Monday, May 14, 2012

આંબેડકર જન્મજયંતી

આંબેડકર જન્મજયંતીના પ્રસંગે તા.૧૪મીએ નગરયાત્રા યોજાશે

આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે ઃ સાંજે ચાર વાગ્યે યાત્રા શરૂ થશે.

ડાૅ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૦મી જન્મયજંયતી નિમિત્તે સરસપુર ખાતેથી ૨૯મી સામુહિક નગરયાત્રા ૧૪મી એપ્રિલના રોજ યોજાશે. સામુહિક નગરયાત્રાના પ્રમુખ મંગલ સૂરજકરે જણાવ્યું હતું કે આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે. સરસપુરથી નીકળનારી આ યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે.

સુરજકરે વધુમાં જણાવ્યું હતું કે આ યાત્રામાં ડાૅ. બાબા સાહેબ આંબેડક્રના તૈલચિત્રો ધરાવતી શણગારેલી ચાર બગીઓ, સાત ગજરાજો, ટેબ્લો, અસ્થિકુંભ ચૈતભૂમિ તેમજ બેન્ડવાઝાની ટીમો અને શણગારેલી ટ્રકો
જોડાશે. આ યાત્રા રખિયાલ થઇ સારંગપુર ખાતે ડાૅ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ ખાતે સભામાં ફેરવાશે. આ સભાના પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ  અર્જુન મોઢવાડિયા રહેશે. ચૌધરી શંકરસહ વાઘેલા, નરહરિ અમીન સહિતના અગ્રણીઓ ઊપસ્થિત રહેશે. દરમિયાન યાત્રામાં પ્રથમવાર ભીમરાવ ચાલીસાનું વિમોચન  કરવામાં આવશે. ઊપરાંત મહામાનવની જન્યજયંતિ નિમિત્તે ૨૦ કિલોની કેક કાપવામાં આવશે.
તા.૧૮થી ૨૫મીએ સરકારી કાર્યક્રમોમાં એસટી બસો બુક થતાં મુસાફરો નોમરો

એસટી બસ ઊપલબ્ધ નહિ હોવાથી ચતા હાલમાં દસ-બાર ધોરણની પરીક્ષા પૂર્ણ થઇ છે. તો વળી
પ્રાથમિક - માધ્યમિકની પરીક્ષા પણ પૂર્ણ થવાના આરે છે. એક તરફ વેકેશન અને લગ્ન ગાળો પણ શરૂ  થશે.

આવા સમયે જ એસટીની આવકમાં પણ નાધપાત્ર વધારો થશે. ત્યારે જ સરકારી કાર્યક્રમો પણ શરૂઆત એસટીના સત્તાધીશોની ચતામાં વધારો થવા લાગ્યો છે. આવા સમયે મુસાફરો માટે રૂટીન સંચાલન પણ ખોરવાઇ જાય છે. ત્યારે ટ્રાફિક વ્યવસ્થા એસટીના સત્તાધીશો શું કરશે તેની ચતા તેઓને સતાવા લાગી છે.

આ દિવસો દરમ્યાન સરકારી કાર્યક્રમમાં રાજયની ૬૦૦ એસટી બસો રોકવામાં આવી છે. જેના કારણે ૧૦ હજાર રૂટો રદ થશ.

રાજયભરમાં ચાલુ માસ દરમિયાન અસંખ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર અનેક સ્થળોએ સરકારી યોજનાઓની સફળતા અનુસંધાનોના કાર્યક્રમો મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓની ઊપસ્થિતિમાં
યોજાનારા છે. ત્યારે આ કાર્યક્રમો માટે એસટીની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવી છે જેના કારણે ૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ દરમ્યાન રાજયના મુસાફરોને એસટીમાં મુસાફરી કરવાનું ટાળવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવું બની શકે. આગામી ૧૮મી એપ્રિલે મોરબી ખાતે સરકારી કાર્યક્રમો યોજાશે. જેમાં રાજયના વિવિધ ડિવિઝનોની કુલ મળીને ૬૦૦ એસટી બસો રોકી લેવામાં આવશે. જેના કારણે એસટી નિગમના કુલ ૩૦૦૦ જેટલા રૂટોના છૂટકે રદ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે. તો બીજી બાજુ ૨૧મી એપ્રિલે લબડી ખાતે મુખ્યમંત્રીની હાજરી ભવ્ય સરકારી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ૬૦૦ જેટલી બસો રોકાી જશે. જેથી તેમાં  પણ ૩૦૦૦ જેટલા રૂટો કેન્સલ થશે. જયારે ૨૫મી તારીખે રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન છે. જેમાં સાત જિલ્લામાંથી અંદાજે એકાદ હજાર જેટલી એસટી બસો રોકાઇ જશે. ત્રણ કાર્યક્રમો દરમ્યાન
૨૨૦૦ જેટલી એસટી બસો રોકાઇ જશે જેના કારણે એસટીના લગભગ ૧૦ હજાર જેટલા રૂટો રદ કરવા પડશે. જેના કારણે ૧૮ થી ૨૧ અને ૨૫ દરમિયાન લાખો મુસાફરોને બસ સ્ટેશનોમાં રઝળવાનો વારો આવશે.

