Thursday, April 7, 2011

Western Railway Gujarat - કન્ફર્મ ટિકિટો હવે પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર થઇ શકશે

બ્લડ રિલેશન ટિકિટ ટ્રાન્સફર થશે જેમાં માતાપિતા, ભાઇ-બહેન અને પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.

રેલવે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી છે અને જવાનું રદ થયું તો ટેન્શન કરશો નહ કારણ કે હવે ટિકિટ રદ કરાવવાની જગ્યાએ સગાસબંધીના નામે ટ્રાન્સફર થઇ શકશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમે તમારી ટિકિટ બુક કરાવો અને મુસાફરી ના કરીશકો તો તમારે વધારે ચતા કરવાની જરૂર નથી કારણ કે તમારા પૈસા
બાતલ જશે નહ હવેથી તમે તમારા સગાસંબધીના નામે તમારી ટિકિટ ટ્રાન્સફર કરી શકશે.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં જ આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તમારી રેલવે ટિકિટ પર મુસાફરીના કરવી હોય તો તમારા સગાસંબંધીના નામે ટ્રાન્સફર કરી શકશે. આ રેલ ટિકિટ બ્લડ રિલેશનવાળી વ્યકિતને ટ્રાન્સફર કરી શકશે જે વ્યકિતએ કન્ફર્મ ટિકિટ કરાવી હોય અને મુસાફરી કરવા માટે સમર્થ ન હોય તો તે ટિકિટ પરિવાર જેમાં માતા-પિતા, ભાઇ-બહેન, પુત્ર-પુત્રી, પતિ
અથવા પતિના નામે ટ્રાન્સફર કરી શકશે. બ્લડ રિલેશનના કોઇ પણ સંબંધીને ટિકિટ ટ્રાન્સફર થઇ શકે છે.

જેથી મુસાફરના પૈસા નકામાં જશે નહ. કોઇ પણ સગાને ટિકિટ આપી પોતાની જગ્યાએ મુસાફરી કરાવી શકશે.

ટિકિટ ટ્રાન્સફર કરવા ૨૪ કલાક પહેલા અરજી કરવી પડશે રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કન્ફર્મ
ટિકિટ કરાવી હોય અને કોઇ કારણોસર મુસાફરી કરી શકવાના ના હોય તો પોતાના સગા-સંબંધીના નામે ટિકિટ ટ્રાન્સફર માટે ટ્રેનના શિડ્યુલથી ૨૪ કલાક પહેલા અરજી કરવી જરૂરી છે.

રેલવે વિભાગમાં ટિકિટ ટ્રાન્સફર માટે ૨ કલાક પહેલા અરજી કરવાથી જે-તે અન્ય વ્યકિતના નામે ટિકિટ બુક
થઇ જશે. ભારતીય રેલવે દ્વારા શરૂ થનારી આ સુવિધાનો લાભ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં મળતો થઇ જશે.

આ અંગે તમામ રેલવે ડિવિઝનોને સત્તાવાર પરિપત્રો પણ પાઠવવામાં આવી રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment