામાં આવી છે. ઊપરાંત નવા કલાત્મક દાગીનાની શ્રેણી પણ પેશ કરવામાં આવી છે. ત્યારે એક ગોલ્ડ ડિલર્સ એસોસિયેસનના પ્રમુખે જણાવ્યું હતું કે સોનાના ભાવ હવે ઊંચા જ જવાના છે ત્યારે આ ભાવ હવે નીચે આવે તેમ નથી લાગતું તેવું દરેક વ્યકિતએ સ્વીકારી લીધું છે.

વૈશ્વિક ટ્રેન્ડ તેજીનો છે. બદલાતા યુગમાં સોનાની ડિમાન્ડ વધતી જાય છે. ઊત્પાદન ઘટવામાં છે. ક્રૂડ તેલ ચલણ માર્કેટ વગેરેની અસરો થતી રહી છે. આવતા અઠવાડિયામાં ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજનો શુભ દિવસ આવી રહ્યો છે. આ દિવસે મોટાભાગના લોકો સોનું અથવા ચાંદી ખરીદી કરે જ છે ત્યારે જયોતિષિઓ ઘણા વર્ષો બાદ અખાત્રીજનો ખૂબ શુભ યોગ આવ્યો હોવાનું જણાવે છે ત્યારે આ સ્થિતિમાં સોનાની ખરીદીની મોટી ડિમાન્ડ રહેવાનો આશાવાદ છે.

અખાત્રીજના પવિત્ર દિવસે સોનાની ખરીદીમાં ભીડ રહેવાની આશા રાખીને ઝવેરીઓ પણ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. સોનાના ઊંચા ભાવ હોવા છતાં ઘરાકી સારી રહેવાની ગણતરી છે. લોકોને ક્ષમતા પ્રમાણે ખરીદીની તક મળી રહે તે માટે એકથી દસ ગ્રામ સુધીના હળવા વજનના દાગીનાની વિશાળ શ્રેણી પણ પેશ કરવામાં આવનાર છે. ૬ઠ્ઠે મે ના રોજ અખાત્રીજ, રાજયોગ રોહિણી નક્ષત્ર અને શુક્રવાર એમ ત્રિવિધ યોગ સર્જાયો છે.

જે યોગ ૨૬ વર્ષે ઊદ્ભવ્યો હોવાથી વિશેષ ખરીદી થાય તેવી શકયતા છે. અમુક ઝવેરીઓનો એવો દાવો છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ ૨૫૦૦૦ થાય તેવી આગાહી હોવાથી લોકો ખરીદીમાં કોઇ ખચકાટ રાખે તેમ નથી.

Saturday, March 10, 2012

Gujarat High Court 2012 - વધુએક પિટીશન દાખલ થઇ

આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરાય તેવી શકયતા.

રાજય સરકાર દ્વારા અમલી બનાવેલી ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે. જે રિટ પિટીશનને હાઈકોર્ટે દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.

રાજય સરકારની ફિકસ પગારની નીતિ સામે હાઈકોર્ટે અગાઊ આપેલા આદેશને અનુલક્ષીને વધુ એક જાહેર હિતની રિટ પિટીશન હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં ફિકસ પગારની પોલીસી રદ કરવા તથા તમામ લોકોને યોગ્ય પગાર ચૂકવવા દાદ માંગવામા આવી છે. આ ઊપરાંત છઠ્ઠા પગાર પંચ પ્રમાણે વેતન ચૂકવવા દાદ માગવામાં આવી છે.

અને સરકારની આ નીતિને રદ કરવી જોઈએ. સરકારે ફિકસ પગાર ધોરણ માટે જે અલગ પરિપત્રો અને ઠરાવો કર્યા છે. તેને રદ જાહેર કરવા જોઈએ. સરકારે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતર્ગત આ કર્મચારીઓની ભરતી કરી છે. સરકારે એક પદ પર કામ કરતાં બે અલગ અલગ કર્મચારીઓને સરખું જ વેતન આપવું જોઈએ. છઠ્ઠા પગાર
પંચના ધારા ધોરણ પ્રમાણે વેતન મળવું જોઈએ.