મ્યુનિ. દ્વારા સવા કરોડના ખર્ચે ૭ શૈક્ષણિક મોબાઈલવાન બનાવાશે

આધુનિક મોબાઈલ વાનમાં ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા બનાવાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સ્લમ વિસ્તારમાં સામાજિક સેવાઓ પૈકી શૈક્ષણિક સેવા શરૂ કરવા માટે ઝૂંપડપટ્ટીના જે બાળકો શાળાએ જતા જ નથી તેમને ભણાવવા માટે મ્યુનિ. દ્વારા મોબાઈલ શિક્ષણવાન તૈયાર કરાવવાના ઠરાવને મંજૂરી મળતા કુલ સાત વાન તમામ સુવિધા સભર રૂ. ૧.૨૫ કરોડમાં તૈયાર કરવાનો ઓર્ડર દત્ત મોટર બોડી બિલ્ડર્સને આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર સર્વે કરાયા બાદ ઝૂંપડપટ્ટીના સાત વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ સાત વિસ્તારોની ઝૂંપડપટ્ટીના બાળકો કે જે ક્યારેય શાળાએ જતા નથી તેમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા અંગે શિક્ષણ પૂરં પાડવાના હેતુથી રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સાત શૈક્ષણિક વાન તૈયાર કરવામાં આવશે.

આ વાનમાં એલસીડી કોમ્પ્યૂટર, ડીવીડી, જનરેટર સેટ, શિક્ષક માટે ટેબલ ખુરશી અને ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા ધરાવતી વાન તૈયાર કરવામાં આવશે. એક વાન રૂ. ૧૭.૯૦ લાખમાં તૈયાર થશે તેવું
જણાવવામાં આવ્યું હતું.

વધુમાં જણાવતા ચેરમેને કહ્યું કે ઝૂંપડપટ્ટીનો સર્વે કરાયા અનુસાર એક મોબાઈલ વાન નોબલનગર રેલ્વે ફાટક પાસે, ભૂતિયા બંગલો, શિવમંદિર સામેની વસાહતના બાળકોને ભણાવશે. બીજી વાન રામાપીરનો ટેકરો, ચંદ્રભાગાના ખાડામાં વાડજ ખાતે, ત્રીજીવાન વટવા કેનાલ પાસે, સૈયદવાડી, બોમ્બે હોટલ પાછળ, ચોથી વાન, વટવા બિ્રજ પાસે, ગોરનો કૂવો, નારોલ જૂની હાઈકોર્ટ પાસે, શાહવાડી પાછળનો સ્લમ વિસ્તાર અને શિંગરવા હાઉસિંગ વસાહત ખાતે, પાંચમીવાન લીલાનગર ઓઢવ ખાતે, છઠ્ઠીવાન રંગોળીનગર ઇસનપુર ખાતે જયારે સાતમીવાન ગણેશનગર પીપળજ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવશે. શૈક્ષણિક મોબાઈલવાનમાં વાનદીઠ બે શિક્ષકો ફાળવવામાં આવશે એટલે કે સાત વાન માટે કુલ ૧૪ શિક્ષકોની ફાળવણી મ્યુનિ. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. શૈક્ષણિક મોબાઈલવાન ડબલ શિફટમાં કામ કરશે તેવું જણાવતા કહ્યું કે પ્રથમ શિફટ સવારે ૭ થી ૧૨.૩૦ જયારે બીજી શિફટ ૧૨.૪૫ થી ૫ વાગ્યા સુધીની રહેશે. તમામ શૈક્ષણિકવાન જ્ઞાન સાથે ગમ્મત પીરસી જે બાળકો ક્યારેય શાળાએ જતા જ નથી તેમની રુચિ કેળવાય અને ઝૂંપડપટ્ટીમાં અકાળે મૂરઝાતા બાળકોને જ્ઞાનસભર કેળવાશે. તમામ મોબાઈલવાન અત્યાંધૂનિક સાધનો સભર બનાવવામાં આવી છે.

મોબાઈલ રોમિંગ ચાર્જ નાબૂદ કરાશે

ટેલિકોમ નીતિ ૨૦૧૧ના મુસદ્દામાં મોબાઈલ ફોન કંપનીઓ માટે વન નેશન લાઈસન્સની સિસ્ટમનો અમલ
કરવાની અને રોમિંગ ચાર્જને નાબૂદ કરવાની દરખાસ્ત છે.

જો કે નીતિના મુસદ્દામાં આ દરખાસ્તનો ક્યારે અમલ કરાશે તે વિશે સ્પષ્ટતા નથી. નવી નીતિ દાયકા જૂની હાલની ટેલિકોમ નીતિનું સ્થાન લેશે. ભારતની અંદર પ્રવાસ કરતી વખતે ફોન યુઝર્સ દ્વારા ચુકવવામાં આવતા
રોમિંગ ચાર્જ નાબૂદ કરવામાં આવે તેવી ધારણા છે.

તેનાથી વારંવાર બીજા રાજયોમાં મુસાફરી કરતા ગ્રાહકોના માસિક મોબાઈલ બિલમાં ઘટાડો થશે, પરંતુ ટેલિકોમ કંપનીઓની આવકને ફટકો પડશે. અમેરિકા સહિતના
મોટાભાગના દેશોમાં ડોમેસ્ટિક રોમિંગની સિસ્ટમ નથી. ભારતને ૨૩ ટેલિકોમ સર્કલમાં વિભાજિત્ કરવામાં આવેલું છે અને ગ્રાહક તેના સર્કલની બહાર ફોનનો ઉપયોગ કરે ત્યારે રોમિંગ ચાર્જ ચૂકવવો પડે છે.

