Saturday, April 9, 2011

Gujarat Educational News 2011 - ધો. ૮ ને માધ્યમિક માંથી પ્રાથમિકમાં સમાવવા ગુજરાત સરકારનો નિર્ણય

ધો.૮ બંધ કરતાં ફાજલ થનારા શિક્ષકોને અન્ય શાળાઓ અને અન્ય વર્ગોમાં સમાવી લેવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના રાઇટ ટુ એજયુકેશન એકટ અન્વયે ધો.૮નો સમાવેશ પ્રાથમિક શાળામાં કરીને ક્રમશઃ ૨૦૧૨-૧૩ સુધીમાં તમામ હાઇસ્કૂલોમાં ધો.૮ રદ કરવાનું નક્કી કર્યું હતું જેમાં વર્ગ બંધ થવાથી ફાજલ થનારા શિક્ષકો બાબતે ગુજરાત સરકાર દ્વારા મહત્વના નિર્ણયો કરાયા છે.

રાઇટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯ના આવ્યા બાદ ધો.૧થી૮માં ભણતા તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહેશે ત્યારે ધો.૮ને પણ આ વર્ષથી પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવાની કાર્યવાહી ગુજરાત રાજય શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે.

ત્યારે ૨૦૧૨-૧૩ સુધીમાં રાજયના ધો.૮ના તમામ વર્ગોને પ્રાથમિક શિક્ષણમાં સમાવી લેવામાં આવશે આ દરમિયાન ૮ના ફાજલ થયેલા શિક્ષકો માટે ગુજરાત રાજય શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

જેમાં જે શાળાઓમાં વર્ગો ઘટવાથી શિક્ષકો ફાજલ થશે તેમને સહાયક કે મદદનીશ શિક્ષકને ફાજલનું રક્ષણ નહ હોય તો પણ તેને સ્થિત ઘણી અન્ય શાળાઓમાં સમાવાશે.

વર્ગની સંખ્યા માટે શહેરી વિસ્તારમાં ૬૦ + ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ + ૨૪ વિદ્યાર્થીઓ ગણાવાના રહેશે. તથા જયાં ૨.૫ શિક્ષકો ફાજલ થયા હોય ત્યાં બે ગણવાના રહેશે. ફાજલના કિસ્સામાં પાછળથી ભરતી થયા હોય તેને છૂટા કરવા તેવું નહ પરંતુ કાર્યબોજ જોવામાં આવશે વિષયવાર તાસ ફાળવણી અને કાર્યબોજ ગણીને સૌથી ઓછા કાર્યબોજવાળા વિષય શિક્ષકને ફાજલ ગણવામાં આવશે.

જુનિયર વધુ કાર્યબોજ ધરાવતા હશે. તો તેઓ ફાજલ નહ થાય. એક વિષયના એક કરતાં વધુ શિક્ષકો હશે તો જુનિયર ફાજલ ગણાશે. જો અનામત કેટેગરીમાં હશે તો મુખ્ય વિષય ઊપરાંત ગૌણ વિષયના તાસ ફાળવી
કાર્યભાર વધારી ચાલુ રખાશે.

શાળા કક્ષાએ અપુરતી કે અધૂરી માહિતીને કારણે જિલ્લા કક્ષાએ ફાજલ અંગે નિર્ણયમાં કોઇ કાયદાકીય પ્રશ્ન થશે તો તમામ પ્રશ્નો અંગે શાળા સંચાલક મંડળ અને આચાર્ય જવાબદાર રહેશે. જો સંચાલક મંડળ ફાજલ ને હાજર નહ કરે તથા શાળા નાધણી રદ સહિત કાર્યવાહી થશે. ફાજલ શિક્ષકને જો અસંતોષ હોય તો સંચાલક મંડળના નિર્ણય સામે જિલ્લા શિક્ષણાધિકારીને તથા જિલ્લા શિક્ષણના નિર્ણય સામે કમિશનરમાં અપીલ કરી શકાશ.

No comments:

Post a Comment