Thursday, March 8, 2012

ગુજરાત-બિકાનેર વચ્ચે રેલવે દ્વારા વેકેશન માટે વધુ છ ટ્રેનો

૧લી મેથી આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડશે, જે મહત્વના સ્ટેશન પર રોકાણ કરશે.

પશ્ચિમ રેલવે દ્વારા ઊનાળું વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતથી મુંબઇ અને બિકાનેર માટે વધુ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે.

રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઊનાળા વેકેશનમાં મુસાફરોનો ધસારો ઘણો વધારે રહે છે. મોટાભાગે દૂરની મુસાફરી માટે મુસાફરો રેલવે ટ્રેનનો ઊપયોગ કરે છે. જેના માટે થઇ પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ છ ટ્રેનો ૧લી મે, ૪થી મે અને
૮મી મેના રોજ દોડશે. આ ટ્રેન બાન્દ્રાથી બિકાનેર જવા માટે ૧૧.૪૫ વાગે ઊપડશે. જે બીજા દિવસે રાતે ૧૦ ઃ૧૫ કલાકે બિકાનેર પહાચશે.

તેવી જ રીતે આ ટ્રેન ૨,૫ અને ૯મી મેના રોજ બિકાનેરથી ૧૦:૪૫ વાગે ઊપડશે જે બીજા દિવસે રાત્રે ૧૦.૫૫ વાગે બાન્દ્રા પહાચશે.

આ ટ્રેન બંને બાજુએ તમામ મહત્વના સ્ટેશનોને આવરી લેશે. જેમાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, પાલી, લુણી, જોધપુર,નાગોર
સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Sunday, March 4, 2012

Gujarat Common Entrance Test 2011 - પરીક્ષા આપનારી વિર્દ્યાથનીઓની સંખ્યા વધી

દેશભરની ખ્યાતનામ બી-સ્કૂલમાં કેટની એકઝામ પાસ કરીને પીજીપીમાં પ્રવેશ મેળવનારી કન્યાઓની સંખ્યામાં વધારો.

દેશની પ્રતિષ્ઠિત એવી અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિત દેશની
પ્રતિષ્ઠિત ગણાતી આઇઆઇએમ સહિતની ટોપ બિઝનેસ સ્કૂલો (બી-સ્કૂલ)માં પ્રવેશ મેળવવા માટે કેટ (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ)ની એકઝામ અનિવાર્ય ગણાય છે.

કેટ પાર કર્યા બાદ જ આઇઆઇએમ-એ સહિત બીજી બી-સ્કૂલમાં પ્રવેશ મેળવી શકાય ત્યારે હવે દેશમાં કેટને લઇને છોકરીઓમાં પણ જાગાતિ વધી છે.

અને કેટની એકઝામ આપવા આવનાર છોકરીઓ પણ વધી છે જેના કારણે કેટમાં ઊત્તિર્ણ થઇને ટોપ બી-સ્કૂલમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની ટકાવારીમાં વધારો નાધાયો છે.

જેમાં આઇઆઇએમ-એ અમદાવાદની કરીએ તો વર્ષ ૨૦૧૧માં ‘કેટ’ ઊત્તિર્ણ થયેલાં ૯૧૮ લોકોને ઈન્ટરવ્યૂ કોલ
મળ્યા જેમાંથી ૯૧ છોકરીઓ હતી. જેમાંથી ૪૧ યુવતીઓને એડમિશન મેળવવામાં સફળ રહી. આમ યુવતીઓની
સફળતાનો આંક ૪૫ ટકા રહ્યો હતો. આઇઆઇએમના ફલેગશિપ પ્રોગ્રામ પીજીપી (પોસ્ટ ગ્રેજયુએટ બિઝનેસ
મેનેજમેન્ટ)માં ત્રણ વર્ષના અભ્યાસક્રમ છે જે આઇઆઇએમનો સૌથી મહત્ત્વનો કોર્સ છે જેમાં ધીરે ધીરે
છોકરીઓની ટકાવારી વધી રહી છે. આઇઆઇએમમાં પીજીપીમાં પ્રવેશ મેળવનારી છોકરીઓ વધી છે. છેલ્લાં ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૧૬ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૧ ટકા અને આ વર્ષે ૧૦.૯ ટકા છોકરીઓને
એડમિશન મેળવવામાં સફળતા મળી છે. આઇઆઇએમ-એના ભૂતપૂર્વ વિદ્યાર્થી (પીજીપી બેચ) અને હાલમાં કેટ કોચિંગ કલાસ ચલાવતા વિવેક તુતેજા જણાવે છે કે જે છોકરીઓએ કેટની એકઝામ આપી છે તેમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ અમારી વિર્દ્યાિથનીઓની પણ સંખ્યા વધી છે કેમ કે કેટ આપનારી વિર્દ્યાિથનીઓની
સંખ્યામાં વધારો થયો છે.

