Tuesday, October 25, 2011

Indian Railway News 2011 - ટ્રેનમાં ભોજન માઘું થશે

તંત્ર દ્વારા સાધારણ થાળીની જગ્યાએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરાશે.

વેજ-નોનવેજ થાળીના ભાવ સરખા મંગાવાયા.

થાળીની સાથે પીઝા-બર્ગર પણ મળશે રેલવેમાં હવે માત્ર રોટલી, દાળ, ભાત, શાક જ નહિ પરંતુ બાળકો અને હવે તો મોટેરાઓના પ્રિય પીઝા બર્ગર પણ મળશે.

સામાન્ય રીતે સેન્ડવિચ, કટલેસ તો ટ્રેનમાં વેચવા આવે જ છે.

પરંતુ જનતાથાળીની સાથે મુસાફર પીઝા અને બર્ગર પણ ઓર્ડરથી મંગાવી શકશે.

પેકગમાં ગરમ ગરમ પીઝા અને બર્ગરની મઝા માણવા માટે મુસાફરો હવે માત્ર ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણકે કદાચ બજારભાવ કરતાં રેલવેના પીઝા બર્ગર માઘા હોઇ શકે છે.

રેલવેમાં આવતા મુસાફરો માટે તંત્ર દ્વારા જનતા થાળી શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે આ જનતા થાળીના
ભાવમાં પણ વધારો ઝકી દેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રેનમાં મળતી જનતા થાળી જે ૨૭ રૂપિયામાં મળતી હતી તે હવે ૬૫ રૂપિયાની થઇ ગઇ છે.

મધ્યમ વર્ગના લોકો માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી પરંતુ હવે તેના ભાવ વધી ગયા છે. તો સાથે જ તેને નવાસ્વરૂપે રજૂ કરાશે. થાળીમાં જમવાની આઇટમની સંખ્યામાં વધારો કરી દેવામાં આવશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા અગલઅલગ થાળીની જુદી-જુદી કમત રહેતી હતી. શાકાહારી થાળી લેવી હોય તો રૂપિયા ૨૭ ચૂકવવા પડતા હતા. જેમાં રોટલી, દાળ-ભાત,શાક, દહ, અથાણું જેવી આઇટમ હતી જે મુસાફરોએ ઇંડા કરી ખાવા ઇચ્છા હતા તેમને માટે રૂપિયા ૨૭ની થાળી મળતી હતી. પરંતુ હવે સાધારણ થાળીની જગ્યાએ રેલવેએ ત્રણ પ્રકારની થાળી શરૂ કરી છે.

વેજ અને નોનવેજની કમત એક સરખી કરી દીધી છે. કોઇ પણ થાળી માટે રૂપિયા ૬૫ ચૂકવવા પડશે.થાળીની કમત વદારી દીધી છે. આઇટમ પણ વધારી દીધિ છે. પરંતુ કોન્ટિટી કેટલી હશે અને તેનાથી મુસાફરને સંતોષ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે મુસાફરોને ભોજનમાં વેરાયટી નહ પરંતુ સાફ અને સસ્તુ ભોજન જોઇતું હોય છે. ૨૭ રૂપિયાની થાળી મુસાફરો સહેલાઇથી ખરીદી લેતા હતા પરંતુ હવે ૬૫ રૂપિયાની થાળી ખરીદવા મુસાફરે વિચાર કરવો પડશે.

Monday, October 24, 2011

Gujarati News 2011 - શાળાઓમાં બાળકોને શારીરિક અને માનસિક સજાપર પ્રતિબંધ

જે શિક્ષક દ્વારા સજા અપાશે તે શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણયનો જૂન-૨૦૧૧થી અમલ થશે.

શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે. પરંતુ કેન્દ્ર
સરકારનાં રાઇટ ટૂ ફ્રી અન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ મુજબ બાળકોને અપાતી માનસિક કે શારીરિક સજા પર પ્રતિબંધ મૂકાઇ ગયો છે.

જેનો અમલ જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી થશે એટલું જ નહિ આવો ત્રાસ ગુજારનાર શિક્ષકો વિરુદ્ધ
કડક પગલાં ભરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાઇટ ટૂ એજયુકેશન હેઠળ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારો અપાયા છે.

જેનો અમલ કરવા અંગે રાજય સરકાર વિચારણા કરી રહી હતી. જેમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત શિક્ષણ મળવું જોઇએ તેમજ બાળકો પર કયારેય શારીરિક કે માનસિક સજા ન કરવી જોઇએ.

જો કોઇપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર શારીરિક સજા આપવામાં આવશે તો તે શિક્ષક ઊપરાંત શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ તો જો કે બાળકો ભણતા નથી અને તોફાન કરી બીજા બાળકોને નુકસાન પહાચાડે છે તેમ કરીને ઘણીવાર કેટલાક શિક્ષકો દ્વારાબાળકોને માર મારવામાં આવતો જેથી બાળકો પર વિપરીત અસર થતી જાણવા મળી હતી ત્યારે કેટલાક શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થી ભણતો નથી અને તોફાન કરે છે કે પછી બીજા કોઇપણ કારણો જણાવીને શિક્ષકો દ્વારા પોતાનો પક્ષ રજૂ કરી દેવામાં આવતો હતો ત્યારે ઘણીવાર એવું પણ થતું કે બાળકો ડરના કારણે શાળા છોડી દેતા અને શાળાએ જતા ડરતા હતા તો કયારેક બાળકોને કોઇ એવી જગ્યાએ વાગી જાય તો હંમેશા માટે તે બાળકને હેરાન થવું પડતું કે પછી બાળકને શિક્ષકોએ માર માર્યો હોય તે યાદ કરીને બીજા વિદ્યાર્થીઓ હેરાન પણ કરતા.

આમ આવી બધી અનેક ઘટનાઓ બહાર આવવાથી રાઇટ ટૂ એજયુકેશન હેઠળ રાજય સરકારે આગામી સત્રથી એવો નિર્ણય લીધો છે કે હવે જે પણ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક સજા કરવામાં આવશે તે શાળાના શિક્ષક સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઊપરાંત તે શાળાના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Saturday, October 22, 2011

Ahmedabad Municipal Corporation 2011 - વાહનવેરાનાદરમાંવધારો કરવાનો નિર્ણય

સ્કુટર-દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકાનો વેરો વસુલાશે : ગત વર્ષે વેરાની આશરે ૧૯ કરોડની આવક

અ.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વાહનવેરાના દરમાં વધારો કરવા નિર્ણય કરાયો છે.

આ બાબતે આજે મળેલી સ્ટેન્ડગકમિટીની બેઠકમાં વાહનો પર વર્તમાન દરના બદલે બેઝીક કમત ઊપર ટકાવારી મુજબ નવા વેરાની વસુલાત કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

આજીવન વાહન વેરામાં વધારાની દરખાસ્તને રાજય સરકાર સમક્ષ મંજુરી માટે મોકલાશે. જેમાં સ્કુટર-મોટર અને દ્વિચક્રી વાહનો પર મૂળ કમતના ૨.૫ ટકા વેરો વસુલાશે.

જયારે ઓટોરિક્ષા, લોડગ રિક્ષા, મોટરકાર, ટ્રક- મોટી બસ વગેરેમાં ૧૧ ટકા લેખે વેરો વસુલાશે.

અગાઊ સ્કુટર-દ્વિચક્રી વાહનો પર ૧ હજાર રૂપિયા વેરો વસુલાતો હતો. જયારે જુના દર હેઠળ ઓટોરિક્ષામાં ૧૨૦૦, ટ્રક મીનીબસમાં ૮૦૦૦, મોટરકાર જીપમાં ૨૦૦૦ વેરો વસુલાતો હતો. દરમિયાન ૨૦૦૯-૧૦માં આજીવન વાહન વેરાની રૂ. ૧૯ કરોડ આવક પ્રાપ્ત થઈ હતી.

જયારે ૨૦૧૦-૧૧ માર્ચ માસ સુધી આશરે રૂા. ૨૫ કરોડની આવક મળી હતી. આમ હવે આગામી સમયમાં વાહન વેરાના દરમાં વધારો થતાં મ્યુનિ. કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે.

Gujarat Education News India - આ વર્ષે ધો.૧૨ની ફેર પરીક્ષા

દર વર્ષ ફેર પરીક્ષા મોડી લેવાતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખાઓમાં એડમિશન લઇ શકતા નહોતા.

ધો.૧૨ બોર્ડની લેવાયેલી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી પાંચમાં મહિનામાં જાહેર કરવામાં આવશે. ત્યારે આ પરિણામમાં ફકત એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા માત્ર એક માસના ટૂંકા સમયગાળામાં જ લઇ લેવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

જેમાં એક જ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઇજનેરી કે ફાર્મસીમાં એડમિશન લઇ શકે.

ત્યારે આ નિર્ણયની વિધિવત્ જાહેરાત આગામી ૧૨મી મેના રોજ કરવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનું આખું વર્ષ ન બગડે તે માટે માધ્યામિક-ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તથા સંયુકત પ્રવેશ સમિતિ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ઊલ્લેખનીય છે કે ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૧૨મી મેના રોજ જાહેર થવાનું છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે કે અભ્યાસમાં હોશિયાર વિદ્યાર્થી કોઇ કારણોસર એકાદ વિષયમાં નાપાસ થઇ જતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે.

આમતો જોકે માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સનુંપરિણામ જૂનમાં જાહેર થાય છે. અને પૂરક પરીક્ષાનું ઓકટોમ્બરમાં લેવામાં આવતી હતી. ત્યારે આ પરિસ્થિતિમાં પાછળથી જે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થાય છે.

તેઓ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્સમાં જોડાઇ શકતા નથી અને વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ધો.૧૨ સાયન્સના પરિણામ જાહેર થવાના એક જ મહિનામાં ફેર પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.

અને તેનું પરિણામ એક જ સપ્તાહમાં જાહેર કરી દેવાશે જેથી વિદ્યાર્થી તે જ વર્ષમાં ઊચ્ચ અભ્યાસ માટેની
પ્રવેશ પ્રક્રિયામાં સામેલ થઇ શકે. ત્યારે ગત વર્ષે સ્વનિર્ભર ઇજનેરી કોલેજમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જગ્યાઓ ખાલી રહી હતી.

ત્યાર ચાલુ વર્ષે બોટાદ, વઢવાણ સહિત છ શહેરોમાં નવી ઇજનેરી કોલેજો ખુલવાની છે.

Indian Railway News 2011 - ટૂંક સમયમાં વેબ પોર્ટલ શરૂ કરવામાં આવશે

સીએજીની મંજૂરી મળતા પોર્ટલ શરૂ કરાશે જેનાથી ઇ ટિકિટ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ મુસાફરો લઇ શકશે.

રેલવે મુસાફરો ટૂંક સમયમા ંજ રેલવેના નવા વેબપોર્ટલથી ઇ-ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધાનો લાભ લઇ શકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે દ્વારા વેબપોર્ટલથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટની સુવિધા શરૂ કરાશે.

રેલવેએ નવું વેબ પોર્ટલ તૈયાર કરી લીધું છે. આ પોર્ટલ માટે હાલમાં સીએજીની મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી મળતા જ મુસાફરો માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ પરથી ટિકિટ સિવાય રેલવે અંગેની તમામ માહિતીઓ મુસાફરોને મળી શકશે.

શરૂઆતમાં વેબ પોર્ટલ પરથી ઇ ટિકિટગ અને મોબાઇલ ટિકિટગની સુવિધા શરૂ કરાશે. ત્યાર બાદ રિટાયરગ રૂમ અને કલોક રૂમનું બુકગ રેલવેની સંબંધિત તમામ કાર્યો આ પોર્ટલ ઊપર ઊપલબ્ધ થઇ શકશે.

હાલ ટિકિટગ બુકગ માટે લાંબી-લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે તો વળી ઘણી વાર તો ટિકિટ બુક પણ થઇ શકતી નથી. વેબપોર્ટલથી ઇટિકિટગ અને મોબાઇલ ટિકિટગ મેળવવી સહેલી રહેશે.

આ સુવિધા મુસાફરો માટે ઘણી લાભદાયી નીવડશે.

Ahmedabad Municipal Transport Corporation - હવે ઈ-ટિકિટ ઈશ્યૂ કરશે

૫૦૦ જેટલી નવી બસો રોડ ઊપર દોડતી કરાશે.

પાંચ વર્ષનો અનુભવ અને એક કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીને કોન્ટ્રાકટ અપાશે .મ્યુનિ. કોર્પોરેશન
દ્વારા બીડ મંગાવાયા.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ર્સિવસ દ્વારા મુસાફરોને અપાતી ટીકીટોમાં હવે અપગ્રેડેશન કરીને ઈટીકીટ સીસ્ટમનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમજ તે માટે બીડ મંગાવવામાં આવ્યા છે. આગામી તા. ૫મી મે સુધીમાં આ બીડ મંગાવ્યા બાદ તે બાબતે નિર્ણય કરાશે તે જોતા આગામી ચારેક મહિના બાદ મુસાફરોને ઈ ટીકીટ ઈસ્યુ કરાશે. સૂત્રોએ જણાવ્યુ હતું કે આ માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો આ ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ ધરાવનારી તેમજ
રૂા. એક કરોડ કે તેનાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીને આ બાબતના કોન્ટ્રાકટ માટે લાયક ગણાશે. જો કે બીડ મેળવનારી કંપનીએ એક વર્ષ સુધીનો ટીકીટીગને લદતો તમામ પ્રકારનો ડેટા સંગ્રહિત કરી રાખવો પડશે. જેમાં ત્રણ મહિનાનો કરંટ ડેટા હાથ વગો રાખવો પડશે.

જયારે અગાઊના નવ મહિનાનો ડેટા પોતાના સ્ટોરેજ ખાતે ઊપલબ્ધ રાખવો પડશે. તે જયારે પણ તંત્ર દ્વારા
માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનો રહેશે. આ માત્રૅ જીસીસી જનરલ કન્ડીશન ઓફ કોન્ટ્રાકટમાં સંખ્યાબંધ બાબતોને આવરી લેવામાં આવી છે.

કંપનીએ આ માટે ઈલેકટ્રોનિક હેન્ડ ટર્મીનલ ઈસ્યુ કરવાના રહેશે. તેમજ તે માટેનું ખાસ સોફટવેર પણ વિકસાવવાનું રહેશે. તે ઊપરાંત ખાસ સેન્ટ્રલ કંટ્રોલિગ સીસ્ટમ વિકસાવવાની રહેશે. જો કે આ માટેના હાર્ડવેર યુનિટો માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાશે.

આ પ્રકારે ઈ ટીકીટો ઈસ્યુ થતાં જ ટીકીટોમાં કેટલાક કન્ડકટરો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેના ઊપર
આપોઆપ નિયંત્રણ આવી જશે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સરિવ્સ પાસે હાલ ૮૫૦ જેટલી બસો છે. જેમાં તંત્રની ખુદની ૪૫૦ જેટલી બસો છે.

જયારે ખાનગી કોન્ટ્રાકટરની ૩૫૦ જેટલી બસો છે. જો કે ખાનગી કોન્ટ્રાકટરની બસોના અનેક ધાંધિયા ચાલી રહ્યા છે. જેના કારણે પ્રતિદિન રોડ ઊપર માત્ર માત્ર ૭૫૦ જેટલી જ બસો દોડતી રહે છે. તેમાં પણ બ્રેક ડાઊન થતી બસોની સંખ્યા મહત્તમ હોવાના કારણે મોટાભાગના સ્ટેન્ડો ઊપર મુસાફરોને કલાકો સુધી બસની પ્રતિક્ષા માટે ઊભા રહેવું પડે છે.

અમ્યુટ્રાસ દ્વારા જે આઠ ટર્મીનસો દ્વારા બસોનું સંચાલન કરાય છે. તેમાં સૌથી વ્યસ્ત ટર્મીનલ લાલ દરવાજાનું છે. જયાંથી બંને શીફટમાં થઈને કુલ્લે ૩૯૦ જેટલી બસોનું પ્રતિદિન સંચાલન થાય છે. કયા ર્ટિમનલ ઊપરથી કેટલી બસોનું સંચાલન થાય છે તેની વિગતો આ પ્રમાણે છે.

Friday, October 21, 2011

Gujarat Economics News - નવી ર્સિવસ ઊપર ૧લી મેથી ર્સિવસ ટેકસનો અમલ કરાશ

કોચગ અને ટ્રેનગ સંસ્થાને પણ કરવેરા લાગુ પડશે.

કેન્દ્રના નાણા મંત્રાલયના બજેટમાં કાયદામાં તમામ નવી ર્સિવસ ઊપર ર્સિવસ ટેકસનો ઊમેરો કરવામાં આવશે. આ અંગેના નોટિફિકેશન જાહેર થઇ ચૂકયા છે. કોચગ અને ટ્રેનગ સંસ્થાઓ પણ કરવેરાની જાળમાં આવી જશે.

સેન્ટ્રલ બોર્ડ આૅફ એકસાઇઝ અન્ડ કસ્ટમ્સ વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ કાયદા દ્વારા માન્ય ન હોય તેવા શોર્ટ ટર્મ કોર્સ ચલાવતી હોય તેવા પ્રકારના કોચગ કલાસે ર્સિવસટેકસ ભરવો પડશે.

આવી સંસ્થાઓએ હવે ર્સિવસટેકસના કાયદાની કલમ સેકશન-૬૬ મુજબ ૧૯૯૪ અન્વયે કરવેરાને પાત્ર છે.

યુનિર્વિસટી અને બોર્ડ માન્ય કોર્સ કોલેજ કે સ્કૂલ ચલાવતી હોય તેમને મુકિત અપાઇ છે. લાઇફ ઈન્સ્યૂરન્સના યુલિપ પ્લાનમાં બ્રેકઅપ મુજબ પ્રિમિયમના રિસ્કમાં કવર કરેલા રૂપિયા મુજબ તેના પર ૧૦.૩૦ ટકા અને બ્રેકઅપ કંપની ન આપતી હોય તો ગ્રોસ પ્રિમિયમના ૧.૫ ટકા ર્સિવસટેકસ ભરવાને પાત્ર બનશે. તમામ વેકેશનલ કોર્સ પર ર્સિવસટેકસ લાગુ કરાશે.

એકસપોર્ટ ર્સિવસ અને કરવેરા સલાહકારો કે જેઓ ભારતમાંથી વિદેશમાં સલાહ આપતા હોય છે તેમાં ર્સિવસ ટેકસ છે એટલે આવી સેવાઓ પાછી ખચી લેવાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Wednesday, October 5, 2011

Amdavad Airport - ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઊપડશે

પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી અમલ કરાશેઃ કસ્ટમ અને ઈમિગ્રેશનને વાંધો હોઇ શકે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ અરપોર્ટ ખાતે ૧લી મે થી એક નવી વ્યવસ્થા જેમ કે અરઈન્ડિયાની તમામ ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવાનો નિર્ણય અરઈન્ડિયાએ લીધો છે.

આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાયોગિક ધોરણે ૧લી મે થી ૨જી મે સુધી આ પ્રકારે ડોમેસ્ટિક ફલાઇટો ઈન્ટરનેશનલ ર્ટિમનલથી અરપોર્ટ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અૅરપોર્ટ ઓથોરિટિ અને અરઈન્ડિયાના સત્તાવાળા વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે અરઈન્ડિયાની ડોમેસ્ટિક ફલાઇટો નવા
ઈન્ટરનેશનલ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવશે. અરપોર્ટના સૂત્રો અનુસાર આ અંગે તત્કાલિન નાગરિક ર્ઊીયનમંત્રી પ્રફુલ્લ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું કે
અરઈન્ડિયાની અમદાવાદ અૅરપોર્ટથી તમામ ફલાઇટો એક જ ર્ટિમનલથી ઓપરેટ કરવામાં આવે. જો કે આ દરખાસ્ત સામે કસ્ટમ અને ઈમિગ્રેશન વિભાગને વાંધો હોઇ શકે છે.

Thursday, September 22, 2011

Maruti Ritz - મારુતિ સુઝુકી દ્વારા ‘રિટ્ઝજીલે યે પલ’


મારુતિ સુઝુકી દ્વારા રિટ્ઝ બ્રાન્ડ ‘રિટ્ઝ-જીલે યે પલ’ નામનો એક ટીવી શાૅ શરૂ કરવામાં આવ્યો છે.

આ શાૅસ્ટારપ્લસ પર ૧૦મી સપ્ટેમ્બરથી શરૂ કરાયો છે અને શાૅ માં ૬ સેલિબિ્રટી જોડી ભાગ લેશે.

જેમાંથી સ્પર્ધાને અંતે વિજેતા જોડી બનનારને રિટ્ઝ કાર ભેટ અપાશે. રિટ્ઝ-જીલે યે પલ એક રિયાલિટી શાૅ છે. જેમાં ડ્રામા, ખુશી અને ઇમોશનલ સહિતના દરેક પાસાને વણી લઈને ૧૨ એપિસોડનો એક શાૅ તૈયાર કરાયો
છે. આ શાૅ ની જોડીમાં કિશુંક મહાજન, અનુપ્રિયા કપૂર, કરણ વાદી, રતિ પાંડે, ગૌર ખન્ના, પવિત્ર પુણિયા સહિતના ટીવી કલાકારો હશે. છ સપ્તાહ સુધી ચાલનાર આ શાૅ દર શનિ-રવિ સાંજે ૭-૩૦ વાગ્યે પ્રસારિત
કરાશે. આ સંદર્ભે મારુતિ સુઝુકીના ચીફ જનરલ મેનેજર- માર્કેટિંગ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમારી આ નવી કાર રિટ્ઝે દરેક પળને જીવંત બનાવવાનો અહેસાસ કરાવે છે. આ અહેસાસને બરકરાર રાખવા માટે દરેક પળને જીવંત બનાવે છે.

