Thursday, April 7, 2011

આવતીકાલે ગુજકેટ ની પરીક્ષા ૮૫૩૨૮ વિદ્યાર્થી ભાગ લેશે

અન્ય રાજયોના ૬૩૬૪ વિદ્યાર્થીઓ ઊપરાંત આઠ વિદેશી વિદ્યાર્થીઓ પણ ગુજકેટની પરીક્ષા આપશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે આ પરીક્ષા આવતીકાલે ગુરુવારના રોજ રાજયભરમાં એક સાથે યોજાશે.

ગુજકેટની પરીક્ષામાં શિક્ષણ બોર્ડના ૮૫૩૨૮ વિદ્યાર્થીઓ ઊપરાંત અન્ય રાજયના ૨૯ શૈક્ષણિક બોર્ડના ૬૩૬૪ પરીક્ષાર્થીઓ જોડાશે. અન્ય શૈક્ષણિક બોર્ડમાં સૌથી વધુ સીબીએસસીના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા પરીક્ષાની રસીદ મોકલવામાં આવી છે.

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ ઇજનેરી, મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવે છે. વર્ષ ૨૦૦૫થી શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવાનું શરૂ કરાયું હતું.

ત્યારે હાલમાં શિક્ષણ બોર્ડ ઊપરાંત અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડના વિદ્યાર્થીઓ પણ ઊમેદવારી નાધાવી રહ્યા છે. અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડના વિદ્યાર્થીઓનો લગાવ ગુજકેટ પરીક્ષા પ્રત્યે વધ્યો છે. તેમાં આ વર્ષે ગતવર્ષની સરખામણીમાં પરીક્ષાર્થીઓનો પણ વધારો થવા પામ્યો છે.

આ વર્ષે બોર્ડ ઊપરાંત અન્ય રાજયોના શૈક્ષણિક બોર્ડ ઊપરાંત આઠ વિદેશી વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

અહ ઊલ્લેખનીય બાબત એ છે કે આ પરીક્ષા ૭ એપ્રિલ ૨૦૧૧, ગુરુવારના રોજ રાજયભરમાં યોજાવાની છે. જેમાં બોર્ડના ૮૫૩૨૮ વિદ્યાર્થીઓ, અન્ય રાજયોનાં આવતા શૈક્ષણિક બોર્ડના ૬૩૬૪ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાની ઊમેદવારી નાધાવી છે.

તેમાં બીએસઇબીપીના ૧૪, સીબીએસઇના ૫૦૪૩, સીઆઇએસસીઇના ૭૦૨, જીબી એસઇના ૧, કેબીપીયુઇના ૧૩, કેબીપીઇટીના ૧૧, એમ એસએસઇબીની ૨૮૭,બીએસઇએનપીના ૨૩, સીએસએચઇના ૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આમ ગુજકેટની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઇજનેરી ગુજકેટની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઇજનેરી, મેડિકલ અને ફાર્મસીના ક્ષેત્રમાં પ્રવેશ માટે ઘણી જરૂરી છે.

No comments:

Post a Comment