Wednesday, March 21, 2012

Gujarat Telecommunication News 2012 - નકામાં મેસેજથી મોબાઇલ ધારકો પરેશાન

ડુનોટ કોલ માત્ર નામનો કાયદો જ બની ગયો છે જેનાથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.દંડની રકમ વધારવી જોઇઅ

ગ્રાહકો ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવે છતા પણ કંપની તરફથી કોલ કે મેસેજ મળતા હોય ત્યારે ગ્રાહકોએ જ જાગાૃત થવાની જરૂર છે. કાર્ડ બંધ કરાવું કે કંપની બદલવી તે કોઇ રસ્તો નથી. આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ. તો બીજી બાજુ કંપનીવાળાએ પણ ટેલિમાર્કેટરો સામે દંડની રકમ વધારીને તત્કાલ દંડ કરવો જોઇએ જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે તેમને આ સમસ્યામાંથી છુટકારો થાય.

ટ્રાઇના નિર્દેશન છતાં કંપનીઓ ગ્રાહકોને કામ વગરના મેસેજ કરીને હેરાન કરે છે. ડુનોટ કોલ રજિસ્ટ્રેશન બાદ પણ છૂટકારો મળતો નથી.

ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી આૅફ ઈન્ડિયા (ટ્રાઇ)ના નિર્ણયો અને નિર્દેશો છતાં મોબાઇલ ફોન ગ્રાહકો માટે જાહેરાતનો એસએમએસ માથાના દુઃખાવા સમાન બની ગયા છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં ટ્રાઇને આદેશથી નેશનલ ડુનોટ કોલ રજિસ્ટ્રીનું અસ્તિત્વ છેલ્લાં ચાર વર્ષથી છે. છતાં પણ કંપનીના મેસેજ અને જાહેરાતના મેસેજથી ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે.

જો કોઇ ગ્રાહક ડુનોટ કોલ રજિસ્ટ્રી કરાવેતો તે ગ્રાહકને ફોન કે એસએમએસ કરનાર ટેલિ માર્કેટને રૂપિયા ૫૦૦નો
દંડ કરવામાં આવે છે. વધુ વાર એસએમએસ થાય તો ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારાય છે. પરંતુ આ દંડ ત્યારે ફટકારાય જયારે ટેલિમાર્કેટ સામે ફરિયાદ થાય પરંતુ આવી તસ્દી કોઇ લેતું જ નથી. કારણ કે ગ્રાહક પાસે એટલો સમય જ નથી હોતો કે આવી ફરિયાદ કરી શકે જેના કારમે કંપનીમાંથી કોઇ પણ સમયે કોલ આવી જાય છે અને
ગ્રાહકે હેરાન પરેશાન થઇ જવું પડે છે.

જોકે ક્રેડિટ કાર્ડ, વીમો, મ્યૂચ્યુઅલ ફંડ વગેરે પ્રકારના ફોન હવે બંધ થાય છે જેથી થોડુંઘણું કોલનું પ્રમાણ ઓછું થયું છે. પરંતુ સંપૂર્ણ પણ બંધ નથી થયું. હાલમાં આઇપીએલ અને ટ્વેન્ટી, ટ્વેન્ટી મેચ ચાલી રહી છે.

ત્યારે કંપનીવાળાઓએ સ્કોર અને બોલે-બોલની વિગત મેસેજ દ્વારા આપવામાં આવે છે. જેમાં એવા ગ્રાહકોને પણ મેસેજ મોકલાયા છે. જે લોકો આ મેસેજથી કંટાળી જાય છે એવી ઘણી ગાૃહિણીઓ હોય છે જેમને ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી મેચમાં કોઇ રસ જ નથી હોતો છતાં કંપની વાળાઓ મેસેજ મોકલવા પાછળ એટલા બધા પાગલ બની જાય છે. ગ્રાહકો કંટાળીને ઘણીવાર કાર્ડ જ બંધ કરાવી દે છે. અથવા તો કંપની બદલી નાંખે છે. આ રીતે ગ્રાહકોને હેરાનપરેશાન કરવામાં આવે છે. ગ્રાહકો કંપની વાળાને ગમેતેટલા ફોન કરે અથવા તો મેસેજ કરે છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી અને ડુનોટ કોલ માત્ર નામનો કાયદો માત્ર નામનો જ બની ગયો છે.

No comments:

Post a Comment