Wednesday, April 6, 2011

સત્ય સાંઇબાબાની હાલત નાજુક હોવાથી વેન્ટિલેટર પર રખાયા

નરેન્દ્ર મોદીએ સત્ય સાંઇબાબાની તબિયતના ખબરઅંતર પૂછ્યા.

સત્ય સાંઇબાબાનું સ્વાસ્થ્યની સારવાર ચાલી રહી છે. ત્યાં બીજી તરફ સત્યસાંઇબાબાની ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલકતોનો વિવાદ શરૂ થઇ ગયો છે. ટ્રસ્ટના સભ્યો અને સાંઇબાબાના કુટુંબના સભ્યો બંને આ મિલકતો માટે દાવો કરી રહ્યા છે.

રાજય સરકારે સત્યસાઇ ટ્રસ્ટની મિલકતોમાં કોઇ ફેરફાર ન થાય તે માટે નિવાૃત્ત ન્યાયર્મૂિતઓની એક ટીમ નિયુકત કરી છે.

બળજબરી મિલકતો પર કબજો રોકવા આશ્રમમાં પાંચ હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની તબિયતની ખબરઅંતર પૂછ્યા છે.

સત્ય સાંઇબાબાના સ્વાસ્થયની હાલત કથળતા ટ્રસ્ટની સત્યસાંઇ ઇન્સ્ટિટ્યૂટ આૅફ હાયર મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા છે.

તેઓની સારવાર માટે બગ્લોરથી પણ નિષ્ણાંતોની એક ટીમ ઈન્સ્ટિટ્યૂટ ખાતે પહાચી છે અને વિદેશના ડાૅકટરની પણ
સહાય લેવામાં આવી રહી છે. ગત શુક્રવારથી જ તેમને વેન્ટીલેટર ઊપર મૂકવામાં આવ્યા છે.

તેમને નિયમિત રીતે ડાયાલિસીસ પણ કરવું જરૂરી બન્યું છે. ત્યારે તેમના ટ્રસ્ટની મિલકતો માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કુંટુંબીજનો વચ્ચે દાવા કરી રહ્યા છે.

કલેકટર તરીકે ફરજ બજાવી ગયેલા પૂર્વ આઇએએસ અધિકારી તથા ટ્રસ્ટના સેક્રેટરી ચતુર્વેદીને પણ સરકારે મિલકતોમાં કોઇ બદલાવ ન થાય તે માટે જોવા જણાવ્યું છે.

સત્ય સાંઇ બાબાના ભાઇ જાનકી રામના પુત્ર રત્નાકરને ગત વર્ષે ટ્રસ્ટી બનાવાયા છે. આ ટ્રસ્ટની હોસ્પિટલને વિદેશ સ્થિત એક દાતાએ રૂા. ૩૦૦ કરોડનું દાન આપ્યું હતું. ઊપરાંત સંગીત કોલેજને પણ રૂા. ૨૦૦ કરોડનું દાન મળ્યું છે.

સત્યસાંઇ ટ્રસ્ટની બગ્લોર, અનંતપુર, ચેન્નઇ સહિતના સ્થળોએ કરોડની કમતની મિલ્કતો આવેલી છે. મુખ્ય આશ્રમમાં કોઇ ગડબડી ન થાય તે માટે પોલીસ જવાનો તૈનાત છે.

No comments:

Post a Comment