હાલની એમએનપી સુવિધા ટેલિકોમ સર્કલ પૂરતી મર્યાદિત છે. નવીનીતિમાં મોબાઈલ નંબર માટે હોમબેઝ
બદલવાની મોબાઈલ યુઝર્સને છૂટ મળશે અને તેનો આગામી વર્ષથી અમલ થશે. આ દરખાસ્તો અને ખાસ કરીને રોમિંગ ચાર્જ સંબંધિત દરખાસ્તોનો ટેલિકોમ કંપનીઓ વિરોધ કરે તેવી ધારણા છે કારણ કે રોમિંગ ચાર્જને કારણે મોબાઈલ કંપનીઓને આશરે રૂ. ૧૩,૦૦૦ થી ૧૪,૦૦૦ કરોડની આવક કુલ આવકમાંથી ૧૦ ટકા આવક થાય છે. હાલના નિયમ મુજબ મોબાઈલ ફોન કંપની રોમિંગ દરમિયાન લોકલ કોલ મિનિટ દીઠ રૂ. ૧.૪૦નો ચાર્જ અને એસ.ટી.ડીના કોલ કિસ્સામાં તમામ આઉટગોઈંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૨.૪૦ અને ઇનકમિંગ કોલ માટે મિનિટ દીઠ રૂ. ૧.૭૫નો ચાર્જ વસૂલ કરી શકે છે.

બીજ મસાલા પાકના ઊત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન

ભારતમાં વવાતા અને ઊત્પાદન થતા મસાલા પાકોમાં ગુજરાતનો હિસ્સો ૨૦ ટકાથી ય વિશેષ છે.

મસાલા પાકો પૈકી જીરં, વરિયાળી, ધાણા, મેથી, અજમો, સુવા જેવી બીજા મસાલાના ઊત્પાદનમાં અને નિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. જો કે ગુજરાતમાં ઊત્પાદન થતા મસાલામાં સૌરાષ્ટ્રનો હિસ્સો ૫૦ ટકાથીય વધુ થાય છે.

દેશમાં ઊત્પન્ન થતા જીરં, વરિયાળી, સુવા અને અજમાના કુલ ઊત્પાદનના અનુક્રમે ૬૧, ૯૦, ૭૦ અને ૬૫ ટકા ઊત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત જીરં અને વરિયાળીની ઊત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં સૌથી અગ્રેસર છે એટલું જ નહિ ગુજરાતમાં પાકતા મસાલાની ગુણવત્તા પણ ખૂબજ ઊંચી રહી છે. આથી તેની નિકાસમાં ગુજરાતનો હિસ્સો નાધપાત્ર રહ્યો છે. આમ તો ભારતને મસાલા પાકોનું ઘર ગણવામાં આવે છે. પણ મસાલા ઊત્પાદનમાં ગુજરાત મોખરાના સ્થાને રહ્યું છે.

માણસામાં પક્ષીઓ માટે મફત ‘પરબ’નું વિતરણ

શહેરના વિકાસમાં વાક્ષોના થઇ રહેલા આડેધડ છેદનથી પક્ષીઓના આશ્રય સ્થાનો નષ્ટ થઇ રહ્યા છે. સાથે સાથે પર્યાવરણને થઇ રહેલા પારાવાર નુકસાનથી પક્ષીઓનું અસ્તિત્વ પણ જોખમાઇ રહ્યું છે. ત્યારે માણસા ગામના માનવીની માનવતા મહકી ઉઠતા બળબળતા ઊનાળામાં અબોલ પક્ષીઓને પીવાના પાણી સગવડ રૂપે કુંડાનું(પરબનું) મફત વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

ઓબામા મિશેલની આવકમાં બે તાતિયાંશનો ભારે ઘટાડો

વર્ષ ૨૦૦૯માં ૫૫ લાખ ડોલરની આવક હતી જે ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઇ છતાં ઓબામા કરોડપતિ.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્નિ મિશેલ ઓબામાની આવકમાં એક વર્ષમાં બે તાૃતિયાશનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૯માં તેમની આવક ૫૫ લાખ ડોલર હતી. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઈ ગઈ છે. વ્હાઈટ હાઊસના પ્રેસ સચિવ જે. વર્ષ ૨૦૧૦માં ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાના અંતિમ દિવસે ઓબામા અને મિશેલે પોતાના રિટર્ન એક સાથે ભર્યા હતા. રિટર્ન મુજબ તેમની આવક ૭૨૮૦૯૬ ડોલર છે. તેમણે કહ્યું હતું કે પરિવારની આવક મોટા ભાગે તેમના પુસ્તકના વેચાણથી આવી છે.

ઓબામાએ ફેડરલ ટેકસરૂપે કુલ ૪૫૩૭૭૦ ડોલરની ચુકવણી કરી છે. ઊપલબ્ધ જાણકારી મુજબ ઓબામા પરિવારની કુલ આવક નો ૧૪.૨ ટકા હિસ્સો એટલે કે ૨૪૫૦૭૫ ડોલરની રકમ જુદી જુદી ૩૬ ર્ધાિમક સંસ્તાઓને આપી દીધી છે.

ઓબામા મિશેલની આવકમાં બે તાતિયાંશનો ભારે ઘટાડો

વર્ષ ૨૦૦૯માં ૫૫ લાખ ડોલરની આવક હતી જે ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઇ છતાં ઓબામા કરોડપતિ.

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્નિ મિશેલ ઓબામાની આવકમાં એક વર્ષમાં બે તાૃતિયાશનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૯માં તેમની આવક ૫૫ લાખ ડોલર હતી. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૭ લાખ ૩૦ હજાર ડોલર થઈ ગઈ છે. વ્હાઈટ હાઊસના પ્રેસ સચિવ જે. વર્ષ ૨૦૧૦માં ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાના અંતિમ દિવસે ઓબામા અને મિશેલે પોતાના રિટર્ન એક સાથે ભર્યા હતા. રિટર્ન મુજબ તેમની આવક ૭૨૮૦૯૬ ડોલર છે. તેમણે કહ્યું હતું કે પરિવારની આવક મોટા ભાગે તેમના પુસ્તકના વેચાણથી આવી છે.

