Friday, April 8, 2011

Gujarat Real Estate News - ફલેટના ટેરેસ માટે હવે જંત્રી દર ચુકવવા પડશે

પેન્ટહાઊસ વધુ માઘા બનશે.ખુલ્લા અને કવર્ડ એમ બંને પાર્કંિગને જંત્રી હેઠળ આવરી લેવાયા.

નિર્ધારિત બાંધકામ જંત્રીદરમાં પણ ધરખમ વધારો.૫૦ વર્ષ જૂના મકાનો માટે કેટલીક છૂટછાટો.

રાજય સરકારે લાગુ પાડેલી જંત્રી સામે ભારે વિરોધ સર્જાયો છે ત્યાં બીજી તરફ જંત્રીમાં ટેરેસ તથા કાર પાર્કંિગની જગ્યાઓને પણ જંત્રી હેઠળ આવરી લીધી હોવાથી નવા મકાન-ફલેટના દસ્તાવેજો વધુ ઊંચા થવા સાથે માઘા બનશે.

ફલેટ-ઓફિસ કે દુકાનના ટેરેસ માટે ૪૦ ટકા જંત્રી દર લાગુ પડશે. ટેરેસવાળા ફલેટ ધારકો પર સૌથી મોટો બોજો આવશે. જો કે ટેરેસ ધરાવતા મકાન-બંગલોને જંત્રીમાંથી મુકિત આપવામાં આવી છે. આ ઊપરાંત બિલ્ડરો હવે પાર્કંિગની જગ્યા માટે પણ નાણાં વસૂલવા માંડ્યા છે તેને ધ્યાને રાખીને રાજય સરકારે પાર્કંિગ માટેની ખુલ્લી તથા બાંધેલી જગ્યા માટે પણ જંત્રી વસૂલવાનું નક્કી કર્યું છે.

રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં મકાનની જંત્રીના પાંચ ટકા મુજબ વસૂલાત થશે. પાર્કંિગ વિસ્તાર દર્શાવવામાં આવ્યો ન હોય ત્યાં પ્રતિ કાર દીઠ ૮ ચોરસ મીટરની ગણતરી કરીને જંત્રી ગણાશે. મકાન-બંગલો તથા ટેરેસવાળા ફલેટ માઘા બનશે છતાં લિફટ વગરની ઈમારતોના સૌથી છેવટના માળના ફલેટમા થોડી રાહત હશે.

લીફટ વગરની ઈમારતમાં બીજા માળના ફલેટમાં નિયત જંત્રીનો ૯૫ ટકા દર લાગૂ પડશે. ત્રીજા અને તેથી ઊપરના માળે ૯૦ ટકા દર લાગૂ પડશે. ર્આિથક રીતે નબળા લોકોને રાહત આપવામાં આવી છે ૧૦૦ ચોરસ મીટરના ફલેટના જંત્રી મૂલ્યમાં ૧૦ ટકા રાહત રહેશે.

મહેસૂલ વિભાગ દ્વારા બાંધકામ ભાવ પણ નિયત કરી દેવામાં આવ્યા છે. સિમેન્ટ કાક્રિટ ફ્રેમ સ્ટ્રકચરના બાંધકામ ના પ્રતિ ચોરસ મીટરના રૂ. ૯૯૦૦ નક્કી કરાયા છે. લોડ બેરગ સ્ટ્રકચર ધરાવતા બાંધકામ ના પ્રતિ ચોરસ મીટર રૂ. ૮૬૦૦ તથા સેમિ કાક્રિટ સ્ટ્રકચરના રૂા. ૬૩૦૦ નક્કી કરાયા છે.

નવા જંત્રી કાયદામાં જૂના મકાનોને પણ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. ૫૦ વર્ષ સુધી જૂનું બાંધકામ ધરાવતા મકાન-ઈમારત માટે ર્વાિષક ૧-૨ ટકાના ધોરણે ર્વાિષક ઘસારાનો લાભ આપ્યો છે. ૫૦ વર્ષ કરતા વધુ સમયનું જૂનું બાંધકામધરાવતા મકાન-ઈમારતના જંત્રીદરના મહત્તમ ૬૦ ટકા સુધીની રાહત મળશે.

રાજયના સ્ટેમ્પ ડ્યૂટી સુપ્રિટેન્ડેન્ટ લોચન સેહરાએ એવો દાવો કર્યો છે કે નવા જંત્રીદરથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી કાળ નાણાંનું દૂષણ ઘણાઅંશે દૂર થઇ શકશે.

અત્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રમા વ્હાઇટના વ્યવહારો માત્ર સરેરાશ ૪૦ ટકાના ધોરણે જ થાય છે બાકીના ૬૦ ટકાના કાળા નાણાંના વ્યવહાર હોય છે.

નવી જંત્રીથી વ્હાઇટના વ્યવહારનું પ્રમાણ ૭૦ ટકા જેવું થઇ જશે રાજય સરકારે મહારાષ્ટ્રના ધોરણે દર વર્ષે જંત્રીદર બદલાવવાનો નિર્ણય લીધો છે ત્યારે તબક્કાવાર કાળા નાણાંનું દૂષણ સાવ મામૂલી થઇ જશે.

No comments:

Post a Comment