Saturday, April 9, 2011

Gujarat Industrial News - વેપાર- ઊદ્યોગ સંમેલન ૧૭મી એપ્રિલે યોજાશે

ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦
વાગે યોજાશ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વરા આયોજિત ગુજરાત વેપાર ઊદ્યોગ મહાસંમેલન હવે રવિવાર તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાત યુનિર્વિસટી કન્વેન્શન હોલ, ટોપા સર્કલ પાસે, ડ્રાઈવઈન રોડ, અમદાવાદ ખાતે સવારના ૧૦.૦૦ વાગે યોજાશે.

આ મહાસંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઊપસ્થિત
રહેશે. અને રાજયના વેપાર-ઊદ્યોગના પ્રતિનિધિઓને સંબોધન કરશે.

આ સંમેલનનો મુખ્ય આશય ગુજરાત સરકાર દ્વારા સફળતાપૂર્વક આયોજિત પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતના વિવિધ વિસ્તારો માટે થયેલા સમજૂતિના કરારો હેઠળ વેપાર ઊદ્યોગ ક્ષેત્રે જે નવા મૂડીરોકાણની તક ઊભી થનાર છે.

તથા આગામી વર્ષોમાં જે તે વિસ્તારના વેપાર ઊદ્યોગ વર્ગ માટે સંભવિત ડાઊનસ્ટ્રીમ પ્રોજેકટો, એન્સીલરી ઊદ્યોગોના વિકાસ, વેન્ડર ડેવલપમેન્ટ, કુશળ માનવ કામદારોની જરૂરિયાત વિગેરે ક્ષેત્રે કેવા પ્રકારની નવી તકો ઊભી થશે.

No comments:

Post a Comment