Tuesday, September 20, 2011

નવા વિસ્તારોને ૧૫ કરોડના ખર્ચે ઝળહળતા કરાશે - રમેશ દેસાઈ

ટ્રાફિકની સમસ્યા હલ કરવા શહેરમાં વધુ ૧૦ બિ્રજ બનશે.

અમદાવાદ શહેરમાં ચારેબાજુ હાલ વિકાસના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજા રાજયના લોકો આજે રોજીરોટી મેળવવા ગુજરાતને અને તેમાં પણ અમદાવાદ શહેરને પસંદ કરવા લાગ્યા છે.

સોનીની ચાલ, જમાલપુર, શાહીબાગ, ગોતા, પરિમલ અન્ડરપાસ અને દૂધેશ્વરબિ્રજ તેનાથી ટ્રાફિકનું ભારણ ઓછું થવા પામ્યું છે.

અમરાઈવાડીના સ્લમ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવી પાયાની સુવિધા અપાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરાવી.

ઉત્તર ગુજરાતના પાટણના ધીણોજ ગામના વતની અને પ્રવાસની સાથે વાંચનનો શોખ ધરાવતા તથા કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અમરાઈ વોર્ડના કાઉન્સિલર અને મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિના ચેરમેન
રમેશ દેસાઈએ ‘માનવમિત્ર’ને આપેલી મુલાકાતમાં પોતાના હૃદયની વાત કરતા ‘માનવમિત્ર’ દૈનિકને શુભેચ્છા પણ પાઠવી હતી.

મ્યુનિ.ના રોડ અન્ડ બિલ્ડિંગના પોતાના વિભાગની વાત કરતા રમેશ દેસાઈએ મ્યુનિ.ના શાસકપક્ષની દિર્ધ દૃષ્ટિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચારેબાજુ હાલ વિકાસના કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજા રાજયના લોકો આજે રોજીરોટી મેળવવા ગુજરાતને અને તેમાં પણ અમદાવાદ શહેરને પસંદ
કરવા લાગ્યા છે તેથી વસ્તી વિસ્ફોટ થતા મ્યુનિ. કોર્પોરેશનના સિમાડા વધ્યા છે.

તેની સાથે વાહનોની ભરમાર વધતા ટ્રાફિકને પ્રશ્ન સર્જાતા તેને હળવાશભર્યો બનાવવા શહેરમાં જયાં જરૂર જણાઈ ત્યાં ફલાયઓવર બિ્રજ બનાવ્યા. હાલ ૧૦ બિ્રજના કામ ચાલુ છે. તે પૈકી છ બિ્રજના લોકાર્પણ કરવામાં આવ્યા છે.

જેમાં સોનીની ચાલ, જમાલપુર, શાહીબાગ, ગોતા, પરિમલ અન્ડરપાસ અને દૂધેશ્વરબિ્રજ તેનાથી ટ્રાફિકનું
ભારણ ઓછું થવા પામ્યું છે. બાકીના ચાર બિ્રજના કામ પ્રગતિમાં છે. વધુમાં જણાવતા રમેશ દેસાઈએ જણાવ્યું કે કુબેરનગરના આઈટીઆઈ અન્ડરપાસ અંગે વિવાદ ચાલ્યો પરંતુ ત્યાંથી પસાર થતી રાસ્કાની લાઈન તથા ડ્રેનેજની લાઈનો ખસેડવાની કામગીરી ઉપરાંત રેલ્વેની મંજૂરીને લીધે વાર લાગી છે. નવા પશ્ચિમ ઝોનની સુવિધા માટે કહ્યું કે ત્યાં પ્રાથમિક સુવિધા તબક્કાવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. લાઈટના ટેન્ડરો
ખૂલ્યા છે. રૂા. ૧૫ કરોડના ખર્ચે લાઈટના થાંભલા નવા વિસ્તારોમાં નાખવામાં આવશે. જયાં જરૂર પડશે ત્યાં ધારાસભ્યો, કોર્પોરેટરોના બજેટનો પણ ઉપયોગ કરવામાં આવશે. શહેરના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું
હતું કે રાણિપ બલોલનગર પાસે ઓવરબિ્રજ ઉપરાંત ચીમનભાઈ બિ્રજની બાજુમાં નવો ફલાયઓવર બીઆરટીએસ માટે બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે.

પરંતુ તમામ નવા કામો ચોમાસા પછી ચાલુ કરવામાં આવશે. આગામી ચોમાસાને અનુલક્ષીને શહેરમાં ચાલતા
કામ તાકીદે પૂરા કરવાની તાકીદ કરવામાં આવી છે. જયારે પોતાના મત વિસ્તાર અમરાઈવાડી વોર્ડના સ્લમ
વિસ્તારની વર્ષો જુની પાયાની સુવિધા પર ધ્યાન આપી તે દૂર કરતા હર્ષની લાગણી જન્મી છે.

શહેરના મોટાભાગના રસ્તા રીસર્ફેશ કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાંથી રજૂઆતો આવે છે તેનો સર્વે કરાયા પછી તે કામને પ્રાધાન્ય આપવામાં આવે છે. પોતાની ફરજને સેવા ગણી સતત પ્રવૃત્ત રહેતા મ્યુનિ.ના રોડ અૅન્ડ બિલ્ડિંગના ચેરમેન રમેશ દેસાઈ તેમના શૈક્ષણિક કાર્ય દરમિયાન પણ અગ્રેસર રહ્યા છે. પોતાના વિસ્તારના લોકોની રજૂઆતો, ફરિયાદો સાંભળી તેનો યોગ્ય નિકાલ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા રમેશભાઈને ફુરસદની પળોમાં વાંચવાનો શોખ છે જેથી તેમની પાસે શબ્દભંડોળ સારંુ છે. મિલનસાર સ્વભાવ
હોવાથી સૌમાપ્રિય છે. આ સિવાય પ્રવાસનો શોખ છે. જયારે તહેવારોમાં સામાન્ય રીતે હિન્દુઓના તમામ તહેવારો શ્રેષ્ઠ છે.

પરંતુ તે પૈકી ઉત્તરાયણ વધુ પ્રિય છે. મિત્રો સંબંધીઓ સાથે ઉત્તરાયણ મનાવવી ગમે. પતંગના દાવપેચ
કરતા કરતા ધીરે ધીરે રાજકારણમાં પગરણ માંડી રહેલા રમેશ દેસાઈએ ‘માનવમિત્ર’ને શુભેચ્છા પાઠવી હતી.

Saturday, September 3, 2011

ભાજપ આઈટી સેલનો એક દિવસીય સેમિનાર યોજાયો

ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં આઈટીની ભૂમિકા સમજાવાઈ.

ભારતીય જનતા પાર્ટીની વિચાર અને વિકાસયાત્રાને આગળ ધપાવવાની સાથે સાથે ગુજરાતમાં તેને કેવી રીતે મજબૂત કરવા આઈ.ટી. માધ્યમનો બહોળો ઉપયોગ કરવા માટે ભાજપાના આઈટી સેલનું રાજયકક્ષાનું એક દિવસીય જિલ્લા કન્વિનર સહકન્વિનરોની એક બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ ગઈ.

તેમાં ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના વિવિધ સેલના સહપ્રભારી ડો. અનિલ પટેલે આઈ.ટી. સેલનું મહત્ત્વ સમજાવ્યું હતું. જયારે પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણિયાએ જણાવ્યું હતું કે ભાજપની વિચારધારાને જનજન સુધી પહોંચાડવામાં આઈ.ટી.ની ભૂમિકા અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમગ્ર રાજયના તમામ જિલ્લાઓના કન્વિનર - સહકન્વિનરની દિવસભર
ચાલેલી કાર્યશાળામાં વડોદરા શહેર પ્રમુખ ભરત ડાંગર, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા સહિત પ્રદેશના ઝોનલ હેડ પવન મિશ્રા, હિતેશ પટણી સહિત અનેક કાર્યકરોએ વિવિધ વિષયોનું માર્ગદર્શન પૂરં પાડવા
સાથે ભાજપની વિચારયાત્રા અને વિકાસયાત્રાને આગળ ધપાવવા આઈ.ટી. સેલને પ્રાધાન્ય અપાશે તેવું જણાવાયું હતું.

Friday, August 19, 2011

સીએનજીથી ચાલતી સ્કૂલવાનોમાં જતાં બાળકોના જીવ જોખમમાં

ગેસની ટાંકી ખરાબ હોય કે પછી થોડોક ગેસ લિકેજ થતો હોય તો ટાંકીમાં ધડાકો થવાની સંભાવના વધી જાય છ.

થોડાક દિવસો અગાઉ એક મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સીએનજી કીટ ધરાવતી એક કારમાં ભેદી
રીતે ધડાકો થયાના પગલે શહેરના વાલીઓમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે.

બાળકોને સ્કૂલે લઈ જતી વાન કે રિક્ષા સીએનજી કિટ ધરાવતી હોઈ આ વાહનોમાં પણ કદીક આવી દુર્ઘટના
સર્જાઈ શકે તેવી ભીતિ અંગેની વાલીઓની ચિંતા સાવ અસ્થાને પણ નથી.

સ્કૂલમાં જતું બાળક કેટલા અંશે સુરક્ષિત છે જે સ્કૂલવાનમાં બેસીને બાળક સ્કૂલમાં જાય છે તે વાનમાં ફીટ કરેલું ગેસ કીટ મોતનો સામાન બની શકે છે.

અમદાવાદમાં ત્રણ હજાર કરતાં વધારેસ્કૂલ વાનમાં રોજિંદા બાળકો મુસાફરી કરતાં હોય છે. મોટાભાગની સ્કૂલવાનમાં બાળકોને ગેસ કીટ ઉપસ બેસાડવામાં આવે છે.

બાળકોની આ મોતની મુસાફરીની કાળજી મા-બાપ લેતા નથી.અને સ્કૂલ મેનેજમેન્ટ પણ તે તરફ ધ્યાન આપતી નથી ત્યારે તાજેતરમાં જ ગાંધીનગરમાં એક ગાડીમાં ગેસ કીટના કારણે બ્લાસ્ટ થયો અને આખી ગાડી સળગીને રાખ થઈ ગઈ ત્યારે આવી ગેસ કીટો ધરાવતી સ્કૂલવાનમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે રોજ સવારે શાળાએ જતા પહેલા વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલવાન સુધી મૂકવા જાય છે અને જાતે એ સ્કૂલવાનોનો નજારો જુએ છે તેમ છતાં તેઓ એ રીતે નિશ્ચિત થઈને ફરે છે.

જાણે તેમને તેમના બાળકોની કંઈ પડી જ ન હોય. રસ્તા પર દોડતી સ્કૂલવાનો જોઈએ તો બાળકોને આ સ્કૂલવાનોમાં ઘેટાં-બકરાંની જેમ ભરેલા હોય છે. તેમાંય બાળકોના દફતરો તો એ રીતે બહાર લટકતા હોય છે જાણે બાળકોના ‘ભાર વિનાના ભણતર’નો અહેસાસ ન કરાવતા હોય. જો દફતર કદાચ પડી જાય તો લાગે કે બાળકના માથેથી ભાર ગયો.

મહત્ત્વની બાબત એ છે કે હમણાંથી જ શાળાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પેટ્રોલના ભાવ વધવાથી આ વર્ષે પેટ્રોલથી ચાલતી સ્કૂલવાનોમાં પણ ભાવોમાં ધરખમ વધારો થયો છે ત્યારે સીએનજી કીટ ધરાવતા વાહનો વાલીઓને પેટ્રોલથી ચાલતા વાહનોની સરખામણીએ સસ્તા પડે છે.

Thursday, August 18, 2011

ઇજનેરીઅનેફાર્મસીમાંવિદ્યાર્થીઓ પર ૫૦ ટકા સુધી ફી વધારો ઝીંકાશે

ફી રેગ્યુલેટરી કમિટિ દ્વારા કોલેજના સંચાલકોની રૂબરૂ રજૂઆત સાંભળવાનો દોર શરૂ.

ગુજરાતની મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોએ ફી ના વર્તમાન માળખામાં સામાન્યથી માંડી ૫૦ ટકા સુધીનો તોતીંગ વધારો માગતા શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફી રેગ્યુલેટરી કમિટિએ આવી તમામ કોલેજના સંચાલકોને રૂબરૂ
રજૂઆત માટે બોલાવ્યા છે.

દરરોજ તબક્કાવાર અલગઅલગ વિસ્તારની કોલેજના સંચાલકોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે અને ચાલુ માસના અંત સુધીમાં રજૂઆતની પ્રક્રિયા પૂરી થયા બાદ જુલાઈના પહેલા સપ્તાહમાં આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી
શક્યતા છે.

નિવૃત્ત ન્યાયાધીશના વડપ હેઠળની કમિટિએ એન્જિનિયરિંગ કોલેજોમાં બિલ્ડિંગ, લાઈબ્રેરી, પ્લે ગ્રાઉન્ડ, લાયકાતવાળા
ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફની સંખ્યા સહિતની પાયાની માળખાગત સુવિધાઓ ધ્યાને લઈ ત્રણ વર્ષ અગાઉ ફી ના ધોરણ
નક્કી કર્યા હતા. ત્રણ વર્ષ બાદ તે રિવ્યૂ કરવાનું નક્કી કરાયું હતું.

તે મુજબ સંચાલકોએ ચાલુ પગારપંચ, મોંઘવારી સહિતની બાબતોને આગળ ધરી ૫૦ ટકા સુધીનો ફી વધારો માગ્યો છે. આ પૈકી કેટલો મંજૂર રહે છે ? તે જોવાનું રહે છે. ફાર્મસી કોલેજના સંચાલકો પણ ફી વધારો માગવા માટે અધિકૃત હોવા છતાં હજુ સુધી કોઈ ફાર્મસી કોલેજની માંગણી ફી વધારા માટે આવી ન હોવાનું કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.

ફાર્મસી કોલેજ માટેનું એનઓસી ફાર્મસી કાઉન્સિલ આૅફ ઇન્ડિયા પાસેથી દર ત્રણ વર્ષે મેળવવાનું રહે છે. આ વર્ષે આવું પ્રમાણપત્ર હજુ સુધી ૩૦ કોલેજોએ રજૂ કર્યું નથી. ૨૦ કોલેજના સંચાલકો પીસીઆઈ તરફથી આવું પ્રમાણપત્ર મળે તેવી રાહ જોઈને બેઠા છે.

જયારે ૧૦ કોલેજના સંચાલકો આ મામલે સેન્ટ્રલ એડમિશન કમિટિને કોઈ જવાબ આપવાની પણ દરકાર કરતા નથી. સામી
બાજુ જે કોલેજ આવું પ્રમાણપત્ર રજૂ કરસે. તેમને જ પ્રવેશ સમિતિના દાયરામાં લેવાશે.

Saturday, April 30, 2011

Gujarat Durga Ashtami Durga Puja 2011 - માઇ મંદિરોમાં યજ્ઞો પૂજા થશે



ઊત્તર ભારતમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નાની બાળાઓના પગ ધોઇ જમાડવાની પરંપરા....

આજે મોટી આઠમ હોવાથી અંબાજી, પાવાગઢ,ચોટીલા જેવા માઇ મંદિરોમાં પણ ભકતોની ભારે ભીડ, નવરાત્રિ કરતા ભકતો આજે માતાજીની ધૂનમાં મગ્ન બની જાપ કરશે.

વર્ષની આવતી મોટી નવરાત્રિ પૈકી હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. તેમાં આજે આઠમું નોરતુ છે એટલે કે
આજે આઠમ છે. શહેરના માઇ મંદિરોમાં આજે આદ્યશકિતના યજ્ઞ અને અખંડ ધૂન સાથે ભકિત થશે. આજની આઠમ એટલે કે દુર્ગાષ્ટમી માતા દુર્ગાને રિઝવવા ભકતોની આજે ભારે ભીડ જામશે. રાજયભરના મંદિરોમાં ભકતો દેવી દુર્ગાની પૂજા અર્ચના કરશે જેમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા જેવા માઇ મંદિરોમાં આજે પરોઢીયેથી જ યજ્ઞો અને અખંડ ધૂન શરૂ થઇ ગઇ છે.

તો બીજી બાજુ શહેરના ભદ્રકાળી મંદિરમાં પણ આજે યજ્ઞ રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે યજ્ઞ કરવાથી વિશેષ પુણ્ય મળે છે.

જેથી ભકતો આજે મંદિરમાં વિશેષ યજ્ઞ કરશે તો વળી આજે ગાયત્રી મંત્ર, દુર્ગાજાપ પણ વિશેષ મહત્ત્વ હોવાથી આજે ભકતો તેમાં પણ જોતરાઇ જશે. રાજયના તથા શહેરના અનેક માઇ મંદિરોમાં આજે માતાજીનો અન્નકુટ ભરાશે તો જે ભાવિકો નકોરડા ઊપવાસ રાખી નવરાત્રિ કરતા હશે તેઓ આજે ફરાર કરીને એક ટાણું કરશે તો વળી નવરાત્રિના નોમના દિવસે માતાજીનો ખંડ અને નિવેદ ભરાશે આ નવરાત્રિમાં માતાજીના નિવેદનો મહિમા વધુ છે.

ઘણા ભકતો આજે દુર્ગાષ્ટમીના દિવસે જ માતાજીનો ખંડ ભરશે અને ચણાનો પ્રસાદ કરી મહાઆરતી કરશે. આજની આઠમ મોટી હોવાથી ઘરેઘરે મતા આદ્યાશકિતના પાઠ, પૂજન અને અર્ચના થશે અને જાગરણ કરી માના નામનું ઊચ્ચારણ કરી ભકતો આખી રાત જાપ કરશે.

GSRTC News 2011 - એસટી ની વોલ્વો બસનીઆવક વધીને એક લાખ ઊપરની થઇ



૨૫ નવી બસો શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશ.

એસટી નિગમ દ્વારા મુસાફરોને લકઝરી બસની સુવિધા આપવા માટે થઇને વોલ્વો બસની શરૂઆત ૧૩મી માર્ચથી કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ર્સિવસ નિષ્ફળ જશે તેવુ લાગતું હતું પરંતુ વોલ્વો બસને સારો પ્રતિસાદ મળ્યો છે અને રોજની લાખ રૂપિયાની આવક કરે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વોલ્બો બસ ૧૩મી માર્ચથી શરૂ થઇ ત્યારે પ્રથમ દિવસે માત્ર સાત જ મુસાફરો હતાં પરંતુ ધીમેધીમ આ બસનો સારો પ્રતિસાદ
મળ્યો છે.

શરૂઆતના દિવસોમાં જે બસ ૩૫ હજાર જેટલી રોજની આવક કરતી હતી તે જ વોલ્વો બસ હવે ૧ લાખથી વધુ રોજની આવક કરે છે. આ સંદર્ભે એસટી નિગમના સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે વોલ્વો બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોજની આવકમાં વધારો થયો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એસટી નિગમે ખાનગી લકઝરી સાથે હરિફાઇ કરવા અને મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા માટે થઇને અમદાવાદ
એરપોર્ટ પરથી વડોદરા, ભૂજ, જામનગર, રાજકોટ, સુરત જેવા શહેરો માટે વોલ્વો બસ શરૂ કરવામાં આવી અત્યારે સાત શહેરોને સાંકળતી વોલ્વો બસ સેવાનો લાભ ૪૦ ટકા મુસાફરો લઇ રહ્યા છે.

એકસપ્રેસ બસની રોજની સરેરાશ આવક રૂપિયા ૬ હજાર છે. તેની સામે વોલ્વો બસની રોજની આવક રૂપિયા ૧૬ હજાર થઇ છે. લકઝરી બસ જેવી સુવિધા મળવાથી વોલ્વો બસનો ઊપયોગ મુસાફરો વધુ કરે છે. હાલમાં સાત
રૂટ પર વોલ્વો બસ દોડી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી તમામ જિલ્લા મથકો વચ્ચે વોલ્વો બસ શરૂ કરવાનું આયોજન આગામી દિવસોમાં ૨૫ બસો નવી શરૂ કરાશે. જેમાં જૂનાગઢ, વલસાડ, પાલનપુર જેવા મુખ્ય શહેરોને આરી લેવાશે.

Narendra Modi News - બે પુલનું ઊદ્ઘાટન મુખ્યમંત્રી મોદી કરશે



ઊદ્ઘાટન દરમિયાન અડવાણી હાજર રહેશે અને જાહેરસભા સંબોધશે.

શહેરમાં બની રહેલા બિ્રજ પૈકી ઘણા લાંબા સમયથી બની રહેલા વાડજ-દૂધેશ્વર બિ્રજ અને પરીમલ અન્ડર બિ્રજ આગામી ૧૩ એપ્રિલના રોજ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે આ પ્રસંગે નાયબ વડા પ્રધાન લાલકાષ્ણ અડવાણી ખાસ હાજરી આપશે.

પરીમલ અન્ડરબિ્રજના લોકાર્પણ બાદ સુવિધા શોપગ સેન્ટર ખાતે નરેન્દ્ર મોદી અને લાલકાૃષ્ણ અડવાણી જાહેરસભાને સંબોધશે.