આ વર્ષે આઇઆઇએમ-એમાં પ્રવેશ મેળવવામાં સફળ રહેનાર વિર્દ્યાિથનીઓની ટકાવારી ૪૫ ટકા છે. ૨૦૧૦માં ટકાવારી ૫૫.૮ ટકા હતી. ૨૦૦૯માં ટકાવારી ૫૨.૫ ટકા હતી.

Friday, February 3, 2012

ચોમાસું અનિયમિત રહેવાની આશંકા

જૂન સુધી લાનીનો સંભવિત અસર ચોમાસાને અનિયમિત રાખે તેવી વકી.

આ વર્ષે ચોમાસું અનિયમિત રહેવાની આશંકા હવામાન ખાતાના એક ઊચ્ચ અધિકારીએ વ્યકત કરી છે. હવામા વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ૯૮ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. લા-નોની અસરના કારણે વરસાદ વધુ પડવાની શખ્યતા ઘણી ઓછી છે. ભૂમધ્ય રેખા અને મધ્ય પેસીફીક દરિયાકિનારાના વિસ્તારમાં વાતાવરણ સામાન્ય કરતાં ઓછું રહે તેવી શકયતા છે. વધુમાં અધિકારીઓ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ૯૮ ટકા વરસાદની ાગાહી રાખવામાં આવી હતી. પરંતુ ગત સ્પટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. અને ૧૦૨ ટકા વરસાદ પડતો હતો. આ વર્ષે આ પ્રકારનો વરસાદ પડવાની શકયતા ઝીરો છે. લા-નોની અસર જૂન મહિનાના અંત સુધી રહે તેવી ધારણા છે. સામાન્ય ચોમાસા પ્રમાણે લાંબાગાળામાં વરસાદ કરતાં સરેરાશ ૯૬ થી ૧૦૪ ટકા જેટલો વરસાદ પડે છે. પરંતુ તેનાથી સારો પાક થાય તેવી જ ગેરંટી
નથી. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત મે મહિનાના અંતકે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન થાય છે.

પરંતુ મે મહિનાના અંત સુધી તાપમાન અને વાતાવરણની સ્થિતિ અનિશ્ચિત રહે તેવી શકયતા છે.

Wednesday, January 11, 2012

Indian Lawyers Association Elections 2011 - નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ પદે અજીતસહ એ.ગોહિલ તથા ઊપપ્રમુખ તરીકે પ્રિતીબેન જોશીની વરણી.

પૂર્વ જસ્ટિસ કાષ્ણ અયરની રાહબરી હેઠળ અસ્તિત્વમાં આવેલા ઈન્ડિયન એસોસીએશન ઓફ લોયર્સની ત્રિર્વાિષક ચૂંટણી માટેની જનરલ મિટગ ર૩મી એપ્રિલના રોજ બળવંતરાય હોલ કાંકરિયા ખાતે મળી હતી.

જેમાં લાઈફ મેમ્બરોની સર્વસંમતિથી સાદી અને સરળ બિનખર્ચાળ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં એક વ્યકિત સેવા - શપથ સાથે પોતાનું પ્રપોઝલ મૂકે એક વ્યકિત ટેકો આપે અને જનરલ સભા જાહેર બહાલી આપે તે રીતે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં નીચે મુજબના હોદેદ્દારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અજીતસહ એ.ગોહિલ, ઊપપ્રમુખ પ્રિતીબેન જોશી, હર્ષદભાઈ જાની, પરેશ મહેતા, દિગ્વિજયસહ ઝાલા, જીજ્ઞેશ જે. પટેલ, પી.એમ.સોલંકી, અને મહામંત્રી પદે વિનોદ બ્રહ્મભટ્ટ અને રમેશ પરમાર, ઊપરાંત, ખજાનચી પદે અનિલ મહેતાની વરણી કરવામાં આવી હતી.

