Tuesday, April 12, 2011

Japan Earthquake - સરકારે જાપાનથી આયાત થતી ખાદ્યસામગ્રી પર પ્રતિબંધ મૂકયો

રેડિયેશનના ભયથી આ ત્રણ મહિના સુધી પ્રતિબંધ લાગુ રહેશે.

જાપાનમાં થોડા દિવસ અગાઊ આવેલી સુનામીના લીધે રેડિયેશનના ખતરાના લીધે ભારત સરકારે જાપાનથી આવતી ખાદ્ય-ચીજ વસ્તુઓના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ત્રણ મહિના સુધી લાગુ રહેશે. ભારતમાં ગત શનિવારે ક્રોઝન રાઇસ અને સોફટ ડ્રકસના ત્રણ સેમ્પલ આવ્યા હતા.

જેને ટેસ્ટગ માટે મોકલવામાં આવ્યા હતા. સોમવારે યોજાયેલી મીટગમાં જાપાનમાં સુનામી બાદ રેડિયેશનના ભયના લીધે ભારત સરકારે ત્રણ મહિના માટે કેટલીક ખાદ્ય -ચીજવસ્તુઓ ઊપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી આૅફ ઈન્ડિયા (એફએસએસએઆઇ)એ અઠવાડિયાના રીવ્યૂ મુજબ યુનિયન હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું હતું કે એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૦ દરમ્યાન જાપાનમાંથી લગભગ ૧ ડોલર મીલીયન જેટલી ખાદ્ય ઊત્પાદનની ચીજવસ્તુઓ ઈમ્પોર્ટ કરવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં ફિશ અને પેકગ ફૂડ પ્રોડકસન વધારે માંગ રહી હતી.

આૅકટોબરથી આ પ્રોડકટમાં જાપાન તરફથી સોયાબીન કર્ડ, ડ્રાયડ્ નુડલ્સ, બોઇલ્ડ મશરૂમ્સ,રેડીસ પેસ્ટ, ટી બેગ્સ, ઘંઉનો લોટ, જેવી વસ્તુઓ ઇમ્પોર્ટ કરવામાં આવી હતી. હવેથી આ વસ્તુઓ શોપગ લિસ્ટમાં રહેશે નહિ.

ચર્ચા બાદ જાપાનના કેટલાક વિસ્તારોમાં રેડિયેશનનો ફેલાવો થવાથી આડઅસર ના થાય તે માટે ખાદ્ય ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

No comments:

Post a Comment