કેન્દ્ર સરકારના જેએનયુઆરએમ અંતર્ગત શહેરમાં બની રહેલા પુલો પૈકી દૂધેશ્વર-વાડજ અને સાબરમતી નદી પર બન્યો છે. ઘણા લાંબા સમય બાદ પૂર્ણ થતાં ૧૩મી એપ્રિલે બંને બિ્રજના લોકાર્પણ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ કરણ ભાજપના એક માત્ર વડાપ્રધાન પદે રહેલા અટલબિહારી વાજપેયીનું નામ
આપવામાં આવશે. જયારે પરીમલ અંડરબિ્રજનું નામ મહાગુજરાતની ચળવળના પ્રણેતા રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઊલ્લેખનીય છે કે સાબરમતી નદી ઊપર હાલ આઠ બિ્રજ આવેલા છે તે તમામના નામ નેશનલ લીડરના નામ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં લાલબહાદુર શાસ્ત્રી. બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, મહાત્માગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધીના નામ પરથી હાલના પુલોના નામ પાડવામાં આવ્યા છે. હવે ૧૩મી એપ્રિલે લોકાર્પણ પામતા બિ્રજો પૈકી વાડજ-દૂધેશ્વર બિ્રજનું નામ ભાજપના એકમાત્ર વડાપ્રધાન પદે બિરાજેલા અટલબિહારી
વાજપેયીનું નામ આપવામાં આવશે.

જયારે પરીમલ અંડરબિ્રજનું નામ ગુજરાત જયારે સ્વર્ણ જયંતી ઊજવવા જઇ રહ્યું છે. ત્યારે ૧૯૬૦ની ચળવળના પ્રણેતા પૂ. રવિશંકર મહારાજનું નામ આપવામાં આવશે.

Friday, April 29, 2011

Western Railway News 2011 - ૫.૩૬ કરોડ દંડ વસૂલનાર ત્રણ ટીસી નુંસન્માન

વિરમગામ અને મણિનગરના ત્રણ ટીસી દ્વારા ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ વસૂલાયો.

રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોને તંત્ર દ્વારા સઘન ચેકગ કરીને પકડવામાં આવે છે. તેમાં અમદાવાદ ડિવિઝનના ત્રણ ટીસી દ્વારા રાજયમાં સૌથ વધુ ટિકિટ વગરના મુસાફરોનું ચેકગ કરી પકડવામાં આવ્યા હતા.

અમદાવાદ ડિવિઝનમાં ત્રણ ટીસી દ્વારા પાંચ કરોડ ૩૬ લાખ દંડ ઊઘરાવવામાં આવ્યો છે. જે માટે રેલવે મેનેજરે તેમનું સન્માન પણ કર્યું હતું.

વિના ટિકિટે મુસાફરી કરવી શોખની સાથે હવે જાણે આદત બનતી જાય છે. જેના કારણે રેલવે તંત્રએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રાજયભરમાં અમદાવાદ ડિવિઝન આગળ છે. અમદાવાદ ડિવિઝનના ત્રણ રેલવે ટીસી સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ રેલવે ટીસીમાં વિરમગામના ટીસી જી.એલ. ગોહેલે રૂપિયા ૭ લાખ ૬૯ હજારનો દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો હતો. જયારે મણિનગર રેલવે સ્ટેશનના ટીસી સાદીસીલ્પે ૭ લાખ ૩૧ હજાર દંડ ખુદાબક્ષ મુસાફરો પાસેથી વસૂલ્યો છે. વર્ષ દરમ્યાન આટલો બધો દંડ વસૂલનાર રાજયમાંથી અમદાવાદ ડિવિઝનના આ ત્રણ ટીસી છે. જેમનું રેલવે મેનેજર અશોક ગરૂડે સન્માન કર્યું હતું.

Narendra Modi News - સુરત-અમદાવાદની ફલાઇટનું ઊદ્ઘાટન કરશે

મોદી અને સૌરભ પટેલ સાથે ઊદ્યોગપતિઓ ફલાઇટમાં બેસી મુસાફરી કરશે.

અર ડેક્કન કંપનીના કેપ્ટન પણ હાજર રહેશે - બંને ફલાઇટોનું ૨૯મી એપ્રિલે ઊદ્ઘાટન થશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અૅરકંપની ડેક્કન-૩૬૦ના કેપ્ટન ગોપીનાથની હાજરીમાં તા. ૨૯મી એપ્રિલે ગુજરાત રાજયની આંતરિક પ્રથમ ફલાઇટ સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે અને સુરતથી ભાવનગર ફલાઇટનું પણ ઊદ્ઘાટન કરશે.

આ આંતરિક ફલાઇટ સુવિધા રાજયમાં પ્રથમ વખત અૅર ડેક્કન કંપની દ્વારા ચાલુ થશે. જેમાં ગુજરાત પ્રવાસન
વિભાગ અને ગુજરાત સરકાર સિવિલ એવીએશન વિભાગે અર ડેક્કન કંપની સાથે સંકલન કર્યું છે.

સરકારના વિભાગે અર ડેક્કન કેપ્ટન જીઆર ગોપીનાથની નવી કંપની ડેક્કન-૩૬૦ આંતરિક રાજયના શહેરો વચ્ચે જેવા કે સુરત અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભુજ, મુંદ્રા, જામનગર, ગાંધીધામ,
વડોદરા અને જૂનાગઢ વચ્ચે અર ર્સિવસીસની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

૧લી મે ના રોજ રાજયના ૧૧ મહત્ત્વના શહેરોમાં રાજયની આંતરિક અૅર કનેકિટવીટી ટુ સિટર-૬૦ એટીઆર ટર્બો પ્લેન દ્વારા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજયના સિવિલ એવીએશન અને ઈન્ડ્સ્ટ્રીઝના મંત્રી સૌરભ પટેલ બંને ફલાઇટમાં સફર કરશે. મોદી સુરતથી અમદાવાદની ફલાઇટ જયારે સૌરભ પટેલ સુરત અને ભાવનગર ફલાઇટમાં ઉડાણ કરશે.

આ બંને ફલાઇટમાં ડાયમંડ ટેકસટાઇલ, કેમિકલ સેકટર અને ગુજરાત ચેમ્બર આફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીયલ
દ. ગુજરાતના સભ્યોનું ઊદ્યોગપતિઓનું ડેલિગેશન આ પ્રથમ આંતરિક રાજયના શહેરોની અૅર ફલાઇટની
સુવિધામાં સુરતથી અમદાવાદ અને સુરતથી ભાવનગર ફલાઇટમાં મોદી અને સૌરભ પટેલ સાથે બેસી ફલાઇટની મુસાફરીની મજા માણશે.

ગુજરાતમાં ફલાઇટની આંતરિક ઉડાનથી ગુજરાતના વેપારીઓ, ઊદ્યોગપતિઓ અને પ્રજાને એક જગ્યાએથી
બીજી જગ્યાએ ઝડપી પહાચવામાં સરળતા રહેશે.

Gujarat Universiry News 2011 - આગામી સત્ર થી ‘ચોઇસ બેઇઝક્રેડિટ’ સિસ્ટમ અમલમાં

પહેલા ૩૫ ગુણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે ૩૬ ગુણથી જ પાસ થઇ શકશે.

ગુજરાત યુનિ.દ્વારા આગામી જૂન મહિનાથી સેમેસ્ટર પધ્ધતિ અમલમાં આવનારી છે. જે સેમેસ્ટર પધ્ધતિ એટલે સ્નાતક કક્ષાએ અમલ થનાર ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનું માળખું તરીકે ઓળખવામાં આવશે.

જેમાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે. આ પધ્ધતિમાં ૩૫ ગુણને બદલે ૩૬ ગુણથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીને નાપાસ જાહેર કરવામાં આવશે.

આ ઊપરાંત સૌથી ઊંચો ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિકશન ઓપ્લસ અને સૌથી નિમ્ન એટલે કે નાપાસ થનાર વિદ્યાર્થીઓને ડી ગ્રેડ એનાયત કરાશે. જુદાં-જુદાં અભ્યાસક્રમમાં ૩૧ થી ૫૪ વિષયોનું શિક્ષણ આપવામાં આવનાર હોવાથી વિદ્યાર્થીને ત્રણ વર્ષના શિક્ષણ કાર્યથી ચાર વર્ષની ઓનરની ડિગ્રી મળશે.

ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમમાં અમલ આવનાર નવા માળખા મુજબ કોમર્સ, સાયન્સ, બીસીએ અને બીબીએમાં ૧૫૦ ક્રેડિટ આર્ટ્સમાં ૧૫૬ ક્રેડિટ, એજયુકેશન ૧૬૦ ક્રેડિટ અને લા માં ૧૪૪ ક્રેડિટ રહેશે.

આ ક્રેડિટ ત્રણ માટે રહેશે જેના આધારે ગ્રેડ નક્કી થશે. તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ અપાશે. વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ દરમિયાન ૬ સેમેસ્ટર ભણવાનાં રહેશે.

Thursday, April 28, 2011

Gujarat Higher Secondary Board 2011 - સેમેસ્ટર સિસ્ટમના અમલથી ધોરણ ૧૧ અને ૧૨ માં એટીકેટીની સુવિધા

એક-બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટી મળશે અગાઊના સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે .ટોપ ટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ થાય.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં આ વખતે પ્રથમવાર ધો. ૧૦ અને ધો. ૧૨ના રાજયસ્તરે અને જિલ્લા સ્તરે ટોપટેન વિદ્યાર્થીઓ જાહેર નહિ કરાય.

આનું પ્રમુખ કારણ બોર્ડ દ્વારા નિમવામાં આવેલી શિક્ષણ સુધારણા સમિતિની ભલામણો અમલમાં મુકતા તેણે વિદ્યાર્થીઓમાં તાણ ઘટાડવા ટોપટેન જાહેર કરવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ હાલ આગામી શૈક્ષણિક સત્રથી રાજયભરની ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ)માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતાં ધો. ૧૧-૧૨ના વિદ્યાર્થીઓને થોડા ફાયદા પણ થશે જેમાં ખાસ વિદ્યાર્થીઓને ધો. ૧૧ અને ધો. ૧૨ના ચાર સેમેસ્ટરમાંથી કોઇપણ સેમેસ્ટરમાં એકથી બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા મળશે.

જેમાં વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતા એટીકેટી સાથે ઊત્તિર્ણ જાહેર કરવામાં આવશે તેમણે અગાઊના
સેમેસ્ટરમાં ભણતરની સાથે જૂના સેમેસ્ટરમાં આવેલી એટીકેટી સોલ્વ કરવાની રહેશે. હાલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને એટીકેટી આપવામાં આવે છે.

ગુજરાતમાં વિદ્યાર્થીઓના માથેથી ભણતરનો ભાર ઓછો કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે વર્ષ અગાઊ શિક્ષણ સુધારણા સમિતિની રચના કરી હતી. બાદમાં સમિતિએ ફેકલ્ટી ભલામણોમાં પ્રમુખ ભલામણ સેમેસ્ટર પદ્ધતિથી શિક્ષણ આપવાની હતી. જેમાં બોર્ડ દ્વારા ધો. ૧૧ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં આગામી શૈક્ષણિક સત્રથી સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.

જેના લીધે વિદ્યાર્થીઓને એટીકેટીની સુવિધા પણ મળશે ઊપરાંત ધો. ૧૧ અને ધો. ૧૨નું ચાર સેમેસ્ટરમાં વહેંચાતા બને ધોરણોનું મહત્ત્વ વધશે.

Indian Institute of Management Ahmedabad - ઊત્તમ બિઝનેસ આઇડિયા માટે અવોર્ડ આપશે

અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આફ બિઝનેસ મેનેજમેન્ટ (આઇઆઇએમ-એ) માંથી ભણીને બહાર પડેલાં વિદ્યાર્થીઓ પૈકીના જે વિદ્યાર્થીઓ પોતાના ઊત્તમ પ્રકારના બિઝનેસ આઇડિયાથી સારા બિઝનેસ પ્લાનર સાબિત થયા છે તો હવે તેઓ માટે આઇઆઇએમ-એમાં પરત ફરીને પોતાની ઊત્તમ પ્રકારની કામગીરી બદલ અૅવોર્ડ સ્વીકારવા માટે આવવું પડશે કેમ કે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ સારા બિઝનેસ આઇડિયા દ્વારા બિઝનેસને સફળ બનાવ્યો છે.

તેમના માટે અૅવોર્ડની ઘોષણા કરી છે. આઇઆઇએમના પીયુપીયુ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જઇને બેસ્ટ બિઝનેસ કરનારા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે કેશ રૂપિયામાં અવોર્ડ આપવામાં આવશે. ઈન્સ્ટિટ્યૂટના સાત વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા તેમની પહેલા તેમની ઈન્સ્ટિટ્યૂટમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને તેમણે સમાજ માટે કરેલી સેવા માટે તેમને અૅવોર્ડ આપીને બિરદાવવામાં આવશે.

આ વર્ષે આઇઆઇએમમાં જે વિદ્યાર્થીઓને ઊંચામાં ઊંચી રકમનો કેશ અવોર્ડ આપવાનો છે જેમાં આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતાની કામગીરી દ્વારા સમાજની જે સેવા કરી તેના માટે ૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. આ પહેલો અૅવોર્ડ હશે જે આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના ઊત્કાૃષ્ટ પ્રકારના આઇડિયા માટે ઊપરાંત તેમના ગ્રોથ અને નવા પ્રકારના આયામો શરૂ કરવા માટે આપવામાં આવશે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ પોતાને અૅવોર્ડ માટે દાવેદાર ગણી રહ્યાં હોય તેમની એન્ટ્રીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં બે વિદ્યાર્થીઓની ટીમ કે અભિનવ ગર્ગ અને જયોતિશ સ્વરૂપને અૅવોર્ડ માટે એન્ટ્રી કરી છે. પીએચપીએકસના ચેરમેન ગાંધી અૅવોર્ડ આપશે.

સાત વિદ્યાર્થીઓનું પીએચ પીએકસનું ગ્રૂપ જેમના જુદા જુદા બિઝનેસ આઈડિયા પર વિચાર કર્યા બાદ ઊત્કાૃષ્ટ બિઝ આઇડિયા માટે વિવિધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી અૅવોર્ડ માટે પસંદગી ઊતારશે.

Surendranagar Cotton Exchange - હાઇબિ્રડ કોટન ફયૂચર શરૂ કરવા સજજ

એસસીઇને ફોરવર્ડ માર્કેટ કમિશનની મંજૂરીની પ્રતીક્ષા.

સુરેન્દ્રનગર કોટન એકસચેન્જ(એસસીઇ)હવે જુનમાં શરૂ થતી આગામી સિઝનથી હાઇબિ્રડ કોટન ફયુચર લોન્ચ કરશે. આ એકસચેન્જ ફોરવર્ડ માર્કેટ કમિશનની વિધિવત મંજુરીની રાહ જોવામાં વ્યસ્ત છે.

એફએમસીની મંજુરી મળી ગયા બાદ હાઇબિ્રડ કોટન ફયુચરની શરૂઆત કરવામાં આવશે. કોમોડિટી માર્કેટ રેગ્યુલેટર એફએમસી ટુંક સમયમાં જ મંજુરી આપી દે તેવી શકયતા છે. મંજુરી માટેનો પત્ર એક બે દિવસમાં મળે
તેમ માનવામાં આવી રહ્યુ છે. એસસીઇ એક માત્ર ફયુચર પ્રોડકટ છે જે વી-૭૯૭ તરીકે જાણીતા સોર્ટ સ્ટેપલ વેરાઇટી ઊપર આધારિત છે.

૫૦ વર્ષ જુના ક્ષેત્રીય કોમોડિટી એકસચેન્જ હવે એકલા કોટનમા કારોબાર કરે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી હાઇબિ્રડ
કોટન ફયુચર કોટન લોન્ચ કરવાના પ્રયાસમાં છે. એક અગ્રણી અંગ્રેજી અખબારને માહિતી આપતા અધિકારીએ કહ્યુ હતુ કે બીટી કોટન ફયુચર કોન્ટ્રાકટ માટે પરવાનગી માંગવામાં આવી છે.

જો કે એફએમસીએ કહ્યુ છે કે પ્રમાણ પત્ર જારી કરવાની બાબત મુશ્કેલરૂપ છે કારણ કે આમા ટેકનિકલી ધ્યાન આપવાની જરૂર પડે છે પરંતુ હાઇબિ્રડ કોટનને મંજુરી આપવામાં હવે કોઇ તકલીફ નથી.

Ambaji Mandir Gujarat - દાન કરવા લાઇનો નહ લાગે




આ રીતે કરાશે એટીએમમાંથી દાન !

સ્ટેટ બેન્કમાં ખાતુ ખોલાવનાર દરેક ભકત એટીએમ દ્વારા દાન કરી શકશે તે માટે એટીએમના મેનૂમાં ટેમ્પલ ડોનેશનનો વિકલ્પ આવશે.

તેના પર કિલક કરવાથી જુદા જુદા મંદિરોના નામ આવશે. તેમાં અંબાજી મંદિરના વિકલ્પ પર કિલક કર્યા બાદ દાનની રકમ લખવાની રહેશે ત્યારબાદ ‘યસ’ના વિકલ્પ પર કિલક કરવાથી ખાતેદારના ખાતામાંથી એટલી રકમ ઓછી થઇ મંદિરના ખાતામાં જમા થઇ જશે.

આ ઊપરાંત માતાજીના આશીર્વાદ સાથેની પહાચ પણ મળશે. આ દાનની રકમ આવકવેરામાંથી મુકિતપાત્ર રહેશે.

અંબાજી મંદિરના નજીકના એટીએમમાંથી મંદિરમાં દાન કરી શકાશે : આ દાનની રકમ આવકવેરામાંથી કરમુકિત રહેશ.

આધુનિક યુગમાં દરેક વાત શકય છે સમય જેમ જેમ બદલાતો જાય છે તેમ તેમ દરેક વસ્તુમાં આધુનિકતા
આવે છે હવે તો ભગવાના મંદિરે દાન કરવા માટે પણ રાહ જોવી કે લાઇનમાં ઉભા રહેવું નહ પડે.

એટીએમ મશીનથીજ દાન કરી શકાશે. તિરૂપતિ બાલાજી, વૈષ્ણોદેવી જેવા ખ્યાતનામ યાત્રાધામો પર ભગવાનના દર્શન માટે ભકતોનો વારો નક્કી કરવા માટે જે રીતે ઈલેકટ્રોનિક ઊપકરણોની મદદ લેવાય છે તે જ રીતે અરવલ્લીની પર્વતમાળામાં બિરાજમાન આરાસુરી અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા ભાવિકો એટીએમ મશીનથી દાન કરી શકશે.

કોઇ ભાવિક ભકત અંબાજી માતાને દાન કરવા ઈચ્છતા હોય પરંતુ તે પ્રત્યક્ષ રીતે માતાજી સુધી પહાચીના શકતો હોય તો નજીકનાજ એસબીઆઇના એટીએમ સેન્ટરથી પોતાની ઈચ્છા પૂરી કરી શકશે.

સામાન્ય રીતે દરેક ર્ધાિમક સ્થળોમાં એટલીબધી ભીડ રહેતી હોય છે કે ભકતો અમુકવાર તો માતાના દ્વારે પહાચીને પરત ફરે છતાં દાન કરી શકતા નથી તો વળી અંબાજી માતાના ધામમાં તો બારેમાસ ભકત મહેરામણ રહે છે.

દાન-ધર્મની લાંબી-લાંબી કતારો લાગે છે પરંતુ હવે દાન કરવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહ પડે કારણ કે હવે કોઇપણ ભકત માતાજીને દાન કરવા માટે નજીકના એસબીઆઇ એટીએમ મશીનથી દાન કરી શકશે.

જો કે આ માટે મંદિરના નજીકના જ વિસ્તારોમાં વધુ એટીએમ મશીન મૂકવાની પણ વિચારણા ચાલી રહી છે. ભકતો હવે એટીએમથી દાન કરશે અને માતાજી એટીએમ મશીન દ્વારાજ આશીર્વાદનું ફળ આપશે.

Amdavad City Updates - ૧૩૦૦ થી વધુ રિક્ષાચાલકોને રાજય સરકારની વીમા યોજના સ્કીમનો લાભ

રાજય સરકારે કુલ ૪૧ જેટલા વ્યવસાયોને આ વીમાયોજના હેઠળ આવરી લેવાનું નક્કી કર્યં છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રિક્ષા ડ્રાઇવરોને હવે શહેરના રસ્તાઓ પર વધતા અકસ્માતને કારણે ચતા વ્યાપી ગઇ છે. તેથી હવે રિક્ષાચાલકો પણ વીમો ઊતરાવવા તરફ જાગાત
થયા છે.

શહેરની ઓટોરિક્ષા ચાલક સંઘર્ષ સમિતિના ૧૩૦૦ સભ્યો એકસાથે વીમો ઊતરાવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૭૦થી વધુ રિક્ષાચાલકોએ પોતાનો વીમો ઊતરાવ્યો છે. વીમાના પ્રિમિયમની રકમ રૂ. ૨૦૦ છે.જેમાં રૂ. ૧૦૦ ઓટોરિક્ષા ચાલક ભરશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર ભરશે.

જેમાં કુદરતી મોત પર રૂ. ૩૦,૦૦૦ અને અકસ્માતમાં માત્યુ થાય તો રૂ. ૭૫૦૦૦નું વીમા કવચ મળશે. એલઆઇસીની જનશ્રી વીમાયોજના અંતર્ગત ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે ખાસ વીમા યોજના છે. જેમાં ૪૧ વ્યવસાયમાં કામ કરતા લોકોને આ વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં સુથાર, માછીમાર, રિક્ષા ડ્રાઇવર જેવા ૪૧ વ્યવસાયિક લોકોને આ વીમાયોજનાનો લાભ મળશે.