જયારે કારોબારી સભ્યોમાં મદીનાબેન શેખ, દિનેશ ગોહિલ, રસિલા પારેખ, જયેશ ગાંધી, અને છોટુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

Tuesday, January 10, 2012

Ahmedabad City News - હવે ૬.૫ કરોડનો ફલેટ

ગુજજુઓના બદલે એનઆરઆઇ આ ફલેટ વધુ ખરીદશ.

ફલેટમાં કઇ અદ્યતન સુવિધા છે...

એડવાન્સ ટેકનોલોજિનો ઊપયોગ,કલબ હાઊસ અને સ્વિમગ પુલ, સેન્ટ્રલાઇઝડ ગિઝર પાઇપલાઇન,કોહલેટનું કિચન, તમામ સાધનો સાથેની હેલ્થ કલબ સેન્ટ્રલાઇઝડ પાણી - પ્રેશર-સિસ્ટમ ડંકીન એર કન્ડિશનર દરેક ફલેટ માટે ૬ કાર પાર્કંિગની જગ્યા, ઓટોમેટિક લાઇટગ વિડિયો, સિકયોરિટી સિસ્ટમ

મેગાસિટી અમદાવાદ હવે સ્વપ્ન નગરી મુંબઇ અને દિલવાલેની દિલ્હી જેવી બની ગઇ છે. કારણ કે હવે અમદાવાદમાં પણ કરોડોનો ફલેટ મળે છે. શહેરમાં સુપર લકઝૂરિયસ મકાનોની બોલબાલા વધતી જાય છે. પરંતુ નવાઇ લગાવે તેવી વાતતો એ છે કે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદીઓ સુપર લકઝૂરિયસ એપાર્ટમેન્ટ ખરીદતા નથી.

કારણ કે ગુજજુઓની માન્યતા એવી છે કે આટલા બધા રૂપિયા ખર્ચવા જ હોય તો પછી બંગલો જ લેવો જોઇએ. આ સંદર્ભે ડેવલપર ફર્મના સંચાલકે જણાવ્યું હતું કે અમારી સ્કિમમાં મોટા બાગે ખરીદનાર વર્ગ ગુજરાત બહારના અને એનઆરઆઇ છે.

અમદાવાદમાં અદ્યતન સુવિધા સાથેના ફલેટની સ્કિમ લોન્ચ કરાઇ છે. જેમાં એક સ્કવેરફિટ વિસ્તારનો ભાવ ૫ હજારથી ૭ હજારની વચ્ચે છે. આ સુપર લકઝરી એપાર્ટમેન્ટમાં તમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ ફલેટની કમત રૂપિયા ૨.૫ શરૂ થાય છે. અને તમે જો આ ફલેટને ફુલ્લિ ર્ફિનશ કરાવો છો તો તેની કમત ૬ કરોડને આંબી જશે. કંપનીએ સુપર હાઇ એન્ડ એપાર્ટમેન્ટ સ્કિમ લોન્ચ કરી છે. તે અંતર્ગત આ ફલેટની કમત રૂપિયા ૪.૫ કરોડથી રૂપિયા ૬.૫ કરોડ છે.

આ સ્કિમ અમદાવાદ નજીક શહેના બહાર અને થલતેજ નજીક આકાર લઇ રહી છે. સુપર હાઇ એન્ડ ડુપ્લેક્ષ
એપાર્ટમેન્ટની સ્કિમ પ્રહલાદનગર પાસે પાડી છે. આ એપાર્ટમેન્ટની કમત પણ રૂપિયા ૫ કરોડથી રૂપિયા ૬ કરોડની વચ્ચેની છે તેમ એક રિઅલ્ટી સૂત્રોએ નામના ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કેમ્પસમાં બે બિલ્ડગ ઉભા કરાશે. જેમાં એક દસ માળનું ડુપ્લેકસ ટાવર અને બીજુ ૮૭૫૦ સ્કવેર ફિટમાં પથરાયેલ ૫ બેડરૂમ હોલ કિચનનો એપાર્ટમેન્ટ તેમજ ૪ના એપાર્ટ મેન્ટ હશે. આ ફલેટની પ્રતિ સ્કેવર ફૂટ રૂપિયા ૫૭૦૦ થી રૂપિયા ૬૭૦૦ છે. અમદાવાદમાં આ સ્કિમ તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ નથી પણ ખાસ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. તેમ રિઅલટી નિષ્ણાતોનું માનવું છે.