ઓબામાએ ફેડરલ ટેકસરૂપે કુલ ૪૫૩૭૭૦ ડોલરની ચુકવણી કરી છે. ઊપલબ્ધ જાણકારી મુજબ ઓબામા પરિવારની કુલ આવક નો ૧૪.૨ ટકા હિસ્સો એટલે કે ૨૪૫૦૭૫ ડોલરની રકમ જુદી જુદી ૩૬ ર્ધાિમક સંસ્તાઓને આપી દીધી છે.

Sunday, May 13, 2012

કાગીનેતાઓએ સ્વ.કેશવલાલ પટેલનેશ્રદ્ધાંજલિઅર્પણકરી

સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો.

અખિલ ભારતીય કાગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહેમદ પટેલે ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન સ્વ. શેઠ કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો. તેઓ હંમેશાં સામાજીક પ્રવિત્તિ ક્ષેત્રે નાતિ-જાતિના ભેદભાવ વિના કામગીરી કરતાં હતાં.

તેમના અવસાનથી પાટીદાર સમાજે જ નહ પરંતુ સમગ્ર ગુજરાતે એક સામાજિક લોકસેવક ગુમાવ્યો છે.

ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે ગઇ કાલે ઊંઝા જઇને સ્વ. કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલના માૃતદેહ ઊપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું
હતું કે સ્વ. કેશવલાલ પટેલે સમાજમાંથી કુરીવાજ દૂર કરવાનું, શિક્ષણને મહત્વ આપવાનું કામ કરીને સામાજિક
ઊત્થાનના કામમાં મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કોમ- કોમ વચ્ચેની એકતા માટે પણ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. તેમના જવાથી ગુજરાતે એક નિષ્ઠાવાન સમાજિક આગેવાન ગુમાવ્યા છે.

Saturday, May 12, 2012

બીએડ ના વિદ્યાર્થીઓએ તમામ વિષયનીપરીક્ષાનહઆપવીપડે

ગુજરાત યુનિ.એ અગાઊના નિર્ણયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપી.

ગુજરાત યુનિર્વિસટી સાથેસંકળાયેલી બી.એડ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી સપ્તાહથી શરૂ થઇ છે. અગાઊ બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયોની પરીક્ષા ફરજિયાત આપવાની રહેતી હતી. આ નિયમના આધારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ તમામ વિષયની પરીક્ષા આપવા
માટેના ફોર્મ પણ ભરી દીધા હતા. આશ્ચર્યની વાત એ કે ફોર્મ ભર્યા બાદ અચાનક વિદ્યાર્થીને જે વિષયમાં ૪૫ કરતાં વધુ ગુણ હોય તે પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેતરમાં વિદ્યાર્થીઓને
અપાયેલી હોલ ટિકિટમાં પણ આ પ્રકારે જ સૂચના આપવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. યુનિ.સાથે સંકળાયેલી ૯૦ ઊપરાંત કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ નાપાસ
થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા ફરજીયાત આપવાની હોય છે. ગતવર્ષની પરીક્ષામાં બે કે ત્રણ વિષય અથવા તો વધુમાં નાપાસ થયા હોય તેઓએ તમામ વિષયની પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા.

જોકે, અચાનક યુનિર્વિસટી દ્વારા બી.એડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેઓને જે તે વિષયમાં ૪૫ થી વધુ ગુણ હોય તેમને તે વિષયની પરીક્ષામાંથી મુકિત આપવાનો નિર્ણય કરી દીધોહતો. યુનિર્વિસટીએ કરેલાં નિર્ણયની જાણ વિદ્યાર્થીઓને હજુ સુધી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓ એ તમામ વિષયોની પરીક્ષા પવાની છે. તે પ્રમાણે જ તૈયારી કરી રહ્યા છે. હોલ ટિકિટ વિદ્યાર્થીઓના હાથમાં આવતાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. જે વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસ કરવાનો છે. અને તમામ વિષયની પરીક્ષા આપવા ઇચ્છતાં હોય તેઓએ રજિયાત હવે ૪૫થી ઓછા ગુણ હોય તેટલા જ વિષયોની પરીક્ષા આપવી પડે.

Friday, May 11, 2012

ગાંધીનગરના મેયર તરીકેપ્રથમ અઢી વર્ષપુરુષ અનેબીજીટર્મમાંમહિલા

ચૂંટણી લડી રહેલા કેટલાક ઊમેદવારોને મેયર તરીકેના હુલામણા નામથી સંબોધાય છ.

ગાંધીનગરને કોર્પોરેશન વિસ્તાર તરીકે દરજજો આપ્યા બાદ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી હોઇ ઊત્તેજના વધી છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે એટલે કે મેયરની બેઠક અઢી વર્ષ માટે સામાન્ય અને બીજા અઢી વર્ષ
માટે મહિલા અનામત રહેશે આ અંગેની વિધિવત દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાઇ રહી છે. જો કે મેયરની ખુરશી અત્યારથી જ રાજકીય પક્ષોના દાવેદારોની મીટ મંડાઇ છે.

