Sunday, May 13, 2012

કાગીનેતાઓએ સ્વ.કેશવલાલ પટેલનેશ્રદ્ધાંજલિઅર્પણકરી

સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો.

અખિલ ભારતીય કાગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહેમદ પટેલે ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન સ્વ. શેઠ કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે સ્વ. કેશવલાલ પટેલે આજીવન સામાજિક કામગીરી કરી માનવધર્મ નિભાવ્યો હતો. તેઓ હંમેશાં સામાજીક પ્રવિત્તિ ક્ષેત્રે નાતિ-જાતિના ભેદભાવ વિના કામગીરી કરતાં હતાં.

તેમના અવસાનથી પાટીદાર સમાજે જ નહ પરંતુ સમગ્ર ગુજરાતે એક સામાજિક લોકસેવક ગુમાવ્યો છે.

ગુજરાત પ્રદેશ કાગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે ગઇ કાલે ઊંઝા જઇને સ્વ. કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલના માૃતદેહ ઊપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું
હતું કે સ્વ. કેશવલાલ પટેલે સમાજમાંથી કુરીવાજ દૂર કરવાનું, શિક્ષણને મહત્વ આપવાનું કામ કરીને સામાજિક
ઊત્થાનના કામમાં મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કોમ- કોમ વચ્ચેની એકતા માટે પણ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. તેમના જવાથી ગુજરાતે એક નિષ્ઠાવાન સમાજિક આગેવાન ગુમાવ્યા છે.

No comments:

Post a Comment