Thursday, April 19, 2012

શિક્ષણ વિભાગની કડક તાકીદ છતાં ખાનગી શાળાઓએ ફીમાંવધારો કર્યો

ગત વર્ષે ૨૦૧૦માં દસ સ્કૂલોના ફી વધારા સામે વાલીઓએ ઊગ્ર આંદોલન કર્યા હતા.

શહેરના ઘાટલોડિયા અને નવરંગપુરાની સ્કૂલોમાં થયેલા ફી વધારાના કારણે વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને ગયો અને વિરોધ પ્રદર્શનો થયા હતા. ગત વર્ષે ૧૦ સ્કૂલો એવી હતી કે જેના ફી વધારાના વિરોધમાં વાલીઓએ પ્રદર્શન કર્યા હતા.

પણ જયારે પ્રશ્ન એ ઉઠે છે કે ખાનગી શાળાઓ પોતાને મરજી આવે ત્યારે ફી વધારો કરે અને વાલીઓના ખિસ્સા ખંખેરી ?

ઊલ્લેખનીય છે કે ખાનગી શાળાઓના નામે રાજયમાં એજયુકેશન માફિયાઓનો ઊદય થયો છે સરકાર પાસે એવી કોઇ ચોક્કસ નીતિ નથી કે ખાનગી શાળાઓમાં ફી વધારો રોકવા કોઇ લશ્કરી વ્યવસ્થા પણ નથી. થોડાક સમય અગાઊ સરકારી જે શાળા દ્વારા ફી વધારે લેવાશે તેની સામે પગલાં લેવાની વાત થઇ હતી પરંતુ બાબુઓને માલ મળે છે.

વાલીઓના ખિસ્સા ખંખેરાય છે. આ બધું થાય છે ગુણવત્તાસભર શિક્ષણ આપવાના નામે ? શહેરના ઘાટલોડિયા
વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલઅને નવરંગપુરાની એસ.એચ. ખારાવાલા સ્કૂલમાં એકાએક કરાયેલા ફી વધારાના કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો જેથી વાલીઓએ ધરણા, પ્રદર્શનો અને સૂત્રોચ્ચાર કરીનેરોષ વ્યકત કર્યો પણ કોઇ ફરક પડશે ખરો ? ગત વર્ષે શહેરની દસ સ્કૂલોમાં ફી વધારો ઝકવામાં આવ્યો. જેમાં વિરોધ થયો પણ આખરે વાલીઓના વિરોધ વચ્ચે પણ ફી વધારો થયો. સરકારે એવી વ્યવસ્થા ઉભી
કરી છે કે જેમાં શિક્ષણ માફિયાઓ ઉભા થયા છે. એક ટ્રસ્ટ કે વ્યકિતના નેજા હેઠળ ૧૦ થી ૧૫ સ્કૂલો, કોલેજો હોય. તમારા બાળકને ગુણવત્તા સભર શિક્ષણ મેળવવું હોય તો બંધારણીય અધિકાર છે પણ આ અધિકાર મેળવવો હોય તો માત્ર રૂપિયા હોવા તે લાયકાત બની ગઇ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવતું નથી કે મળતું નથી.સરકારે ખાનગી શાળાઓને બેફામ મંજૂરી આપે છે પણ તેમની કંટ્રોલ કરવાની તાકાત સરકારની મળી નથી. ચૂંટણીના ફંડગથી લઇને નેતાઓની ભાગીદારી સુધી હવે તમામને માત્ર શિક્ષણના નામે રૂપિયા કમાવવાનો કિમિયો મળી ગયો છે ત્યારે વાલીઓના ખાસ ઊગ્ર પ્રદર્શનો થશે પણ ફી વધારો ન થાય તે માટે સરકારે વ્યવસ્થા ઉભી કરવી પડશે.

No comments:

Post a Comment