કોર્પોરેશનના મેયરની બેઠકના રોટેશન અંગેની દરખાસ્ત બાદ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજયની રાજધાની ગાંધીનગરની કોર્પોરેશનની મેયરની ખુરશી ચૂંટણી પહેલા જ ચર્ચામાં આવી છે. કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે કેટલાક નામો
ચર્ચામાં છે. જયારે કેટલાક ચૂંટણી લડી રહેલા ઊમેદવારોને અત્યારથી જ મેયર તરીકેના હુલામણા નામોથી સંબોધાઇ રહ્યા છે. પાટનગરની સ્થાપના બાદ ના ચાર દાયકા પછી કોર્પોરેશન મળતા આ મહત્વની જગ્યા માટે ચૂંટણી જીતવા ઊમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પાટનગરના પ્રથમ મેયરની બેઠક સામાન્ય
રહેશે. જયારે બીજીટર્મમાં મહિલા અનામત તરીકે મેયરનીપસંદગી કરાશે જોકે પ્રથમ મેયર તરીકે પુરુષ ઊમેદવારની પસંદગી કરાય તેવી ધારણા વ્યકત કરાઇ રહી છે. કોર્પોરેશનની અગિયાર મહિલા બેઠક પર ત્રીસથી પણ વધુ મહિલા ઊમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જોકે મેયરના નામની પસંદગી પાર્ટીના સુપ્રીમો નક્કી
કરશે. અત્રે ઊલ્લેખનિય છે કે, થોડા વર્ષો અગાઊ ગુજરાત વિધાન સભાએ પસાર કરેલા ઠરાવ મુજબરાજયની તમામ ૭ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકોઓમાં પુરુષ અને મહિલા મેયર માટે અઢી અઢી વર્ષ ળવવામાં આવ્યા છે.

મ્યુનિ.પાતળીપ્લાસ્ટિકનીબેગોના ઊત્પાદન-વેચાણપરપ્રતિબંધમૂકશે

૧૫૦ જેટલી હોટલરેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી.

અમદા વાદ મ્યુનિ. કોર્પોએ ૪૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની બેગ અને ઝભલાના ઊત્પાદન અને વેચાણ પર રતિબંધ કવા કાર્યવાહી શરૂ કરી છે. જે સંદર્ભે કોર્પોરેશને દરોડાની કાર્યવાહી શરૂ કરવા એકશન પ્લાન બનાવશે. કંપોઝિટ પ્લાસ્ટિક અને રિ-સાઇકલગ દ્વારા બનતી ૪૦ માઇકોન કરતાં પાતળી બેગો ઊપર પણ પ્રતિબંધ મૂકાશે. ગુટકાના પાઊચ વેચનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિ. હેલ્થ
કમિટિના ચેરમેન ડો. સુરેશ પટેલે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ અંગેનું જાહેરનામું ગયા ફેબ્રુઆરીમાં બહાર પડી ગયું છે. પણ મ્યુનિ. કોર્પો. દ્વારા પ્લાસ્ટિકની બેગોના વપરાશમાં ચુસ્ત નિયમોનું પાલન કરાશે. જેમાં જીપીસીસીની પણ મદદ લઇને ૪૦ માઇક્રોનથી પાતળી બેગોનું ઊત્પાદન કરતી ફેકટરીઓને સીલ મારવામાં
આવશે. શહેરના છ ઝોનમાં યાદી બનાવવામાં આવી છે. હેલ્થ ખાતા દ્વારા બી.યુ. પરમિશન ન હોય તેવી જગ્યાએ વર્ષોથી ચાલતી હોટલો-રેસ્ટોરન્ટ અંગે કાનૂની માર્ગદર્શન લઇ ટૂંક સમયમાં નિતિ જાહેર કરવામાં
આવશે. બી.યુ. પરમિશન હોય તેવી મિલ્કતોમાં ચાલતી હોટલ રેસ્ટોરન્ટ દ્વારા હેલ્થ લાઇસન્સ ન લીધા હોય તેવી ૧૫૦ જેટલી હોટલ-રેસ્ટોરન્ટના માલિકોને હેલ્થ ખાતા દ્વારા નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Thursday, May 10, 2012

શું આપનું બાળક ઇન્ટરનેટ પર સમય વેડફે છે?

આજના ઝડપી યુગમાં કોમ્પ્યુટર ને ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના અશક્ય બનતી જાય છે. આંગળીના ટેરવે ક્લિક કરતાં આંખ સામે સમગ્ર માહિતી સ્પષ્ટ જાણી શકવાની સુવિધાનો વ્યાપ વધતો ચાલ્યો છે. બાળકોથી માંડીને દરેક વર્ગના લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ આશીર્વાદરુપ બન્યો છે. પરંતુ ઇન્ટરનેટના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે. આજે ઇન્ટરનેટની માયાજાળમાં આખું વિશ્વ ગૂંચવાયેલું છે. આપણા જીવનને સરળ ને ચોક્સાઇભર્યું બનાવવા માટે ઇન્ટરનેટ ઉપયોગી બન્યું છે. બાળકોને શિક્ષણ માટે સ્કૂલ ને કોલેજોમાં પણ કોમ્પ્યુટરના વિષયને ફરજિયાત વિષય તરીકે માન્ય રખાયું છે ત્યારે બાળકો આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરે તે વાજબી ગણાય પરંતુ આજની જનરેશન પર તેનો સજજડ પ્રભાવ જોઇ શકાય છે. ૮ થી ૧૦ વર્ષના બાળકો ઇન્ટરનેટ પર ગેમ રમતા થઇ ગયા છે. તો કેટલાક બાળકો તો મેઇલ્સ કે ચેટીંગ પણ કરતાં હોય છે!જેના કારણે તેઓ ભણવામાં ઓછું ધ્યાન આપતા હોય છે અને જયારે સમય મળે ત્યારે કોમ્પ્યુટર સામે આંખો ચીપકાવીને બેસી રહેતા હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર દેશમાં ઇન્ટરનેટ પર સર્ફીંગ કરનારા ૧૦૦ ટકા બાળકોમાંથી ૭૭ ટકા બાળકોનો અનુભવ નકારાત્મક જોવા મળ્યો હતો.એટલે કે ૭૭ ટકા બાળકો ઇન્ટરનેટ પર પોતાનો અમૂલ્ય સમય ખોટી માહિતી મેળવવા કે સમય પસાર કરવામાં કાઢે છે! આવનારા વર્ષોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધશે એમાં કોઇ જ બેમત નથી પરંતુ મુશ્કેલી એ વાતની છે કે ઇન્ટરનેટ પર કેટલીક વેબસાઇટ્સ એવી હોય છે કે જે બાળકોને ભ્રમિત કરી શકે છે ને તેના કારણે બાળકો ખોટા માર્ગે પણ જઇ શકે છે ને આવી વેબસાઇટ પર નિયંત્રણ રાખી શકાતું હોતું નથી. નાના બાળકોમાં સૌથી લોકપ્રિય વેબસાઇટ્સ તરીકે પેન્ગ્વીન, સ્ટારડોલ વગેરે છે. આ તમામ સાઇટ્સ કોર્મિશયલ છે જેનો ઉપયોગ બાળકો જોશથી કરે છેપરંતુ તેના પૈસા ચૂકવવા પડતા હોય છે.ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે બાળકોને આ વેબસાઇટ પર મનોરંજનનો ખજાનો મળી રહેતો હોય તો તેઓ તેના બંધાણી બની જતા હોય છે.