જે અંતર્ગત ૧૩૦૦ રિક્ષાચાલકો આ વીમાયોજના હેઠળ પોતાનો વીમો ઊતરાવશે આ વીમામાં દરેક સભ્યદીઠ ર્વાિષક પ્રિમિયમ રૂ. ૨૦૦ છે જેમાં રૂા. ૧૦૦ રિક્ષાચાલકોએ પોતે ભરવાના રહેશે અને રૂ. ૧૦૦ રાજય સરકાર તરફથી ભરવામાં આવશે.

હાલના સમયમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિકની સાથે-સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને અકસ્માતોથી માત્યુના બનાવ પણ વધ્યા છે. આથી રાજય સરકાર તરફથી રિક્ષાચાલકો અને બીજા
અન્ય ૪૧ જેટલા વ્યવસાય કરતા લોકોને વીમાયોજના અંતર્ગત આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં રિક્ષાચાલકોએ ખૂબજ મોટી સંખ્યામાં વીમો ઊતરાવવા માટે ભાગ લીધો છે.

Gujarat Higher Secondary Education Board - ધો.૧૨ સાયન્સનાપરિણામ બાદ માર્કશીટ માટે પ્રતીક્ષા

આચાર્યો માટેની તાલીમ શાળા ૧૩મી તારીખથી ૧૫મી તારીખ સુધી ચાલશે.

રાજયભરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખો હવે નજીક આવતી જાય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં
કયાં એડમિશન લેવું અને કંઇ ફેકલ્ટીમાં ભણવું વગેરે જેવી તમામ બાબતોની ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે
વાલીઓ પણ પોતાના બાળકના પરિણામની રાહ જોઇ રહ્યા છે.

જેથી જેવું પરિણામ હાથમાં આવેકે પછી તરત જ વિદ્યાર્થીઓના એડમિશન માટે દોડાદોડ શરૂ થઇ જાય. પરંતુ
સૂત્રોના જણાવ્યા અનુસાર ધો.૧૨ સાયન્સનું પરિણામ તારીખ ૧૨મી મેના રોજ જાહેર થઇ જશે.

પરંતુ વિદ્યાર્થીઓને માર્કશીટ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો.૧૨ સાયન્સના પરિણામની તારીખ હવે નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જેમાં ધો.૧૨ સાયન્સનું પરિણામ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે.

ત્યારે આ અંગે ગુજરાત હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડના એકઝામિનેશનન સેક્રેટરી એસ.એમ. રબારીએ જણાવ્યું હતું કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ૧૨મી મેના રોજ જાહેર કરવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહનું
પરિણામ ૨૬મી મેના રોજ જાહેર કરાશે. પરંતુ ૧૨મીમેના રોજ પરિણામ જાહેર થઇ ગયા પછી પણ વિદ્યાર્થીઓને
માર્કશીટ માટે લાંબી રાહ જોવી પડશે.

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણામ ૧૨મીમેએ જાહેર થવાનું છે. ત્યારે શાળાઓના આચાર્યો માટેની તાલીમશાળા ૧૨મીમેથી શરૂ થઇ રહી છે. જે ૧૫મી મે સુધી યોજાશે. આને કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ મેળવવા માટે રાહ જોવી પડશે.

Ahmedabad News 2011 - મહિલા કોચની હાલત દયનીય

વેકેશનમાં મહિલા કોચની હાલત દયનીય કોચ વધારવા અથવા મોટા કરવા માંગ

દરેક ટ્રેનમાં એક જ મહિલા કોચ આવે છે. અને તે પણ અડધો હોવાથી મહિલાઓએ લટકીને મુસાફરી કરવી પડે છે.

મેમુમાં ત્રણ મહિલા કોચ

રેલવેમાં એક માત્ર મેમુ ટ્રેનજ એવી છે જેમાં ત્રણ મહિલા કોચ આવે છે. પહેલા, છેલ્લાં અને વચ્ચે પણ આ મહિલા કોચ પણ અડધા જ આવે છે. જેથી ત્રણ મહિલા કોચ હોવા છતાં મહિલાઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં ખાસ કરીને વેકેશનમાં તો આ ટ્રેનમાં વધુ ભીડ રહે છે.

ઊનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ વેકેશન પણ શરૂ થઇ ગયું છે. ત્યારે લોકો ટ્રેન દ્વારા મુસાફરી વધુ કરે છે. તો મુસાફરોની સુવિધા માટે થઇને રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની ટ્રીપ વધારાઇ છે. તો અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છતાં મહિલા કોચની સ્થિતિ યથાવત રહેતા મહિલા ડબ્બામાં વધારો કરવામાં આવે અથવા મોટો કરવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વેકેશન શરૂઆત જ મહિલા ડબ્બામાં ભીડ વધી જાય છે. ઘણી ટ્રેનોમાં તો
મહિલાઓ દરવાજે લટકીને જાય છે. રેલવેની તમામ ટ્રેનોમાંથી એક માત્ર ગુજરાત કિવન ટ્રેન જ એવી છે જેમાં એક આખો ડબ્બો મહિલાઓને આપવામાં આવ્યો છે.

તે સિવાયની તમામ ટ્રેનોમાં મહિલા ડબ્બો અડધો જ હોય છે. જેમાં પણ પાસ હોલ્ડરોની દાદાગીરી હોય છે. માટે સામાન્ય મહિલા મુસાફરે તો બેસવું કયાં તે પ્રશ્ન થઇ જાય છે. તો વળી ઘણી ટ્રેનોમાં મહિલા મુસાફરોની સામે
પાસ હોલ્ડર મહિલા પણ એકલી પડી જાય છે.

રેલવે દ્વારા ઘણી ટ્રેનોમાં વધારાના કોચ મુકાયા છે. પરંતુ આ કોચમાંથી એક પણ વધારાનો કોચ મહિલા માટે
મુકવામાં આવ્યો નથી જેના કારણે ઊનાળા વેકેશન શરૂ થતા જ રોજ અપડાઊન કરતી અને મહિલા માટે પણ મુશ્કેલી વધી ગઇ છે.

Gandhinagar News 2011 - કલેકટર કચેરી નવા બિલ્ડગમાં કાર્યરત

ગાંધીનગર સેકટર-૧૧માં બહુમાળી મકાનમાં બેસતી કલેકટર કચેરી હસ્તકની તમામ શાખાઓ તથા તાબાની કચેરીઓને કલેકટર કચેરી માટે નવા બનેલા જિલ્લા સેવાસદનમાં આજથી કાર્યરત કરાશે.

તમામ કચેરી શાખાઓનું છેલ્લા ત્રણ દિવસથી સ્થળાંતર કરાઇ રહ્યું છે. જે આજથી કાર્યતર થઇ જશે. પ્રથમ તબક્કામાં નવા મકાનમાં ભાયતળિયું, ૧લો માળ, ૨ જો માળ, અને ૩ જા માળે જુદી જુદી કચેરીઓને ખસેડાશે. તા. ૨૨-૨૩ અને ૨૪ એમ ત્રણ દિવસ જાહેર રજાના સમયગાળા દરમિયાન કચેરી શાખાનું રૅકર્ડ નવા મકાનમાં શિફટ કરવામાં આવ્યું હતું.

ઊપરાંત બાકી રહેતી બીજા તબક્કામાં શિફટ કરવાની ૧૫ દિવસનો સમય આપવો જરૂરી છે. જે ઓછામાં ઓછા ૭ થી ૮ દિવસમાં પણ બોલાવી શકાય. જે જોતા ર્સ્વિણમ જયંતી વર્ષના સમાપન બાદ કોર્પોરેશનના મેયરની ચૂંટણી કરાય તેવી શકયતા છે.

Amdavad City Samachar - ગુજરાત કોલેજ થી એલિસબિ્રજ સુધી ઝેડ આકાર નો ફલાય ઓવર

ગુજરાત કોલેજ ચાર રસ્તાની પહેલા જ બાઈબલ હાઊસથી સેપ્ટ દ્વારા કરાયેલી ડીઝાઈન પ્રમાણેનો ફલાય ઓવર બનાવવાની કામગીરીી
શરુ કરાઈ છે.

ઓરીએન્ટ કલબ પાસેના રેલ્વે ક્રોસગની ઊપરથી પસાર થઈને એમ.જે. લાયબ્રેરી નજીકથી આશ્રમરોડને સમાંતર ટર્ન લેશે અને ત્યાંથી ટાઊન હોલની દિશામાં આગળ વધીને એલિસબિ્રજ પોલીસ સ્ટેશનથી ફરી એલિસબિ્રજની દિશામાં ટ્રન લેશે. આમ સમગ્ર ફલાય ઓવર ઝેડ આકારનો બનશે.

આ નવા ફલાય ઓવર ઊપરથી બીઆરટીએસ રુટ ઊપરાંત અન્ય વાહનો પણ પસાર થઈ શકશે. જો કે આ નવો ફલાય ઓવર બંને તરફ લગભગ સાતથી આઠ મીટરની પહોળાઈ ધરાવનારો બની રહેશે. જે સ્પ્લીટ રહેશે. જેમાં
અન્ય વાહનો માટેની બે લેન પણ અલગ જ રહેશે.

એલિસબિ્રજના પશ્ચિમ છેડે આ બિ્રજની બંને પાંખોને ઊતારવામાં આવશે જેથી પૂર્વ તરફ જનારા વાહનો સીધા જ ઊતરી જશે અને પૂર્વ તરફથી આવનારા વાહનો જમણી તરફની પાંખ ઊપર ચઢીન સીધા જ ગુજરાત કોલેજ તરફ આવી શકશે.

Gujarat Samachar 2011 - તમામ ઇવેન્ટ કંપનીઓ એક બેનર હેઠળ

‘ઇમ્મા ગુજરાત ચેપ્ટર’ અમદાવાદમાં લોન્ચ થયું.

ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઇઇએમએ)ભારતના ૭૦ ટકા ઈવેન્ટ અને પ્રમોશન બિઝનેસનું સફળરીતે પ્રતિનિધિત્વ કરે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશની તમામ ટોચની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ હવે એક સાથે એકજ ઇમ્માના બેનર હેઠળ હાથ મિલાવી રહી છે જે અતિહાસિક છે.

પ્રથમ વખત જ ગુજરાતના ૧૪ સૌથી મોટા ઈવેન્ટ મેનેજરો ઇમ્મા ગુજરાત ચેપ્ટરની રચના કરવામાં સફળ
રહ્યા છે.

અમદાવાદમાં ૨૪મી એપ્રિલ ૨૦૧૧ના દિવસે ઇમ્મા ગુજરાત ચેપ્ટરની ભવ્યરીતે શરૂઆત કરવામાં આવી હતી. રાજયના ૭૦૦થી વધુ અગ્રણી સોસલાઇટ લોકો આમા ઊપસ્થિત રહ્યા હતા જેમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ઈન્ડસ્ટ્રી પાર્ટનરો, મિડિયા, પ્રધાનો, અધિકારીઓ, આઇપીએસ અધિકારીઓ, વેન્યુ માલિકોનો સમાવેશ થાય છે.
અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલોપર્સની મેનેજમેન્ટ ટીમો અને જાણીતી ક્ષેત્રીય સેલિબિ્રટીઓ પણ આમા ઊપસ્થિત રહી હતી.

સ્ટેટ ચેપ્ટર ડેવલોપમેન્ટ માટેના ઇમ્માના એડિશનલ સેક્રેટરી હિમાંશુ શાહે ઇમ્મા ગુજરાતના એક બેનર હેઠળ
ગુજરાતના તમામ ઈવેન્ટ મેનેજરોને લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.

Wednesday, April 27, 2011

Gujarat Summer News 2011 - ઠંડક આપતો આઇસ્ક્રીમ પણ માઘો

આઇસ્ક્રીમનું ઊત્પાદન કરતી કંપનીઓએ ગત વર્ષ કરતાં દરેક ફલેવરમાં ૧૦થી૨૦ ટકાનો ભાવ વધારો કર્યો.

‘આઈસ્ક્રીમ કોન’ના ભાવમાં પણ વધારો.

આઈસ્ક્રીમની સાથે સાથે નાના બાળકોનો ફેવરીટ એવો આઈસ્ક્રીમ કોન પણ માઘો બન્યો છે. ગત વર્ષ સુધી ૮થી૧૦ રૂપિયામાં વેચાતો ઓરેન્જ આઈસ્ક્રીમ કોનના ભાવમાં આવર્ષે વધારો થતા ૧૨ થી ૧૫ રૂપિયા થયો છે. અને તે પણ આઈસ્ક્રીમમના એક ‘ગુલ્લા’ સાથેનો જો આખી ડિશ આઈસ્ક્રિમ કોનમાં ભરાવી હોય તો તેનો ડબલ ભાવ આવવો પડે છે.

આમાં પણ ફલેવર પ્રમાણે ભાવ વધઘટ થાય છે. હવે બાળક જીદ કરે તો પણ માતા-પિતા એ આઈસ્ક્રીમ કોન અપાવતા વિચાર કરવો પડે તેવો સમય આવી ગયો છે.

વેનીલા ફલેવરમાં પણ ભાવ વધ્યો હતો. અન્ય ફલેવરના કપમાં અને ફેમિલી પેકમાં ભાવ ડબલ, એક ફેમિલી પેક સાથે અપાતી એક ફેમિલી પેકની સ્કિમ પણ બંધ.

ઊનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળળવા ઠંડાપીણાની માંગમાં વધારો થયો છે. તો આ વર્ષે આઈસ્ક્રીમ
પણ માઘો બન્યો છે. ઊનાળો શરૂ થતા જ આઈસ્ક્રીમની માંગમાં ઊછાળો આવ્યો છે. તો વળી કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતી સ્કિમમાં પણ કાપ મુકવામાં આવ્યો છે.

આઈસ્ક્રીમ નાના બાળકોથી લઇને મોટી વયના લોકો માટે પણ ફેવરીટ હોય છે. તેમાંય વળી ઊનાળામાં ઠંડક
મેળવવા લોકો આઈસ્ક્રીમનો ઊપયોગ વધુ કરે છે. રાત્રે લટાર મારવા નીકળે અને આઈસ્ક્રીમ ખાઇ લે તો વળી કોઇ મહેમાન આવે તો પણ તે લોકો માટે આઈસ્ક્રીમ મંગાચવાય છે.

ઊનાળાના ત્રણ-ચાર મહિના દરમ્યાન આઈસ્ક્રીમમનો ઊપયોગ વધુ થાય છે. તેને કારણે આ વર્ષે તમામ બ્રાન્ડેડ કંપનીઓએ ફલેવર મુજબ આઈસ્ક્રીમના ભાવમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો કર્યો છે.

આઈસ્ક્રીમની બ્રાન્ડેડ કંપનીઓ નીતનવી વેરાયટી બજારમાં મૂકે છે. ઊનચાળા દરમ્યાન અનેક ફલેવરના આઈસ્ક્રીમ લોકો મોજથી ખાય છે.

જેના કારણે વીક્રેતાઓ મનગમતો ભાવ લે છે. આઇસ્ક્રિમના કપ જે ૧૫ રૂપિયામાં મળતા હતા તે ફેવરિટ પ્રમાણે ૨૫, ૨૨ અને ૨૫ રૂપિ થઇ ગયા છે.

તેવી જ રીતે વેનીલા આઈસ્ક્રીમ જે ઓલ્ટાઇમ લોકોને ળેપરીટ હોય છે. તેનો ભાવ ૧૦ રૂપિયા હતો તે સીધો ૧૫ રૂપિયા થઇ ગયો છે. તો વળી સન્ડે, કિસમીસ,ટૂટીફ્રૂટી, ડ્રાઇફ્રુટ, કેસરપિસ્તા, બદામ, ગુલાબ જેવા કોમન
આઈસ્ક્રીમના ભાવમાં પણ ૧૦ થી ૧૨ રૂપિયાનો વધારો થયો છે.

જે આઈસ્ક્રીમનું એક ગુલ્લુ એટલે કે અડધી ડિશ ૧૦ રૂપિયાની મળતી હતી તે જ ગુલ્લાનો ભાવ ૧૫ રૂપિયા અને
આખી ડિશના ૩૦ રૂપિયા થઇ ગયો છે.

જયારે બીજી બાજુ ફેમિલિ પેકના ભાવમાં પણ ૧૦ થી ૨૦ ટકાનો વધારો ઝકાયો છે. સામાન્ય રીતે મહેમાન આવે કે વેકેશનમાં બાળકો ભેગા થાય તો આઈસ્ક્રીમનું ફેમીલિપેક લોકોની પ્રથમ પસંદ રહેતી હતી. સાદા આઈસ્ક્રીમના પેકના ૭૦ થી ૮૦ રૂપિયા ચાલતા હતા. તેનો ભાવ ૧૦૦ અને ૧૧૦ થઇ ગયો છે. તો વલી અલગ-અલગ ફલેવરના આઇસ્ક્રિમ પેકના ભાવમાં પણ વધારો ઝકાયો છે.

૧૫૦ થી ૨૦૦ સુધીના ફેમિલી પેક મળતા થયા છે તો એક પેક પર એક પેક ફ્રી મળતું હતું તે સ્કિમ વેપારીઓ બંધ
કરી દીધી છે. જેથી જે ગ્રાહકો ૧૦૦ થી ૧૧૦માં બે ફેમિલીપેક મળતા હતા તેમને હવે માત્ર એક જ ફેમિલીપેક મળે
છે. આમ હવે ઊનાળાની ગરમીમાં ઠંડક આપતા આઇસ્ક્રિમના ભાવમાં પણ વધારો થતા હવે આઇસ્ક્રિમ ખાવો
માઘો પડશે.

Tuesday, April 26, 2011

Ahmedabad Riverfront Development - માત્રને માત્ર ૨૧ ટકાજમીન વ્યાપારિક હેતુ માટે વપરાશે

બાકીની જમીનનો બાગ બગીચા-રોડ રસ્તા ને જાહેર હેતુ માટે ઊપયોગ થશે ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ કરાશે વાસણામાં સાત હેકટર જમીનમાં ઘનિષ્ઠ વનીકરણ કરાશે પ્રોજેકટ પાછળ કુલ ૧૫૦૦ કરોડનો ખર્ચ.

બીઆરટીએસ બાદ હવે અમ્યુકો દ્વારા સમગ્ર ધ્યાન રિવર ફ્રન્ટ પ્રોજેકટ ઊપર કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આગામી મહિને રિવરફ્રન્ટ માટેના નવા જીડીસીઆર બહાર પડશે. જેમાં સ્પષ્ટપણે એ પ્રકારની જોગવાઈ રાખવામાં આવી છે કે પ્રોજેકટના કારણે જેટલી નવી જમીન ઊભી થશે તે પૈકી માત્ર ૨૧.૨૭ ટકા જમીનનો જ વ્યવસાયિક રીતે ઊપયોગ થશે.

શહેરી વિકાસ ખાતાના તેમજ અમ્યુકોના સૂત્રોએ આ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સાબરમતી રિવરફ્રન્ટનો પ્રોજેકટ એ સૌપ્રથમ પ્રોજેકટ છૅ. દેશભરના મહાનગરો તેમજ નદી તટ ઊપર વસેલા શહેરના સંખ્યાબંધ ડેલિગેશનો આ પ્રોજેકટની મુલાકાતે આવી ચૂકયા છે અને હજુ પણ આવી રહ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ દ્વારા કુલ ૧૬૨.૮૦ હેકટર જેટલી નવી જમીનની ઊપલબ્ધી થશે. તે પૈકી ૧૩.૬૧ ટકા જમીન એટલે કે ૨૧.૧૫ હેકટર જેટલી જમીનનો વાણિજિયક ઊપયોગ થશે. તેમજ ૭.૬૬ ટકા જેટલી
એટલે કે ૧૨.૪૭ હેકટર જમીનનો રેસિડેન્સિયલ હેતુ માટે (વેચાણથી) ઊપયોગ થશે.

આમ, સમગ્ર પ્રોજેકટમાંથી કુલ્લે ૨૧.૨૭ ટકા જેટલી જમીન જ વેચાણ કરાશે. જયારે બાકીની ૭૯.૨૩ ટકા જમીનનો સંપૂર્ણ ઊપયોગ જાહેર હેતુ માટે કરવામાં આવશે. તે જોતા નવી ઊભી થનારી કુલ્લે ૧૬૨.૮૦ હેકટર
જેટલી જમીન પૈકી માત્ર ૩૪.૬૨ હેકટર જેટલી જમીનનું વેચાણ કરીને સમગ્ર યોજનાનો ખર્ચ વસુલ કરાશે.આગામી ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં આ પ્રોજેકટને આખરી ઓપ આપી દેવાની તૈયારીઓ સત્તાવાળાઓ દ્વારા
હાથ ધરવામાં આવી છે. શાહીબાગ ડફનાળાથી વાસણા બેરેજ સુધીના સાડા અગિયાર કિલોમીટરની લંબાઈના સમગ્ર પટ્ટામાં ૪૨ હેકટરના વિસ્તારમાં બાગબગીચા બનાવવામાં આવશે. તેવી જ રીતે લગભગ ૪૬ હેકટર જેટલી જમીન રોડ રસ્તા બનાવવામાં વપરાશે.

