Saturday, April 9, 2011

M J Library Ahmedabad - અમદાવાદની જૂની લાઇબ્રેરી રૂ.૫ કરોડ ના ખર્ચે રિર્નોવેટ થશે

એમ.જે. લાઇબ્રેરીનો ઈતિહાસ મહાત્મા ગાંધીએ ૨૨મી સપ્ટેમ્બર ૧૯૩૩ના વર્ષમાં એમ.જે. લાઇબ્રેરીનો પાયો નાંખ્યો હતો અને સત્યાગ્રહ આશ્રમ ખાતે ૯,૬૫૦ બુકોનું દાન કરવામાં આવ્યું હતું.

શેઠ રસિકલાલ માણકલાલે આ બિલ્ડગના કન્સ્ટ્રકશન માટે રૂ. ૫૫,૦૦૦નું દાન આપ્યું હતું. અને સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૩૮ની સાલની ૧૫મી એપ્રિલના રોજ પબ્લિક માટે ખુલ્લી મૂકી હતી.

આ પ્રોજેકટમાં નવી બિલ્ડગ, ચોપડીઓનું કોમ્પ્યૂટરાઇઝડ મેનેજમેન્ટ અને નવા સ્ટાફના સભ્યોની નિમણૂક થશ શહેરની ૭૦ વર્ષ જૂની મ્યુનિસિપલની એમ.જે. લાઇબ્રેરી કે જે એલિસબિ્રજ નજીક આવેલ છે.

આ જૂની એમ.જે. લાઇબ્રેરીનું રૂ.૫ કરોડના ખર્ચ નવનિર્માણ કરવામાં આવશે. તેવો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે.

રિનોવેટ થનારી એમ.જે. લાઇબ્રેરીના પ્લાનમાં નવી બિલ્ડગ, ચોપડીઓનું કોમ્પ્યૂટરાઇઝડ મેનેજમેન્ટ અને નવા સ્ટાફના સભ્યોની નિમણૂક થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૪૧ લાઇબ્રેરીઓમાં એમ.જે. લાઇબ્રેરી સાથે પણ મર્જ કરવામાં આવ્યું છે હવે ત્યાં મ્યુનિસિપલ ઝોનમાં એક મુખ્ય લાઇબ્રેરી રહેશે અને બીજી જગ્યાએ વાંચન કેન્દ્રો રહેશે.

આ લાઇબ્રેરી સોમથી શનિ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહે છે. અમદાવાદીઓ એમ.જે. લાઇબ્રેરીમાં વાંચન માટે રોજ આવતા હોય છે પરંતુ હવે આ જૂની લાઇબ્રેરીના રિનોવેશન બાદ વાચકોમાં વધારો થશે.

લાઇબ્રેરી મેનેજમેન્ટમાં આધુનિકરણ અને સ્ટાફની તાલીમ જેવી સિસ્ટમરહેશે. આ ઊપરાંત ચોપડીઓ કોમ્પ્યૂટરો ઊપર રજિસ્ટર્ડ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રોજેકટ માટે અગ્રણી સંસ્થાઓ અને લાઇબ્રેરીનો અભિપ્રાય લેશે.

મેયર અસિત વોરાએ આ અંગે જણાવ્યું હતું કે એમ.જે. લાઇબ્રેરીએ એ એક અૈતિહાસિક છે પણ સંસ્થાને રિનોવેટ કરવાનો સમય આવી ગયો છે.

લાઇબ્રેરીની મેનેજમેન્ટ સિસ્ટમ છ મુખ્ય લાઇબ્રેરીઓમાં અને રિડગ સેન્ટરોમાં યુનિફોર્મ તરીકે રહેશે.

No comments:

Post a Comment