Wednesday, May 9, 2012

ઊનાળામાં કોટનની સાથેસાથે ખાદીના કપડાની ડિમાન્ડવધી

ફેશન ગણાતી ખાદી ઊનાળામાં સ્ટેટસની સાથે જરૂરિયાત બની.

ઢાલગરવાડમાં ખાદીમાં કુર્તા ૨૦૦થી લઇને ૫૦૦ થી વધુના મળે છે જયારે ડ્રેસ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધીમાં
તો ઝભ્ભા, શર્ટની કમત પણ વધીને ૨૦૦ થી ૧૦૦૦ થઇ યુવાનોમાં કોટન ખાદીનો વધુ ક્રેઝ.

ઊનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સાથે જ ઊનાળામાં ગરમીથી બચવા માટેના પણ લોકો નુસખા અપનાવતા થઇ ગયા છે. ગરમીથી બચવા કોટન કપડાનો ઊપયોગ વધુ થાય છે. પરંતુ આજકાલ વાનોથી લઇને ઢળતી ઉંમર સુધીના લોકોમાં પણ ખાદીનો વપરાશ વધ્યો છે.

સામાન્ય રીતે ખાદી એટલે નેતાઓથી પસંદ ગણાતી પરંતુ હવે બદલાતા સમય સાથે ખાદીની માંગ વધી રહી છે. તો સાથે-સાથે ખાદી વણતા વણકરો પણ અવનવી વેરાયટીઓ બજારમાં મૂકી રહ્યા છે. માત્ર શોખ માટે પહેરાતી ખાદી હવે યુવાનોમાં ગરમીથી બચવા માટેનું સાધન બની ગયું છે. તો સાથે સાથે ખાદીના કાપડનો વ
અને તૈયાર ખાદીના કપડાનો ભાવ ઊનાળો આવતા જ વધી જાય છે. ખાદી ગ્રામ ઊદ્યોગમાં તો બારેમાસ
ખાદીના ઝભ્ભા, શર્ટ વગેરે મળે છે.

પરંતુ હવે કાપડ બજારમાં ઊનાળો આવતા ખાદીની બોલબાલા વધી છે. શહેરનું હાર્દ ગણાતું લાલદરવાજા, ઢાલગરવાડ જેવા વિસ્તારમાં ખાદીના કાપડની બોલબાલા વધી છે. તો વળી તૈયાર કપડામાં પણ આ
વિસ્તારમાં અનેક વેરાયટીઓ ઊપલબ્ધ છે. પરંતુ ભાવમાં ચોક્કસ વધારો થયો છે. આ સંદર્ભે ખાદીના કૂર્તા-શર્ટ
અને ઝભ્ભાનું વેચાણ કરતા અનીશભાઇ જણાવે છે કે પહેલા ઊનાળામાં માત્ર કોટનના કપડા જ વધુ વેચાતા તા
પરંતુ છેલ્લાં ઘણા સમયથી ખાદીની ફેશનયુવાનોમાં વધી છે. જેના કારણે કોલેજ ગર્લ કૂર્તી, ડ્રેસ અને યુવાનો ઝભ્ભા શર્ટ વગેરે લઇ જાય છે. કોટનની કુર્તીઓ ૧૫૦ થી ૩૦૦માં મળે છે. જયારે ખાદીની ર્કાૃિતઓ ૨૦૦ રૂપિયાથી થરૂ થઇ ૪૦૦,૫૦૦ જેવી પસંદ તેવી મળે છે. કોલેજિયન યુવતીઓ આ ર્કાૃિતઓની ખરીદી વધુ કરે છે. જયારે નોકરિયાત યુવતીઓ અને મહિલાઓ પહેલા કોટન કાપડના કપડા ખરીદતી હતી જે હવે ખાદીના ડ્રેસ
ખરીદે છે. જેના ભાવ ૩૫૦ થી લઇને ૧૦૦૦ સુધી ના હોય છે. તો વળી યુવાનો પણ ફેશનમાં પાછળ નથી તે
પણ ઝભ્ભા-શર્ટ માટે થઇને ૨૦૦થી ૧૦૦૦ ખર્ચી નાંખે છે કારણકે ઊનાળામાં ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ ગરમીથી બચવા માટેનું સાધન પણ ગણાય છે. પહેલા માત્ર ખાદી મળતી હતી પરંતુ હવે ખાદીના કાપડ ઊપર પણ અવનવી ડિઝાઇન બનાવવામાં આવે છે. જેનો ભાવ પણ આસમાને હોય છે છતાં જેને કંઇક અલગ પહેરવાનો શોખ હોય છે અને ગરમીમાં વધુ ફરવાનું હોય તે લોકો વેરાયટી ખરીદી જ લે છે. ખાદી પર એમ્બ્રોડરી કરીને પણ વેચવામાં આવે છે.

