Friday, April 1, 2011

તલાટી કમ મંત્રીઓની ભરતી પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં નિમણૂકો કરાશે

ખાલી જગ્યાઓ હોવા છતાં ગ્રામ વિકાસના કોઇ કામો અટકયા નથી.

રાજયના ગામડાઓનો સર્વાંગી વિકાસ સધાય અને ગામડાઓમાં શહેર જેવી સવલતો પ્રાપ્ત થાય તે માટે રાજય સરકારે આયોજન હાથ ધર્યું છે.

ગ્રામ્યકક્ષાએ મહેસૂલી રેકર્ડ સંભાળતા તલાટી-કમ-મંત્રીઓની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને ભરતી પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં જ નિમણૂકો અપાશે.

પરંતુ ખાલી જગ્યાઓના કારણે ગ્રામવિકાસના કોઇ કામો અટકયા નથી તેવું પંચાયત મંત્રી નરોત્તમ પટેલે જણાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં પંચાયત તલાટી-મંત્રીના મંજૂર મહેકમ અંગેના જણાવતા મંત્રી નરોત્તમ પટેલે જણાવ્યું હતું. કે રાજયમાં તલાટી-કમ પંચાયત મંત્રીની ભરતી માટે સને ૧૯૯૮-૧૯૯૯થી બાન આવ્યો હતો.

રાજય સરકારના સઘન પ્રયાસોને લીધે ૩ જગ્યાઓ માટે પિટિશન થઇ હતી તે બાકી રાખી અન્ય જગ્યાઓ ભરવા માટે મંજૂરી મળી છે. સમયની માંગ મુજબ મહેસૂલ વિભાગનું કામ અલગ કરે છે.

રાજયમાં ગ્રામ મંત્રીની ૪૦૦૦ જગ્યાઓ ભરેલી છે જે પંચાયતને લગતી કામગીરી કરે છે. ભરતી પ્રક્રિયા માટે ૨૭ ડિસે.૨૦૧૦ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. મળેલી અરજીઓની ચકાણી કરી દેવામાં આવી છે.

માત્ર પરીક્ષાઓ બાકી છે. આ માટે ૧૦૦૦ જેટલા સેન્ટરોની આવશ્યકતા છે. શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ચાલુ છે તે પૂર્ણ થતાં સેન્ટરો ઊપલબ્ધ થશે એટલે ત્વરિત પરીક્ષાઓ લઇ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના ૧૨ તાલુકાઓમાં પંચાયત તલાટી-મંત્રીઓનું ૭૩૩નું મહેકમ મંજૂર થયેલું છે. તેમાં ૪૫૯ જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને ૨૭૪ જગ્યાઓ ખાલી છે જે સત્વરે ભરાય તે માટે રાજય સરકાર પ્રયત્નો કરી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ૬૫૩ ગ્રામ મંત્રીઓની ભરતી કરવામાં આવી છે.

No comments:

Post a Comment