Wednesday, March 30, 2011

Ahmedabad Railway Station - કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સેન્ટરમાં કરંટ ટિકિટમાટે કાઊન્ટર

ઊનાળા વેકેશનમાં મુસાફરોના ઘસારાને પ્રશ્નો વાળવા અનેક વિશેષ ટ્રેનો શરૂ કરાઇ છે ત્યારે કાલુપુર રેલવે
સ્ટેશન પર કરંટ ટિકિટ બુકગ માટે મુસાફરોને ખાસો ઘસારો રહેતો હતો.

જેથી રેલવે તંત્ર દ્વારા રીઝર્વેશન વિભાગ કરંટ ટિકિટ માટે ખાસ કાઊન્ટર આગામી ૧લી એપ્રિલથી શરૂ કરાશે
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેકેશન દરમ્યાન રેલવેમાં મુસાફરોનો ઘસારો વધુ રહે છે. રજાઓની મજા માણવા માટે થઇને અત્યારથી  જ મુસાફરો રિઝર્વેશન કરાવે છે. ત્યારે કરંટ ટિકિટ માટે થઇને મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુસર રેલવેતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છેય આ સંદર્ભે અમદાવાદ રેલવે મેનેજર અશોક ગરૂડે જણાવ્યું હતું. કે, હાલમાં જે કરંટ ટિકિટ કાલુપુર રેલવે સ્ટેશન પર મળે છે તે હવે રીઝર્વેશન વિભાગમાં મળશે.

આગામી ૧લી એપ્રીલથી રિઝર્વેશન વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો ઊપયોગ કરી ૨૨ કાઊન્ટર કરંટ ટિકિટ માટે ઉભા કરાશે જયારે ૧૭ કાઊન્ટર રિઝર્વેશન માટે યથાવત રહેશે.

હાલમાં મુસાફરોને રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ઉભા રહેવું પડે છે. જયાં લાંબીલાંબી કતારોથી મુસાફરોને હેરાન થાય છે. અને સમય પણ બગડે છે. જયારે આ સમસ્યા વેકેશન આવતા જ વધુ વિકટ બને છે દર વર્ષે મુસાફરોએ આ રીતે જ હેરાન થવું પડતું હતું. જેના કારણે રેલવે તંત્રએ રીઝર્વેશન ઓફિસની ખાલી પડેલી
જગ્યામાં કરંટ ટિકિટના કાઊન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

જેથી આગામી ૧લી એપ્રીલથી મુસાફરોએ કરંટ ટિકિટ માટે રિઝર્વેશન વિભાગમાં જવું પડશે.

૧લી એપ્રિલથી ૨૨ કાઊન્ટર શરૂ કરાશે જેનાથી મુસાફરો લાંબી કતારોમાંથી મુકત થશે. કરંટ ટિકિટ માટે રિઝર્વેશન સુધી લાંબા થવું પડશે.

મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવનાર કરંટ ટિકિટ કાઊન્ટર મુસાફરો માટે દુવિધા પણ બની જશે. કારણ કે, હાલમાં તો ટિકિટ લઇને તરત જ સ્ટેશનની અંદર એન્ટર થવાય છે.

જયારે રિઝર્વેશન વિભાગ રેલવે સ્ટેશનથી થોડોક દૂર હોવાથી મુસાફરો ટિકિટ લેવા દૂર જવું પડશે અને પછી સ્ટેશન પર આવશે તેમાં પણ જો
એકલ, દોકલ, કે ઉંમરલાયક મુસાફર હશે તે વધુ હેરાન થશે આમ સિક્કાની બીજી બાજુ અહ પણ થવા સ્પષ્ટ
દેખાય છે જ સુવિધાની પાછળ થોડી તકલીફ પડશે તેવું મુસાફરો માની રહ્યા છે.

No comments:

Post a Comment