વાસણાથી સુભાષબિ્રજ તેમજ એરપોર્ટ સુધીનો નવો માર્ગ પણ રિવરફન્ટમાં વિકસાવવામાં આવશે. ઊપરાંત વાસણા વિસ્તારમાં લગભગ સાત હેકટરના સમગ્ર વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ કરવામાં આવશે.

નદીના નીચેના ભાગમાં સંખ્યાબંધ વિસ્તારોમાં જૂના જમાનામાં હતા તેવા ઘાટ પણ બનાવવામાં આવ્યા છે તેથી લોકો સ્નાનાદિ કાર્ય માટે તેનો ઊપયોગ કરી શકશે.

Monday, April 25, 2011

Ahmedabad BRTS News 2011 - ફેઝ-૨ની કામગીરી ઝડપથી હાથ ધરાઇ

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને રાજય સરકાર દ્વારા હવે અમ્યુકોના દરેક પ્રોજેકટનું સીધું
મૂલ્યાંકન થશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દેશભરમાં સૌપ્રથમ શરૂ કરાયેલી બીઆરટીએસને મળેલી સફળતાને લક્ષમાં લઇને આરટીઓથી નરોડા પાટિયાના રૂટની સફળતા બાદ હવે ફેઝ-૨ની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે.

આમ, શહેરના બહારના વિસ્તારને આવરી લીધા બાદ હવે શહેરના આંતરિક માર્ગોને પણ આ સેવા ઊપ્લબ્ધ કરાવવા સત્તાવાળાઓ દ્વારા કમર કસવામાં આવી છે.

જો કે ગાંધીનગરના પરિણામો બાદ હવે અમ્યુકોના દરેક પ્રોજેકટ ઊપર રાજય સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લેવાયો છે.

બીઆરટીએસના ફેઝ-૨ના પેકેજને રૂ. ૧૨૯.૨૧ કરોડના ટેન્ડર દ્વારા મંજૂર પણ આપી દેવામાં આવી છે. આ પેકેજમાં નહેરુનગર ચાર રસ્તાથી શરૂ કરીને પાંજરાપોળ ચાર રસ્તા અને ત્યાંથી પાસપોર્ટ આૅફિસથી ટર્ન
લઇને ગુલબાઇ ટેકરા બીએસએનએલની આફિસ પાસેથી લાલ બંગલા સીજી રોડને ક્રોસ કરીને સમગ્ર રૂટ આગળ વધશે.

જે સમર્થેશ્વર મહાદેવ-ચકલી ફુવારા થઇને એનસીસી ગ્રાઊન્ડ ગેટ પાસે થઇને બાઇબલ હાઊસ પહોચશે. જયાંથી હાલ નવા આકાર લઇ રહેલા ફલાય ઓવર બિ્રજ ઊપર થઇને આ રૂટને એલીસબિ્રજ ઊપર લઇ જવાશે.

એલિસબિ્રજ ઊપરથી પસાર થઇને આ રૂટ વિકટોરિયા ગાર્ડન, ખમાસા, આસ્ટોડિયા ગીતા મંદિર જશે. જયાંથી એક રૂટ ભૂલાભાઇ થઇને દાણીલીમડા લઇ જવાશે જે હાલના કાંકરિયા તેમજ નારોલના રૂટને ટચ કરશે. જયારે
ગીતામંદિર પહાચેલા રૂટને બીજી તરફ ન્યૂ કલોથ માર્કેટ તરફ ડાયવર્ટ કરાશે. જે રૂટ વાડજદૂધેશ્વર તરફથી આવીને દિલ્હી દરવાજા - પ્રેમ દરવાજા થઇને એલીવેટેડ બિ્રજ કાલુપુર સ્ટેશન થઇને ન્યૂ કલોથ માર્કેટ સુધી
આવનારા રૂટની સાથે જોડાઇ જશે.

Saturday, April 23, 2011

Gujarat Summer News 2011 - સિઝનેબલ ફળ ના ભાવમાં વધારો

તરબૂચ-ચીકુ સિવાયના ફ્રૂટ માઘા થયા ઃ આ વર્ષે તમામ ફળોના ભાવમાં ૨૦-૩૦ ટકા વધી ગયા છે.

મુંબઇ-રત્નાગીરીની હાફુસની આવકમાં વધારો - કેસરની આવક ખૂબ ઓછી.

ફળોના રાજા ગણાતી કેરીની આવક શહેરમાં હાલ ખૂબ ઓછી છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કેરીની
આવક પુષ્કળ પ્રમાણમાં હતી. આ વર્ષે કેસર કેરી ની આવક ખૂબ ઓછી છે અને જે કેરી છે તે પણ રત્નાગીરી
અને મુંબઇની હાફૂસ કેરી જ છે.

શહેરમાં કેરીના ભાવ ૧૫૦ થી ૩૦૦ સુધીના છે. કેરીની આવકમાં વધારો થતા હજુ ૧૫ દિવસ લાગશે. તો ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીના ભાવો પણ ઊંચા રહેશે ૬૦ ટકા જેટલો પાક ઓછો થવાથી ભાવ વધારો થયો છે.

કાળી-લીલી દ્રાક્ષના ભાવ વધારો તો ઓછી આવકના કારણે સિઝન વહેલી જશે તો સફરજનની આવક બંધ.

ઊનાળામાં તડકાથી બચવા અને ગરમીમાં રાહત મેળવવા માટે વધારે પડતા લોકો ફ્રૂટનો સહારો લેતા હોય છે. પરંતુ ગત વર્ષ કરતાં આવર્ષે તમામ ફળોના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધી ગયા છે. ચીકુ અને તરબૂચના જ ભાવ નીચા છે.

તે સિવાય સિઝનલ તમામ વસ્તુના ભાવો ઊંચા નાધાઇ રહ્યા છે. શહેરમાં માંગ પ્રમાણે જથ્થો પૂરતો ન થતા ભાવ આસમાને પહાચ્યા છે.

શહેરમાં હાલ કેળા, દ્રાક્ષ, મોસંબી, સંતરા, પાઇનેપલ,ટેટી સહિતના ફળોની આવક થઇ રહી છે. ૨૪ થી ૩૦ રૂપિયાના ડઝન કેળા વેચાઇ રહ્યા છે. જેની આવક ગુજરાતમાં જ અંકલેશ્વર અને ધરમપુરમાંથી થાય છે ગત વર્ષે આ સીઝનમાં ૧૨ થી ૧૫ રૂપિયાના ભાવે કેળા મળતા હતાં.

તો વળી બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા લોકો કાળી અને લીલી દ્રાક્ષ પણ ખુબ ખવાતી હોય છે. અને તે નીચા ભાવે મળતી હોય છે. પરંતુ તેના ભાવ પણ આ વર્ષે ૭૦થી૮૦ રૂપિયા થઇ ગયા છે. તો દ્રાક્ષની સીઝન પણ આ વર્ષે પહેલી પૂરી થઇ ગઇ છે. જેથી તેની આવકમાં પણ ઘટાડો નાધાયો છે. નાસીક સીવાય કોઇ જ જગ્યાએથી હાલમાં દ્રાક્ષ આવતી નથી.

જયારે ઊનાળામાં તાપથી બચવા જયૂસ પીવા પણ પોષાય તેમ નથી માસબીનો ભાવ ૪૫ થી ૫૦ રૂપિયા ચાલે છે. જે મદ્રાસ અને ઔરંગાબાદથી આવે છે. તો નાગપુરથી આવતા સંતરા ના ભાવ ૬૦ રૂપિયા ચાલે છે. તો વળી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ઊત્તમ ગણાતુ ફળ સફરજન તો ભારત બહરાથી જ આવી રહ્યા છે. જેથી તેના ભાવ ૧૨૫
રૂપિયા બોલાય છે. જયારે પાઇનેપલના ભાવ પણ છેલ્લાં સપ્તાહ દરમ્યાન ડબલ થઇ ગયા છે. ૧૫ રૂપિયાની જગ્યાએ પાઇનેપલ ૩૦ રૂપિયે મળતું થયું છે.

આ વર્ષે પડેલા અનિયમિત વરસાદના કારણે દરેક ફળના પાક પર તેની અસર જોવા મળી છે. જેના કારણે શહેરમાં મળતા ફ્રૂટના જયૂસ પણ માધા થઇ ગયા છે. ૧૫ રૂપિયાનો ગ્લાસ ૨૦ અને ૨૦ રૂપિયાના ૨૫ થઇ ગયા છે. જેથી આ વર્ષે ઊનાળામાં ફ્રૂટના જયૂસ પીવા પણ માઘા પડશે.

Friday, April 22, 2011

Western Railway News 2011 - બધી ટ્રેનોમાં હવે હાઇટેક જર્મન કોચ

રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાની ઘટનાના અનુસંધાનમાં રેલ્વેએ હવે જર્મન ટેક્નોલોજી આધારીત લક હોપમન બુશ(એલએચબી) ટેક્નોલોજી ધરાવતા કોચ જનરલ મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં ગોઠવવાની
યોજના ઘડીકાઢી છે.

તમામ ટ્રેનોમાં હાઇટેક જર્મન કોચ ગોઠવી દેવામાં આવશે. આ કોચમાં વિશેષ પ્રકારની સુવિધા હશે. આ કોચમાં એડવાન્સ કપલર્સ રહેશે. ઊપરાંત આગને રોકી શકે તેવી ગુણવત્તા પણ હશે. હાલમાં એલએચડી કોચ રાજધાની, શતાબ્દી અને દુરન્તો જેવી પ્રિમિયર ટ્રેનોમાં જ ઊપયોગ કરવામાં આવી રહ્યા છે. હવે મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં
તબક્કાવાર રીતે એલએચબીની કોચ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કોચ અતિઆધુનિક હશે. કોચને જોડવા માટે આધુનિક કપલર્સ હશે. તબક્કાવાર રીતે કોચ ગોઠવવાની દિશામાં પગલા લેવામાં આવશે. કન્વેન્સનર અથવા પરમપરાગત કોચ તૈયાર કરવામાં ૧.પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે એલએચબી કોચ તૈયાર કરવા પાછળ ર.પ કરોડનો ખર્ચ તૈયાર કરવામાં આવ્યો છે. એલએચબી કોચ એન્ટી ટેરેસ કોપીક છે.

અકસ્માત થવાની અથવા તો કોઇપણ ટ્રનના ડબ્બા પાટાપરથી ખરી પડવાની સ્થિતિમાં આ કોચ વળી જતા નથી. જર્મનીથી ટેક્નોલોજી ટ્રાન્ફર હેઠળ તૈયાર કરવામાં આવેલા આ પ્રકારના કોચ બે કોચને જોડવા ઓટોમેટિક
કપલર્સ ધરાવે છે.

Thursday, April 21, 2011

Gujarat Swarnim Celebration 2011 - ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ સ્વર્ણિમ જયંતી સમાપન ઊત્સવ

ગુજરાતની યશસ્વી ગાથાનું ગાન કરતા ર્સ્વિણમ જયંતીની ઊજવણીનું આખુ વર્ષ ઊજવણી કર્યા બાદ તેનું શાનદાન સમાપન ૧લી મે ૨૦૧૧ના રોજ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે "આગે કદમ ગુજરાત" થીમ આધારિત ભવ્ય સાંસ્કાતિક સમારોહ દ્વારા કરવામાં આવશે તેવું રાજય સરકારના પ્રવકતા મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ૧લી મે ૨૦૧૧ના રોજ સાંજે છ વાગ્ય ર્સ્વિણમ જયંતી ઊજવણીનું ઊપસ્થિતિમાં વિધિવત્
સમાપન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજયપાલ ડો. કમલાજી સહિત સમસ્ત મંત્રીમંડળ ઊપસ્થિત રહેશે. આધુનિક વિકાસના માૅડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરતા પંચશકિત આધારિત સ્વર્ણિમ
ઊત્સવોનું રાજયમાંપાંચ વિભાગીય ઝોનમાં ગુજરાતે તેની શકિત અને ક્ષમતાના દર્શન કરાવ્યા છે. હવે ર્સ્વિણમ જયંતી વર્ષની ઊજવણીનો સમાપનનો છેલ્લો તબક્કો ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ તા. ૨૮, ૨૯, ૩૦ એપ્રિલ અને ૧લી મે ગુજરાત ગૌરવ દિવસ ૨૦૧૧ના રોજ શરૂ કરવામાં આવશે. રાજયના મંત્રી જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલે ઊજવણી સંદર્ભે કહ્યું કે, ૨૪મી એપ્રિલે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે સાંજે ૬ કલાકે અને ૨૫મી એપ્રિલના રોજ રાજકોટમાં શસ્ત્રદળો દ્વારા સુમધુર સિમ્ફની બેન્ડનો કાર્યક્રમ યોજાશે. જયારે ૨૮ એપ્રિલથી ૨જી મે સુધી તમામ સરકારી, અર્ધસરકારી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવશે. આ સમય દરમિયાન
તમામ જિલ્લા અને તાલુકા મથકે મહાનુભાવોની પ્રતિમાઓની સાફસફાઇ કરાશે.

૨૯મી એપ્રિલે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજયપાલ ડો. કમલાજી ગુજરાતના છેલ્લા દશકામાં થયેલા વિકાસને પ્રર્દિશત કરતા મેગા એકિઝબિશનનું ઊદ્ઘાટન સાંજે ૬ કલાકે કવરામાં આવશે અને ૩૦મી એપ્રિલે સાંજે ૬ વાગ્યે પાટનગરમાં આવેલી ડો. બાબસાહેબ આંબેડકરની પ્રતિમાથી મહાત્મા મંદિર સુધી
પોલીસ, અર્ધલશ્કરી દળો, જિલ્લા બેન્ડ અને શાળાઓના વિદ્યાર્થીઓના બેન્ડની વિશાળ માર્ચપાસ્ટ યોજવામાં આવનાર છે. માર્ચપાસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા વિકાસને રજૂ કરતા વિવિધ કલાત્મક ટેબ્લો રજૂ કરવામાં
આવશે. ૧લી મે ૨૦૧૧ના રોજ સવારે ૮ વાગ્યે અમદાવાદમાં ભદ્રના કિલ્લા પાસે આવેલા મહાગુજરાત ચળવળના શહિદોના સ્મારક ઊપર જઇને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.

જયારે સાંજે ૬ વાગ્યે ર્સ્વિણમ જયંતી ઊજવણીનું અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં વિધિવત્ સમાપન કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજયપાલ ડો. કમલાજી ખાસ ઊપસ્થિત રહેશે. સમાપન સમારંભમાં ગુજરાતની કલા સંસ્કાતિ અને વિકાસગાથાને ૫ હજારથી વધુ કલાકારો રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું થીમ આગેકદમ ગુજરાત રાખવામાં આવ્યું છે. "વંદે ગુજરાત"થી આરંભાયેલા "આગે કદમ" ગુજરાતના સંકલ્પ સાથે સંપન્ન થશે. ૧લી મે ૨૦૧૧ના રોજ યોજાનાર કાર્યક્રમને વધુ ને વધુ લોકો માણી શકે તે માટે ૨જી મે ૨૦૧૧ સાંજે ફરીથી સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ૨૮ એપ્રિલથી ૩જી મે, ૨૦૧૧ સુધી રાજયની તમામ સરકારી, અર્ધસરકારી ઈમારતોને રોશનીથી ઝળહળાં કરવામાં આવશે. એકંદરે સમગ્ર અઠવાડિયું ઊત્સાહ અને ઊત્સવનું બની રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Wednesday, April 20, 2011

Gujarat Technical Education Board - ડિપ્લોમા એન્જિનિયરગમાં ૧૫ વર્ષ બાદ કોર્સ બદલાશે

ટેકનોલોજીમાં આવતા સુધારાના કારણે ડિપ્લોમા એન્જિનિયરગમાં ૧૫ વર્ષ બાદ કોર્સ બદલાશે

ડિપ્લોમા એન્જિનિયરગનો કોર્સ અગાઊ ૧૯૯૫-૯૬માં બદલાયો હતો. ગુજરાતમાં આવેલી પોલીટેકનિક સંસ્થાઓમાં ચાલતો ડિપ્લોમા એન્જિનિયરગનો અભ્યાસક્રમ ૧૫ વર્ષ પછી બદલાઇ રહ્યો છે.

આ માટે ગુજરાત ટેક્નોલોજી યુનિર્વિસટી (જીટીયુ) દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. નવા અભ્યાસક્રમનો અમલજૂન ૨૦૧૧થી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિપ્લોમાં એન્જિનિયરગના વર્ષો જૂના અભ્યાક્રમને કારણે સ્તાનિક ઇન્ડસ્ટિ્રઝમાં નિમણૂક બાદ ઊમેદવારોને ઘણી નવી ટેક્નોલોજીનો સામનો કરવો પડે છે. જેના કારણે ઊમેદવારોને ફરજિયાત તેનો અભ્યાસ કરવો પડે છે.

આ પરિસ્થિતિને કારણે ડિપ્લોમાં એન્જિનિયરગના વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઘટી રહી છે. અગાઊ ડિપ્લોમાં એન્જિનિયરગનો અભ્યાસક્રમ વર્ષ ૧૯૫૯-૯૬માં બદલાયો હતો. જયારે ૧૫ વર્ષ પછી ફરી અભ્યાસક્રમ બદલવા નવ નિયુકત જીટીયુ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ માટે જીટીયુના જુનિયર અને સિનિયર અધ્યાપકો અંદાજે ૧૦ હજારથી વધુ ઈન્ડસ્ટિ્રમાં જઇ હાલની જરૂરિયાતને અંગે ચર્ચા હાથ ધરશે. આ ઊપરાંત વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે. તેમજ હાલના સમયમાં સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં કઇ રીતની અને આ ટેક્નોલોજીને અભ્યાસક્રમમાં કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવી તે દરેક બાબતોને ધ્યાનમાં લઇને અભ્યાસક્રમ તેયાર કરાશે ત્યારે મહત્વની બાબત એ છે કે અભ્યાસક્રમ બદલવા માટે પોલીટેકનિક સંસ્થા દ્વારા નિષ્ણાંતોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. અને આ ટીમ દ્વારા આખો અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે તેમાં વિદ્યાર્થીઓના સૂચનો પણ ધ્યાને લેવામાં આવશે.

ઈન્ટરનેટ દ્વારા રિટર્ન ભરનારને એક મહિનામાં રિફંડ ચૂકવાશે

ઝડપી રિફંડ માટે દેશમાં એક રિફંડ બેન્કર યોજના અસ્તિત્વ ધરાવે છે.

ઈન્ટરનેટ મારફત આવકવેરાનું રિટર્ન ભરનારા કરદાતાઓને હવેથી એક મહિનાની અંદર રિફંડ ચૂકવવાની સીબીડીટીએ યોજના બનાવી છે. રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઈન્ટરનેટ દ્વારા ટેકસ રિટર્ન ભરવાને પ્રોત્સાહન આપવા સીબીડીટીએ યોજના ઘડી છે.

સીબીડીટીના ચેરમેન સુધીર ચંદ્રાએ જણાવ્યું હતું કે અમે કરદાતાઓને ઈલેકટ્રોનિકસલી ટેકસ રિટર્ન ભરવા પ્રેરવા માંગીએ છીએ જેથી રિફંડની કામગીરી ઝડપી થાય. કરદાતાને રિફંડ મેળવતાં ૧૦ મહિનાનો સમય લાગી જા યછે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ના આંકડા પ્રમાણે ટેકસ વિભાગ સમક્ષ રિફંડના ૪૦ લાખ કેસ પેન્ડગ હતા તેથી રિફંડ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને છેતરપડીના કારણે રિફંડ વ્યવસ્થામાં સુધારો કરવાની આવશ્યકતા પડી છે. કાગળથી ભરવામાં આવતા ટેકસ રિટર્નની ચકાસણીનું કામ જટિલ હોય છે તેથી રિફંડ આપવામાં મોડું લાગે છે. ૨૦૧૦-૧૧માં સરકારે રૂ. ૭૮,૦૦૦ કરોડના વધારાના ટેકસનું રિફંડ ચૂકવ્યં હતું. ઈફાઇ લગના કારણે કરદાતાની આવક, કર અને રિફંડની માહિતી ટેકસ સિસ્ટમમાં તાત્કાલિક અપલોડ થાય છે અને તેની ગણતરી તરત થઇ શકે છે.

આવકવેરા વિભાગ ટેકનોલોજી ઈન્ટરનેટ્સનો ઊપયોગ કરીને રિફંડ પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માંગે છે. ઝડપી રિફંડ મળે તે માટે દેશમાં એક રિફંડ બેન્કર યોજના પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. આવકવેરા વિભાગ દ્વારા એસબીઆઇને ડેટા મોકલવામાં આવે છે જે રિફંડ બેન્કર સ્કિમ હેઠળ કરદાતાને સીધુ રિફંડ આપે છે.

આવતા વર્ષે નવો ડાયરેકટ ટેકસ કોડ અમલમાં આવશે તેથી તે અગાઊ બધુ કિલયર કરી નાખવામાં પણ આવકવેરા વિભાગને એસીઆરમાંથી મદદ મળી જશે.

Monday, April 18, 2011

AICTE News 2011 - નવી ટેકનિકલ કોલેજો શરૂ કરવા ઓનલાઇન દરખાસ્તો મંગાવી



વિવિધ રાજય સરકારો પણ નવી કોલેજો માટેની દરખાસ્તો કરી શકશે.

આલ ઈન્ડિયા કાઊન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન (એઆઇસીટીઇ) દ્વારા દેશભરમાંથી નવી ટેકનિકલ કોલેજો શરૂ કરવા માંગતા સત્તામંડળો, શૈક્ષણિક સંસ્ખાળો અને રાજય સરકારો પાસે ઓનલાઇન દરખાસ્તો મંગાવવાની જાહેરાત કરી દીધી છે.

