Saturday, April 9, 2011

Vanche Gujarat Abhiyan - ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયની સભ્ય ફીમાં વધારો

ગૂજરાત વિદ્યાપીઠે ગ્રંથાલયની સભ્ય ફીમાં તોતગ વધારો ઝકતા વાંચકો પરેશાન ગરીબ વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયનું સભ્યપદ મેળવવું અઘરું.

‘દરેક વાંચકને તેનું પુસ્તક મળે અને દરેક પુસ્તકને તેનો વાંચક મળે ’ આ ઊપરના શબ્દો ‘લાયબ્રેરી સાયન્સના પિતામહ સી. રંગનાથનના છે. પણ હવે વધતી માઘવારીએ પુસ્તક અને લાયબ્રેરીની સભ્ય ફીમાં એટલો વધારો કરી દીધો છે કે ઊપરનું સૂત્ર સાર્થક થતું જણાતું નથી.

આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં સભ્ય ફ્રીમાં અચાનક તોતગ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાચલયના ર્વાિષક સભ્યપદની ફી માત્ર ૨૨૫ રૂપિયા હતી.

જેમાં ચાર સો ગણો વધારો કરવામાં આવ્યો છે. હવે ર્વાિષક સભ્ય ફી ૧૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. જયારે
આજીવન સભ્ય ફીના ૫૦૦ રૂપિયા હતા. જે વધારીને ૨૦૦૦ રૂપિયા કરી દેવાયા હવે પુસ્તકોને તેના સાચા વાંચકો મળશે કે કેમ ? રાજય સરકાર એક તરફ વાંચે ગુજરાતના અભિયાનો ચલાવે છે. રાજયના યુવાનો અને વિર્દ્યાિથઓમાં વાંચનને લઇને રુચિ વધે અને તેને લઇને રસ પેદા થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે.

પણ વાસ્તવિકતા એ છે ‘‘એફ’ સારું વાંચન હવે માત્ર અમીરોનો ઇજારો છે. શહેરમાં પુસ્તકોથી સમાધ્ધ એવી ગૂજરાત વિદ્યાપિઠની લાયબ્રેરીના સભ્ય ફીમાં થયેલો વધારો કેટલાક વિર્દ્યાથને લાયબ્રેરીથી દૂર કર્યા છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને કોર્મસમાં ભણતાં વિર્દ્યાિથ અશોક મકવાણા કહે છે કે ગ્રંથાલયમાં સામાન્ય રીતે ગરીબ અને મીડલકલાસના છોકરા વાંચવા આવે છે.

No comments:

Post a Comment