Saturday, January 7, 2012

અમદાવાદ અરપોર્ટ મેઇન્ટેનન્સના લીધે તા.૧૫ મે થી ૧૫ જૂન સુધી બંધ રહેશે

એક મહિના દરમિયાન સવારના સાડા દસથી સાંજના પાંચ વાગ્યા સુધી કોઇપણ ફલાઇટ મૂવમેન્ટ કરશે નહ.

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અૅરપોર્ટ મેઇન્ટેનન્સ હેતુને લઇને ૧૫મી મે થી ૧૫મી જૂન સુધીના પિરિયડમાં બંધ રહેશે. તેવું અૅરપોર્ટ ઓથોરિટિએ જણાવ્યું હતું.

અમદાવાદ અરપોર્ટ ઓથોરિટિએ આ નિર્ણય ડીજીસીએ અને અરલાઇન ઓપરેટરો સાથે ચર્ચા કર્યા બાદ લીધો હતો. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અરપોર્ટ ૩૫૯૯ મીટર રન-વે નો ભાગ ધરાવે છે.

તેમાંથી એરસ્ટ્રીપના ફકત ૩૮૦ મીટરનો વિસ્તાર હેલિકોપ્ટરની જરૂરિયાત માટે બની રહેશે. જે બંધ રાખવામાં આવશે. દરેક ફલાઇટોનું ઓપરેટગ સવારે ૧૦-૩૦થી સાંજના પાંચ વાગ્યા સુધીના સમયમાં રિ-શિડ્યૂલ અથવા કેન્સલ થશે. માર્ચમાં બે મહિના અગાઊ મેઇન્ટેનન્સ શિડ્યૂલ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૩જી એપ્રિલથી મેઇન્ટેનન્સના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૭મી એપ્રિલ સુધી ચાલુ રખાશે તેવું જણાવવામાં આવ્યું હતું અને બીજા તબક્કામાં જે ૧૫મી મે એ શરૂ થશે તે દરમિયાન એરસ્ટ્રીપ સંપૂર્ણરીતે
બંધ રાખવામાં આવશે અને સવારના સાડાદસથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઇપણ ફલાઇટનું મૂવમેન્ટ કરવા દેવામાં આવશે નહ.

હવે પાણીપણ માઘુ થયું - પાઊચના બે રૂપિયા

શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે.

શહેરના અનેક વિસ્તારોમાં પાણીના પાઊચના બે રૂપિયા થઇ જતા હવે પાણી પીવા માટે પણ વિચારવું પડે છે.

પાણીની મોટી કોથળીના ભાવ પણ વધ્યા પાણીના પાઊચમાં અગ્રેસર ગણાતી બેક ફ્રી કંપનીએ પાઊચનો ભાવ એક રૂપિયો જ રહેશે તેવું જણાવ્યું છે પરંતુ બજારમાં આ કંપનીના પાઊચ પણ બે રૂપિયામાં મળે છે કારણ કે પાઊચની ખરીદી કરતી પ્રજાને તો એ પણ ખબર નથી હોતી કે કયા પાઊચ કંપનીના છે અને કયા પાઊચ લોકલ છે જો કોઇ વેપારીને કહે કે ભાઇ બે રૂપિયા શાના ? તો વેપારી તરત જ કહી દે છે પોણા બેમાં તો અમને પડે છે. ૨૫ પૈસાતો કમાઇને બસ પછી શું ગ્રાહક બોલતો બંધ આમ કંપની ભલે જાહેરાત કરે જેને બે ના ચાર કરવા હોય તે કરી જ લે છે.

તો વળી પાણીની મોટી કોથળી જે પાંચ રૂપિયામાં મળતી હતી તે પણ હવે ૮ રૂપિયાની થઇ ગઇ તેમાં તો સાદા નળમાંથી પાણી ભરવામાં આવે છે છતાં ભાવ વધી ગયા.

ઊનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીમાં ઠંડક આપવાનું કામ કોઇ કરતું હોય તો તેપાણી છે પરંતુ હવે તો પાણી પણ માઘુ થઇ ગયું છે. પહેલા માત્ર રૂપિયામાં વેચાતા પાણીના પાઊચનો ભાવ હવે બે રૂપિયા થઇ ગયા છે. એટલું જ નહ પાણીની બોટલ પણ હવે ૧૨ રૂપિયાની જગ્યાએ ૧૫ અને ૧૫ રૂપિયાની જગ્યાએ ૧૮ થઇ ગઇ છે. એક લોકવાયકા પ્રમાણે કોઇ ઋષિમુનિ કથા કરી રહ્યા હતાં ત્યારે ભકતે પૂછ્યું કે સ્વામીજી
તમે કહો છો કે આ કલીયુગ નથી તો કલીયુગ આવ્યો તે ખબર કઇ રીતે પડશે ત્યારે ઋષિમુનિ બોલ્યા કે જે દિવસે પાણી પૈસાથી વેચાય તે દિવસે સમજી લેજો કે ઘોર કલીયુગ આવી ગયો હશે. સાવ સામાન્ય લાગતી આ
વાત આજે કેટલી સત્ય લાગે છે. એક બાજુ જયાં પાણીની પરબો બંધાય છે. ત્યાંજ બીજી બાજુ પાણીના પાઊચ જે માત્ર એક રૂપિયામાં વેચાતા હતા તેનો ભાવ વધીને બે રૂપિયા થઇ ગયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના પાઊચનો ભાવ વધી ગયો છે. એટલું જ નહ પરંતુ પાણીની બોટલ પણ ૧૨ની જગ્યાએ ૧૫ અને ૧૫
રૂપિયાની જગ્યાએ ૧૮ રૂપિયામાં વેચાય છે. શહેરના જુદા-જુદા સિગ્નલ પર ઊનાળાની બપોરે પાણીના પાઊચ ફટાફટ વેચાઇ જાય છે. પરંતુ હવે તેમાં પણ ભાવ વધારો થતા લોકો વિચારમાં પડી ગયા છે. જે કંપની પાણીની બોટલોનું વેચાણ કરી રહ્યા છે તે જ કંપનીમાંથી ઘણી કંપનીઓના પાણીના પાઊચ પણ મળે છે જેના ભાવમાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ લોકલ પાઊચ વેચતા વેપારીઓએ પણ પાણીના પાઊચના બે રૂપિયા કરી
નાંખ્યા છે. સાવ મફતમાં પાણી ભરીને વેચતા પાણીના લારીવાળાઓ એ પાણીના એક ગ્લાસના ભાવતો નથી વધાર્યા પરંતુ ગ્લાસના પાણીનું પ્રમાણ જરૂર ઓછું કરી નાંખ્યું છે. આમ ઊનાળાની શરૂઆત થતા પાણીના પાઊચના પણ ભાવ વધ્યા અને સાથે જ પાણીના વેચાણમાં પણ ગોટાળા થવા લાગ્યા છે. હાલતા-ચાલતા
ઊનાળાની ગરમીમાં ઠંકડ માટે પાણીના પાઊચ ખરીદતા લોકો હવે પાણી પીવા માટે બે ઘડીનો વિચાર કરશે કારણ કે હજુ પણ શહેરના લાલદરવાજા વિસ્તારમાં છાશની લારી પર ત્રણ રૂપિયાની મસાલા છાશ મળે છે જયારે બીજી બાજુ વિના મૂલ્યે મળતા પાણીનું મૂલ્ય પણ વધી ગયું છે. જોકે પાણીના પાઊચના ભાવ ભલે વધ્યા હોય પાણીના વેચાણમાં કોઇ જ ફેર નથી પડ્યો જે લોકો ૧ રૂપિયામાં પાણીના પાઊચ ખરીદતા હતા તે લોકો
‘ના હોય બે રૂપિયા....’ એમ કહીને પણ પાણીના પાઊચ તો ખરીદી જ લે છે આમ ભાવમાં વધારો થાય પરંતુ જરૂરિયાતના કારણે લોકો માઘુ પણ ખરીદે છે અને કદાચ તેથી જ માઘવારીના બહાને પાણીના પણ ભાવ
વધારી દેવામાં આવે છે.