અગામી શૈક્ષણિક સત્રમાં ટેકનિકલ કોલેજોની માન્યતા મેળવવા માટે નિયત સમયમાં કોલેજ શરૂ કરવા માંગતી સંસ્થાઓ કે રાજય સરકારોએ ઓનલાઇન અરજી સ્વરૂપે દરખાસ્ત મોકલવાની રહેશે. એઆઇસીટીઇ દ્વારા ઓનલાઇન દરખાસ્ત નવી ટેક્નીકલ કોલેજો શરૂ કરવા માટે મંગાવવામાં આવી રહી છે.

જેમાં જે કોર્સ શરૂ કરવા માંગતા હોય તે કોર્સ વિશેની પણ ખાસ નાધ કરવાની રહેશે. એઆઇસીટીઇના નિયમોને અનુસારનારી અને પૂર્ણાતા કરનારી દરખાસ્તોને સ્વીકાર્યા બાદ મંજૂરી મળવા પાત્ર રહેશે. જે દરખાસ્તો મંજૂર થશે. તેવી દરખાસ્તોને આ શૈક્ષણિક વર્ષથી નવી કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવશે.
એઆઇસીટીઇની નિયમો પ્રમાણે તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ફેકલ્ટીઓ, ભૈતિક સુવિધાઓ અને બીજા માપદંડો દરખાસ્તમાં મૂકવામાં હોય તે ખરેખર છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન દરખાસ્તમાં મોકલેલી વિગતોમાં ક્ષતિ જણાય કે માહિતી ખોટી મોકલી હોય તેવું સાબિત થાય તો તેવી દરખાસ્તોને તાત્કાલિક ધોરણે રદ્ પણ કરવાનો અધિકાર એઆઇસીટીઇને છે અને ભવિષ્યમાં એ શૈક્ષણિક સંસ્થાઓની દરખાસ્ત હંમેશ માટે ન લેવી તેવો નિર્ણય પણ એઆઇટીસીટીઇ કરી શકે છે. અગામી બે દિવસમાં એઆઇસીટીઇની સતાવાર વેબસાઇટ પર દરખાસ્ત મોકલી શકાશે.

Friday, April 15, 2011

બી- સ્કૂલનાપ્રવેશનિયમોનેલઇને એઆઇસીટીઇએસુધારણાકર્યા

રાજયકક્ષાએ લેવાતી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને પ્રવેશ લાયક ગણવો પડશે.

પોસ્ટ ગ્રેજયુએટ ઈન મેનેજમેન્ટ અને પોસ્ટ ગ્રેજયુએટ ર્સિટફિકેટ ઈન મેનેજમેન્ટના અભ્યાસક્રમોમાં પ્રવેશ સંબંધી નિયમોમાં એઆઇસીટીઇ (ઓલ ઈન્ડિયા કાઊન્સિલ આૅફ ટેકનિકલ એજયુકેશન) દ્વારા થોડા પ્રમાણમાં સુધારણા કરવામાં આવ્યા છે.

એઆઇસીટીઇની એપેક્ષ બોડીએ નિર્ણય લીધો છે કે સ્ટૂડન્ટને પ્રવેશ આપતી વખતે બી-સ્કૂલ એ સીએટી અને એમએટી અને અન્ય રાજય દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીને પ્રવેશ વખતે ધ્યાને લેવા પડશે અને પ્રવેશ આપવા યોગ્ય ગણવા પડશે.

આ તમામ પગલાંમાંથી વિવિધ પરીક્ષાઓમાંથી જુદા-જુદા વિદ્યાર્થીઓ બી-સ્કૂલ યોગની પસંદગી પ્રમાણે લઇ શકાશે. પણ તમામ પરીક્ષાને ધ્યાને લેવી પડશે. એઆઇસીટીઇ દ્વારા આ નવા નિયમો દરેક બી-સ્કૂલને મોકલી આપવામાં આવ્યા છે જેનું બી-સ્કૂલ દ્વારા વખોડવામાં અને ટીકા કરવામાં આવી રહી છે.

એઆઇસીટીઇના નિયમોના ફેરફારને લઇને કેટલીક બી-સ્કૂલ તો સુપ્રીમકોર્ટમાં જવાની તૈયારીઓ કરી દીધી છે. ઘણી બધી બી-સ્કૂલ દ્વારા પોતાની મનમરજી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે તેને લઇને એઆઇસીટીઇએ તેનેતેમને લાલ આંખ કરી છે.

Thursday, April 14, 2011

Summer Coats in Ahmedabad - આ વર્ષે બજારમાંઆગમન

ફકત સ્ત્રીઓ એ જ નહિ પુરુષોએ
પણ સમરકોટને આવકાર્યા

જો કે આવી કાળઝાળ ગરમીથી બચવા માટે
અમદાવાદીઓ રોજ નવા નુસખા કરે છે
ત્યારે આ વર્ષે બજારમાં નવા આવેલા
‘સમરકોટ’ને અમદાવાદીની સ્ત્રીઓએ
સહર્ષતાથી સ્વીકારી લીધા છે ત્યારે
મહત્ત્વની બાબત એ છે કે ફકત સ્ત્રીઓએ જ
નહ પરંતુ પુરુષોએ પણ આ વર્ષે સમરકોટ
પહેરવાનું નક્કી કર્યું છે અને આ વર્ષે
બજારમાંથી ફકત સ્ત્રીઓ એ જ નહિ પરંતુ
પુરુષોએ પણ સમરકોટ ખરીદ્યા છે. આ
સમરકોટમાં મહત્ત્વની બાબત એ છે કે તે
પૂરેપૂરા વ્હાઇટ કલરના હોવાથી ગરમીનું
શોષણ કરતા નથી અને ગરમીને પરાર્વિતત
કરે છે આથી ગરમીથી થતા ત્વચાના રોગોને
પણ સીધું રક્ષણ મળે છે.

સમરકોટના ભાવ ૧૫૦થી લઇને ૪૫૦ સુધી છે ઃ સમરકોટ કોટનના કપડામાં જ મળે છે.

હાલના સમયમાં રાજયમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે ત્યારે હજુ તો અમદાવાદમાં ગરમી વધવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. તેમાંય વળી અમદાવાદીઓ આ ગરમીથી બચવા માટે નીતનવા ગતકડાં કરવા માટે પણ જાણીતા છે પરંતુ આ વર્ષે  ગરમી જે ઝડપથી આવી છે અને જે ઝડપથી વધી રહી છે તે જોતાં લાગે છે કે જો કોઇ વ્યકિત બે દિવસ સુધી અમદાવાદના રસ્તાઓ પર ગરમી સામે રક્ષણનો એકપણ નુસખો અપનાવ્યા વગર ફરે તો તે સાજો ન રહે. અમદાવાદ જેમજેમ મેગાસિટી બનવા તરફ જઇ રહ્યું છે. તેમ તેમ અહ વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે.

આથી પોલ્યૂશન પણ વધી રહ્યું છે ત્યારે પોલ્યૂશન અને ગરમીથી પહાચી વળવા માટે લોકો શકય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે છે પરંતુ જેને નોકરી ધંધો છે તે લોકો શું કરે આથી તેઓ શકય ત્યાં સુધી આંખો પર ચશ્મા, હાથમાં મોજાં અને મોં પર દુપટ્ટો બાંધીને નીકળે છે. હવે તો જો કે પુરુષો પણ હાથના મોજાં, ટોપી અને મ્હોએ રૂમાલ બાંધીને નીકળે છે.

ત્યારે વધી રહેલી ગરમીને પહાચી વળવા માટે આ વર્ષે હવે બજારમાં સમરકોટનું આગમન થયું છે. આ સમરકોટ એ પૂરેપૂરો વાઇટ કલરનો આવે છે. જે શિયાળના સ્વેટરની જેમ ટોપી સાથે હોય છે ત્યારે બજારમાં આ વર્ષે આવેલા આ સમરકોટના ભાવ ૧૫૦ થી લઇને ૪૫૦ સુધી ચાલે છે.

સમરકોટ વ્હાઇટ હોવાથી તે ગરમીનું શોષણ કરતો નથી અને ખરી ગરમીમાં જયારે બહાર ફરવાનું થાય છે ત્યારે તે તડકા સામે રક્ષણ આપે છે.

લાલ દરવાજા સ્થિત એક વેપારીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે ‘સમરકોટ’ આ વખતથી નવા જ આવ્યા છે. તે મોટાભાગે કોટનના કપડાંના હોય છે. આથી લોકો તેને વધુ ખરીદે છે. જો કે બજારમાં આ વર્ષે જ સમરકોટ આવ્યા છે તેમછતાં લોકોએ તેને ખૂબ સારી રીતે વધાવી લીધા છે. તેમ છતાં પણ આ સમરકોટની માંગ ખાસ કરીને કોલેજમાં ભણતી છોકરીઓ અને નોકરી કરતી સ્ત્રીઓમાં વધારે છે. આ સમરકોટ છેક કમરથી નીચે સુધી અને પૂરેપૂરા હાથ ઢંકાય તે રીતે આવે છે અને સાથે ટોપી પણ હોય છે. આથી જે છોકરીઓ ઊનાળાની
ગરમીમાં દુપટ્ટા બાંધીને ફરે છે તેમને દુપટ્ટા બાંધવાને બદલે તેઓ આવા સમરકોટ લેવાનું વધારે યોગ્ય
માને છે.

સમરકોટ મોટાભાગે કોટનના અલગઅલગ કાપડમાં બજારમાં આવ્યા છે પરંતુ આ વખતે આ સમરકોટ ફકત
સ્ત્રીઓ જ ખરીદે છે. એવું નથી પણ પુરુષોએ પણ આવા સમરકોટ ખરીદ્યા છે દુપટ્ટા એકાદ મહિનામાં ફાટી
જતા હોય છે ત્યારે એક દુપટ્ટો આશરે ૧૦૦ થી ૧૫૦ સુધી પડે છે તેના કરતાં સમરકોટ લેવા વધારે સારો પડે છે.

આમ જોઇએ તો આ વર્ષે વર્કંિગ વુમને બજારમાં નવા આવેલા આ સમરકોટ સહર્ષ સ્વીકારી લીધા છે

Ahmedabad Railwasy Stataion - પાર્સલ બુકગ કરાવવા માટે પણ દલાલોને રૂપિયાઆપવાપડે છે

દલાલો રોજના હજારો રૂપિયા કમાય છે રેલવે પર ૨૪ કલાક હાજર રહેતા દલાલો એક દિવસમાં હજારો રૂપિયાની કમાણી કરી લે છે.

એક પાર્સલ બુકગના ૫૦૦થી લઇને ૧૨૦૦ રૂપિયા સુધી મુસાફરો પાસેથી ખંખેરે છે. દરેક કામ માટે દલાલ તો હોય છે જ ટિકિટ માટે એજન્ટને પકડવો પડે પાર્સલ માટે દલાલને જગ્યા માટે કુલીને આમ રેલવે સ્ટેશન પર ૫૦૦ રૂપિયાનું કામ ૧૫૦૦માં પડે છે. અને મજબૂરીમાં મુસાફરોએ કરાવવું પણ પડે છે. જેમાં રેલવે પોલીસ, રેલવે કર્મચારી, રેલવે અધિકારી બધાને મલાઇ જેવી આવક થાય છે. આ બધું તેઓની મૂક સંમતિથી જ ચાલે છે.

૫૦૦ થી ૧૨૦૦ રૂપિયા લેતા દલાલો રેલવેમાં નાનામાં નાના કર્મચારીથી મોટામાં મોટા અધિકારીને ભાગ આપે છ.

રેલવે તંત્રમાં નાનામાં નાના પાર્સલ માટેના બુકગ માટે પણ દલાલોને ભાઇ-બાપા કહેવું પડે છે અને દલાલો તકનો લાભ ઊઠાવી બુકગ માટે આવતા લોકોની પાસેથી ભરપેટ પૈસા ખંખેરે છે. છતાં તંત્ર સાવ નીરસ બનીને દેખતું રહે છે. કારણ કે દલાલો પાસેથી તેમને પણ મલાઇ મળતી હોય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાલુપુર રેલવે સ્ટેશને પાર્સલ બુકગ માટે આવતા મુસાફરો રેલવે કર્મચારીઓથી કંટાળી ગયા છે.

સામાન્યમાં સામાન્ય પાર્સલના બુકગ માટે પણ મુસાફરોએ દલાલને ૫૦૦થી ૯૦૦થી ૧૨૦૦ રૂપિયા વધુ આપવા પડે છે. પાર્સલ માટેના ફોર્મમાં કર્મચારીઓ દ્વારા ભૂલો કાઢવામાં આવે છે. સામાન્ય મુસાફરને ખબર ના હોવાથી તે લોકોને મજબૂરીમાં દલાલોનો સહારો લેવો પડે છે. દલાલો પણ આ લોકોની રાહ જોઇને જ ઉભા હોય છે. કારણ કે રેલવે કર્મચારીઓ જાણી-જોઇને મુસાફરોને હેરાન કરે છે.

જેથી તેઓ દલાલ પાસે જાય દલાલને મળતા રૂપિયામાં રેલવે કર્મચારીથી લઇ અધિકારી સુધી બધાનો ભાગ હોય છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવેમાં આ મલાઇ જેવી કમાણી છે કારણ કે રેલવે પાર્સલ બુકગનોભાવ ઓછો હોય છે માટે મુસાફરો અહ જ આવે છે અને દલાલો તેનો લાભ લે છે. તો કર્મચારીઓ અને અધિકારીઓને પગાર ઊપર વધારાની કમાણી મળી જાય છે. તો બીજી બાજુ પાર્સલ આૅફિસમાં કામ કરતાં
કર્મચારીઓ પાર્સલના વજનોમાં ગોટાળા કરે છે. રેલવેને મોટું નુકસાન ભોગવવું પડે છે જેથી રેલવેને તો નુકસાન થાય છે. પરંતુ દલાલો દ્વારા અધિકારીઓને લાભ થાય છે. જયારે બિચારા સામાન્ય મુસાફરો ખુલ્લેઆમ છેતરાય છે.

આ સંદર્ભે રેલવે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

Gandhinagar Municipal Corporation Election 2011 - ચૂંટણી લડી રહેલા ૧૦ ઊમેદવારો કરોડપતિ

ભાજપ અને કાગ્રેસના ૨૦ ઊમેદવારોના માથે બેન્કોનું દેવું.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં દસ હજારની રોકડ સંપત્તિથી લઇ લખપતિ, કરોડપતિ માલેતુજાર
ઊમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ઊમેદવારોએ ઊમેદવારી ફોર્મ સાથે સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી છે. જો કે કેટલાક ચાલાક ઊમેદવારો એ જે સંપત્તિ જાહેર કરી છે તેથી પણ વધુ મિલ્કતો ધરાવતા હોવાની ચર્ચા છે.

મનપાની ચૂંટણી લડી રહેલા ઊમેદવારો પૈકી દસ કરોડપતિ છે. જેમાં ભાજપના ૪ અને કાગ્રેસના ૫ અને એક અપક્ષ ઊમેદવાર કરોડપતિ સંપત્તિ ધરાવે છે.

ભાજપના ૨૧ વર્ષીય એક ઊમેદવાર પાસે માત્ર દસ હજારની રોકડ રકમ જ છે. જયાં ચૂંટણી પ્રચારથી લઇ તમામ
પાછળ હજારોનો ખર્ચ પહાચે ત્યાં ભાજપે એક વિદ્યાર્થીને ટિકિટ આપી દઇને યુવા મતદારોની વોટબેન્ક ઉભો કરવાનો પ્રયાસ કરી નાંખ્યો છે તો કાગ્રેસે પણ એક વિદ્યાર્થીને ઉભા રાખી દીધા છે. અલબત્ત આ વિદ્યાર્થી
ઊમેદવાર સંપત્તિના મામલે ભાજપના વિદ્યાર્થી ઊમેદવાર કરતા થોડાક સંપત્તિવાન માલૂમ પડે છે તો ૧૮ ઊમેદવારો એવા છે કે જેમની પાસે મકાન જ નથી. તો કેટલાક ઊમેદવાર છે જેમને બબ્બે મકાનો છે.

કોર્પોરેશનની ચૂંટણી લડતા ૧૧ ઊમેદવારો પાસે વાહન નથી તો કેટલાક ઊમેદવારો બે થી ત્રણ ફોર વ્હીલર્સ ધરાવે છે. કેટલાક ઊમેદવારો લકઝરીની ગાડીઓ ધરાવે છે એક મહિલા ઊમેદવારની વ્યાજની આવક ૧૮
લાખની છે. તો મોટાભાગના ઊમેદવારોએ એફડી, શેરડિબેન્ચ ર, વિવિધ ઈન્સ્યોરન્સ પોલિસીઓમાં રોકાણ કરી
પોતાનું ભાવિ નિશ્ચિત કર્યું છે.

કાગ્રેસ અને ભાજપના મળી ચારેક ઊમેદવારો પાસે લાખો રૂપિયાની કિંમતની જમીનો છે.જયારે સૌથી અનુરોધજનક બાબત એ છે કે ભાજપ અને કાગ્રેસના ૨૦ જેટલા ઊમેદવારો એવા છે કે જેમના માથે બેન્કોની
લોન (દેવું) બોલે છે. જેમાં ભાજપના એક ઊમેદવારે ૯૪ લાખની લોન લીધી છે. તો કાગ્રેસના એક ઊમેદવારે ૮૬
લાખની લોન લીધી છે. જયારે બીજી બાજુ ચૂંટણી લડતા પાંચ જેટલા ઊમેદવારો સામે વિવિધ ગુનાઓ નાધાયેલા છે જેમાં સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ ઉભી કરવા માટે એક મહિલા ઊમેદવાર સામે પણ ગુનો છે. જેનો કેસ કોર્ટમાં પેન્ડગ છે. બે ઊમેદવારો સામે રાયોટગ અને એક ઊમેદવાર સામે મારામારીનો અને એક સામે ખૂનની મારી નાખવાની ધમકીનો ગુનો દાખલ છે.

Ahmedabad Lakes - ઊનાળો શરૂ થતા મોટાભાગના સૂકાઇગયા

 કાળી ગામનું નવું બંધાયેલું તળાવ, વસ્ત્રાપુર તળાવ સહિતના તળાવમાં પાણી છોડાશે.

શહરેમાં ઔડા વિસ્તારોમાં આવેલા તળાવોમાં ઊનાળો આવે તે પહેલાં જ તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.

પાણી ન હોવાના કારણે મોટાભાગના નાગરિકો તળાવના કાંઠે જઇને બેસીને કુદરતની મજા માણી શકતા નથી. તેથી એ તમામ તળાવોમાં પાણી છોડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં એક અંદાજ મળીને ૧૪૦ થી વધુ તળાવો હતા. જેમાં સમયાંતરે ઔડા દ્વારા વિવિધ તળાવોનો વિકાસ કરી રમણીય બનાવવામાં આવ્યા પણ ઔડા દ્વારા હાલમાં તૈયાર કરવામાં આવેલા તળાવો અને વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા તળાવોમાં ઊનાળાની સાથે એક કોમન વાત છે કે ઊનાળો આવતાની સાથે તળાવોમાંથી પાણી ગાયબ થઇ જાય છે.

શહેરમાં આવેલા કાંકરિયાના તળાવ સિવાય બીજા તળાવોમાં પાળી કેમ નથી રહેતું તે પ્રશ્ન નાગરિકોને મૂંઝવે છે. વસ્ત્રાપુર, ગોતા, કાળીગામ બોપલ આંબલી જેવા વિસ્તારોમાં થયેલા તળાવોમાં બારેમાસ પાણી રહે તેવી
વ્યવસ્થા કરવી જોઇએ. પણ પાણી રહેતું નથી.

સામાન્ય રીતે તળાવો કરીને તેમા પાણીનો સંગ્રહ કરવાથી તમામ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી શકાય પણ પાણીના સ્તર ઊંચા લાવવા માટે પાણી લાવવું જરૂરી છે. આમ શહેરના મોટાભાગના તળાવો
માત્ર ચોમાસામાં ભરાય છે.

બાકી ઊનાળો આવતાની સાથે તેમાંથી પાણી ગાયબ થઇ જાય છે. હાલમાં ઔડા દ્વારા ગત વર્ષે બીજા ૯ તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. અગામી વર્ષોમાં ૧૪ નવા તળાવોના કામકાજ કરશે. પણ તળાવોની રમણીયતા વધારવા માટે તેમાં પાણીથી ભરાયેલા રહે તે અનિવાર્ય છે.

Wednesday, April 13, 2011

Gujarat State Samachar - રાજયના શહેરોને જોડતી વિમાની સેવા શરૂ

કેપ્ટન જી.આર.ગોપીનાથે ઇન્ટ્રા સ્ટેટ એર ર્સિવસીસ શરૂ કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી  એર ટિકિટનો ભાવ રૂ.૨૫૦૦થી ૩,૦૦૦ સુધીનો રહેશે.

દેશની એક પ્રાઇવેટ ડેક્કન એરલાઇન્સ ગુજરાતના જુદાં-જુદાં શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહાચવા માટે ઇન્ટ્રા સ્ટેટ એર ર્સિવસીસ શરૂ કરવાની યોજના કરી રહી છે.

આ ફલાઇટ શરૂ કરવા માટે ડેક્કન ચાર્ટડ્સ લિ.ના કેપ્ટન જી.આર. ગોપીનાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી છે.

