Wednesday, April 6, 2011

Ellis Bridge Ahmedabad City - ગુજરી બજાર ૩૦૦૦૦ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં નવું બનાવાશે

 રવિવારીનું નવું બજાર સાબરમતીના સરદારબિ્રજ સુધી લંબાવાશે.

અમદાવાદ સ્થિત એલિસબિ્રજ નદીના પટમાં ૬૦૦ વર્ષ જૂનું ગુજરી એટલે કે રવિવારી બજારને નવું લુક આપવામાં આવશે. હાલમાં ૯૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલું આ બજાર ૩૦૦૦૦ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં નવું બનશે અને એલિસબિ્રજ પરથી તેને સાબરમતીના સરદારબિ્રજ સુધી લંબાવવામાં આવશે.

તેવો નિર્ણય અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને લીધો છે. આ માર્કેટ આ જગ્યાએ જ નવું બનાવવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એકિઝકયૂટીવ ડાયરેકટર દિલીપ મહાજને જણાવ્યું હતું કે અત્યારે હાલમાં આ ગુજરી બજારનું ક્ષેત્રફળ ૯૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલું છે જેની એક એલિસબિ્રજથી છે પરંતુ નવા પ્લાન મુજબ આ ગુજરી બજારમાં જવા માટે બે જગ્યાએથી પ્રવેશ આપવામાં આવશે.

એએમસી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવા બજારના પ્રોજેકટ પાછળ રૂ. ૨૪ કરોડનો ખર્ચ થશે. આ ગુજરી બજાર શેડ સાથે નવા પ્લેટફોર્મ સાથે બનશે. આ ઊપરાંત નાનો બગીચો અને પાર્કંિગ સુવિધા રહેશે. સુલતાન અહેમદશાહ
દ્વારા આ ગુજરી બજાર શરૂ કરવામાં આવ્યું હતું કે જે અમદાવાદના ફાઊન્ડર છે.

આ બજાર રવિવારના રોજ ઓપન થશે. આ ગુજરીના બજારમાં નવી ટ્રેડિશનલ વસ્તુઓ મૂકવામાં આવશે અને જે ખાસ બજાર તરીકે ઓળખાશે અને આ બજાર નવી ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. આ બજારનું પ્લેટફોર્મ એવી રીતે બનાવવામાં આવશે કે ગ્રાહકો અને હેન્ડકાર્ટસ લોકો સુવ્યવસ્થિત ફરી શકે તેવી ડિઝાઇન બનાવવામાં આવશે.૬૦૦ વર્ષ બાદ અમદાવાદીઓ આ ગુજરી બજારનું નવું લૂક ટૂંક સમયમાં જોઇ શકશે અને ખરીદી શકશે.

દાણાપીઠ ખાતે આવેલું મ્યુનિ.કોર્પોરેશનના હેડકવાર્ટરથી આ રસ્તો એલિસબિ્રજના છેડે આ નવું પુજાર પ્રસ્થાપિત થશે.આ અસલ બજારની જગ્યા ઊપર આ નવું લૂક સાથે બજારનું નિર્માણ થશે અને આ બજારનું ક્ષેત્રફળ એલિસબિ્રજના છેડેથી લઇ સાબરમતીના સરદારબિ્રજના છેડા સુધી લંબાવવામાં આવશે.

No comments:

Post a Comment