ખાદીના કાપડનું પણ ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. સારૂ કાપડ ૧૦૦ થી ૧૧૦માં મળે છે અને જેમ જેમ પસંદગી ઊંચી તેમ - તેમ ભાવ વધતા જાય છે. પરંતુ માત્ર ઊનાળા પૂરતી જ ખાદી પહેરવાના શોખીન લોકો ઓછા ભાવની ખાદી સહેલાઇથી ખરીદી લે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે હવે ખાદી માત્ર ફેશન જ નહ પરંતુ જરૂરિયાત અને સ્ટેટસ પણ બની ગઇ છે. ગ્રામણી વણકરોને ખાદી માટે ખાસ ટ્રેનગ અપાય છે.

પહેલા ખાદી માત્ર સફેદ કલરની જ બનતી પરંતુ હવે ગ્રામીણ કક્ષાએ વણકરોને ટ્રેનગ અપાય છે. અને ખાસ
યંગ જનરેશનને ધ્યાનમાં રાખી ડિઝાઇન બનાવાય છે. ગામડાના વણકરોને ખાદીમાં નવી ડિઝાઇન અને કલર્સ અંગે ટ્રેનગ આપીને બ્રાન્ડેડ ગારમેન્ટસનું ઊત્પાદન કરવામાં આવે છે. ઊનાળા માટે કમ્ફર્ટેબલ રહેતી ખાદીમાં હવે દરેક કલર અને વેરાયટી જોવા મળે છે.

Saturday, May 5, 2012

પશ્ચિમમાં રગરોડને જોડતા તમામ માર્ગો બિસ્માર છતાં તંત્ર બેપરવાહ

મ્યુનિ. તંત્રની બેદકારીના કારણે પ્રતિદિન હેરાન થતાં લાખ્ખો લોકો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓએ સત્તાનો દોર પુનઃ સંભાળ્યા બાદ ખાસ કરીને શહેરના પશ્ચિમના નાગરિકોની હેરાનગતિ વધવા પામી છે. તેમાં પણ ખાસ કરીને રગરોડને
સાંકળતા તમામ માર્ગો અત્યંત બિસ્માર બની ચૂકયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા પ્રતિદિન લાખ્ખો લોકો ભારે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ખુદ પશ્ચિમ વિસ્તારના છે. તેમ છતાં આ સ્થિતિમાં કોઈ સુધારો નહિ થતો હોવાની ફરિયાદ વ્યાપક છે. ખાસ કરીને એસ.જી. હાઈવેથી બોપલ તરફ જવા
માટેનો ઈસ્કોનથી આમલી થઈને બોપલ જતો માર્ગ છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રકારના ખોદકામોના કારણે ઠેર ઠેરથી ડાયવર્ઝનથી ભરેલો છે.

જેના કારણે પ્રતિદિન આ માર્ગ ઊપર અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. તેવી જ રીતે રાજપથ કલબની બાજુમાંથી પસાર થતા માર્ગની પણ છેલ્લા બે વર્ષથી આવી જ હાલત રહેવા પામી છે. જેના કારણે આ માર્ગ ઊપરથી પણ વાહન ચાલકોને કફોડ હાલતનો ભોગ બનીને જ
પસાર થવું પડે છે. ઊપરાંત શનિરવિ દરમિયાન અહ કલબના સભ્યો દ્વારા રોડ ઊપર જ આડેધડ વાહનોનું પાર્કીંગ કરાતું હોવા છતાં મ્યુનિ. તંત્ર કે ટ્રાફીક પોલીસ દ્વારા કોઈ જ પગલા નહિ ભરાતા હોવાથી ભૂલેચૂકે પણ આ માર્ગ ઊપર નીકળનારાની હાલત કફોડી બની રહે છે.

Friday, May 4, 2012

Ahmedabad City - રૂ. ૬૪ કરોડના ખર્ચે તૈયાર વાડજ અને પરિમલ બિ્રજ નું લોકાર્પણ

દધિચી ઋષિ દૂધેશ્વર વાડજ રીવરબિ્રજ અને ભગીની નિવેદીતા પરિમલ રેલવે અન્ડર બિ્રજનું નામામિધાન.

મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ અમદાવાદને કુલ રૂ.૬૪ કરોડના ખર્ચે નવર્નિિમત બે બિ્રજનું લોકાર્પણ કરતાં દૂધેશ્વર વાડજના સાબરમતી નદી ઊપરના રીવરબિ્રજનું દધિચી ઋષિબિ્રજ અને પરિમલ રેલેવે અન્ડરબિ્રજનું ભગીની નિવેદીતા બિ્રજ નામાભિધાન જાહેર કર્યું હતું અને કેન્દ્ર સરકારને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવાનું આહ્વાન આપ્યું હતું.