ડેક્કન ચાર્ટડ્સ લિ.એ ગુજરાતમાં અમદાવાદથી સુરત સહિત અન્ય બીજા શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થલે ફલાઇટથી જવા માટેની શરૂઆત કરવાની વિચારણા કરી રહી છે.

તાજેતરમાં આ પ્લાઇટ સેવા શરૂ કરવા માટે ડેક્કન ચાર્ટડ્સ લિ.ના કેપ્ટન જી.આર.ગોપીનાથ અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવતી હતી.

ગુજરાત સરકાર ૧લીમે ગુજરાત સ્થાપના દિવસે આ ઇન્ટરસ્ટેટ ફલાઇટ સુવિધા શરૂ કરવાની વિચારણા કરી
રહ્યું છે. પરંતુ એરલાઇન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે હાલમાં એકપણ એરક્રાફટ તૈયાર નથી તેથી
૧લીમેના રોજ આ સેવા શરૂ કરવી એ ઘણી મુશ્કેલ છે. પ્રાઇવેટ એરલાઇન કંપની ૬૦ સીટર-એટીઆર ટર્બોપ્રોય પ્લેન માટે ઓર્ડર આપ્યા છે.

અમદાવાદથી રોજની છ ફલાઇટ શહેરોમાં શરૂ થાય તેવી દરખાસ્ત મૂકી છે. આ ફલાઇટ અમદાવાદથી કંડલા
અને કેશોદ અને રોજની પાંચ ફલાઇટો સુરતથી ભાવનગર કચ્છ અને અમદાવાદથી શરૂ થશે.

સરકારી અધિકારીના સૂત્રોના જણાવ્યા અનુસાર બગ્લોરમાં એર શો દરમ્યાન બે મહિના અગાઊ ગુજરાત ટૂરિઝમ વિભાગના ડાયરેકટર વિપુલ મિત્રા સહિત સરકારનું એક ડેલિગેશન કેપ્ટન જી.આર.ગોપીનાથને મળ્યું હતું.

ત્યાર બાદ જી.આર. ગોપીનાથ આ ઇન્ટ્રા-સ્ટેટ એર ર્સિવસ માટે સેવા શરૂ કરવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨,૫૦૦થી ૩,૦૦૦ રૂપિયા વચ્ચે ભાડાનો દર રાખવામાં આવશે.

ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પૂર્ણ થયાબાદ અન્ય પરીક્ષાઓનો ધમધમાટ શરૂ

કાલે ગુજકેટ, ૧૬મીએ આઇસેટ, ૧૫ થી ૨૦ એપ્રિલ પ્રેકિટસ અને ૧લી મે ના રોજ છઇઇઇની પરીક્ષા લેવાશે

બોર્ડની પરીક્ષાઓ પંદર-વીસ દિવસ અગાઊ પૂર્ણ થઇ ગઇ છે પરંતુ હજુ ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપનારા
વિદ્યાર્થીઓને શાંતિ નથી ત્યારે બોર્ડની પરીક્ષા માટે દોઢ-બે વર્ષથી તનતોડ મહેનત કરતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી થવા છતાં હજુ તા.૧લી મે સુધી નિરાંત નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો. ૧૨ બોર્ડમાં આવતા વિદ્યાર્થીઓ ધો. ૧૧માં આવતાની સાથેજ ધો. ૧૨ની મહેનત શરૂ કરી દેતા હોય છે. તેમાંય વિદ્યાર્થીઓને ધો. ૧૨ના ટ્યૂશન, અધર કલાસીસ અને વળી ધો. ૧૧ની સાથે સાથે ધો. ૧૨ની પણ મહેનત કરવાની હોય છે ત્યારે વિદ્યાર્થી જાણે આખુ વર્ષ રાહ જોતો હોય કે કયારે પરીક્ષા આવે અને કયારે પરીક્ષા પૂર્ણ થાય ત્યારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓને તો હજુ આવતીકાલે ગુજકેટની પરીક્ષા છે.

તે પછી તા. ૧૬ એપ્રિલે આઇસેટ અને તેજ દિવસોમાં તા. ૧૫ થી ૨૦ એપ્રિલ દરમિયાન પ્રેકિટકલ્સની પરીક્ષા છે અને તા. ૧ લી મે ના રોજ છઇઇઇની એકઝામ છે. આમ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આરામ જ નથી. ગુજકેટ અને છઇઇઇના ટ્યૂશન અને વાંચન ચાલુ છે. આ ટ્યૂશન સંચાલકો પણ આ થોડાક ‘દિ’ના ટ્યૂશન માટે હજારો રૂપિયાની ફી લઇને કમાણીનો ધંધો કરે છે.

જો કે ઘણી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને પોતાની શાળામાં જ ગુજકેટ કે છઇઇઇના ટ્યૂશન વ્યવસ્થા કરી છે. રાજયભરમાં આવતીકાલે લેવાનાર ગુજકેટની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. અહ ઊલ્લેખનીય છે કે આ ગુજકેટની પરીક્ષા ફકત ગુજરાતના જ નહ પણ ગુજરાત બહારના તેમજ વિદેશના ૮ વિદ્યાર્થીઓ આપવાના છે.

Swarnim Gujarat Celebration 2011 - ઊજવણી ૧લી મે એ સરદાર સ્ટેડિયમમાં યોજાશે

‘ગુજરાત આગે કદમ’ સાંસ્કાતિક કાર્યક્રમમાં ૩૫૦૦ કલાકારો કલાના કામણ પાથરશે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ર્સ્વિણમ જયંતી વર્ષની ઊજવણી થઇ રહી છે તેના સમાપન નિમિત્તે, એપ્રિલ
ઊત્તરાર્ધમાં રાજયના ચાર ઝોનમાં અને આખરે અમદાવાદગાંધીનગરમાં ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જે કાર્યક્રમ માટે અમિતાભ બચ્ચન સહિત ટોચના અન્ય મહાનુભાવોને આમંત્રિત કરાશે.

ગુજરાતની સ્થાપના તા.૧લી મે ૧૯૬૦ના રોજ થયેલી રાજય સરકારે ચાલુ વર્ષે ર્સ્વિણમ ગુજરાત તરીકે ઊજવેલ
છે. વર્ષ દરમિયાન યોજાયેલા ર્સ્વિણમ કાર્યક્રમો બાદ તેના ઊજવણીના સમાપન માટે ભવ્ય કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ગાંધીનગરમાં ૩૦ એપ્રિલ સાંજે ૫ વાગ્યે વિશ્વ ગુજરાતી સંમેલન મળશે.

જેમાં ૧૦૦ રાષ્ટ્રના ગરવા ગુજરાતીઓ ભાગ લેશે. જેઓ ગુજરાતની ગૌરવગાથા વર્ણવશે. આ કાર્યક્રમ ગાંધીનગરમાં નવર્નિિમત મહાત્મા મંદિર ખાતે રાખેલ છે. કાર્યક્રમમાં ગુજરાતનો ઈતિહાસ પ્રસ્તુત કરતું પ્રદર્શન યોજાશે તેમજ વર્તમાન સરકારની સિદ્ધિઓ વર્ણવાશે. જયારે તા. ૧લી મે ના રોજ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાં ‘ગુજરાત આગે કદમ’ શિર્ષકથી સાંસ્કાતિક કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમમાં ૩૫૦૦ જેટલા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

Tuesday, April 12, 2011

Sri Ram Navami 2011 - શ્રધ્ધાઅને ભકિતભાવ સાથે ઊજવણી

આજે સરકારી રજાઓ હોવાથી ભાવિકોને ભકિતમાં તરબોળઃ શહેરના મંદિરો ભાવિકોની ભીડથી ઉભરાઇ ગયા.

આજે ભગવાન શ્રીરામનીજન્મજયંતી અને ભગવાન શ્રી સ્વામીનારયણની ૨૩૦મી પ્રાગટ્ય જયંતી સમગ્ર શહેરમાં ધામધૂમથી ઊજવવામાં આવશે.

ત્રેતાયુગમાં ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે ૧૨ વાગ્યે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો તે
વાતને આજે હજારો વર્ષ વીતી ગયા છતાં આજે પણ આદર્શ જીવનનું ઊદાહરણ આપવાનું હોય તો ભગવાન
શ્રીરામનું જ નામ યાદ આવે.

આજે લોકો વિશેષ પૂજા અર્ચના કરે છે. ઊપવાસ રાખીને આખો દિવસ પ્રભુ રામની આરાધના કરે છે. સમગ્ર ભારતમાં આવેલા શ્રીરામનાં મંદિરમાં બપોરે ૧૨ વાગે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવશે. જેમાં
ભાવિકો ભાવથી જોડાશે.

જયારે ભગવાન સ્વામી નારાયણના પ્રાગટ્ય જયંતી સ્વામીનારાયણ મંદિરમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. રામનવમી અને સ્વામીનારયણ જયંતીની ઊજવણીની તૈયારીઓ છેલ્લાં અઠવાડિયાથી શહેરના મંદિરોમાં થઇ રહી હતી.

ભાવિક ભકતો આજના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ઊમટી પડ્યા હતાં. બપોરે ૧૨ વાગે રામ મંદિરોમાં અન્નકૂટ અને ભવ્ય આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો સ્વામીનારાયણ મંદિરમાં સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સરકારી રજાઓ હોવાથી ભાવિકોને જાણે ભકિતમાં તરબોળ થવાની વધારે મજા આવી હોય તેમ શહેરના મંદિરો આજે ભાવિકોની ભીડથી ઉભરાઇ ગયા છે.

ભગવાન શ્રી રામના જન્મય નીમીત્તે આજે મહાયજ્ઞ તથા પ્રસાદ વિત્તરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તો નાના બાળકો ભગવાન રામની પાલખી બનાવીને તેમની શોભાયાત્રા પણ નિકાળતા હોય છે. આમ શ્રધ્ધાના કદી પુરાવા નથી હોતા તે યુકિત અહ સાબીત થાય છે.

આજે રામનવમી અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાગ્ટય જયંતીનું હર્ષો ઊલ્લાસ સાથે ઊજવણી કરાઇ.
આજે છેલ્લું નોરતું આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ આજે નવરાત્રિનો છેલ્લો દિવસ નોમ હોવાથી આજે
માતાજીના નિવેધ બનશે અને સાથે જ ઘરે-ઘરે ખીર-પૂરી લાપસી બનશે અને માને થાળ ધરાવાશે. આજે રામનવમી અને ચૈત્રી નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી શહેરભરમાં મંદિરો ભકતોના જયનાદથી ગૂંજી ઊઠશે.

ભગવાન સ્વામીનારાયણની ઊજવણી પણ ભાવિકો ધામધૂમ અને ભકિતપૂર્વક કરશે.

જાપાનમાં૭.૪નીતીવ્રતાનોફરી ભૂકંપ - સુનામીની ચેતવણી જારી

વિનાશકારી ભૂકંપ બાદ જાપાન તેની અસરથી બહાર નિકળે તે પહેલા ફરીવાર પ્રચંડ ભૂકંપ  દરિયાકાંઠાથી લોકોને સુરક્ષિત ખસેડાયા.

જાપાનમાં આજે મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૭.૪ જેટલી આંકવામાં આવી હતી. વિનાશકારી ભૂકંપ અને ત્યારબાદના સુનામીના કારણે અભૂતપૂર્વ જાનમાલના નુકસાનમાંથી જાપાન બહાર નિકળે તે પહેલા જ ફરી એકવાર પ્રચંડ આંચકો આજે અનુભવાયો હતો જેથી ઊત્તરપૂર્વીય જાપાન હચમચી ઊઠ્યુ હતુ.

ગયા મહિનાના વિનાશક ભૂકંપથી તારાજ થયેલા દરિયા કાંઠાના વિસ્તાર માટે સુનામી ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામીના કારણે ન્યૂકિલઅર પાવરપ્લાન્ટને પણ નુકશાન થયુ હતુ જેના લીધે જાપાન હજુ પણ પરેશાન છે.

નવેસરના પ્રચંડ ભૂકંપથી નુકશાનના કોઇ અહેવાલ મળ્યા નથી પરંતુ સુનામીની ચેતવણી જારી કરવામાં આવતા લોકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા.

૧૧મી માર્ચના દિવસે નવની તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ ઈતિહાસના સૌથી વિનાશક સૂનામીમાં હજારો લોકોના મોત થઇ ગયા બાદ ફરી એકવાર જાપાનમાં આ આંચકો આવ્યો હતો. વિનાશક ભૂકંપ અને સુનામી બાદ ફુકુશિમા પ્લાન્ટને નિયંત્રણમાં લેવા જાપાન સંઘર્ષ કરી રહ્યુ છે ત્યારે એક પછી એક આફત તેના પર આવી રહી છે. હાલના ભૂકપમાં ૨૮૦૦૦ લોકોના મોત થઇ ગયા હતા.

Gujarat University Exams 2011 - ત્રીજા તબક્કા ની પરીક્ષામાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર

યુનિ. દ્વારા શંકાસ્પદ અને સંવેદનશીલ કેન્દ્રો પર થતી ગેરરીતિ અટકાવવા આકસ્મિક ચેકગ કરવાની યોજના.

ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. જેમાં ટી.વાય.બીએ., બી.કોમ, બી.એડ્ સહિતની વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊપસ્થિત રહેશે.

અમદાવાદ શહેર સહિત બહારના વિસ્તારો સહિત ૨૬૮ જેટલા કેન્દ્રો પરથી યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા યોજાશે ત્યારે અમદાવાદના ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જેમાં ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલથી ગુજરાત યુનિર્વિસટીની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે બીજા તબક્કાની પરીક્ષાઓમાં યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને બીજા તબક્કાની પરીક્ષામાં ચોરીના કેસ ન પકડવા માટે તાકીદ કરવામાં આવી હતી ત્યારે ત્રીજા તબક્કાની પરીક્ષામાં હવે યુનિર્વિસટી સંલગ્ન કોલેજોના સંચાલકો અને અધ્યાપકોને દબાણ કરવામાં આવે તેવી સંભાવના છે ત્યારે આવતીકાલથી શરૂ થનારી ત્રીજા તબક્કાની પરીક્ષામાં કુલ ૬૦૬૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં અમદાવાદમાંથી ૩૮૩૯૭ વિદ્યાર્થીઓ અને અન્ય વિસ્તારમાંથી ૨૨૨૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે કુલ ૨૬૮ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જેમાં અમદાવાદમાં ૧૦૬ કેન્દ્રો અને અન્ય વિસ્તારમાં ૧૬૨ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ પર નજર રાખવા ૨૦ ફલાઇંગ સ્કવોર્ડ અને ૫૭૪ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઇ છે.

જેમાં ટી.વાય.બી.એ. ટી.વાય.બી.કોમ, બી.એડ્ એમ.એડ, ફર્સ્ટ બી.એસ.સી, થર્ડ બી.એસ.સી, સેકન્ડ બી.બી.એ, થર્ડ બી.સી.એ સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ યોજાશે. ત્રીજા તબક્કાની પરીક્ષા બાદ અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે દર વર્ષે ઊત્તરવહી ચકાસણીમાં સિનિયર અધ્યાપકો નહ જતા હોવાના અહેવાલના પગલે વિદ્યાર્થીઓનાં પરિણામ મોડા જાહેર થવાની અટકળો શરૂ થઇ ગઇ છે પરંતુ આ વર્ષે યુનિર્વિસટીની તમામ પરીક્ષાઓના પરિણામો સમયસર જાહેર થશે તેવો યુનિ. સત્તાવાળાઓનો દાવો છે.

Gujarat Vidyapith Ahmedabad - વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા થીસીસ ઓનલાઇન

એમએથી લઇને એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓની તૈયાર કરવામાં આવાલા સંશોધનોના તારણો
ઓનલાઇન ઊપલબ્ધ હશે.

શહેરના આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જાણતાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા વિવિધ વિદ્યાશાખાના વિવિધ વિષયો પર તૈયાર કરવામાં આવતાં સંશાધનો (થીસીસ)ના તારણો ટૂંક સમયમાં ઓનલાઇન મૂકવાની તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા સંશોધનો અને તારણો હવે ઓનલાઇન જોવા મળશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૯૨૦માં આપણા રાષ્ટ્રપિતા મહાત્માગાંધી દ્વારા કરવામાં આવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠમાં હાલમાં એમએથી લઇને પીએચડી સુધીના વિવિધ વિષયો પરના અભ્યાસક્રમો ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ વિદ્યાશાખામાં જેમાં પત્રકારત્વ હિન્દી, ગુજરાતી, એચઆરપી, ગાંધી દર્શનશાસ્ત્ર, ગ્રંથાલય વિજ્ઞાન, બીએડ્., એમએડ્, એમસીએ સહિતના વિવિધ અભ્યાસક્રમ ચાલે છે.

જેમાં વિવિધ વિદ્યાશાખામાં એમએ અને એમફિલ અને પીએચડીના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમ દરમિયાન સંશોધન નિબંધ (થીસીસ) તૈયાર કરવાનો હોય છે.

હવે ગૂજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓ દ્વારા હવે ગૂજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ વિદ્યાર્થીઓની થીસીસીના તારણો મૂકવામાં આવશે તેવું સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

Camp Hanuman Mandir Ahmedabad - દર્શન તા.૧૮મી એપ્રિલથી ઓનલાઇન થઇ શકશે

૧૭મી એ નીકળનારી હનુમાનજીની શોભાયાત્રામાં ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રક, અખાડા વગેરે જોડાશે.

ચૈત્ર સુદ પૂનમે ૧૮ એપ્રિલે હનુમાન જયંતીથી કેમ્પ હનુમાનજી મંદિરનાં ઓનલાઇન દર્શન થઇ શકશે. ઊપરાંત સવારે ૧૦ વાગ્યે ૨૫૧ કિલો માવાની કેક ધરાવવામાં આવશે. કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટીગણ અને
પૂજારી પરિવારે જણાવ્યું હતું કે, હનુમાનજીનાં ઓનલાઇન દર્શન માટે વેબસાઇટનું લોન્ચગ કરાશે.

હનુમાન જયંતીના એક દિવસ પૂર્વે હનુમાનજીના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે શોભાયાત્રા દ્વારા વાસણા સ્થિત વાયુદેવના મંદિર જશે.

૧૭મીએ સવારે નીકળનારી શોભાયાત્રામાં ભગવાનનો કાયમી રથ પણ રહેશે. આ વખતે આ યાત્રામાં આશરે પાંચ ઝાંખીઓ, ૮૦ ગાડીઓ, ૧૫ ટ્રકો, ૨૦૦ સ્કૂટરો અને અખાડો સામેલ હશે.

આઠ વાગ્યે અમદાવાદના મેયર રથસ્થિત હનુમાનજીની આરતી ઊતારશે, આર્મીના વડા જી.ઓ.સી. મેજર
જનરલ ઇકબાલસગ સઘા રથને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. હનુમાનયાત્રા શાહીબાગ અન્ડરબિ્રજ, આર.ટી. ઓ. સર્કલ, ઈન્કમટેકસ ઓફિસ ગુજરાત વેપારી મહામંડળ, વી.એસ. હોસ્પિટલ, અંજલિ ચાર રસ્તા થઇને વાસણામાં આવેલા બેરેજ નજીકના વાયુદેવના મંદિરે આશરે બપોરના ૧૩-૩૦ વાગ્યે પહાચશે. ત્યાં
આરતી પૂજા બાદ છપ્પનભોગ ધરાવવામાં આવશે અને ભંડારા બાદ ૧૪-૩૦ પરત નીકળી, નહેરુનગર ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, સરદાર પટેલ ચાર રસ્તા થઇ ઊસ્માનપુરા ચાર રસ્તાથી આશ્રમરોડ દ્વારા સુભાષબિ્રજ, શાહીબાગ અન્ડરબિ્રજ થઇને નીજ મંદિરે પધારશે. આ યાત્રાનું૨૧ સ્થળોએ સ્વાગત થશે અને દરેક સ્થળે હનુમાનજીની આરતી ઊતારાશે તથા પ્રસાદ વિતરણ થશે.

પ્રસાદરૂપે ૨૦૦૦ કિલો બુંદી, ૧૫૦૦૦ કેળા, અગણિત ચોકલેટો વગેરેનું વિતરણ થશે.

Latest Surat News - લાજપોર મધ્યસ્થ જેલ નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે



૮૦ કરોડના ખર્ચે બનેલી જેલમાં કેદીઓ માટે ૨૫૦૦ બેરેકસની વ્યવસ્થા.

સુરતના લાજપોરમાં અદ્યતન સુવિધાઓ સાથે ૮૦ કરોડની ખર્ચે બની રહેલી જેલનું કામ પૂર્ણતાના આરે પહાચી ગયું છે.

આ જેલમાં ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરાયા છે. તેને લીધે રાજયની જેલોમાં કેદીઓનું ભારણ ઘટશે.

રાજયના ગાૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતની લાજપોર ખાતે નવી બંધાયેલ સેનટ્રલ જેલનું કામ પુરું થઇ ગયું છે અને તે કદાચ રાજયની પ્રથમ જેલ હશે જેમાં એકદમ આદ્યનિક ઇલેકટ્રોનિક સર્વેલન્સથી માંડીને સુરક્ષા જળવાઇ રહે તે માટેના સયંત્રો ગોઠવાયેલા છે.

ગાહ વિભાગમાં જેલોની સુધારણા અને આધુનિકીકરણની જવાબદારી સંભાળતા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૮૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સુરતની લાજપોર જેલમાં હવે ૨૫૦૦ કેદીઓ માટે બેરેકસ તૈયાર કરવામાં આવ્યા છે.

