Tuesday, April 12, 2011

Sri Ram Navami 2011 - શ્રધ્ધાઅને ભકિતભાવ સાથે ઊજવણી

આજે સરકારી રજાઓ હોવાથી ભાવિકોને ભકિતમાં તરબોળઃ શહેરના મંદિરો ભાવિકોની ભીડથી ઉભરાઇ ગયા.

આજે ભગવાન શ્રીરામનીજન્મજયંતી અને ભગવાન શ્રી સ્વામીનારયણની ૨૩૦મી પ્રાગટ્ય જયંતી સમગ્ર શહેરમાં ધામધૂમથી ઊજવવામાં આવશે.

ત્રેતાયુગમાં ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે ૧૨ વાગ્યે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો તે
વાતને આજે હજારો વર્ષ વીતી ગયા છતાં આજે પણ આદર્શ જીવનનું ઊદાહરણ આપવાનું હોય તો ભગવાન
શ્રીરામનું જ નામ યાદ આવે.

આજે લોકો વિશેષ પૂજા અર્ચના કરે છે. ઊપવાસ રાખીને આખો દિવસ પ્રભુ રામની આરાધના કરે છે. સમગ્ર ભારતમાં આવેલા શ્રીરામનાં મંદિરમાં બપોરે ૧૨ વાગે વિશેષ પૂજા અને આરતી કરવામાં આવશે. જેમાં
ભાવિકો ભાવથી જોડાશે.

જયારે ભગવાન સ્વામી નારાયણના પ્રાગટ્ય જયંતી સ્વામીનારાયણ મંદિરમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. રામનવમી અને સ્વામીનારયણ જયંતીની ઊજવણીની તૈયારીઓ છેલ્લાં અઠવાડિયાથી શહેરના મંદિરોમાં થઇ રહી હતી.

ભાવિક ભકતો આજના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ઊમટી પડ્યા હતાં. બપોરે ૧૨ વાગે રામ મંદિરોમાં અન્નકૂટ અને ભવ્ય આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો સ્વામીનારાયણ મંદિરમાં સમૈયાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સરકારી રજાઓ હોવાથી ભાવિકોને જાણે ભકિતમાં તરબોળ થવાની વધારે મજા આવી હોય તેમ શહેરના મંદિરો આજે ભાવિકોની ભીડથી ઉભરાઇ ગયા છે.

ભગવાન શ્રી રામના જન્મય નીમીત્તે આજે મહાયજ્ઞ તથા પ્રસાદ વિત્તરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તો નાના બાળકો ભગવાન રામની પાલખી બનાવીને તેમની શોભાયાત્રા પણ નિકાળતા હોય છે. આમ શ્રધ્ધાના કદી પુરાવા નથી હોતા તે યુકિત અહ સાબીત થાય છે.

આજે રામનવમી અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાગ્ટય જયંતીનું હર્ષો ઊલ્લાસ સાથે ઊજવણી કરાઇ.
આજે છેલ્લું નોરતું આજે ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ આજે નવરાત્રિનો છેલ્લો દિવસ નોમ હોવાથી આજે
માતાજીના નિવેધ બનશે અને સાથે જ ઘરે-ઘરે ખીર-પૂરી લાપસી બનશે અને માને થાળ ધરાવાશે. આજે રામનવમી અને ચૈત્રી નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી શહેરભરમાં મંદિરો ભકતોના જયનાદથી ગૂંજી ઊઠશે.

ભગવાન સ્વામીનારાયણની ઊજવણી પણ ભાવિકો ધામધૂમ અને ભકિતપૂર્વક કરશે.

No comments:

Post a Comment