રૂ. ૪૬ કરોડના ખર્ચે બંધાયેલા સાબરમતી નદી ઊપરના દસમા અને સૌથી પહોળા છ લેનના ઓવરબિ્રજનું શાહીબાગમાં લોકાર્પણ કરી નરેન્દ્ર મોદી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાષ્ણ અડવાણીએ પાલડી ખાતે વિશાળ જનસભામાં સંબોધન કરતાં પૂર્વે પરિમલ રેલવે અન્ડબિ્રજનું ઊદ્ઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદી ઋષિ દધિચીના નામ સાથે સાબરમતી વાડજ ગાંધી આશ્રમથી દૂધેશ્વર સુધીના નદી ઊપરના બિ્રજની ચિરંજીવ સ્માતિ રાખવાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, દધિચી ઋષીએ દાનવોની પીડામાંથી મુકત કરવા પોતાના શરીરના હાડકાંનો વિલય કરી માનવજાતને બચાવી હતી.

આ દધિચી મુનિની પવિત્ર ધરતી ઊપર સાબરમતી નદીમાં નર્મદા વહેતી કરીને એક આધુનિક વિકાસ કરીને ગુજરાતે નવી કેડી કંડારી છે. મુખ્યમંત્રીએ ભગીની નિવેદિતાના પૂણ્યતિથીના સો વર્ષ નિમિત્તે એક વિદુષી નારીએ ભારત માતાની આધ્યાત્મિક ભકિત માટે ભારતમાં આવીને વસ્યા તેનું નામ પરિમલ રેલવે અન્ડરબિ્રજ સાથે જોડાયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાત વિરોધી પરિબળો અને કાગ્રેસના અપપ્રચારથી ચલિત થયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા પુરા વેગથી આગળ વધારશે એવો નિર્ર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકાૃષ્ણ અડવાણીજીએ જણાવ્યું કે મોદીએ વિકાસની અનેક નવીન સિધ્ધિ મેળવી છે અને ગુજરાતને સુશાસન આપ્યું છે. પરંતુ સાબરમતી નદી વિકાસનો રિવફ્રંટ પ્રોજેકટ કરીને નવી શુદ્ધિકરણનો વિકાસનો ચમત્કાર કરી બતાવ્યો છે. અડવાણીએ અમદાવાદના આધુનિક શહેરી વિકાસ અને સાબરમતી નદીને નર્મદાનું પાણી તથા શહેરના નવા પુલો આપવા માટે પણ રાજય સરકારને.

Thursday, May 3, 2012

ફિક્સપગાર કર્મીઓનું વેતન ૧૦૦૦થી ૪૦૦૦ વધી જશે


વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો સહિત નાના કર્મચારીઓની કદર.

રાજય સરકારમાં ફીક્સ માસિક પગારથી સેવારત એક લાખથી અધિક કર્મચારીઓનેફીક્સ વેતનમાં વધારો

આપવાનો સ્તુત્ય નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતની દશ વર્ષની કર્મયોગી બનીને જનસેવામાં જોડાયેલા આ એક લાખ જેટલા અદના કર્મચારીઓના ફીક્સ માસિક પગારની ચાર કેટેગરીઓમ ાં રૂપિયા ૮૦૦ થી લઇને રૂપિયા ૪૪૦૦ જેટલો માસિક ફીક્સ પગાર વધારો અપાશે એમ તેમણે જણાવ્યું હતું.

રાજય સરકારમાં ફીક્સ પગાર મેળવતા આવા એક લાખથી વધારે કર્મયોગીઓમાં  મુખ્યત્વે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સંકલ્પ બદ્ધ વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, વહીવટી સહાયકો, કારકુન,

વનપાલ સહાયકો, રેવન્યુ તલાટી જેવા મહિને રૂપિયા ૪૫૦૦નું ફીક્સ વેતન મેળવતા કર્મચારીઓ ફરજ બજાવે છે.

તેમના પગારમાં રૂપિયા ૮૦૦નો વધારો કરીને રૂપિયા ૫૩૦૦ ફીક્સ વેતન નક્કી કરવામાં આવ્યું છે. જયારે હાલમાં શિક્ષણ સહાયકો જેવા માધ્યમિક શિક્ષણના સેવાકર્મીઓ રૂપિયા ૫૦૦૦નું ફીક્સ વેતન મહિને મેળવે છે તેમને હવે રૂપિયા ૯૪૦૦નો ફીક્સ પગાર એટલે કે માસિક રૂપિયા ૪૪૦૦નો વધારો મળશે. હાલ માસિક રૂપિયા ૬૦૦૦નો ફીક્સ પગાર મેળવતા ઉચ્ચ શિક્ષક સહાયકો, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો જેવા કર્મયોગીઓને માસિક રૂપિયા ૪૦૦૦નો વધારો આપીને રૂપિયા ૧૦,૦૦૦નો નવો ફિક્સ પગાર મળવાપાત્ર

થશે. સેવકો, સાથી સહાયકો, વનરક્ષક સહાયકો જેવા રૂપિયા ૩૫૦૦નો માસિક ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓને દર મહિને રૂપિયા ૧૦૦૦નો વધારો મળશે જેથી તેમનો માસિક ફીક્સ પગાર વધીને

૪૫૦૦ થઇ જશે. જનસેવાને વરેલી સરકારના શાસનકાળના દશ વર્ષ પૂરા થઇ રહ્યા છે અને આજે ૧૧મા વર્ષમાં પ્રવેશી છે તે ગૌરવભર્યા અવસરે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ખૂબ મોટી ભેટ ફીક્સ પગાર મેળવતા એક લાખ જેટલા અદના કર્મચારીઓના હજારો પરિવારોના ઉમંગ ઉત્સાહને વધારશે એવી આશા અને સેવાનિષ્ઠાની કદરરૂપે જાહેર કરી છે.