સુરત શહેરની મધ્યમાં આવેલી જૂની ડિસ્ટ્રીકટ જેલમાં ૬૦૦ થી ૭૦૦ કેદીઓ રખાતાં હતાં, પરંતુ શહેરની બહાર લાજપુર ખાતે નવી બંધાયેલ જેલ કે જે હવે સૂરત સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાશે તેમાં ૨૫૦૦ થી વધુ કેદીઓ મોકળાશથી રહી શકશે.

ગાૃહ વિભાગના સચિવ અને જેલોના ડીજીપી વગેરેએ તાજેતરમાં નવી બનેલ સુરતની લાજપોર મધ્યસ્થ જેલનીમુલાકાત લીધી હતી, તેઓના જણાવ્યા અનુસાર જેલની સુવિધાઓને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. અને લગભગ એક-બે માસમાં જૂની જેલના કેદીઓને નવી જેલમાં શિફટ કરાશે અને આમ થતાં રાજયની
જેલોમાં કેદીઓની ક્ષમતા ઊપરાંતના ભરાવાનો અંત આવશે અને કદાચ દેશભરમાં જેલો જયારે ઓવર ક્રાઊડેડ છે ત્યારે ગુજરાતમાં એ પ્રશ્નનો અંત આવશે.

Gujarat Marine Board - મરિન જીવસાષ્ટિની જાળવણી કરવા ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોજેકટ

ગીર ફાઊન્ડેશન દ્વારા વિશ્વબેન્કની મદદથી હાથ ધરનારા આ પ્રોજેકટથી મરિન જીવસાૃષ્ટિની વધુ સારી જાળવણી કરાશે.

ગુજરાતનાં દરિયામાં આવેલી મરીન જીવસાષ્ટિની જાળવણી માટે ગીર ફાઊન્ડેશન દ્વારા વિશ્વબેન્કની મદદથી ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોજેકટ હાથ ધરાયો છે.

આ પ્રોજેકટ દ્વારા મરીન જીવસાષ્ટિની વધુ સારી જાળવણી કરાશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર ફાઊન્ડેશનને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વન્ય જીવન અને દરિયાઇ જીવનને સંલગ્ન પર્યાવરણ પ્રોજેકટસ અને તે વિશેની સામાન્ય પ્રજા અને વન્ય જીવન સાથે સંકળાયેલા એનજીઓમાં
વધુ જાગાૃતિ અને કેળવણી મળી રહે તેવી પ્રવાૃત્તિઓ માટે દર વર્ષ પાંચ કરોડ રૂપિયાથી વધુ આિથક મદદ આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં મેનગ્રોવલ અને કોરલરીકસની વધુ સારી સંભાળ અને જાળવણી થાય તે માટેના વિસ્તાત અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે.

આ ઊપરાંત સંસ્થા દ્વારા પર્યાવારણના શિક્ષણ અને સંશોધન માટેની કામગીરી રાજયમાં આવેલી ૭૦૦૦ જેટલી ઇકો - કલબસ દ્વારા કરવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કોરલરીકસ (પરવાળા) અને મેન્ગ્રોવલ કે જે મરીન લાઇફ માટે સર્પોટ સિસ્ટમ છે. તેનું વધુ વિગતવાર અભ્યાસ કરવા ગીર ફાઊન્ડેશન ખાતે આવેલી લેબોરેટરી ખાતે
વધુ સુવિધાઓ ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગીર ફાઊન્ડેશન દ્વારા હાથ ધરાયેલી શિક્ષણ અને સંશોધનની પ્રવાૃત્તિને વેગ આપવા વન્ય જીવન સાથે
સંકળાયેલી સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ આ વિષયો પર ટ્રેઇનગ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

જયારે આ ટ્રેઈનગ પ્રોગ્રામનો વ્યાપમાં વધુ વિસ્તચારો અને સંસ્થાઓને આવરી લેવાય તેવા પ્રયાસો
હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે વધુ મેન્ગ્રવલનું વાવેતર શરૂ કરાયું છે. આ વર્ષે પણ ૧૨,૦૦૦ મેન્ગ્રોવલનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે.

મેન્ગ્રોવલ અને કોરલરીકસ દરિયાઇ જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વના અંગ સમાન છે ત્યારે તેની વધુ સાર સંભાળ અને જાળવણીથી રાજયને વધુ ફીશનું ઊત્પાદન મળી રહેશે.

ગીર ફાઊન્ડેશન ગાંધીનગર ખાતે આવેલી ઇકોલોજિકલ કમિશનના સહયોગથી પણ કેટલાક અભ્યાસ શરૂ કર્યા છે.

Ahmedabad News - મુંબઇ અને અમદાવાદ પેસેન્જર ટ્રેન અનિયમિત હોવાથી મુસાફરો હેરાન

રાતની ટ્રેનોમાં જ સાઇડગની સમસ્યા હતી. રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગળ સિગ્નલ મળે તો જ ટ્રેન ઊપાડી શકાય છે. અને સામાન્ય રીતે ફાસ્ટ ટ્રેનનો સમય હોય ત્યારે લોકલ ટ્રેનનું સાઇડગ થતું જ રહે છે. પહેલા તો રાતની ટ્રેનોમાં આ પ્રોબ્લેમ હતો પરંતુ હવે તો બપોરની ટ્રેનમાં પણ આ સમસ્યા ઉભી થતાં મુસાફરોને
સસ્તી સારી ટ્રેનની મુસાફરી માઘી પડી રહી છે.

આ ટ્રેન છેલ્લા એકમાસથી અડધો કલાક લેટ આવે છે વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચે વધુ મોડી પડે છે. આ લોકલ ટ્રેનમાં વેપારી, વિદ્યાર્થી અને નોકરિયાતો ઊપયોગ વધુ કરે છે.

મુંબઇ - અમદાવાદ લોકલ ટ્રેન છેલ્લાં એક માસથી તેના નિર્ધારીત સમય કરતાં ઘણીજ અનિયમિત દોડી રહી છે. જેના કારણે મુસાફરોને હેરાન થવું પડે છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં વેપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો મુસાફરી કરે છે. આ ટ્રેન પોતાના નિર્ધારીત સમય કરતાં અડધાથી એક કલાક મોડી દોડે છે. જેના કારણે જે-તે મુસાફર નિર્ધારીત સમયે જગ્યા પર પહાચી શકતો નથી. તો વળી આ ટ્રેન લોકલ
હોવાથી ખાસ કરીને વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા વચ્ચેના સ્ટેશનો પર વારંવાર સાઇડગ કરવામાં આવે છે. આ ટ્રેન સમયસર દોડે તો તેને અન્ય કોઇ જ ટ્રેન નડે નહ પરંતુ ટ્રેનને નિયમિત દોડતી ના હોવાથી ગુજરાત એકસપ્રેકસ રોજ આ ટ્રેનનું સાઇડગ કરે છે.

અને મુસાફરોએ ભારે હેરાન થવું પડે છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણીવાર તો આ લોકલ ટ્રેનને ગુડ્સ ટ્રેન પણ સાઇડગ કરે છે. આવં તો વારંવાર થતું રહે છે. છતાં રેલતંત્ર કશું જ કરતું નથી. આ બાબતની જાણ મુસાફરોએ ઘણીવાર રેલવે વિભાગને કરી છે છતાં રેલવે તંત્રને આ બાબતે કોઇ રસજ ના હોય તેમ ટ્રેન અનિયમિત જ દોડ્યા કરે છે.

છેલ્લાં એક મહિનાથી તો હદ જ થઇ ગઇ છે. નિયમિત ટ્રેન લેટ દોડી રહી છે. જેના કારણે મુસાફરો હવે ટ્રેનની જગ્યાએ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જો આજ રીતે થતું રહેશે તો મુસાફરો ટ્રેનનો ઊપયોગ છોડી પ્રાઇવેટ વાહનો તરફ વળશે.

Swarnim Gujarat 2011 - ર્સ્વિણમ ગુજરાત જ્ઞાનશકિત સમાપન સમારોહ




ર્સ્વિણમ ગુજરાત જ્ઞાનશકિત સમાપન સમારોહ વીર નર્મદ યુનિ.માં યોજાશ

સાચાગુરુ કોણ ? ગુગલ કે શિક્ષક વિષયો પર ચર્ચાઓ હાથ ધરાશે.

અમદાવાદ રાજયમાં ર્સ્વિણમ ગુજરાત ઊજવણીના સમાપન સમારોહ નિમિતે આયોજિત પાંચ શકિત પૈકી એક જ્ઞાનશકિતનો કાર્યક્રમ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ખાતે યોજાશે.

જે કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ઊપસ્થિત રહેશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાન શકિત, યુવા શકિત અને વિકાસ વિષય સંદર્ભે સેમિનાર યોજાશે. તા.૨૧મી રોજ યોજાનાર જ્ઞાન શકિત કાર્યક્રમમાં શું વૈધાનિક કેળવણી વિકાસ માટેનો એક રસ્તો છે ? સાચા ગુરુકોણ ગુગલ કે શિક્ષક અને જ્ઞાન શકિતની પરીક્ષામાં ગુજરાતના વિકાસનું મોડલ જેવા વિષયો પર ચર્ચાઓ થશે.

આ સમારોહ અંતર્ગત તા.૧૮મી એપ્રિલના રોજ યુનિર્વિસટી ખાતે પ્લેસમેન્ટના ઇન્ટરવ્યૂ માટેનો ટ્રેનગ કેમ્પ યોજાશે. તેમજ છેલ્લાં દસવર્ષમાં રાજયની યુનિર્વિસટીઓમાં વર્ષે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં પી.એચડી થયેલા વિદ્યાર્થીઓના નામાવલી સાથેના પુસ્તકનું વિમોચન કરાશે.

અત્રે ઊલ્લેખનિય છે કે, ગત ગુજરાત સ્થાપના દિન ૧ મેથી શરૂ થયેલા ર્સ્વિણમ ગુજરાત મહોત્સવની વર્ષભરની ઊજવણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે.

ભારત - તાઇવાન વચ્ચે વેપાર સંબંધો વધારવા ચેમ્બર્સમાં આજે બેઠક યોજાશે

ભારત અને તાઇવાન વચ્ચે વેપાર-ઊદ્યોગ સંબંધો વધારવા આજરોજ ગુજરાત ચેમ્બર્સ આૅફ કોમર્સ ખાતે વન-ટુ-વન બેઠક યોજાશે. તાઇથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઇ મીટગ માટે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ આૅફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે યોજાશે.

ભારત અને તાઇવાન વચ્ચે વેપાર-ઊદ્યોગ સંબંધ સુધારવા વેપારીઓ વચ્ચે ગ્રૂપ બેઠક યોજાશે. આ બેઠકમાં તાઇવાન ટ્રેડમિશન ટુ ઈન્ડિયા ૨૦૧૧ મુખ્ય ધ્યેય છે. આ બેઠકમાં તાઇવાન અને ભારતના વેપાર- ઊદ્યોગ સાથે વેપાર, ધંધાકીય સવલતો વધારવા અને તેને લગતી સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા હાથ ધરાશે.

આ બેઠકનો મુખ્ય ધ્યેય ઈન્ડસ્ટ્રીઝ લોકલ બિઝનેસના ઊત્પાદકો જેવા કે ટેકસટાઇલ મશીનરી, એલઇડી પ્રોડકટ,
બાયોકિલનિક મશીનરી, ઈલેકટ્રોનિકસ બેરગ્સ, ઓટોમોબાઇલ પાર્ટ્સ, સોલર ટેકનોલોજી હેલ્થકેર, સ્પોર્ટીંગ પ્રોડકટના વેપાર-ઊદ્યોગ માટે ચર્ચા હાથ ધરાશે.

બનાવટી પાનકાર્ડની સમસ્યા નિવારવા કરદાતાઓને બાયો કેમેટિ્રક કાર્ડ અપાશે

નવા બાયોમેટિ્રક પાનકાર્ડમાં હાથના ફગરપ્રિન્ટ રહેશે અને ચહેરાની પણ વિગત હશે.

કેગના અહેવાલ બાદ પાનકાર્ડની વધતી જતી સમસ્યાને દૂર કરવાના હેતુસર સરકારે દેશભરમાં કરદાતાઓ માટે બાયોમેટિ્રક પાનકાર્ડ આપવા માટે ઈન્કમટેકસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

બનાવટી પાનકાર્ડની ફરિયાદના લીધે આખરે સરકારે સક્રિય થઇને બાયોમેટિ્રક પાનકાર્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે.

નાણાં મંત્રાલય દ્વારા ગઇકાલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટ્રોલર અૅન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલના અનુસંધાનમાં આ નિર્ણય લેવાય હતો.

સૂચિત નવા બાયોમેટિ્રક પરમનન્ટ એકાઊન્ટ નંબર (પાનકાર્ડ)માં દરેક હાથના ફગરપ્રિન્ટ રહેશે અને તેની સાથે-સાથે ચહેરાની પણ વિગત હશે.

આનાથી બોગસ પાનકાર્ડની ફરિયાદો દૂર થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે
પ્રવર્તમાન પાનકાર્ડ ધારકોને બાયોમેટિ્રક પાનકાર્ડ મેળવી લેવા માટે વિકલ્પ રહેશે પરંતુ આ ફરજિયાત રહેશે નહ.

આઇટી વિભાગે બાયોમેટિ્રક પાનકાર્ડ આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્ત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજના દુરુપયોગને રોકવાના હેતુસર આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

આઇટી વિભાગ અને પોલીસ દ્વારા દરોડા દરમિયાન ડુપ્લિકેટ પાનકાર્ડની સમસ્યા સપાટી પર આવી હતી. વર્ષ ૨૦૦૬માં પણ તત્કાલિન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ દ્વારા બાયોમેટિ્રક પાનકાર્ડનું સૂચન કરવામાં આવ્યું
હતું. કેગના અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૧૦ માર્ચ સધીમાં ૯૫૭ લાખ પાનકાર્ડ જારી કરવામાં આવ્યા હતા.

બાયોમેટિ્રક પાનકાર્ડ કરદાતાઓ પાસે આવવાથી હાથના ફગરપ્રિન્ટ અને ચહેરાની વિગત હોવાથી ડુપ્લિકેટ પાનકાર્ડની સમસ્યા ટાળી શકાશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

Kutch Desert - રસ્તો બનાવવા ૫૦૦ કરોડ મંજૂર

ઘડુલી (કચ્છ)થી હાજીપીર, ખાવડા, ધોળાવીરા થઇને બનાસકાંઠા સુધી પાકો રસ્તો બનશે.

કચ્છ સરહદથી બનાસકાંઠાને જોડતા રણ રસ્તા માટે ૫૦૦ કરોડની મંજૂરી મળતા કાચા રસ્તાઓને પાકા બનાવાશે. સંરક્ષણની દૃષ્ટિએ આ રસ્તો પાકો બનતા સરહદ વિસ્તારની પોલીસ અને બોર્ડર હોમગાર્ડ વિંગ્સને સરહદી વિસ્તારમાં આવવા-જવા માટે સરળતા રહેશે.

રાજયના ગાહસચિવ ટી.એસ. બીસ્ટના જણાવ્યા પ્રમાણે રાજય સરકારના મુખ્ય સચિવ એકે જોતી કેન્દ્રના બોર્ડર મેનેજમેન્ટ વિભાગના સેક્રેટરી સહિતના અધિકારીઓએ ત્રણ કલાક સુધી બી.એસ.એફના હેલિકોપ્ટર દ્વારા સરહદ ઊપર.ઊયન કરીને આ રસ્તા અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

હવે ઘડુલી (કચ્છ)થી હાજીપીર, ખાવડા, ધોળાવીરા થઇને બનાસકાંઠા સાંતલપુર પહાચતા ૩૦૦ કિલોમીટરના આ કાચા રસ્તાને પાકો બનાવીને નવા રોડ તરીકે ડેવલપ કરવાની મંજૂરી મળી છે અને આ કામ માટે ૫૦૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે વર્ષોથી અટવાયેલા ઘડુલી-
સાંતલપુર વચ્ચે સરહદી રસ્તા આડેનો અંતરાય હવે ઘટ્યો છે.

સંરક્ષણની દૃષ્ટિએ સરહદ સ્તારની પોલીસ અને બોર્ડર હોમગાર્ડ વગ્સને સરહદી વિસ્તારમાં આવવા-જવા માટે
સરળતા રહેશે અને કટોકટી વખતે જરૂરી કાર્યવાહી થઇ શકશે.

Gujarat High Court - જાહેર સંસ્થાઓના વહીવટની માહિતી આપવા હાઈકોર્ટનો મહત્વનો આદેશ

બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળની ર્ધાિમક સંસ્થાઓએ રિટર્નની માહિતી જાહેર કરવી પડશે.

રાજયમાં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલી ર્ધાિમક સંસ્થાઓએ પણ રિટર્નની માહિતી અધિકારીઓને આપવી પડશે તેવો ચુકાદો હાઈકોર્ટના ન્યાયર્મૂિત અકીલ કુરેશીએ જારી કર્યો છે. તેમણે પોતાના ચુકાદામાં તમામ જાહેર સંસ્થાઓના વહીવટમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા આવી સંસ્થાઓની માહિતી મેળવવાનો દરેક નાગરિકને અધિકાર છે. તેવી નોંધ મૂકી હતી.

ભાવનગરની એક ર્ધાિમક સંસ્થામાં નિયમિત દાન આપનાર વ્યકિતએ જયારે આ સંસ્થાના ગત ત્રીસ વર્ષના ઓડિટેડ હિસોબો , બેલેન્સ શીટ અને આવકવેરાના એસેમેન્ટ ઓડર્સની માહિતી આરટીઆઈ એકટ હેઠળ માંગી
હતી. પરંતુ માહિતી અધિકારી અને એપલેટ સત્તાએ આ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

જે માહિતી અધિકારી અને એપલેટ સત્તાના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે અંગેની વખતો વખતની સુનાવણીના અંતે હાઈકોર્ટના ન્યાયર્મૂિત અકીલ કુરેશીએ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલી હોવાથી આ સંસ્થા પર ચેરિટી કમિશનરના કેટલાંક નિશ્ચિત નિયંત્રતો છે.

જેમાં સંસ્થાના હિસાબોનું ઓડિટ પણ કરાવવું પડે છે. પરિણામે આવી સંસ્થાને આરટીઆઈ ધારા હઠેળ વ્યાખ્યાયિત કરાયેલી વ્યકિતનો દરજજો મળી ન શકે. આ સભ્યોએ પોતાના હિસાબો અને રિટર્ન સુપરત કરવા પડે, જસ્ટિસ અકીલ કુરેશીએ આરટીઆઈ ધારાની રચના પાછળને હેતુ સ્પષ્ટ કરી હતી. જેમાં ઊલ્લેખ કરાયો
હતો કે, જે સંસ્થાઓ જાહેર સત્તાના નિયંત્રણ હેઠળ હોય તે તમામ જાહેર સંસ્થાઓના વહીવટમાં પારદર્શતા અને
જવાબદારીને પ્રોત્સાહન આપવા આવી સંસ્થાઓની માહિતી મેળવવાનો દરેક નાગરિકને અધિકાર આપી છે. તેવી નોંધ મૂકી ઊપરોકત ચુકાદો જારી કર્યો હતો.

Indian Agricultural News - ૧૦ કરોડ ટન ચોખાનું ઊત્પાદન થાય તેવી ગણતરી



૨૦૧૧-૧૨ વર્ષ દરમિયાન ૧૦ કરોડ ટન ચોખાનું ઊત્પાદન થાય તેવી કેન્દ્ર સરકાર દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે. એક સરકારી નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧-૧૨માં ૧૦ કરોડ ટનના ઊત્પાદન લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને કાર્યક્રમને અમલી બનાવનાર સંસ્થાઓને સમયસર નાણાં મળે તેવી જોગવાઇ કરવામાં આવી રહી છે.

આ માટે પૂર્વના રાજયોમાં વિશેષ યોજનાઓ અમલી બનાવાશે. આ નિવેદનમાં જણાવાયું છે કે સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ના પાક વર્ષમાં ચોખાનું ઊત્પાદન લક્ષ્ય વધારવા માટે કટિબધ્ધ છે અને દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે કેન્દ્ર સરકારે ચોખા ઊત્પાદન માટેનું લક્ષ્ય ૧૦ કરોડ ટન સુધી રાખ્યું છે. ચોખાના વધારવામાં આવેલા લક્ષ્યાંકને પહાચી વળવા માટે સરકારે પૂર્વીય ક્ષેત્રોના રાજયો પર વિશેષ ધ્યાન આપવાનો પણ નિર્ણય કર્યો છે.

શુક્રવારના દિવસે પૂર્ણ થયેલા કેન્દ્ર સરકારના કાૃષિ અંગેના સંમેલનમાં ચોખાના ઊત્પાદનને વધારવા અને તેના ઊત્પાદન ક્ષેત્રને વધારવા સહિતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ નિવેદનમાં જણાવાયું હતું કે પૂર્વીય ક્ષેત્રના રાજયોને વિશેષ રીતે કહેવામાં આવ્યું છે કે ઊત્પાદન વધારવા માટેની યોજનાઓ પર નજર રાખવામાં આવે.

સંમેલનમાં જિલ્લા સત્રે ઊત્પાદકતામાં થનાર અંતરની સમીક્ષા કરવા અને નવી નવી ટેકનોલોજી વિકિસત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.